કોરોનાના નવા વેરિએન્ટ XBB અને XBB.1ની એન્ટ્રી, મહારાષ્ટ્ર અને કેરળ સરકારે જાહેર કરી એડવાઈઝરી


  • Published By : Payal rathod
  • Published Date : 2022-10-18 17:07:51

શું ભારતમાં કોરોનાની ચોથી લહેર આવવાની છે?. હાલ તો નહીં પણ કેટલાક સપ્તાહ કે મહિના બાદ કોરોના ફરી એક વખત નવી લહેર સાથે પરત આવી શકે છે. આવું એટલા માટે કેમ કે કોરોનાના બે નવા જિનેટિક વેરિએ્ન્ટ XBB અને XBB1નો ખતરો જોવા મળી રહ્યો છે. દુનિયાના એનેક દેશોમાં આ બંને વેરિએન્ટના કારણે સંક્રમણ વધવા લાગ્યું છે.


મહારાષ્ટ્ર અને કેરળે જાહેર કરી એડવાઈઝરી


કોરોનાના આ બે વેરિએન્ટ અંગે કેન્દ્ર સરકારે તો કોઈ એડવાઈઝરી કે વોર્નિગ જાહેર કરી નથી પણ મહારાષ્ટ્ર અને કેરળ સરકારે એડવાઈઝરી જાહેર કરી દીધી છે. આ બંને રાજ્ય સરકારોએ લોકોને માસ્ક પહેરવાની સલાહ આપી છે.


બંને વેરિએન્ટ અત્યંત સંક્રામક 


કોરોનાના બે નવા જિનેટિક વેરિએ્ન્ટ XBB અને XBB1ને અત્યંત સંક્રામક માનવામાં આવે છે. પેકિંગ યુનિવર્સિટીમાં BIOPICના આસિસ્ટન્ટ પ્રોફેસર યુનલોંડ કાઓના જણાવ્યા પ્રમાણે XBB વેરિએન્ટ એન્ટિબોડીને ચકમો આપનારો વેરિએન્ટ છે. તેમણે ટ્વિટ કરીને કહ્યું કે XBB ઓમિક્રોનના  BA.2.75.2 અને BQ.1.1થી વધુ ખતરનાક છે. આ વેરિએન્ટ રોગપ્રતિકારક શક્તિને પ્રભાવિત કરી શકે છે. કોરોનાના અન્ય વેરિએન્ટ કરતા XBB સૌથી વધુ ખતરનાક છે. કેરળના આરોગ્ય મંત્રીએ પણ જણાવ્યું કે આ નવા વેરિએન્ટથી સંક્રમિત થતા 1,8 ટકા લોકોને હોસ્પિટલમાં દાખલ થવું પડે છે અને વૃદ્ધો તથા કોઈ બિમારીઓથી પિડાઈ રહેલા લોકો આ નવા વેરિએન્ટથી ગંભીર રીતે સંક્રમિત થઈ શકે છે.    


વિશ્વના આ દેશોમાં કોરોનાના કેસ વધ્યા


ચીનમાં સતત કોરોનાના કેસ વધી રહ્યા છે અને તેના કારણે દેશના અનેક શહેરોમાં લોકડાઉન લગાવવામાં આવી રહ્યા છે. તે ઉપરાંત અમેરિકા, સિંગાપુર, અમેરિકા, બાંગ્લાદેશ, યુરોપ અને અમેરિકામાં આ નવો વેરિએન્ટ મળી આવ્યો છે. સિંગાપુરમાં કોરોનાના નવા કેસ ચિંતાજનક રીતે વધી રહ્યા છે.



રાજકોટના જંગલેશ્વર ખાતે આજે ડિમોલિશન પૂર્ણ થયું છે. મહાનગરપાલિકા અને પોલીસ તંત્રના સંયુક્ત ઉપક્રમે જે કામગીરી ચાલી રહી હતી , તેમાં કુલ ૧૫૦૯ જેટલા મકાનોને જમીનદોસ્ત કરી દેવામાં આવ્યા છે. જંગલેશ્વરની જે શેરીઓ થોડાક સમય અગાઉ લોકોથી ધમધમતી હતી તે શેરીઓની જગ્યાએ હવે કાટમાળના ઢગલા અને વેરાન મેદાન જોવા મળી રહ્યા છે. આ ડિમોલિશન કામગીરી દરમ્યાન RMCના ૧ કર્મચારીનો જીવ માંડમાંડ બચ્યો હતો.

