કોંગ્રેસ પ્રમુખ પદના દાવેદારો દિગ્વિજય સિંહ અને શશિ થરૂર વચ્ચે સૌજન્ય મુલાકાત


  • Published By : Payal rathod
  • Published Date : 2022-09-29 19:16:02

કોંગ્રેસ પ્રમુખ પદની ચૂંટણી માટે ચાર ઉમેદવારો મેદાનમાં છે, જો કે ખરાખરીનો જંગ તો પાર્ટીના વરિષ્ઠ નેતા દિગ્વિજય સિંહે સાંસદ શશિ થરૂર વચ્ચે છે. આ દરમિયાન દિગ્વિજય સિંહે તેમના પ્રતિસ્પર્ધી શશિ થરૂર સાથે સૌજન્ય મુલાકાત કરી છે. દિગ્વિજય સિંહે ગુરૂવાર (29 સપ્ટેમ્બર)એ જ અધ્યક્ષ ચૂંટણી માટે નામાંકન પત્ર લીધો છે તેઓ કાલે નામાંકન દાખલ કરશે. 


શશિ થરૂરે ટ્વિટ કરી આપી માહિતી


શશિ થરૂરે ટ્વિટ કરી કહ્યું કે, ‘આજે બપોરે દિગ્વિજય સિંહ મળવા માટે આવ્યા. હું અમારી પાર્ટીના અધ્યક્ષ પદ માટે તેમની ઉમેદવારીનું સ્વાગત કરૂ છું. અમે બંન્ને એ વાત પર સહેમત હતા કે અમારી લડાઈ પ્રતિસ્પર્ધીયો વચ્ચે નહીં પણ સહયોગિયો વચ્ચે એક મૈત્રીપૂર્ણ મુકાબલો છે. અમે બંન્ને બસ એટલું ઈચ્છીએ છીએ કે કોઈ પણ જીતે, જીત કોંગ્રેસની થશે.’


શશિ થરૂર 30 સપ્ટેમ્બરે કરશે નામાંકન


સાંસદ શશિ થરૂર પણ કોંગ્રેસ અધ્યક્ષ પદની ચૂંટણી લડી રહ્યા છે. તેઓ શુક્રવારે (30 સપ્ટેમ્બર)એ પોતાનું નામાંકન પત્ર દાખલ કરશે. કોંગ્રેસ અધ્યક્ષ પદની ચૂંટણીની જાહેરાત બાદ સૌથી પહેલા શશિ થરૂરે જ ચૂંટણી લડવાની ઈચ્છા વ્યક્ત કરી હતી. આ ઉપરાંત કોંગ્રેસ પ્રમુખની દોડમાં રાજસ્થાનના મુખ્યમંત્રી અશોક ગેહલોતનું નામ પણ ચાલી રહ્યું હતું.



ગુજરાતના લાખો ગરીબ પરિવારોના આરોગ્યની સુરક્ષાને વધુ સુદૃઢ બનાવવા માટે ગુજરાત સરકારે એક મહત્ત્વપૂર્ણ પગલું ભર્યું છે. ગાંધીનગર ખાતે આરોગ્ય મંત્રી શ્રી પ્રફુલ પાનશેરિયાની ઉપસ્થિતિમાં આયુષ્માન ભારત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના હેઠળ રાજ્ય સરકારે બજાજ ઈન્સ્યોરન્સ કંપની સાથે એક નવા લેટર ઓફ એવોર્ડ(LOA) પર હસ્તાક્ષર કર્યા છે, જે રાજ્યની જનતા માટે આર્થિક રાહત અને વિસ્તૃત આરોગ્ય કવચ સુનિશ્ચિત કરે છે.

મુકેશ અંબાણીએ નાથદ્વારામાં દર્શન કર્યા, ‘યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન’ પ્રોજેક્ટની જાહેરાત કરી છે. મુકેશ અંબાણીએ પવિત્ર નગરી નાથદ્વારામાં શ્રીનાથજી ભગવાનના ભોગ આરતી દર્શનનો દિવ્ય લાભ લીધો તેમજ ગુરુ શ્રી વિશાલબાવા સાહેબના આશીર્વાદ પ્રાપ્ત કર્યા છે. આ અવસરે તેમણે નાથદ્વારામાં આધુનિક અને સુવિધાસંપન્ન “યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન”ના નિર્માણની જાહેરાત કરી છે તેમજ શ્રીનાથદ્વારા મંદિરને ₹15 કરોડનું દાન આપ્યું છે.

ગુજરાત સરકાર દ્વારા ખેડૂતો માટે એક રાહત પેકેજની ઘોષણા કરવામાં આવી છે. ગુજરાતમાં ૨૫મી ઓક્ટોબરથી જે કમોસમી વરસાદનો રાઉન્ડ આવ્યો છે તેમાં , ૪૨ લાખ હેકટર જમીનને નુકશાન થયું છે. અંદાજે ૧૬,૦૦૦ ગામોને અસર પહોંચી છે. તો હવે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ દ્વારા આજે એક કૃષિ રાહત પેકેજની જાહેરાત કરવામાં આવી છે.

અમરેલી જિલ્લામાં કોંગ્રેસ દ્વારા આજે ખેતી બચાવો સત્યાગ્રહ અંતર્ગત લીલીયા ખાતે પ્રતીક ધરણાનો કાર્યક્રમ યોજાયો છે. આ કાર્યક્રમમાં કમોસમી વરસાદના કારણે ખેડૂતોને જે પાક નુકશાની થઇ છે તેને લઇને અમરેલી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપ દુધાત અને પૂર્વ વિપક્ષના નેતા પરેશ ધાનાણીના નેતૃત્વમાં એક સંમેલન યોજાયું છે. આ ઉપરાંત ખેડૂતોના દેવામાફીના મુદ્દે , લીલીયા મામલતદારને આવેદન પત્ર પણ આપવામાં આવ્યું છે. આ પ્રસંગે , ખેડૂતો પણ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા.