કરોડોના ખર્ચે કરાતો ચૂંટણી પ્રચાર


  • Published By : Payal rathod
  • Published Date : 2022-09-22 16:03:07

વિધાનસભાની ચૂંટણી હોય કે લોકસભાની ચૂંટણી હોય તમામ પાર્ટી કરોડોનો ખર્ચ કરી રહી છે. ચૂંટણીમાં પાર્ટીના પ્રચાર માટે રાજકીય પાર્ટી કરોડોનો ખર્ચ કરે છે. ત્યારે ભારતીય જનતા પાર્ટીએ આ વર્ષની શરૂઆતમાં યોજાયેલ 5 રાજ્યોમાં યોજાયેલ વિધાનસભાની ચૂંટણી માટે 344.27 જેટલો ખર્ચ કર્યો છે. અચરજની વાતતો એ છે કે ચૂંટણી ખર્ચ કરતા 58 ટકા જેટલો વધારે છે.

How Long Will it Take for the Congress Party to Revive Itself? | NewsClick

gujarat bjp: BJP in Gujarat sets the ball rolling for state elections at  the end of the year - The Economic Times

5 રાજ્યોમાં ભાજપે કર્યો છે અધધધ કરોડનો ખર્ચ

ઉત્તર પ્રદેશ, પંજાબ, ગોવા, મણિપુર અને ઉત્તરાખંડમાં યોજાયેલી વિધાનસભાની ચૂંટણીમાં ચૂંટણી કરતા વધારે ખર્ચો કરવામાં આવ્યો છે. ભાજપ ઉપરાંત કોંગ્રેસ દ્વારા પણ ચૂંટણી ખર્ચમાં ભારે વધારો કર્યો છે. કોંગ્રેસે 2017માં 108.14 કરોડનો ખર્ચો કર્યો હતો જ્યારે 2022માં કોંગ્રેસે 194.80 કરોડનો ખર્ચ કર્યો છે.   

વેબસાઈટ ઈન્ડિયન એક્સપ્રેસ દ્વારા કરવામાં આવેલા સર્વે અનુસાર ચૂંટણી ખર્ચાના અહેવાલનું મુલ્યાંકન કરવામાં આવ્યું હતું. ડેટા પ્રમાણે ભાજપે 2022માં ઉત્તર પ્રદેશની ચૂંટણીમાં 221.32 કરોડનો ખર્ચ કર્યો છે. ગોવામાં ભાજપે 19.07 કરોડનો ખર્ચ કર્યો હતો જ્યારે મણિપુર અને ઉત્તરાખંડમાં આ વર્ષની ચૂંટણી પ્રચાર માટે 23.52 કરોડનો ખર્ચ કર્યો હતો જ્યારે 43.67 કરોડનો ખર્ચો કર્યો છે. 2017માં મણિપુર માટે 7.86 કરોડનો ખર્ચો છે જ્યારે 23.48 કરોડનો ખર્ચ ઉત્તરાખંડમાં પ્રચાર માટે કર્યો હતો.



ધંધુકામાં માત્ર એક ઓવરટેક જેવી નજીવી બાબતે ધર્મેશ ગમારા નામના યુવાનનો જીવ લઇ લેવામાં આવે છે ત્યારબાદ , બે સમુદાયો ધંધુકામાં આમનેસામને આવી જાય છે. ખુબ મોટાપાયે ઘર્ષણ થાય છે. આ પછી , પોલીસ દ્વારા ધંધુકામાં સઘન કોમ્બિંગ હાથ ધરાય છે અને ૨૦૦ લોકોના ઘરોની પણ તપાસ કરવામાં આવી છે. તો હવે પોલીસ આ સમગ્ર મામલે તપાસ કરવા માટે અમદાવાદના રેન્જ IG રાઘવેન્દ્ર વત્સ દ્વારા સ્પેશ્યલ ઇન્વેસ્ટિગેશન ટીમની રચના કરવામાં આવી છે.

ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ માટે મતદાન ૨૬મી એપ્રિલે યોજાવાનું છે ત્યારે , રાજકોટ મહાનગરપાલિકામાં લેઉવા સમાજના મતો ખુબ મોટી સંખ્યામાં છે ત્યારે , ભારતીય જનતા પાર્ટીના રાજકોટના કોર્પોરેટરોએ ખોડલધામના ચેરમેન નરેશ પટેલ સાથે મુલાકાત કરી છે. જોકે આ મુલાકાત પછી , ભાજપ જીતી શકશે કે કેમ તે તો પરિણામના દિવસે જ ખબર પડશે. પરંતુ , રાજકોટ મહાનગરપાલિકામાં ભારતીય જનતા પાર્ટીના ટિકિટ વહેંચણી પછી જૂથવાદ સપાટી પર આવી ગયો છે. આ કારણે પાર્ટીની સામે પડકાર ઉભો થયો છે.

સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓમાં ૨૬મી તારીખે મતદાન યોજાવાનું છે ત્યારે , પંચમહાલમાં કોંગ્રેસને ખુબ મોટો ઝટકો લાગ્યો છે. પંચમહાલ જિલ્લા કોંગ્રેસ પ્રમુખ ચેતનસિંહ પરમારએ ભારતીય જનતા પાર્ટીમાં જોડાઈ ગયા છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના હસ્તે તેમણે ભાજપનો ખેસ ધારણ કર્યો છે. આમ હવે , પંચમહાલ જિલ્લામાં કોંગ્રેસમાં કાર્યકરો નિરાશ થઇ ગયા છે.

નવરચિત વાવ થરાદ જિલ્લામાં મામલતદાર કચેરીએ જયારે ઉમેદવારોના ફોર્મની સ્ક્રૂટિની ચાલી રહી છે ત્યારે મામલતદાર કચેરીએ કોંગ્રેસના કાર્યકરોએ નારેબાજી કરી છે. આ બાબતે બનાસકાંઠા જિલ્લા કોંગ્રેસ પ્રમુખ ગુલાબસિંહ રાજપૂત દ્વારા પોલીસ પર આરોપ લગાવવામાં આવ્યો છે કે , "પોલીસ અમારા ઉમેદવારોને ડરાવવાનું અને ધમકાવવાનું કામ કરી રહી છે. ગુલાબસિંહ રાજપૂતના આ દાવાથી વાવ થરાદ જિલ્લામાં રાજકારણ ગરમાઈ ગયું છે.