કોંગ્રેસે જાહેર સભાઓને બદલે ખાટલા બેઠકો અને ડૉર ટુ ડૉર ચૂંટણી પ્રચારને આપ્યું પ્રાધાન્ય


  • Published By :
  • Published Date : 2022-11-20 18:56:29

ગુજરાત વિધાનસભાની ચૂંટણી નજીક છે ત્યારે ભાજપ અને આપના નેતાઓ ચૂંટણી સભાઓ અને રેલીઓ ગજવી રહ્યા છે. શહેરોમાં વિશાળ રોડ શો કરી તેમનું શક્તિ પ્રદર્શન કરતા જોવા મળી રહ્યા છે. હવે સ્વાભાવિક રીતે જ સવાલ થાય કે કોંગ્રેસના નેતાઓ કેમ જાહેર સભાઓમાં ભાષણબાજી કરતા જોવા મળતા નથી?. તો આ સવાલનો જવાબ એ છે કે કોંગ્રેસના નેતાઓ રોડ શોના બદલે ખાટલા બેઠકો અને ડૉર ટુ ડૉર પ્રચારને પ્રાધાન્ય આપી જનસંપર્ક કરી રહ્યા છે.


કોંગ્રેસે ચૂંટણી પ્રચારની રણનીતિ બદલી


ગુજરાત કૉંગ્રેસ ચૂંટણી પ્રચારની પરંપરાગત રીતો અને વ્યૂહરચનાને બદલે  નવી વ્યૂહરચના અપનાવી રહી છે. કૉંગ્રેસ પાર્ટીના પ્રચારમાં આવેલા આ પરિવર્તનને કેટલાક લોકો કૉંગ્રેસની ‘નવી રણનીતિ’ ગણાવી રહ્યા છે, તો કેટલાક તેને ‘મજબુરી’માં માની રહ્યા છે. જોકે, ગુજરાત કૉંગ્રેસના મતે આ એક સમજી-વિચારીને ઘડાયેલી વ્યૂહરચના છે. કૉંગ્રેસે પ્રચાર માટે ડોર ટુ ડોર પર વધુ ભાર આપવાનું ઠરાવ્યું તેનું એક કારણ એ છે કે ગુજરાતમાં કૉંગ્રેસનું વ્યવસ્થાતંત્ર ખોરવાયેલું છે. તેથી કદાચ પ્રચારનાં પરંપરાગત માધ્યમોથી સંગઠન દૂર રહી રહ્યું છે. બીજું કારણ એ હોઈ શકે કે ભાજપનું પ્રચારતંત્ર ખૂબ જ મજબૂત છે, તેમની સામે કૉંગ્રેસ હજુ પહોંચી શકે તેમ નથી, ભાજપના પ્રચારતંત્રનો સામનો કરવા બિનપરંપરાગત માધ્યમો થકી લોકો સુધી પહોંચીને પોતાનાં કામ ગણાવવા એ જ માત્ર રસ્તો બાકી હતો. તેથી કદાચ કૉંગ્રેસે લોકો સુધી પહોંચવા અને કામ ગણાવવા સભા યોજવાના સ્થાને ડોર ટુ ડોર કૅમ્પેન પર વધુ ભાર મૂક્યો છે.


મોદી જેવા લોકપ્રિય ચહેરાનો અભાવ


કોંગ્રેસ પાસે પીએમ મોદી જેવો કોઈ કરિશ્માતી નેતાનો અભાવ છે. લોકપ્રિય પ્રચારક ન હોવાથી શહેરો અને જિલ્લા કેન્દ્રોમાં લોકોની મોટી ભીડ એકઠી કરી શકાતી નથી. વળી કોંગ્રેસ પાસે સ્થાનિક નેતાઓ ખુબ મજબુત છે. જેમ કે વ્યારા વિધાનસભા મતવિસ્તારના પુનાજી ગામીત, જેતપુરમાં સુખરામ રાઠવા,અમરેલીમાં પરેશ ધાનાણી, વાવમાં ગેનીબેન ઠાકોર, જિજ્ઞેશ મેવાણી, રાજુલાના અમરીશ ડેર, દરિયાપુરમાં ગ્યાસુદ્દીન શેખ, જમાલપુર ખાડિયામાં ઈમરાન ખેડાવાલા, થરાદના ગુલાબસિંહ રાજપૂત સહિતના સ્થાનિક નેતાઓ તેમની અંગત લોકપ્રિયતાના કારણે જીતી રહી છે. આ બધા કારણોથી કોંગ્રેસ જાહેર સભાઓને બદલે ડૉર ટુ ડૉર પ્રચારને પ્રાધાન્ય આપી રહી છે.


