70 વર્ષ પછી આજથી ભારતમાં જોવા મળશે ચિત્તા,ચિત્તાઓને કુનોમાં છોડશે વડાપ્રધાન મોદી


  • Published By : Payal rathod
  • Published Date : 2022-09-17 10:32:37

70 વર્ષ પછી ફરી ભારતમાં દેખાશે ચીત્તા : ચિત્તા શનિવારે સવારે નામિબિયાથી ભારત આવી પહોંચ્યા છે. ચિત્તા 24 લોકોની ટીમ સાથે સ્પેશિયલ પ્લેને ગ્વાલિયર એરબેઝ પર ઉતરાણ કર્યું છે. અહીં વિશેષ વિમાનમાંથી પાંજરા બહાર કાઢીને નિષ્ણાતો ચિત્તાઓનું નિયમિત ચેકઅપ કરશે. આ પછી હેલિકોપ્ટર ચિત્તાઓ સાથે રવાના થશે.


નામીબિયાથી 8 ચિત્તાઓને લઈને વિશેષ વિમાન ગ્વાલિયરમાં પહોંચ્યું હતું 

Image

નામિબિયાથી આઠ ચિત્તા ભારતમાં આવ્યા છે. જે સ્પેશિયલ પ્લેનથી તેને લાવવામાં આવી રહ્યા હતા તે ગ્લેવિયર એરપોર્ટ પર લેન્ડ થયું હતું . હવે તેમને અહીંથી હેલિકોપ્ટર દ્વારા કુનો નેશનલ પાર્ક લઈ જવામાં આવશે. ગ્વાલિયર એરપોર્ટ પર કેન્દ્રીય મંત્રી જ્યોતિરાદિત્ય સિંધિયાએ ચિત્તાઓનું સ્વાગત કર્યું


અહીં વડાપ્રધાન નરેન્દ્ર મોદી સવારે 11 વાગ્યે ત્રણ બોક્સ ખોલશે અને ચિત્તાઓને ક્વોરેન્ટાઈન એન્ક્લોઝરમાં છોડશે. આજે વડાપ્રધાન મોદીનો જન્મદિવસ પણ છે. મોદી કુનોમાં અડધો કલાક રોકાશે. આ દરમિયાન તે ચિત્તા મિત્ર ટીમના સભ્યો સાથે વાત કરશે. શાળાના બાળકોને પણ પાર્કમાં બોલાવવામાં આવ્યા છે. વડાપ્રધાન પોતાનો જન્મદિવસ આ બાળકો સાથે ઉજવશે.


કેન્દ્રીય મંત્રી જ્યોતિરાદિત્ય સિંધિયા સવારે 9.30 વાગ્યે કુનો નેશનલ પાર્ક પહોંચશે. કેન્દ્રીય મંત્રી નરેન્દ્ર સિંહ તોમર શુક્રવારે મોડી સાંજે કુનો પહોંચી ગયા છે. મુખ્યમંત્રી શિવરાજ સિંહ ચૌહાણ ગ્વાલિયર એરપોર્ટ પર વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું સ્વાગત કરશે.

Image

સવારે 7.55 વાગ્યે નામીબિયાથી સ્પેશિયલ ચાર્ટર્ડ કાર્ગો ફ્લાઈટ 8 ચિત્તા લઈને આવી હતી. પ્લેન ગ્વાલિયરમાં ભારતીય વાયુસેનાના એરબેઝ પર લેન્ડ થયું હતું. પ્લેન લેન્ડ થતાની સાથે જ ચિત્તાઓનું આતશબાજી સાથે સ્વાગત કરવામાં આવ્યું હતું.

Image

આ કાર્યક્રમ કુનો નેશનલ પાર્કના ટિકટોલી ગેટથી 18 કિલોમીટર દૂર યોજાશે. ફ્લાઇટ મોડી હોવાને કારણે ગ્વાલિયરથી 10 વાગ્યા સુધીમાં ચિત્તા અહીં પહોંચે તેવી શક્યતા છે.


શિયોપુર જિલ્લાના કરહાલ તહસીલ મુખ્યાલયમાં બપોરે 12 વાગ્યે મહિલા સ્વ-સહાય જૂથોનું સંમેલન યોજાનાર છે. જેમાં પીએમ મોદી સામેલ થશે. કાર્યક્રમની લગભગ તમામ તૈયારીઓ પૂર્ણ કરી લેવામાં આવી છે.


સવારે 9.45 કલાકે વિશેષ વિમાન દ્વારા ગ્વાલિયરમાં આગમન. 10.35 કલાકે હેલિકોપ્ટર દ્વારા કુનો નેશનલ પાર્ક પહોંચશે. 10.45 થી 11.15 કલાક સુધી ચિત્તાઓને વાડામાં છોડશે. 11:30 વાગ્યે હેલિકોપ્ટર દ્વારા કરાહલ જવા રવાના થશે. 11.50 કલાકે કરાહલ પહોંચશે. બપોરે 12 થી 1 દરમિયાન મહિલા સ્વસહાય જૂથો કોન્ફરન્સમાં હાજરી આપશે. સવારે 1.15 વાગ્યે કરહલથી હેલિકોપ્ટર દ્વારા ગ્વાલિયર માટે રવાના. બપોરે 2.15 વાગ્યે ગ્વાલિયર એરપોર્ટ પહોંચશે. ગ્વાલિયરથી બપોરે 2.20 કલાકે રવાના થશે.


