દિલ્હીમાં છઠ્ઠ મહાપર્વ પહેલા યમુના ફરી પ્રદુષિત, નદીના પાણી પર ઝેરીલું સફેદ ફિણ જોવા મળ્યું


  • Published By :
  • Published Date : 2022-10-27 17:57:40

દિવાળી પછી હવે છઠ્ઠ મહાપર્વને લઈ તૈયારીઓ શરૂ થઈ ગઈ છે. શુક્રવારથી છઠ્ઠ મહાપર્વનો શુભારંભ થઈ જશે, પણ ચાર દિવસ સુધી ચાલનારા આ પર્વને લઈ લોકો ચિંતિત છે, કેમ કે યમુના નદીનું પાણી ખુબ જ પ્રદુષિત થઈ ગયું છે. ગુરૂવારે યમુના નદી ઝેરીલા સફેદ ફિણથી ભરાઈ ગઈ છે. હવે આ ઝેરીલા ફિણના કારણે લોકોની મુશ્કેલી વધી ગઈ છે.


28 ઓક્ટોબરથી છઠ્ઠ મહાપર્વનો પ્રારંભ


હવે જ્યારે આગામી 28 ઓક્ટોબરથી છઠ્ઠ મહાપૂજાનો પ્રારંભ થઈ રહ્યો છે ત્યારે શ્રધ્ધાળુંઓ યમુનાના પ્રદુષિત પાણીમાં કઈ રીતે સ્નાન કરશે તે જોવાનું છે. દિલ્લીમાં યમુનાના તમામ ઘાટ પર પ્રદુષિત અને સફેદ ફિણવાળું ઝેરીલું પાણી જોવા મળે છે. 


પ્રદુષિત રાષ્ટ્રિય રાજધાની દિલ્હી


દિવાળી બાદ દિલ્હી-એનસીઆરમાં પ્રદુષણની સ્થીતી ગંભીર બની છે. વાયુ પ્રદુષણનું સ્તર ખતરનાક બન્યું છે. આજે ગુરૂવારે શહેરનો એર ક્વોલિટી ઈન્ડેક્સ  266 નોંધાયો હતો જે ખુબ જ ખરાબ કેટેગરી છે. 



અમદાવાદ માટે ખેલકૂદમાં ખુબ ગૌરવવાળી ક્ષણ સામે આવી છે. કેમ કે , અમદાવાદ ગોતાના રહેવાસી હની મેહતા અને મિવાન મેહતાએ ગોવામાં આયોજિત પહેલી ઇન્ટરનેશનલ કરાટે ટુર્નામેન્ટમાં ભાગ લીધો હતો જેમાં હની મેહતાએ બ્રોન્ઝ અને સિલ્વર મેડલ જીત્યો છે જયારે મિવાન મેહતા દ્વારા સિલ્વર મેડલ જીતવામાં આવ્યો છે.

રાજકોટ ગેમઝોન અગ્નિ કાંડ કે જેમાં RMCના પૂર્વ TPO મનસુખ સાગઠીયાને હવે સુપ્રીમ કોર્ટ દ્વારા રાહત આપવામાં આવી છે. રાજકોટ ગેમઝોન અગ્નિકાંડના આરોપી અને પૂર્વ TPO મનસુખ સાગઠીયાના જામીન સુપ્રીમ કોર્ટ તરફથી મંજુર કરવામાં આવ્યા છે. RMCના પૂર્વ TPO મનસુખ સાગઠીયા છેલ્લા સવા વર્ષથી જેલમાં બંધ હતા. તેમણે સુપ્રીમ કોર્ટમાં જામીન અરજી દાખલ કરી હતી જેના પર સુનાવણી કર્યા બાદ સુપ્રીમ કોર્ટે મનસુખ સાગઠીયાના જામીન મંજુર કર્યા છે.

રાજકોટના અનિરુદ્ધસિંહ જાડેજા કે જેઓ અવારનવાર સમાચારોમાં રહેતા હોય છે , તેમને હવે પૂર્વ MLA પોપટલાલ સોરઠિયાના કેસમાં સુપ્રીમ કોર્ટ તરફથી ઝટકો મળ્યો છે. અનિરુદ્ધસિંહ જાડેજાએ ગુજરાત હાઇકોર્ટનો જે સજામાંફીને લઇને જે ચુકાદો હતો તેને સુપ્રીમ કોર્ટમાં પડકાર્યો હતો પરંતુ , હવે રીબડાના અનિરુદ્ધસિંહ જાડેજાને સુપ્રીમ કોર્ટમાંથી પણ રાહત નથી મળી . સુપ્રીમ કોર્ટ તરફથી અનિરુદ્ધસિંહ જાડેજાને સરેન્ડર થવા માટે આદેશ આપવામાં આવ્યો છે.

આમ આદમી પાર્ટીમાં ભંગાણના એંધાણ છે , હવે અમદાવાદમાંથી ચેતન રાવલે આપમાંથી રાજીનામુ આપી દીધું છે . ચેતન રાવલ આમ આદમી પાર્ટીમાં નેશનલ જોઈન્ટ સેક્રેટરી હતા . ચેતન રાવલ કોંગ્રેસ છોડી આમ આદમી પાર્ટીમાં જોડાયા હતા . આ રાજીનામાનો પત્ર ચેતન રાવલે આમ આદમી પાર્ટીના પ્રદેશપ્રમુખ ઈસુદાન ગઢવીને સંબોધીને લખ્યો છે. ચેતન રાવલે રાજીનામુ આપવા પાછળ અંગત કારણ આગળ ધર્યું છે.