કરોડોના ખર્ચે કરાતો ચૂંટણી પ્રચાર


  • Published By : Payal rathod
  • Published Date : 2022-09-22 16:03:07

વિધાનસભાની ચૂંટણી હોય કે લોકસભાની ચૂંટણી હોય તમામ પાર્ટી કરોડોનો ખર્ચ કરી રહી છે. ચૂંટણીમાં પાર્ટીના પ્રચાર માટે રાજકીય પાર્ટી કરોડોનો ખર્ચ કરે છે. ત્યારે ભારતીય જનતા પાર્ટીએ આ વર્ષની શરૂઆતમાં યોજાયેલ 5 રાજ્યોમાં યોજાયેલ વિધાનસભાની ચૂંટણી માટે 344.27 જેટલો ખર્ચ કર્યો છે. અચરજની વાતતો એ છે કે ચૂંટણી ખર્ચ કરતા 58 ટકા જેટલો વધારે છે.

How Long Will it Take for the Congress Party to Revive Itself? | NewsClick

gujarat bjp: BJP in Gujarat sets the ball rolling for state elections at  the end of the year - The Economic Times

5 રાજ્યોમાં ભાજપે કર્યો છે અધધધ કરોડનો ખર્ચ

ઉત્તર પ્રદેશ, પંજાબ, ગોવા, મણિપુર અને ઉત્તરાખંડમાં યોજાયેલી વિધાનસભાની ચૂંટણીમાં ચૂંટણી કરતા વધારે ખર્ચો કરવામાં આવ્યો છે. ભાજપ ઉપરાંત કોંગ્રેસ દ્વારા પણ ચૂંટણી ખર્ચમાં ભારે વધારો કર્યો છે. કોંગ્રેસે 2017માં 108.14 કરોડનો ખર્ચો કર્યો હતો જ્યારે 2022માં કોંગ્રેસે 194.80 કરોડનો ખર્ચ કર્યો છે.   

વેબસાઈટ ઈન્ડિયન એક્સપ્રેસ દ્વારા કરવામાં આવેલા સર્વે અનુસાર ચૂંટણી ખર્ચાના અહેવાલનું મુલ્યાંકન કરવામાં આવ્યું હતું. ડેટા પ્રમાણે ભાજપે 2022માં ઉત્તર પ્રદેશની ચૂંટણીમાં 221.32 કરોડનો ખર્ચ કર્યો છે. ગોવામાં ભાજપે 19.07 કરોડનો ખર્ચ કર્યો હતો જ્યારે મણિપુર અને ઉત્તરાખંડમાં આ વર્ષની ચૂંટણી પ્રચાર માટે 23.52 કરોડનો ખર્ચ કર્યો હતો જ્યારે 43.67 કરોડનો ખર્ચો કર્યો છે. 2017માં મણિપુર માટે 7.86 કરોડનો ખર્ચો છે જ્યારે 23.48 કરોડનો ખર્ચ ઉત્તરાખંડમાં પ્રચાર માટે કર્યો હતો.



રાજકોટના જંગલેશ્વર ખાતે આજે ડિમોલિશન પૂર્ણ થયું છે. મહાનગરપાલિકા અને પોલીસ તંત્રના સંયુક્ત ઉપક્રમે જે કામગીરી ચાલી રહી હતી , તેમાં કુલ ૧૫૦૯ જેટલા મકાનોને જમીનદોસ્ત કરી દેવામાં આવ્યા છે. જંગલેશ્વરની જે શેરીઓ થોડાક સમય અગાઉ લોકોથી ધમધમતી હતી તે શેરીઓની જગ્યાએ હવે કાટમાળના ઢગલા અને વેરાન મેદાન જોવા મળી રહ્યા છે. આ ડિમોલિશન કામગીરી દરમ્યાન RMCના ૧ કર્મચારીનો જીવ માંડમાંડ બચ્યો હતો.

ગીર સોમનાથ જિલ્લામાં SP જયદીપસિંહ જાડેજા દ્વારા જિલ્લામાં અસામાજિક તત્વોને નિયંત્રણમાં લેવા હવે આઠ આરોપીઓની સામે ગુજસીટોકનું શાસ્ત્ર ઉગામવામાં આવ્યું છે. જેના કારણે , ગીર સોમનાથના અસામાજિક તત્વોમાં ભારે ફફડાટનો માહોલ છે. આ આઠ આરોપીઓની સામે પ્રોહિબિશન સહીત અનેક ગુનાઓ નોંધાયેલા છે , હવે આ ઈસમોની સામે , વેરાવળ સીટી પોલીસ સ્ટેશન ખાતે GUJSITOKની વિવિધ કલમ અંતર્ગત ગુનો નોંધવામાં આવ્યો છે.

દિલ્હીની AI ઈમ્પૅક્ટ સમિટમાં ઉદ્યોગપતિ મુકેશ અંબાણી દ્વારા સંબોધન કરવામાં આવ્યું છે. મુકેશ અંબાણીએ AIના હકારાત્મક ઉપયોગ પર ભાર મુકવામાં આવ્યો છે. તેમણે કહ્યું છે કે , " AI નોકરીઓ નઈ ખાય. એટલુંજ નહિ AI ખુબ મોટાપાયે તક ઉભી કરશે."

સોશ્યિલ મીડિયા ઇન્ફુએન્સર કીર્તિ પટેલ પર આજે બીજી ફરિયાદ દાખલ કરવામાં આવી છે. જૂનાગઢના મહાશિવરાત્રીના મેળામાં મૃગુ કુંડમાં ડૂબકી લગાવવા પર કીર્તિ પટેલ વિવાદોમાં આવ્યા હતા. આ બાબતે સાધુ સંતોમાં ભારે નારાજગી જોવા મળી હતી. ત્યારે હવે કીર્તિ પટેલ વિરૂદ્ધ ભવનાથ પોલીસ સ્ટેશનમાં વધુ એક ફરિયાદ નોંધાઈ છે. આ ફરિયાદ મહંત બજરંગદાસ બાપુ દ્વારા નોંધાવવામાં આવી છે. જૂનાગઢના ભવનાથ ખાતે દર વર્ષે , મહાશિવરાત્રીના પર્વ નિમિતે, લાખો શ્રદ્ધાળુઓ ઉમટી પડે છે. આ વર્ષે , ભવનાથના મેળામાં સોશ્યિલ મીડિયા ઇન્ફુએન્સર કીર્તિ પટેલને લઇને વિવાદ થયો છે. મૃગી કુંડમાં સ્નાન કરવા બદલ સાધુ સંતોમાં ભારે નારાજગી જોવા મળી છે. તે જ સમયે PI સાથે મૃગીકુંડમાં કીર્તિ પટેલને ઘર્ષણ પણ થયું હતું. આ પછી , ભવનાથ પોલીસ સ્ટેશનમાં મહિલા PI કે જે મોડ દ્વારા કીર્તિ પટેલની વિરુદ્ધમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. પોલીસની કામગીરીમાં અવરોધ ઉભો કરવાનો આરોપ , PIને જાનથી મારી નાખવાની ધમકી , શાંતિ ડહોળવાનો પ્રયાસની કલમ એડ કરવામાં આવી છે. હવે આજે , બીજી ફરિયાદ સાધુ-સંત દ્વારા કરવામાં આવી છે. આ ફરિયાદ સાધુ સંતોની લાગણી દુભાવવા પર અને તેમને બદનામ કરવા બદલ ભવનાથ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. પ્રભાસ પાટણ નિરાલી ખોડિયાર આશ્રમના મહંત બજરંગદાસ બાપુએ કીર્તિ પટેલન સામે પોલીસ ફરિયાદ નોંધાવી છે. પોલીસ ફરિયાદ નોંધાતા પોલીસે કીર્તિને પકડવા માટે ચક્રો ગતિમાન કર્યા છે. અલગ અલગ ટીમો બનાવીને તપાસ હાથ ધરાઈ છે.