કોરોનાના નવા વેરિએન્ટ XBB અને XBB.1ની એન્ટ્રી, મહારાષ્ટ્ર અને કેરળ સરકારે જાહેર કરી એડવાઈઝરી


  • Published By : Payal rathod
  • Published Date : 2022-10-18 17:07:51

શું ભારતમાં કોરોનાની ચોથી લહેર આવવાની છે?. હાલ તો નહીં પણ કેટલાક સપ્તાહ કે મહિના બાદ કોરોના ફરી એક વખત નવી લહેર સાથે પરત આવી શકે છે. આવું એટલા માટે કેમ કે કોરોનાના બે નવા જિનેટિક વેરિએ્ન્ટ XBB અને XBB1નો ખતરો જોવા મળી રહ્યો છે. દુનિયાના એનેક દેશોમાં આ બંને વેરિએન્ટના કારણે સંક્રમણ વધવા લાગ્યું છે.


મહારાષ્ટ્ર અને કેરળે જાહેર કરી એડવાઈઝરી


કોરોનાના આ બે વેરિએન્ટ અંગે કેન્દ્ર સરકારે તો કોઈ એડવાઈઝરી કે વોર્નિગ જાહેર કરી નથી પણ મહારાષ્ટ્ર અને કેરળ સરકારે એડવાઈઝરી જાહેર કરી દીધી છે. આ બંને રાજ્ય સરકારોએ લોકોને માસ્ક પહેરવાની સલાહ આપી છે.


બંને વેરિએન્ટ અત્યંત સંક્રામક 


કોરોનાના બે નવા જિનેટિક વેરિએ્ન્ટ XBB અને XBB1ને અત્યંત સંક્રામક માનવામાં આવે છે. પેકિંગ યુનિવર્સિટીમાં BIOPICના આસિસ્ટન્ટ પ્રોફેસર યુનલોંડ કાઓના જણાવ્યા પ્રમાણે XBB વેરિએન્ટ એન્ટિબોડીને ચકમો આપનારો વેરિએન્ટ છે. તેમણે ટ્વિટ કરીને કહ્યું કે XBB ઓમિક્રોનના  BA.2.75.2 અને BQ.1.1થી વધુ ખતરનાક છે. આ વેરિએન્ટ રોગપ્રતિકારક શક્તિને પ્રભાવિત કરી શકે છે. કોરોનાના અન્ય વેરિએન્ટ કરતા XBB સૌથી વધુ ખતરનાક છે. કેરળના આરોગ્ય મંત્રીએ પણ જણાવ્યું કે આ નવા વેરિએન્ટથી સંક્રમિત થતા 1,8 ટકા લોકોને હોસ્પિટલમાં દાખલ થવું પડે છે અને વૃદ્ધો તથા કોઈ બિમારીઓથી પિડાઈ રહેલા લોકો આ નવા વેરિએન્ટથી ગંભીર રીતે સંક્રમિત થઈ શકે છે.    


વિશ્વના આ દેશોમાં કોરોનાના કેસ વધ્યા


ચીનમાં સતત કોરોનાના કેસ વધી રહ્યા છે અને તેના કારણે દેશના અનેક શહેરોમાં લોકડાઉન લગાવવામાં આવી રહ્યા છે. તે ઉપરાંત અમેરિકા, સિંગાપુર, અમેરિકા, બાંગ્લાદેશ, યુરોપ અને અમેરિકામાં આ નવો વેરિએન્ટ મળી આવ્યો છે. સિંગાપુરમાં કોરોનાના નવા કેસ ચિંતાજનક રીતે વધી રહ્યા છે.



ગુજરાતના લાખો ગરીબ પરિવારોના આરોગ્યની સુરક્ષાને વધુ સુદૃઢ બનાવવા માટે ગુજરાત સરકારે એક મહત્ત્વપૂર્ણ પગલું ભર્યું છે. ગાંધીનગર ખાતે આરોગ્ય મંત્રી શ્રી પ્રફુલ પાનશેરિયાની ઉપસ્થિતિમાં આયુષ્માન ભારત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના હેઠળ રાજ્ય સરકારે બજાજ ઈન્સ્યોરન્સ કંપની સાથે એક નવા લેટર ઓફ એવોર્ડ(LOA) પર હસ્તાક્ષર કર્યા છે, જે રાજ્યની જનતા માટે આર્થિક રાહત અને વિસ્તૃત આરોગ્ય કવચ સુનિશ્ચિત કરે છે.

મુકેશ અંબાણીએ નાથદ્વારામાં દર્શન કર્યા, ‘યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન’ પ્રોજેક્ટની જાહેરાત કરી છે. મુકેશ અંબાણીએ પવિત્ર નગરી નાથદ્વારામાં શ્રીનાથજી ભગવાનના ભોગ આરતી દર્શનનો દિવ્ય લાભ લીધો તેમજ ગુરુ શ્રી વિશાલબાવા સાહેબના આશીર્વાદ પ્રાપ્ત કર્યા છે. આ અવસરે તેમણે નાથદ્વારામાં આધુનિક અને સુવિધાસંપન્ન “યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન”ના નિર્માણની જાહેરાત કરી છે તેમજ શ્રીનાથદ્વારા મંદિરને ₹15 કરોડનું દાન આપ્યું છે.

ગુજરાત સરકાર દ્વારા ખેડૂતો માટે એક રાહત પેકેજની ઘોષણા કરવામાં આવી છે. ગુજરાતમાં ૨૫મી ઓક્ટોબરથી જે કમોસમી વરસાદનો રાઉન્ડ આવ્યો છે તેમાં , ૪૨ લાખ હેકટર જમીનને નુકશાન થયું છે. અંદાજે ૧૬,૦૦૦ ગામોને અસર પહોંચી છે. તો હવે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ દ્વારા આજે એક કૃષિ રાહત પેકેજની જાહેરાત કરવામાં આવી છે.

અમરેલી જિલ્લામાં કોંગ્રેસ દ્વારા આજે ખેતી બચાવો સત્યાગ્રહ અંતર્ગત લીલીયા ખાતે પ્રતીક ધરણાનો કાર્યક્રમ યોજાયો છે. આ કાર્યક્રમમાં કમોસમી વરસાદના કારણે ખેડૂતોને જે પાક નુકશાની થઇ છે તેને લઇને અમરેલી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપ દુધાત અને પૂર્વ વિપક્ષના નેતા પરેશ ધાનાણીના નેતૃત્વમાં એક સંમેલન યોજાયું છે. આ ઉપરાંત ખેડૂતોના દેવામાફીના મુદ્દે , લીલીયા મામલતદારને આવેદન પત્ર પણ આપવામાં આવ્યું છે. આ પ્રસંગે , ખેડૂતો પણ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા.