PMના બર્થડે પર જન્મનારા બાળકોને અપાશે સોનાની વીંટી , કોને કરી જાહેરાત ?


  • Published By : Payal rathod
  • Published Date : 2022-09-16 13:13:34

તમિલનાડુમાં અનોખી જાહેરાત 

આવતીકાલ આટલે 17મી સપ્ટેમ્બરે વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો જન્મદિવસ છે. અને તેને ધ્યાનમાં રાખીને ભાજપ દ્વારા દેશભરમાં વિવિધ કાર્યક્રમોનો આયોજન કરવામાં આવી રહ્યા છે. ત્યારે તમિલનાડુ ભાજપ યુનિટએ પ્રધાનમંત્રી નરેન્દ્રમોદીના જન્મદિવસ પર જન્મનારા નવજાત બાળકોને સોનાની વીંટી આપવાનો નિર્ણય કર્યો છે. 

સરકારી હોસ્પિટલમાં જન્મનાર બાળકને આપશે વીંટી 

એલ. મુરુગ જે તમિલનાડુના  મત્સ્ય પાલન અને સૂચના પ્રસારણ રાજ્યમંત્રીએ કહ્યું , અમે ન્નઈ સ્થિત સરકારી RSRM હોસ્પિટલને પસંદ કરી છે, જ્યાં પીએમ મોદીના જન્મદિવસે જન્મનારા તમામ બાળકોને સોનાની વિંટી આપવામાં આવશે.

કેટલી  કિંમતની હશે વીંટી ?

વીંટીની કિંમત વિશે મંત્રી મુરુગને કહ્યું કે , દરેક વીંટી 2 ગ્રામ સોનાની હશે. જેની કિંમત 5000 રૂપીયાની આસપાસ હોય શકે છે. તેમણે કહ્યું આ મફતમાં આપતી રેવડી નથી . પરંતુ તેના દ્વારા  પ્રધાનમંત્રીના જન્મદિવસ પર જન્મનારા બાળકોનું સ્વાગત કરવા ઈચ્છે છે.ભાજપના લોકલ યુનિટનું અનુમાન છે કે આ હોસ્પિટલમાં 17 સપ્ટેમ્બરે 10-15 બાળકોનો જન્મ થઈ શકે છે.

   



ભારતના રક્ષામંત્રી રાજનાથ સિંહ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ૭ લોકકલ્યાણ માર્ગ પર મળીને નીકળ્યા છે. આ પેહલા રક્ષામંત્રી રાજનાથ સિંહ ગયિકાલે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ અનિલ ચૌહાણને મળ્યા હતા. સાથે જ તેમણે ભારતની ભવિષ્યની રણનીતિ વિશે ચર્ચા કરી હતી. તો હવે આજે જમ્મુ કાશ્મીર વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું છે. જેમાં બધા જ પક્ષોએ એક જ સૂરમાં આ આતંકવાદી હુમલાનો વિરોધ કર્યો છે.

ગુજરાત સરકાર, ગુજરાત ઈન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ કોર્પોરેશન અને મુંબઈ સ્થિત અમેરિકન કોન્સ્યુલેટના સંયુક્ત ઉપક્રમે અમદાવાદમાં ૨૫ એપ્રિલે યોજાઈ સેમિકન્ડક્ટર કોન્ફરન્સ, જેમાં ઉદ્યોગના નિષ્ણાંતો હિસ્સો બન્યા અને સેમિકન્ડક્ટર રાઉન્ડ ટેબલમાં વિવિધ વિષયોની ચર્ચા કરાઈ, આ કાર્યક્રમમાં ઈન્ડો અમેરિકન ચેમ્બર ઓફ કોમર્સ પણ હિસ્સો બન્યું હતુ.

૧લી મે એટલે , આપણા ગુજરાતનો સ્થાપના દિવસ . આપણા ગુજરાતીઓ માટે મતલબ થાય છે ખાલી ક્રિકેટ . પરંતુ હવે અમદાવાદના કાંકરિયા સ્થિત ટ્રાન્સસ્ટેડિયામાં ગુજરાત સ્ટેટ ફૂટબોલ એસોસિયએશન દ્વારા ૧લી મેં થી ૧૩મી મેં સુધી ગુજરાત સુપર લીગનું આયોજન કરેલું છે

લોકસભાના વિરોધ પક્ષના નેતા રાહુલ ગાંધી જમ્મુ કાશ્મીરની મુલાકાતે પહોંચ્યા છે. સૌ પ્રથમ તેમણે રાજધાની શ્રીનગરના આર્મી હોસ્પિટલની મુલાકાત લીધી છે. આ ઉપરાંત તેમણે જમ્મુ કાશ્મીરના મુખ્યમંત્રી ઓમર અબ્દુલ્લાહની અને LG મનોજ સિંહની પણ મુલાકાત લીધી છે .