કોંગ્રેસે જાહેર સભાઓને બદલે ખાટલા બેઠકો અને ડૉર ટુ ડૉર ચૂંટણી પ્રચારને આપ્યું પ્રાધાન્ય


  • Published By :
  • Published Date : 2022-11-20 18:56:29

ગુજરાત વિધાનસભાની ચૂંટણી નજીક છે ત્યારે ભાજપ અને આપના નેતાઓ ચૂંટણી સભાઓ અને રેલીઓ ગજવી રહ્યા છે. શહેરોમાં વિશાળ રોડ શો કરી તેમનું શક્તિ પ્રદર્શન કરતા જોવા મળી રહ્યા છે. હવે સ્વાભાવિક રીતે જ સવાલ થાય કે કોંગ્રેસના નેતાઓ કેમ જાહેર સભાઓમાં ભાષણબાજી કરતા જોવા મળતા નથી?. તો આ સવાલનો જવાબ એ છે કે કોંગ્રેસના નેતાઓ રોડ શોના બદલે ખાટલા બેઠકો અને ડૉર ટુ ડૉર પ્રચારને પ્રાધાન્ય આપી જનસંપર્ક કરી રહ્યા છે.


કોંગ્રેસે ચૂંટણી પ્રચારની રણનીતિ બદલી


ગુજરાત કૉંગ્રેસ ચૂંટણી પ્રચારની પરંપરાગત રીતો અને વ્યૂહરચનાને બદલે  નવી વ્યૂહરચના અપનાવી રહી છે. કૉંગ્રેસ પાર્ટીના પ્રચારમાં આવેલા આ પરિવર્તનને કેટલાક લોકો કૉંગ્રેસની ‘નવી રણનીતિ’ ગણાવી રહ્યા છે, તો કેટલાક તેને ‘મજબુરી’માં માની રહ્યા છે. જોકે, ગુજરાત કૉંગ્રેસના મતે આ એક સમજી-વિચારીને ઘડાયેલી વ્યૂહરચના છે. કૉંગ્રેસે પ્રચાર માટે ડોર ટુ ડોર પર વધુ ભાર આપવાનું ઠરાવ્યું તેનું એક કારણ એ છે કે ગુજરાતમાં કૉંગ્રેસનું વ્યવસ્થાતંત્ર ખોરવાયેલું છે. તેથી કદાચ પ્રચારનાં પરંપરાગત માધ્યમોથી સંગઠન દૂર રહી રહ્યું છે. બીજું કારણ એ હોઈ શકે કે ભાજપનું પ્રચારતંત્ર ખૂબ જ મજબૂત છે, તેમની સામે કૉંગ્રેસ હજુ પહોંચી શકે તેમ નથી, ભાજપના પ્રચારતંત્રનો સામનો કરવા બિનપરંપરાગત માધ્યમો થકી લોકો સુધી પહોંચીને પોતાનાં કામ ગણાવવા એ જ માત્ર રસ્તો બાકી હતો. તેથી કદાચ કૉંગ્રેસે લોકો સુધી પહોંચવા અને કામ ગણાવવા સભા યોજવાના સ્થાને ડોર ટુ ડોર કૅમ્પેન પર વધુ ભાર મૂક્યો છે.


મોદી જેવા લોકપ્રિય ચહેરાનો અભાવ


કોંગ્રેસ પાસે પીએમ મોદી જેવો કોઈ કરિશ્માતી નેતાનો અભાવ છે. લોકપ્રિય પ્રચારક ન હોવાથી શહેરો અને જિલ્લા કેન્દ્રોમાં લોકોની મોટી ભીડ એકઠી કરી શકાતી નથી. વળી કોંગ્રેસ પાસે સ્થાનિક નેતાઓ ખુબ મજબુત છે. જેમ કે વ્યારા વિધાનસભા મતવિસ્તારના પુનાજી ગામીત, જેતપુરમાં સુખરામ રાઠવા,અમરેલીમાં પરેશ ધાનાણી, વાવમાં ગેનીબેન ઠાકોર, જિજ્ઞેશ મેવાણી, રાજુલાના અમરીશ ડેર, દરિયાપુરમાં ગ્યાસુદ્દીન શેખ, જમાલપુર ખાડિયામાં ઈમરાન ખેડાવાલા, થરાદના ગુલાબસિંહ રાજપૂત સહિતના સ્થાનિક નેતાઓ તેમની અંગત લોકપ્રિયતાના કારણે જીતી રહી છે. આ બધા કારણોથી કોંગ્રેસ જાહેર સભાઓને બદલે ડૉર ટુ ડૉર પ્રચારને પ્રાધાન્ય આપી રહી છે.


વ્યક્તિગત આરોપ-પ્રત્યારોપને ટાળી રહી છે કોંગ્રેસ


કોંગ્રેસને ભૂતકાળમાં ચૂંટણી પ્રચાર દરમિયાન મોદી સામે કરાયેલા અંગત શાબ્દિક હુમલાથી લાભ થવાના બદલે નુકસાન વધુ થયું છે. નરેન્દ્ર મોદીઓ પણ આવા પર્સનલ ઍટેકનો ભરપુર લાભ ઉઠાવ્યો હતો.  શાબ્દિક હુમલાઓએ કૉંગ્રેસના પક્ષમાં સમર્થનનું મોજું ઊભું કરવાના સ્થાને તેના વિરોધમાં માહોલ ઉભો કર્યો હતો. કૉંગ્રેસ હવે આ વાત સારી રીતે સમજી ગઈ છે, તેથી અત્યાર સુધી આ ચૂંટણીમાં આવું કરવાનું ટાળ્યું છે.



