કરોડોના ખર્ચે કરાતો ચૂંટણી પ્રચાર


  • Published By : Payal rathod
  • Published Date : 2022-09-22 16:03:07

વિધાનસભાની ચૂંટણી હોય કે લોકસભાની ચૂંટણી હોય તમામ પાર્ટી કરોડોનો ખર્ચ કરી રહી છે. ચૂંટણીમાં પાર્ટીના પ્રચાર માટે રાજકીય પાર્ટી કરોડોનો ખર્ચ કરે છે. ત્યારે ભારતીય જનતા પાર્ટીએ આ વર્ષની શરૂઆતમાં યોજાયેલ 5 રાજ્યોમાં યોજાયેલ વિધાનસભાની ચૂંટણી માટે 344.27 જેટલો ખર્ચ કર્યો છે. અચરજની વાતતો એ છે કે ચૂંટણી ખર્ચ કરતા 58 ટકા જેટલો વધારે છે.

How Long Will it Take for the Congress Party to Revive Itself? | NewsClick

gujarat bjp: BJP in Gujarat sets the ball rolling for state elections at  the end of the year - The Economic Times

5 રાજ્યોમાં ભાજપે કર્યો છે અધધધ કરોડનો ખર્ચ

ઉત્તર પ્રદેશ, પંજાબ, ગોવા, મણિપુર અને ઉત્તરાખંડમાં યોજાયેલી વિધાનસભાની ચૂંટણીમાં ચૂંટણી કરતા વધારે ખર્ચો કરવામાં આવ્યો છે. ભાજપ ઉપરાંત કોંગ્રેસ દ્વારા પણ ચૂંટણી ખર્ચમાં ભારે વધારો કર્યો છે. કોંગ્રેસે 2017માં 108.14 કરોડનો ખર્ચો કર્યો હતો જ્યારે 2022માં કોંગ્રેસે 194.80 કરોડનો ખર્ચ કર્યો છે.   

વેબસાઈટ ઈન્ડિયન એક્સપ્રેસ દ્વારા કરવામાં આવેલા સર્વે અનુસાર ચૂંટણી ખર્ચાના અહેવાલનું મુલ્યાંકન કરવામાં આવ્યું હતું. ડેટા પ્રમાણે ભાજપે 2022માં ઉત્તર પ્રદેશની ચૂંટણીમાં 221.32 કરોડનો ખર્ચ કર્યો છે. ગોવામાં ભાજપે 19.07 કરોડનો ખર્ચ કર્યો હતો જ્યારે મણિપુર અને ઉત્તરાખંડમાં આ વર્ષની ચૂંટણી પ્રચાર માટે 23.52 કરોડનો ખર્ચ કર્યો હતો જ્યારે 43.67 કરોડનો ખર્ચો કર્યો છે. 2017માં મણિપુર માટે 7.86 કરોડનો ખર્ચો છે જ્યારે 23.48 કરોડનો ખર્ચ ઉત્તરાખંડમાં પ્રચાર માટે કર્યો હતો.



ગુજરાતના લાખો ગરીબ પરિવારોના આરોગ્યની સુરક્ષાને વધુ સુદૃઢ બનાવવા માટે ગુજરાત સરકારે એક મહત્ત્વપૂર્ણ પગલું ભર્યું છે. ગાંધીનગર ખાતે આરોગ્ય મંત્રી શ્રી પ્રફુલ પાનશેરિયાની ઉપસ્થિતિમાં આયુષ્માન ભારત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના હેઠળ રાજ્ય સરકારે બજાજ ઈન્સ્યોરન્સ કંપની સાથે એક નવા લેટર ઓફ એવોર્ડ(LOA) પર હસ્તાક્ષર કર્યા છે, જે રાજ્યની જનતા માટે આર્થિક રાહત અને વિસ્તૃત આરોગ્ય કવચ સુનિશ્ચિત કરે છે.

મુકેશ અંબાણીએ નાથદ્વારામાં દર્શન કર્યા, ‘યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન’ પ્રોજેક્ટની જાહેરાત કરી છે. મુકેશ અંબાણીએ પવિત્ર નગરી નાથદ્વારામાં શ્રીનાથજી ભગવાનના ભોગ આરતી દર્શનનો દિવ્ય લાભ લીધો તેમજ ગુરુ શ્રી વિશાલબાવા સાહેબના આશીર્વાદ પ્રાપ્ત કર્યા છે. આ અવસરે તેમણે નાથદ્વારામાં આધુનિક અને સુવિધાસંપન્ન “યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન”ના નિર્માણની જાહેરાત કરી છે તેમજ શ્રીનાથદ્વારા મંદિરને ₹15 કરોડનું દાન આપ્યું છે.

ગુજરાત સરકાર દ્વારા ખેડૂતો માટે એક રાહત પેકેજની ઘોષણા કરવામાં આવી છે. ગુજરાતમાં ૨૫મી ઓક્ટોબરથી જે કમોસમી વરસાદનો રાઉન્ડ આવ્યો છે તેમાં , ૪૨ લાખ હેકટર જમીનને નુકશાન થયું છે. અંદાજે ૧૬,૦૦૦ ગામોને અસર પહોંચી છે. તો હવે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ દ્વારા આજે એક કૃષિ રાહત પેકેજની જાહેરાત કરવામાં આવી છે.

અમરેલી જિલ્લામાં કોંગ્રેસ દ્વારા આજે ખેતી બચાવો સત્યાગ્રહ અંતર્ગત લીલીયા ખાતે પ્રતીક ધરણાનો કાર્યક્રમ યોજાયો છે. આ કાર્યક્રમમાં કમોસમી વરસાદના કારણે ખેડૂતોને જે પાક નુકશાની થઇ છે તેને લઇને અમરેલી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપ દુધાત અને પૂર્વ વિપક્ષના નેતા પરેશ ધાનાણીના નેતૃત્વમાં એક સંમેલન યોજાયું છે. આ ઉપરાંત ખેડૂતોના દેવામાફીના મુદ્દે , લીલીયા મામલતદારને આવેદન પત્ર પણ આપવામાં આવ્યું છે. આ પ્રસંગે , ખેડૂતો પણ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા.