કોંગ્રેસ પ્રમુખ પદના દાવેદારો દિગ્વિજય સિંહ અને શશિ થરૂર વચ્ચે સૌજન્ય મુલાકાત


  • Published By : Payal rathod
  • Published Date : 2022-09-29 19:16:02

કોંગ્રેસ પ્રમુખ પદની ચૂંટણી માટે ચાર ઉમેદવારો મેદાનમાં છે, જો કે ખરાખરીનો જંગ તો પાર્ટીના વરિષ્ઠ નેતા દિગ્વિજય સિંહે સાંસદ શશિ થરૂર વચ્ચે છે. આ દરમિયાન દિગ્વિજય સિંહે તેમના પ્રતિસ્પર્ધી શશિ થરૂર સાથે સૌજન્ય મુલાકાત કરી છે. દિગ્વિજય સિંહે ગુરૂવાર (29 સપ્ટેમ્બર)એ જ અધ્યક્ષ ચૂંટણી માટે નામાંકન પત્ર લીધો છે તેઓ કાલે નામાંકન દાખલ કરશે. 


શશિ થરૂરે ટ્વિટ કરી આપી માહિતી


શશિ થરૂરે ટ્વિટ કરી કહ્યું કે, ‘આજે બપોરે દિગ્વિજય સિંહ મળવા માટે આવ્યા. હું અમારી પાર્ટીના અધ્યક્ષ પદ માટે તેમની ઉમેદવારીનું સ્વાગત કરૂ છું. અમે બંન્ને એ વાત પર સહેમત હતા કે અમારી લડાઈ પ્રતિસ્પર્ધીયો વચ્ચે નહીં પણ સહયોગિયો વચ્ચે એક મૈત્રીપૂર્ણ મુકાબલો છે. અમે બંન્ને બસ એટલું ઈચ્છીએ છીએ કે કોઈ પણ જીતે, જીત કોંગ્રેસની થશે.’


શશિ થરૂર 30 સપ્ટેમ્બરે કરશે નામાંકન


સાંસદ શશિ થરૂર પણ કોંગ્રેસ અધ્યક્ષ પદની ચૂંટણી લડી રહ્યા છે. તેઓ શુક્રવારે (30 સપ્ટેમ્બર)એ પોતાનું નામાંકન પત્ર દાખલ કરશે. કોંગ્રેસ અધ્યક્ષ પદની ચૂંટણીની જાહેરાત બાદ સૌથી પહેલા શશિ થરૂરે જ ચૂંટણી લડવાની ઈચ્છા વ્યક્ત કરી હતી. આ ઉપરાંત કોંગ્રેસ પ્રમુખની દોડમાં રાજસ્થાનના મુખ્યમંત્રી અશોક ગેહલોતનું નામ પણ ચાલી રહ્યું હતું.



દેદિયાપાડાના MLA ચૈતર વસાવાની જામીન અરજી પર આજે ગુજરાત હાઇકોર્ટમાં સુનાવણી થવાની હતી. જેમાં હવે સમાચાર આવ્યા છે કે , ચૈતર વસાવાની જામીન અરજી પર આજે સુનાવણી નઈ થાય. ગુજરાત હાઇકોર્ટના વકીલોની હડતાળને કારણે સુનાવણી નહિ થાય. આજે ગુજરાત હાઇકોર્ટમાં ધારાસભ્ય ચૈતર વસાવાની જામીન અરજી પર સુનાવણી હાથ ધરાવવાની હતી . પરંતુ હવે વકીલોની હડતાળના કારણે આ સુનાવણી ટળી ગઈ છે . આમ હવે MLA ચૈતર વસાવાનો જેલવાસ લંબાયો છે .

પોન્ઝી સ્કીમ કૌભાંડના આરોપી ભુપેન્દ્ર સિંહ ઝાલા વિશે એક મહત્વના સમાચાર પ્રાપ્ત થઇ રહ્યા છે . ભુપેન્દ્ર સિંહ ઝાલાની જામીન અરજી ગુજરાત હાઇકોર્ટ દ્વારા મંજુર કરવામાં આવી છે. ગુજરાત હાઇકોર્ટે પોન્ઝી સ્કીમ કૌભાંડના આરોપી ભુપેન્દ્ર સિંહ ઝાલાની જામીન અરજી શરતોને આધારે મંજુર કરી છે. ભુપેન્દ્ર સિંહ ઝાલાને ૮ મહિનાથી વધુના જેલવાસ પછી ગુજરાત હાઇકોર્ટ દ્વારા જામીન આપવામાં આવ્યા છે .

અમદાવાદના સેવન્થ ડે સ્કૂલની ઘટનાની સંપૂર્ણ તપાસ હાલમાં ક્રાઇમ બ્રાન્ચ દ્વારા કરવામાં આવી રહી છે. અને હવે ક્રાઇમ બ્રાન્ચ સેવન્થ ડે સ્કૂલની ઘટનામાં તેના સંચાલકો સામે ફરિયાદ દાખલ કરવા માટે કોર્ટની મંજૂરી મેળવશે . હાલમાં ક્રાઇમ બ્રાન્ચની ટિમ આખી ઘટનાની અંદર ઝીણવટભરી તપાસ કરી રહી છે . આપને જણાવી દયિકે , આ આખી ઘટનામાં , સેવન્થ ડે સ્કૂલના સંચાલકોની ખુબ ભારે બેદરકારી સામે આવી છે .

સમાજમાં કેટલીકવાર એવી ઘટનાઓ અને ગુનાઓ બનતા હોય છે કે જેના કારણે સમાજની આત્માને કુઠારાઘાત પહોંચતો હોય છે. આવી જ એક ઘટના અમદાવાદના હાટકેશ્વર ખાતે બની છે . જ્યાં સેવન્થ ડે સ્કૂલમાં ધક્કામુક્કી જેવી સામાન્ય બાબતે ધોરણ ૮ માં ભણતો વિદ્યાર્થી દસમા ધોરણમાં ભણતા છોકરાને ધારદાર વસ્તુના ઘા મારીને મારી નાખે છે . જેના પ્રત્યાઘાત હવે ખુબ ઊંડા પડ્યા છે. આજે ૨૧ ઓગસ્ટના રોજ યુથ કોંગ્રેસ અને NSUI દ્વારા સ્કૂલને તાળાબંધીનું એલાન કરવામાં આવ્યું છે. ઉપરાંત વિશ્વ હિન્દૂ પરિષદ દ્વારા મણિનગર અને આસપાસના વિસ્તારોમાં સ્કૂલો બંધ રાખી વિસ્તારને બંધ રાખવાનું એલાન કરવામાં આવ્યું છે . સાથે જ અમદાવાદના મણિનગર વિસ્તારમાં આવેલી સિંધી માર્કેટ આજે બંધ છે.