કોંગ્રેસે જાહેર સભાઓને બદલે ખાટલા બેઠકો અને ડૉર ટુ ડૉર ચૂંટણી પ્રચારને આપ્યું પ્રાધાન્ય


  • Published By :
  • Published Date : 2022-11-20 18:56:29

ગુજરાત વિધાનસભાની ચૂંટણી નજીક છે ત્યારે ભાજપ અને આપના નેતાઓ ચૂંટણી સભાઓ અને રેલીઓ ગજવી રહ્યા છે. શહેરોમાં વિશાળ રોડ શો કરી તેમનું શક્તિ પ્રદર્શન કરતા જોવા મળી રહ્યા છે. હવે સ્વાભાવિક રીતે જ સવાલ થાય કે કોંગ્રેસના નેતાઓ કેમ જાહેર સભાઓમાં ભાષણબાજી કરતા જોવા મળતા નથી?. તો આ સવાલનો જવાબ એ છે કે કોંગ્રેસના નેતાઓ રોડ શોના બદલે ખાટલા બેઠકો અને ડૉર ટુ ડૉર પ્રચારને પ્રાધાન્ય આપી જનસંપર્ક કરી રહ્યા છે.


કોંગ્રેસે ચૂંટણી પ્રચારની રણનીતિ બદલી


ગુજરાત કૉંગ્રેસ ચૂંટણી પ્રચારની પરંપરાગત રીતો અને વ્યૂહરચનાને બદલે  નવી વ્યૂહરચના અપનાવી રહી છે. કૉંગ્રેસ પાર્ટીના પ્રચારમાં આવેલા આ પરિવર્તનને કેટલાક લોકો કૉંગ્રેસની ‘નવી રણનીતિ’ ગણાવી રહ્યા છે, તો કેટલાક તેને ‘મજબુરી’માં માની રહ્યા છે. જોકે, ગુજરાત કૉંગ્રેસના મતે આ એક સમજી-વિચારીને ઘડાયેલી વ્યૂહરચના છે. કૉંગ્રેસે પ્રચાર માટે ડોર ટુ ડોર પર વધુ ભાર આપવાનું ઠરાવ્યું તેનું એક કારણ એ છે કે ગુજરાતમાં કૉંગ્રેસનું વ્યવસ્થાતંત્ર ખોરવાયેલું છે. તેથી કદાચ પ્રચારનાં પરંપરાગત માધ્યમોથી સંગઠન દૂર રહી રહ્યું છે. બીજું કારણ એ હોઈ શકે કે ભાજપનું પ્રચારતંત્ર ખૂબ જ મજબૂત છે, તેમની સામે કૉંગ્રેસ હજુ પહોંચી શકે તેમ નથી, ભાજપના પ્રચારતંત્રનો સામનો કરવા બિનપરંપરાગત માધ્યમો થકી લોકો સુધી પહોંચીને પોતાનાં કામ ગણાવવા એ જ માત્ર રસ્તો બાકી હતો. તેથી કદાચ કૉંગ્રેસે લોકો સુધી પહોંચવા અને કામ ગણાવવા સભા યોજવાના સ્થાને ડોર ટુ ડોર કૅમ્પેન પર વધુ ભાર મૂક્યો છે.


મોદી જેવા લોકપ્રિય ચહેરાનો અભાવ


કોંગ્રેસ પાસે પીએમ મોદી જેવો કોઈ કરિશ્માતી નેતાનો અભાવ છે. લોકપ્રિય પ્રચારક ન હોવાથી શહેરો અને જિલ્લા કેન્દ્રોમાં લોકોની મોટી ભીડ એકઠી કરી શકાતી નથી. વળી કોંગ્રેસ પાસે સ્થાનિક નેતાઓ ખુબ મજબુત છે. જેમ કે વ્યારા વિધાનસભા મતવિસ્તારના પુનાજી ગામીત, જેતપુરમાં સુખરામ રાઠવા,અમરેલીમાં પરેશ ધાનાણી, વાવમાં ગેનીબેન ઠાકોર, જિજ્ઞેશ મેવાણી, રાજુલાના અમરીશ ડેર, દરિયાપુરમાં ગ્યાસુદ્દીન શેખ, જમાલપુર ખાડિયામાં ઈમરાન ખેડાવાલા, થરાદના ગુલાબસિંહ રાજપૂત સહિતના સ્થાનિક નેતાઓ તેમની અંગત લોકપ્રિયતાના કારણે જીતી રહી છે. આ બધા કારણોથી કોંગ્રેસ જાહેર સભાઓને બદલે ડૉર ટુ ડૉર પ્રચારને પ્રાધાન્ય આપી રહી છે.


વ્યક્તિગત આરોપ-પ્રત્યારોપને ટાળી રહી છે કોંગ્રેસ


કોંગ્રેસને ભૂતકાળમાં ચૂંટણી પ્રચાર દરમિયાન મોદી સામે કરાયેલા અંગત શાબ્દિક હુમલાથી લાભ થવાના બદલે નુકસાન વધુ થયું છે. નરેન્દ્ર મોદીઓ પણ આવા પર્સનલ ઍટેકનો ભરપુર લાભ ઉઠાવ્યો હતો.  શાબ્દિક હુમલાઓએ કૉંગ્રેસના પક્ષમાં સમર્થનનું મોજું ઊભું કરવાના સ્થાને તેના વિરોધમાં માહોલ ઉભો કર્યો હતો. કૉંગ્રેસ હવે આ વાત સારી રીતે સમજી ગઈ છે, તેથી અત્યાર સુધી આ ચૂંટણીમાં આવું કરવાનું ટાળ્યું છે.



જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.

આંતરરાષ્ટ્રીય સંબંધોમાં USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર ચર્ચાઓમાં છે તેમણે ફરી એકવાર , ભારતને લઇને નિવેદનબાજીઓ કરી છે. ડોનાલ્ડ ટ્રમ્પને અપેક્ષા છે કે , ભારત આ વર્ષના અંતથી રશિયન ક્રૂડની આયાત કરવાનું બંધ કરી દેશે. આ ઉપરાંત ડોનાલ્ડ ટ્રમ્પએ ચીન વિશે નિવેદન આપતા કહ્યું છે કે , બાઈડેન અને ઓબામાની નીતિઓના કારણે ચીન અને રશિયા એક થયા છે. બાકી બંને મિત્ર રહી શકે તેમ છે જ નહીં. ચીનના રશિયા સાથેના સંબંધો અલગ પ્રકારના છે.

રાજકોટના ગોંડલના ખુબ ચર્ચિત રાજકુમાર જાટ કેસમાં આ આખા કેસની તપાસ હવે સુરેન્દ્રનગરના SP , IPS પ્રેમસુખ ડેલુંને સોંપાઈ છે. જે ડી પુરોહિત કે જેઓ ધ્રાંગધ્રાના DYSP છે એ તેમને આ કેસની તપાસમાં મદદ કરશે. આમ હવે રાજકુમાર જાટ કેસમાં તપાસ માટે એક નવી તપાસ ટીમ બનાવવામાં આવશે. રાજકુમાર જાટના પરિવારજનોનું માનવું છે કે , સ્થાનિક પોલીસ પૂર્વ MLA જયરાજસિંહને બચાવી રહી છે. આ કેસની વધુ તપાસ CBIને સોંપવામાં આવે તેવી અરજી પણ તેમના દ્વારા દાખલ કરવામાં આવી હતી. ગુજરાત હાઇકોર્ટ દ્વારા આ કેસને લઇને મહત્વના નિર્દેશ આપવામાં આવ્યા છે.

રાજકોટના ખુબ ચર્ચિત કેસ અમિત ખૂંટ કેસમાં અનિરુદ્ધસિંહ જાડેજાના દીકરા રાજદીપસિંહ જાડેજાના આગોતરા જામીન હવે સુપ્રીમ કોર્ટે ફગાવી દીધા છે. સુપ્રીમ કોર્ટે દ્વારા રાજદીપ સિંહ જાડેજાના આગોતરા જામીન ના મંજુર કરવાંમાં આવ્યા છે. જેનાથી હવે રાજદીપ જાડેજાની મુશ્કેલીઓમાં વધારો થઇ શકે છે. આપને જણાવી દયિકે , રાજદીપસિંહ જાડેજાના પિતા અનિરુદ્ધસિંહ જાડેજા હાલમાં EX MLA પોપટલાલ સોરઠીયા કેસમાં સજામાફી રદ થવાના કારણે જેલમાં જ છે.