દિલ્હીમાં છઠ્ઠ મહાપર્વ પહેલા યમુના ફરી પ્રદુષિત, નદીના પાણી પર ઝેરીલું સફેદ ફિણ જોવા મળ્યું


  • Published By :
  • Published Date : 2022-10-27 17:57:40

દિવાળી પછી હવે છઠ્ઠ મહાપર્વને લઈ તૈયારીઓ શરૂ થઈ ગઈ છે. શુક્રવારથી છઠ્ઠ મહાપર્વનો શુભારંભ થઈ જશે, પણ ચાર દિવસ સુધી ચાલનારા આ પર્વને લઈ લોકો ચિંતિત છે, કેમ કે યમુના નદીનું પાણી ખુબ જ પ્રદુષિત થઈ ગયું છે. ગુરૂવારે યમુના નદી ઝેરીલા સફેદ ફિણથી ભરાઈ ગઈ છે. હવે આ ઝેરીલા ફિણના કારણે લોકોની મુશ્કેલી વધી ગઈ છે.


28 ઓક્ટોબરથી છઠ્ઠ મહાપર્વનો પ્રારંભ


હવે જ્યારે આગામી 28 ઓક્ટોબરથી છઠ્ઠ મહાપૂજાનો પ્રારંભ થઈ રહ્યો છે ત્યારે શ્રધ્ધાળુંઓ યમુનાના પ્રદુષિત પાણીમાં કઈ રીતે સ્નાન કરશે તે જોવાનું છે. દિલ્લીમાં યમુનાના તમામ ઘાટ પર પ્રદુષિત અને સફેદ ફિણવાળું ઝેરીલું પાણી જોવા મળે છે. 


પ્રદુષિત રાષ્ટ્રિય રાજધાની દિલ્હી


દિવાળી બાદ દિલ્હી-એનસીઆરમાં પ્રદુષણની સ્થીતી ગંભીર બની છે. વાયુ પ્રદુષણનું સ્તર ખતરનાક બન્યું છે. આજે ગુરૂવારે શહેરનો એર ક્વોલિટી ઈન્ડેક્સ  266 નોંધાયો હતો જે ખુબ જ ખરાબ કેટેગરી છે. 



ગુજરાતના લાખો ગરીબ પરિવારોના આરોગ્યની સુરક્ષાને વધુ સુદૃઢ બનાવવા માટે ગુજરાત સરકારે એક મહત્ત્વપૂર્ણ પગલું ભર્યું છે. ગાંધીનગર ખાતે આરોગ્ય મંત્રી શ્રી પ્રફુલ પાનશેરિયાની ઉપસ્થિતિમાં આયુષ્માન ભારત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના હેઠળ રાજ્ય સરકારે બજાજ ઈન્સ્યોરન્સ કંપની સાથે એક નવા લેટર ઓફ એવોર્ડ(LOA) પર હસ્તાક્ષર કર્યા છે, જે રાજ્યની જનતા માટે આર્થિક રાહત અને વિસ્તૃત આરોગ્ય કવચ સુનિશ્ચિત કરે છે.

મુકેશ અંબાણીએ નાથદ્વારામાં દર્શન કર્યા, ‘યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન’ પ્રોજેક્ટની જાહેરાત કરી છે. મુકેશ અંબાણીએ પવિત્ર નગરી નાથદ્વારામાં શ્રીનાથજી ભગવાનના ભોગ આરતી દર્શનનો દિવ્ય લાભ લીધો તેમજ ગુરુ શ્રી વિશાલબાવા સાહેબના આશીર્વાદ પ્રાપ્ત કર્યા છે. આ અવસરે તેમણે નાથદ્વારામાં આધુનિક અને સુવિધાસંપન્ન “યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન”ના નિર્માણની જાહેરાત કરી છે તેમજ શ્રીનાથદ્વારા મંદિરને ₹15 કરોડનું દાન આપ્યું છે.

ગુજરાત સરકાર દ્વારા ખેડૂતો માટે એક રાહત પેકેજની ઘોષણા કરવામાં આવી છે. ગુજરાતમાં ૨૫મી ઓક્ટોબરથી જે કમોસમી વરસાદનો રાઉન્ડ આવ્યો છે તેમાં , ૪૨ લાખ હેકટર જમીનને નુકશાન થયું છે. અંદાજે ૧૬,૦૦૦ ગામોને અસર પહોંચી છે. તો હવે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ દ્વારા આજે એક કૃષિ રાહત પેકેજની જાહેરાત કરવામાં આવી છે.

અમરેલી જિલ્લામાં કોંગ્રેસ દ્વારા આજે ખેતી બચાવો સત્યાગ્રહ અંતર્ગત લીલીયા ખાતે પ્રતીક ધરણાનો કાર્યક્રમ યોજાયો છે. આ કાર્યક્રમમાં કમોસમી વરસાદના કારણે ખેડૂતોને જે પાક નુકશાની થઇ છે તેને લઇને અમરેલી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપ દુધાત અને પૂર્વ વિપક્ષના નેતા પરેશ ધાનાણીના નેતૃત્વમાં એક સંમેલન યોજાયું છે. આ ઉપરાંત ખેડૂતોના દેવામાફીના મુદ્દે , લીલીયા મામલતદારને આવેદન પત્ર પણ આપવામાં આવ્યું છે. આ પ્રસંગે , ખેડૂતો પણ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા.