'મુંબઈમાં ઘણી જગ્યાએ બોમ્બ ફિટ કરવામાં આવ્યા છે', ફોન પર મળેલી ધમકી બાદ પોલીસ દોડતી થઇ


  • Published By : Payal rathod
  • Published Date : 2022-10-20 10:00:37

બુધવારે એક અજાણ્યા વ્યક્તિએ મુંબઈ પોલીસને શહેરમાં અનેક જગ્યાએ બોમ્બ વિસ્ફોટની ધમકી આપી હતી. તેણે પોલીસ હેલ્પલાઈન નંબર 112 પર ફોન કર્યો અને કહ્યું કે મુંબઈ મહાનગરમાં ઘણી મહત્વની જગ્યાઓ પર બોમ્બ ફીટ કરવામાં આવ્યા છે. આ ધમકી મળતાં જ પોલીસ સતર્ક થઈ ગઈ અને સુરક્ષા વધારી દીધી.

Mumbai CST Station, Mumbai, India[1024x600] : r/ImagesOfIndia

પોલીસના જણાવ્યા અનુસાર ફોન કરનારે દાવો કર્યો હતો કે ઈન્ફિનિટી મોલ અંધેરી, પીવીઆર મોલ જુહુ અને સહારા હોટેલ એરપોર્ટ પર બોમ્બ મુકવામાં આવ્યા હતા. આ પછી તરત જ પોલીસે ત્રણેય સ્થળોએ સુરક્ષા વધારી દીધી હતી અને આ સ્થળોએ સર્ચ ઓપરેશન શરૂ કર્યું હતું. ધમકી આપનાર અજાણ્યા કોલરની શોધ ચાલુ છે.


ગયા મહિને પણ ધમકી આપી હતી

આ પહેલા 23મી સપ્ટેમ્બરે પણ મુંબઈમાં બોમ્બ વિસ્ફોટની ધમકીના કોલ આવ્યા હતા. સાંતાક્રુઝ વિસ્તારમાં કેટલાક લોકોને ફોન કરીને આ અંગે ધમકી આપવામાં આવી હતી. ત્યારે પણ મુંબઈ પોલીસે આ મામલામાં આઈપીસીની કલમ 506 હેઠળ અજાણ્યા વ્યક્તિ વિરુદ્ધ કેસ નોંધ્યો હતો.


એપ્રિલમાં બેંગ્લોરની શાળાઓમાં બોમ્બ વિસ્ફોટની ધમકીઓ મળી હતી

Six Bengaluru schools get bomb threat, CM says bid to disturb peace |  Cities News,The Indian Express

અગાઉ એપ્રિલમાં કર્ણાટકમાં ચાલી રહેલા હિજાબ વિવાદ વચ્ચે બેંગલુરુની કેટલીક શાળાઓમાં બોમ્બ વિસ્ફોટની ધમકીઓ મળી હતી. આ પછી કર્ણાટકના સીએમ બસવરાજ બોમાઈએ આ મામલાની તપાસ કરવાનું કહ્યું હતું, કારણ કે આ રાજ્યની શાંતિને ખલેલ પહોંચાડવાનું ષડયંત્ર હોઈ શકે છે. કર્ણાટક એક પ્રગતિશીલ રાજ્ય છે અને કેટલાક લોકો અહીં અશાંતિ પેદા કરવા માંગે છે. ધમકી આપનારની ધરપકડ કરવાનો નિર્દેશ આપ્યો હતો.



પુણેના કેતન અગ્રવાલનું લોહગઢ કિલ્લા પર થયેલું મોત અકસ્માતથી હત્યાના કેસમાં કેવી રીતે ફેરવાયું? સિયા ગોયલ, ચેતન ચૌધરી, CCTV અને કોલ રેકોર્ડની સંપૂર્ણ માહિતી વાંચો.

અમદાવાદના ચાંગોદરમાં 1,140 નકલી અને ભેળસેળયુક્ત પ્લાઝમા યુનિટ સાથે ચાર આરોપી ઝડપાયા. જાણો રેકેટની રીત, જોખમ અને કાયદામાં થતી સજા.

23 જૂન 2026ના રોજ નવી દિલ્હીના રાષ્ટ્રપતિ ભવનમાં નાગરિક અલંકાર સમારોહ-II યોજાયો હતો. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ કલા, સાહિત્ય, શિક્ષણ, સમાજસેવા, જાહેર જીવન, રમતગમત, વિજ્ઞાન, ચિકિત્સા, કૃષિ, ઉદ્યોગ અને અન્ય ક્ષેત્રોમાં નોંધપાત્ર યોગદાન આપનાર મહાનુભાવોને પદ્મ પુરસ્કારોથી સન્માનિત કર્યા હતા. આ સમારોહની સત્તાવાર યાદીમાં 2 પદ્મ વિભૂષણ, 7 પદ્મ ભૂષણ અને 57 પદ્મ શ્રી પ્રાપ્તકર્તાઓ સહિત કુલ 66 વ્યક્તિઓનો સમાવેશ કરવામાં આવ્યો હતો. રંજની અને ગાયત્રીને સંયુક્ત એટલે કે Duo શ્રેણીમાં એક પુરસ્કાર આપવામાં આવ્યો છે. કેટલાક મહાનુભાવોને મરણોત્તર સન્માનિત કરવામાં આવ્યા છે.

સ્ટોરીમાં કોર્ટનો ચુકાદો, પત્ની સહિત નવ લોકોને સજા, 2023ની ઘટનાની શરૂઆત, વન અધિકારીઓ સાથે જોડાયેલા આરોપો, ₹60 હજારના વ્યવહારનો મુદ્દો, FIRથી ચુકાદા સુધીની સમયરેખા, કેસમાં ટ્રાયલ થયેલી IPC અને Arms Actની કલમો, સાક્ષીઓ, જેલની સ્થિતિ, ધારાસભ્ય તરીકેની અયોગ્યતા, અપીલનો રસ્તો અને AAP પર પડનારી રાજકીય અસર આવરી લેવાઈ છે. નર્મદા જિલ્લાના રાજપીપળાની કોર્ટે ચૈતર વસાવા અને અન્ય આઠ લોકોને સાત વર્ષની સજા સંભળાવીને ન્યાયિક કસ્ટડીમાં મોકલ્યાના અહેવાલ છે.