કુનો નેશનલ પાર્કના ટિકતૌલી ગેટથી 18 કિમીની અંદર 5 હેલિપેડ છે. તેમાંથી 3 વડાપ્રધાન અને તેમની સુરક્ષા માટે આવેલા હેલિકોપ્ટર માટે આરક્ષિત છે. અહીંથી 500 મીટરની ત્રિજ્યામાં 10 ફૂટ ઊંચું પ્લેટફોર્મ બનાવવામાં આવ્યું છે. પ્લેટફોર્મની ઊંચાઈ 10 થી 12 ફૂટ હશે. મંચ પર પીએમ મોદી ઉપરાંત મુખ્યમંત્રી શિવરાજ સિંહ ચૌહાણ, કેન્દ્રીય વન મંત્રી અને મધ્યપ્રદેશના વન મંત્રી પણ હશે. આ પ્લેટફોર્મની બરાબર નીચે છ ફૂટના પિંજરામાં ચિત્તા હશે.


દક્ષિણ આફ્રિકાની પ્રિટોરિયા યુનિવર્સિટીમાં પ્રો. એડ્રિયન ટ્રોડિફે જણાવ્યું કે ભારતમાં આવતા 8 ચિત્તાઓમાંથી બે સગા ભાઈઓ પણ છે. તેમની ઉંમર અઢીથી સાડા પાંચ વર્ષ વચ્ચેની છે. ચિત્તાનું સરેરાશ જીવનકાળ સામાન્ય રીતે 12 વર્ષ હોય છે. ચિત્તાઓને સુરક્ષિત રીતે લાવવા માટે નામીબીયાથી વેટરનરી ડોકટર અન્ના બસ્ટો પ્લેનમાં સાથે આવ્યા છે.

Image


રાજકોટમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ પહેલા ભારતીય જનતા પાર્ટીમાં ટિકિટ વહેંચણીને લઇને કાર્યકરોમાં અસંતોષ જોવા મળ્યો છે. શિસ્તબદ્ધ કહેવાતી પાર્ટીમાં ટિકિટ માટે જૂથબંધી અને રોષ ભાજપમાં સપાટી પર આવી ગયો છે. હવે , ભાજપના પ્રદેશ પ્રમુખ જગદીશ વિશ્વકર્માએ ડેમેજ કંટ્રોલ કરવા લાગી જવું પડ્યું છે. આ માટે તેમણે રાજકોટની મુલાકાત લીધી છે.

મહેસાણા જિલ્લામાં ભારતીય જનતા પાર્ટીમાં ખુબ મોટું ગાબડું સામે આવ્યું છે. કેમ કે, મરતોલી ગામના ૨૦૦ જેટલા ભાજપના કાર્યકરો પૂર્વ ધારાસભ્ય બળદેવજી ઠાકોરની હાજરીમાં કોંગ્રેસમાં જોડાયા છે. આ તમામ ભાજપના કાર્યકરોએ આક્ષેપ કર્યા છે કે , પાર્ટીમાં અમારી કોઈ જ વેલ્યુ નથી રહી. બીજી તરફ , બનાસકાંઠા જિલ્લામાં પણ ભાજપમાં ખુબ મોટું ગાબડું પડ્યું છે. પૂર્વ નગરસેવક અને સિનિયર આગેવાન શાંતિ માળી અને ગોપાલ સેનાના અધ્યક્ષ નરસિંહ દેસાઈ કોંગ્રેસમાં જોડાયા છે.

સામાન્ય રીતે લોકો પોતાના જન્મદિવસે તેની ભવ્ય ઉજવણી કરતા હોય છે. પરંતુ રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડના એક્ઝિક્યુટિવ ડાયરેક્ટર અનંત અંબાણીના 31મા જન્મદિન પ્રસંગે આયોજિત વિવિધ પરોપકારી કાર્યો તથા પ્રવૃત્તિઓએ આશરે 57 લાખ લોકોના જીવનને સ્પર્શ કરી તેને બહેતર બનાવવાનો પ્રયાસ કર્યો છે. લાખો લોકોના જીવનને સમૃદ્ધ બનાવવાના ઉદ્દેશથી ધાર્મિક ટ્રસ્ટ, શૈક્ષણિક તથા આરોગ્યસંભાળ સંસ્થાઓ તેમજ સામાજકલ્યાણની સંસ્થાઓમાં સખાવતી યોગદાન અપાયું હતું.

સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ માટે સત્તાધારી પક્ષ ભારતીય જનતા પાર્ટીમાં ઉમેદવારોની પસંદગી કરવાને લઇને જબરદસ્ત મંથન ચાલી રહ્યું છે. ત્યારે , ભાજપ દ્વારા કેટલાક માપદંડો બનાવવામાં આવ્યા છે જેમ કે , ૬૦થી વધુ વયના લોકોને ટિકિટ ના આપવી. ત્રણ ટર્મથી ચૂંટણી લડતા હોય તેમને ટિકિટ ના આપવી. આવા અનેક નિયમો ભાજપે બનાવ્યા છે. તો ભાજપના જ આવા નિયમોની સામે ભરૂચના સાંસદ મનસુખ વસાવાએ મોરચો માંડ્યો છે. મનસુખ વસાવાએ સ્પષ્ટપણે કહી દીધું છે કે , આ નિયમો જ પાર્ટીને નુકશાન કરશે.