ગીર સોમનાથ જિલ્લામાં SP જયદીપસિંહ જાડેજા દ્વારા જિલ્લામાં અસામાજિક તત્વોને નિયંત્રણમાં લેવા હવે આઠ આરોપીઓની સામે ગુજસીટોકનું શાસ્ત્ર ઉગામવામાં આવ્યું છે. જેના કારણે , ગીર સોમનાથના અસામાજિક તત્વોમાં ભારે ફફડાટનો માહોલ છે. આ આઠ આરોપીઓની સામે પ્રોહિબિશન સહીત અનેક ગુનાઓ નોંધાયેલા છે , હવે આ ઈસમોની સામે , વેરાવળ સીટી પોલીસ સ્ટેશન ખાતે GUJSITOKની વિવિધ કલમ અંતર્ગત ગુનો નોંધવામાં આવ્યો છે.

દિલ્હીની AI ઈમ્પૅક્ટ સમિટમાં ઉદ્યોગપતિ મુકેશ અંબાણી દ્વારા સંબોધન કરવામાં આવ્યું છે. મુકેશ અંબાણીએ AIના હકારાત્મક ઉપયોગ પર ભાર મુકવામાં આવ્યો છે. તેમણે કહ્યું છે કે , " AI નોકરીઓ નઈ ખાય. એટલુંજ નહિ AI ખુબ મોટાપાયે તક ઉભી કરશે."

સોશ્યિલ મીડિયા ઇન્ફુએન્સર કીર્તિ પટેલ પર આજે બીજી ફરિયાદ દાખલ કરવામાં આવી છે. જૂનાગઢના મહાશિવરાત્રીના મેળામાં મૃગુ કુંડમાં ડૂબકી લગાવવા પર કીર્તિ પટેલ વિવાદોમાં આવ્યા હતા. આ બાબતે સાધુ સંતોમાં ભારે નારાજગી જોવા મળી હતી. ત્યારે હવે કીર્તિ પટેલ વિરૂદ્ધ ભવનાથ પોલીસ સ્ટેશનમાં વધુ એક ફરિયાદ નોંધાઈ છે. આ ફરિયાદ મહંત બજરંગદાસ બાપુ દ્વારા નોંધાવવામાં આવી છે. જૂનાગઢના ભવનાથ ખાતે દર વર્ષે , મહાશિવરાત્રીના પર્વ નિમિતે, લાખો શ્રદ્ધાળુઓ ઉમટી પડે છે. આ વર્ષે , ભવનાથના મેળામાં સોશ્યિલ મીડિયા ઇન્ફુએન્સર કીર્તિ પટેલને લઇને વિવાદ થયો છે. મૃગી કુંડમાં સ્નાન કરવા બદલ સાધુ સંતોમાં ભારે નારાજગી જોવા મળી છે. તે જ સમયે PI સાથે મૃગીકુંડમાં કીર્તિ પટેલને ઘર્ષણ પણ થયું હતું. આ પછી , ભવનાથ પોલીસ સ્ટેશનમાં મહિલા PI કે જે મોડ દ્વારા કીર્તિ પટેલની વિરુદ્ધમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. પોલીસની કામગીરીમાં અવરોધ ઉભો કરવાનો આરોપ , PIને જાનથી મારી નાખવાની ધમકી , શાંતિ ડહોળવાનો પ્રયાસની કલમ એડ કરવામાં આવી છે. હવે આજે , બીજી ફરિયાદ સાધુ-સંત દ્વારા કરવામાં આવી છે. આ ફરિયાદ સાધુ સંતોની લાગણી દુભાવવા પર અને તેમને બદનામ કરવા બદલ ભવનાથ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. પ્રભાસ પાટણ નિરાલી ખોડિયાર આશ્રમના મહંત બજરંગદાસ બાપુએ કીર્તિ પટેલન સામે પોલીસ ફરિયાદ નોંધાવી છે. પોલીસ ફરિયાદ નોંધાતા પોલીસે કીર્તિને પકડવા માટે ચક્રો ગતિમાન કર્યા છે. અલગ અલગ ટીમો બનાવીને તપાસ હાથ ધરાઈ છે.