કોરોનાના નવા વેરિએન્ટ XBB અને XBB.1ની એન્ટ્રી, મહારાષ્ટ્ર અને કેરળ સરકારે જાહેર કરી એડવાઈઝરી


  • Published By : Payal rathod
  • Published Date : 2022-10-18 17:07:51

શું ભારતમાં કોરોનાની ચોથી લહેર આવવાની છે?. હાલ તો નહીં પણ કેટલાક સપ્તાહ કે મહિના બાદ કોરોના ફરી એક વખત નવી લહેર સાથે પરત આવી શકે છે. આવું એટલા માટે કેમ કે કોરોનાના બે નવા જિનેટિક વેરિએ્ન્ટ XBB અને XBB1નો ખતરો જોવા મળી રહ્યો છે. દુનિયાના એનેક દેશોમાં આ બંને વેરિએન્ટના કારણે સંક્રમણ વધવા લાગ્યું છે.


મહારાષ્ટ્ર અને કેરળે જાહેર કરી એડવાઈઝરી


કોરોનાના આ બે વેરિએન્ટ અંગે કેન્દ્ર સરકારે તો કોઈ એડવાઈઝરી કે વોર્નિગ જાહેર કરી નથી પણ મહારાષ્ટ્ર અને કેરળ સરકારે એડવાઈઝરી જાહેર કરી દીધી છે. આ બંને રાજ્ય સરકારોએ લોકોને માસ્ક પહેરવાની સલાહ આપી છે.


બંને વેરિએન્ટ અત્યંત સંક્રામક 


કોરોનાના બે નવા જિનેટિક વેરિએ્ન્ટ XBB અને XBB1ને અત્યંત સંક્રામક માનવામાં આવે છે. પેકિંગ યુનિવર્સિટીમાં BIOPICના આસિસ્ટન્ટ પ્રોફેસર યુનલોંડ કાઓના જણાવ્યા પ્રમાણે XBB વેરિએન્ટ એન્ટિબોડીને ચકમો આપનારો વેરિએન્ટ છે. તેમણે ટ્વિટ કરીને કહ્યું કે XBB ઓમિક્રોનના  BA.2.75.2 અને BQ.1.1થી વધુ ખતરનાક છે. આ વેરિએન્ટ રોગપ્રતિકારક શક્તિને પ્રભાવિત કરી શકે છે. કોરોનાના અન્ય વેરિએન્ટ કરતા XBB સૌથી વધુ ખતરનાક છે. કેરળના આરોગ્ય મંત્રીએ પણ જણાવ્યું કે આ નવા વેરિએન્ટથી સંક્રમિત થતા 1,8 ટકા લોકોને હોસ્પિટલમાં દાખલ થવું પડે છે અને વૃદ્ધો તથા કોઈ બિમારીઓથી પિડાઈ રહેલા લોકો આ નવા વેરિએન્ટથી ગંભીર રીતે સંક્રમિત થઈ શકે છે.    


વિશ્વના આ દેશોમાં કોરોનાના કેસ વધ્યા


ચીનમાં સતત કોરોનાના કેસ વધી રહ્યા છે અને તેના કારણે દેશના અનેક શહેરોમાં લોકડાઉન લગાવવામાં આવી રહ્યા છે. તે ઉપરાંત અમેરિકા, સિંગાપુર, અમેરિકા, બાંગ્લાદેશ, યુરોપ અને અમેરિકામાં આ નવો વેરિએન્ટ મળી આવ્યો છે. સિંગાપુરમાં કોરોનાના નવા કેસ ચિંતાજનક રીતે વધી રહ્યા છે.



ધંધુકામાં માત્ર એક ઓવરટેક જેવી નજીવી બાબતે ધર્મેશ ગમારા નામના યુવાનનો જીવ લઇ લેવામાં આવે છે ત્યારબાદ , બે સમુદાયો ધંધુકામાં આમનેસામને આવી જાય છે. ખુબ મોટાપાયે ઘર્ષણ થાય છે. આ પછી , પોલીસ દ્વારા ધંધુકામાં સઘન કોમ્બિંગ હાથ ધરાય છે અને ૨૦૦ લોકોના ઘરોની પણ તપાસ કરવામાં આવી છે. તો હવે પોલીસ આ સમગ્ર મામલે તપાસ કરવા માટે અમદાવાદના રેન્જ IG રાઘવેન્દ્ર વત્સ દ્વારા સ્પેશ્યલ ઇન્વેસ્ટિગેશન ટીમની રચના કરવામાં આવી છે.

ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ માટે મતદાન ૨૬મી એપ્રિલે યોજાવાનું છે ત્યારે , રાજકોટ મહાનગરપાલિકામાં લેઉવા સમાજના મતો ખુબ મોટી સંખ્યામાં છે ત્યારે , ભારતીય જનતા પાર્ટીના રાજકોટના કોર્પોરેટરોએ ખોડલધામના ચેરમેન નરેશ પટેલ સાથે મુલાકાત કરી છે. જોકે આ મુલાકાત પછી , ભાજપ જીતી શકશે કે કેમ તે તો પરિણામના દિવસે જ ખબર પડશે. પરંતુ , રાજકોટ મહાનગરપાલિકામાં ભારતીય જનતા પાર્ટીના ટિકિટ વહેંચણી પછી જૂથવાદ સપાટી પર આવી ગયો છે. આ કારણે પાર્ટીની સામે પડકાર ઉભો થયો છે.

સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓમાં ૨૬મી તારીખે મતદાન યોજાવાનું છે ત્યારે , પંચમહાલમાં કોંગ્રેસને ખુબ મોટો ઝટકો લાગ્યો છે. પંચમહાલ જિલ્લા કોંગ્રેસ પ્રમુખ ચેતનસિંહ પરમારએ ભારતીય જનતા પાર્ટીમાં જોડાઈ ગયા છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના હસ્તે તેમણે ભાજપનો ખેસ ધારણ કર્યો છે. આમ હવે , પંચમહાલ જિલ્લામાં કોંગ્રેસમાં કાર્યકરો નિરાશ થઇ ગયા છે.

નવરચિત વાવ થરાદ જિલ્લામાં મામલતદાર કચેરીએ જયારે ઉમેદવારોના ફોર્મની સ્ક્રૂટિની ચાલી રહી છે ત્યારે મામલતદાર કચેરીએ કોંગ્રેસના કાર્યકરોએ નારેબાજી કરી છે. આ બાબતે બનાસકાંઠા જિલ્લા કોંગ્રેસ પ્રમુખ ગુલાબસિંહ રાજપૂત દ્વારા પોલીસ પર આરોપ લગાવવામાં આવ્યો છે કે , "પોલીસ અમારા ઉમેદવારોને ડરાવવાનું અને ધમકાવવાનું કામ કરી રહી છે. ગુલાબસિંહ રાજપૂતના આ દાવાથી વાવ થરાદ જિલ્લામાં રાજકારણ ગરમાઈ ગયું છે.