વ્યક્તિગત આરોપ-પ્રત્યારોપને ટાળી રહી છે કોંગ્રેસ


કોંગ્રેસને ભૂતકાળમાં ચૂંટણી પ્રચાર દરમિયાન મોદી સામે કરાયેલા અંગત શાબ્દિક હુમલાથી લાભ થવાના બદલે નુકસાન વધુ થયું છે. નરેન્દ્ર મોદીઓ પણ આવા પર્સનલ ઍટેકનો ભરપુર લાભ ઉઠાવ્યો હતો.  શાબ્દિક હુમલાઓએ કૉંગ્રેસના પક્ષમાં સમર્થનનું મોજું ઊભું કરવાના સ્થાને તેના વિરોધમાં માહોલ ઉભો કર્યો હતો. કૉંગ્રેસ હવે આ વાત સારી રીતે સમજી ગઈ છે, તેથી અત્યાર સુધી આ ચૂંટણીમાં આવું કરવાનું ટાળ્યું છે.



પહલગામના આતંકી હુમલા પછી રાજધાની દિલ્હીમાં એક પછી એક મહત્વની બેઠકો મળવાનું ચાલુ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ૭ , લોક કલ્યાણ માર્ગ સ્થિત નિવાસ સ્થાને કેબિનેટ કમિટી ઓન સિક્યોરિટીની મિટિંગ મળી છે. આ પછી કેબિનેટ કમિટી ઓન પોલિટિકલ અફેર્સની મિટિંગ પણ મળી છે.

ભારત સરકારે પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફનું ઓફિસિયલ પ્લેટફોર્મ એક્સનું એકાઉન્ટ સસ્પેન્ડ કરી નાખ્યું છે. પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફએ જે પેહલા નિવેદન આપ્યું હતું તે પણ ખુબ જ ચર્ચામાં રહ્યું હતું. આ પેહલા તેમણે એક ખાનગી ન્યુઝ ચેનલને આપેલા ઇન્ટરવ્યુમાં એ વાતનો સ્વીકાર કરી લીધો છે કે , પાકિસ્તાન છેલ્લા ૩૦ વર્ષથી આતંકીઓને ટ્રેનિંગ આપતું આવ્યું છે. હવે તેમણે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા રીયુટર્સને આપેલા ઇન્ટરવ્યુમાં એક વાતનો સાફ સ્વીકાર કરી લીધો છે કે , ભારત ગમે ત્યારે પાકિસ્તાન પર હુમલો કરી શકે છે.

ભારતના રક્ષામંત્રી રાજનાથ સિંહ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ૭ લોકકલ્યાણ માર્ગ પર મળીને નીકળ્યા છે. આ પેહલા રક્ષામંત્રી રાજનાથ સિંહ ગયિકાલે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ અનિલ ચૌહાણને મળ્યા હતા. સાથે જ તેમણે ભારતની ભવિષ્યની રણનીતિ વિશે ચર્ચા કરી હતી. તો હવે આજે જમ્મુ કાશ્મીર વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું છે. જેમાં બધા જ પક્ષોએ એક જ સૂરમાં આ આતંકવાદી હુમલાનો વિરોધ કર્યો છે.

ગુજરાત સરકાર, ગુજરાત ઈન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ કોર્પોરેશન અને મુંબઈ સ્થિત અમેરિકન કોન્સ્યુલેટના સંયુક્ત ઉપક્રમે અમદાવાદમાં ૨૫ એપ્રિલે યોજાઈ સેમિકન્ડક્ટર કોન્ફરન્સ, જેમાં ઉદ્યોગના નિષ્ણાંતો હિસ્સો બન્યા અને સેમિકન્ડક્ટર રાઉન્ડ ટેબલમાં વિવિધ વિષયોની ચર્ચા કરાઈ, આ કાર્યક્રમમાં ઈન્ડો અમેરિકન ચેમ્બર ઓફ કોમર્સ પણ હિસ્સો બન્યું હતુ.