રાજકોટના જંગલેશ્વર ખાતે આજે ડિમોલિશન પૂર્ણ થયું છે. મહાનગરપાલિકા અને પોલીસ તંત્રના સંયુક્ત ઉપક્રમે જે કામગીરી ચાલી રહી હતી , તેમાં કુલ ૧૫૦૯ જેટલા મકાનોને જમીનદોસ્ત કરી દેવામાં આવ્યા છે. જંગલેશ્વરની જે શેરીઓ થોડાક સમય અગાઉ લોકોથી ધમધમતી હતી તે શેરીઓની જગ્યાએ હવે કાટમાળના ઢગલા અને વેરાન મેદાન જોવા મળી રહ્યા છે. આ ડિમોલિશન કામગીરી દરમ્યાન RMCના ૧ કર્મચારીનો જીવ માંડમાંડ બચ્યો હતો.

ગીર સોમનાથ જિલ્લામાં SP જયદીપસિંહ જાડેજા દ્વારા જિલ્લામાં અસામાજિક તત્વોને નિયંત્રણમાં લેવા હવે આઠ આરોપીઓની સામે ગુજસીટોકનું શાસ્ત્ર ઉગામવામાં આવ્યું છે. જેના કારણે , ગીર સોમનાથના અસામાજિક તત્વોમાં ભારે ફફડાટનો માહોલ છે. આ આઠ આરોપીઓની સામે પ્રોહિબિશન સહીત અનેક ગુનાઓ નોંધાયેલા છે , હવે આ ઈસમોની સામે , વેરાવળ સીટી પોલીસ સ્ટેશન ખાતે GUJSITOKની વિવિધ કલમ અંતર્ગત ગુનો નોંધવામાં આવ્યો છે.

દિલ્હીની AI ઈમ્પૅક્ટ સમિટમાં ઉદ્યોગપતિ મુકેશ અંબાણી દ્વારા સંબોધન કરવામાં આવ્યું છે. મુકેશ અંબાણીએ AIના હકારાત્મક ઉપયોગ પર ભાર મુકવામાં આવ્યો છે. તેમણે કહ્યું છે કે , " AI નોકરીઓ નઈ ખાય. એટલુંજ નહિ AI ખુબ મોટાપાયે તક ઉભી કરશે."

સોશ્યિલ મીડિયા ઇન્ફુએન્સર કીર્તિ પટેલ પર આજે બીજી ફરિયાદ દાખલ કરવામાં આવી છે. જૂનાગઢના મહાશિવરાત્રીના મેળામાં મૃગુ કુંડમાં ડૂબકી લગાવવા પર કીર્તિ પટેલ વિવાદોમાં આવ્યા હતા. આ બાબતે સાધુ સંતોમાં ભારે નારાજગી જોવા મળી હતી. ત્યારે હવે કીર્તિ પટેલ વિરૂદ્ધ ભવનાથ પોલીસ સ્ટેશનમાં વધુ એક ફરિયાદ નોંધાઈ છે. આ ફરિયાદ મહંત બજરંગદાસ બાપુ દ્વારા નોંધાવવામાં આવી છે. જૂનાગઢના ભવનાથ ખાતે દર વર્ષે , મહાશિવરાત્રીના પર્વ નિમિતે, લાખો શ્રદ્ધાળુઓ ઉમટી પડે છે. આ વર્ષે , ભવનાથના મેળામાં સોશ્યિલ મીડિયા ઇન્ફુએન્સર કીર્તિ પટેલને લઇને વિવાદ થયો છે. મૃગી કુંડમાં સ્નાન કરવા બદલ સાધુ સંતોમાં ભારે નારાજગી જોવા મળી છે. તે જ સમયે PI સાથે મૃગીકુંડમાં કીર્તિ પટેલને ઘર્ષણ પણ થયું હતું. આ પછી , ભવનાથ પોલીસ સ્ટેશનમાં મહિલા PI કે જે મોડ દ્વારા કીર્તિ પટેલની વિરુદ્ધમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. પોલીસની કામગીરીમાં અવરોધ ઉભો કરવાનો આરોપ , PIને જાનથી મારી નાખવાની ધમકી , શાંતિ ડહોળવાનો પ્રયાસની કલમ એડ કરવામાં આવી છે. હવે આજે , બીજી ફરિયાદ સાધુ-સંત દ્વારા કરવામાં આવી છે. આ ફરિયાદ સાધુ સંતોની લાગણી દુભાવવા પર અને તેમને બદનામ કરવા બદલ ભવનાથ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. પ્રભાસ પાટણ નિરાલી ખોડિયાર આશ્રમના મહંત બજરંગદાસ બાપુએ કીર્તિ પટેલન સામે પોલીસ ફરિયાદ નોંધાવી છે. પોલીસ ફરિયાદ નોંધાતા પોલીસે કીર્તિને પકડવા માટે ચક્રો ગતિમાન કર્યા છે. અલગ અલગ ટીમો બનાવીને તપાસ હાથ ધરાઈ છે.