Dharm : પોષી પૂનમ એટલે મા અંબાનો પ્રાગટ્ય.. જાણો શા માટે માતાજીએ ધારણ કર્યું શતાક્ષી સ્વરૂપ?


  • Published By :
  • Published Date : 2024-01-25 16:24:40

પોષી પૂનમ એટલે અંબિકા પ્રાગટ્ય. માન્યતા અનુસાર દૈત્યોનો સંહાર કરવા માટે માતાજીનું પ્રાગટ્ય થયું હતું. પૃથ્વી પર જ્યારે રાક્ષસોનો ત્રાસ વધી ગયો અને દેવતાઓની શક્તિ પણ રાક્ષસો આગળ ઓછી થતી લાગી તે વખતે દેવતાઓએ પોત પોતાની શક્તિ આપી હતી અને એ શક્તિોઓમાંથી માતાજીની ઉત્પત્તિ થઈ હતી. કોઈ દેવતાએ માતાજીને અસ્ત્ર આપ્યા, કોઈ દેવતાએ માતાજીને સિંહ આપ્યો. પોષ મહિનાની પૂનમને અંબિકા પ્રાગટ્ય તરીકે ઓળખાય છે  પરંતુ આ પૂનમને શાકંભરી પૂર્ણિમા તરીકે પણ ઓળખવામાં આવે છે. 

शताक्षी देवी - विकिपीडिया

દુર્ગ નામના રાક્ષસે મચાવ્યો હતો આતંક!  

શાકંભરી માતાના ઉત્પત્તિને લઈ હિંદુ ગ્રંથોમાં અલગ અલગ પ્રમાણો મળે છે. શાસ્ત્રમાં મળતા ઉલ્લેખ પ્રમાણે માતાજીએ દેવતાઓને પ્રસન્ન થઈ વરદાન આપ્યું હતું કે એકવાર ભારે અનાવૃષ્ટિ સર્જાશે. દુકાળનો સામનો કરવો પડશે. ઋષિ મુનીઓની પ્રાર્થનાથી હું પ્રસન્ન થઈશ અને અયોનિજા સ્વરૂપે પ્રગટ થઈશ અને મારા અંગોમાંથી અનેક પ્રકારના શાકભાજી ઉત્પન્ન થશે. શાકંભરી માતાના બીજા ઉલ્લેખની વાત કરીએ તો તે મુજબ દુર્ગા દેવીને શતાક્ષી રૂપે બતાવવામાં આવ્યા છે. દુર્ગ નામના રાક્ષસે ત્રણેય લોક પર પોતાનું પ્રભુત્વ સ્થાપિત કર્યું હતું જેને કારણે યજ્ઞકાર્ય કરી શકાતા ન હતા. 

Aadi Shakti - ????Glories of Goddess Shatakshi & Shakambhari ! ???? Goddess  Shatakshi and Goddess Shakambhari both are the divine forms of Mahadevi ,  the consort of Shiva that is Devi Parvati .

માતાજીએ ધારણ કર્યું શતાક્ષી સ્વરૂપ

યજ્ઞ બંધ થવાને કારણે દેવતાઓની શક્તિઓ ઓછી થઈ હતી. વરસાદ પણ ન વરસ્યો હતો અને દુકાળ જેવી પરિસ્થિતિ સર્જાઈ હતી. ભક્તોને દુખી જોઈ માતાજીએ શતાક્ષી રૂપ ધારણ કર્યું અને માતાજી 100 આંખોથી રડ્યા. 100 આંખોથી માતા રડ્યા જેને કારણે પાણીનું આગમન થયું. વરસાદ થવાને કારણે શાકભાજી તેમજ ફળફળાદી ઉત્પન્ન થયા. 100 આંખો વાળું રૂપ માતાજીએ ધારણ કર્યું જેને કારણે તેમને શતાક્ષી તરીકે ઓળખવામાં આવે છે. 


કેવું છે માતાજીનું સ્વરૂપ? 

શાકમ્ભરી નીલવર્ણી નીલોત્પલ વિલોચના 

ગમ્ભીર નાભિસ્ત્રવલીવભૂષિતતનૂદરી|

માતાજીના સ્વરૂપની વાત કરીએ તો માતા શાકંભરી કમળમાં નિવાસ કરે છે. તેમનો વર્ણ નીલવર્ણ સમાન છે. વિશાળ શતનેત્રોને કારણે તેમનો વર્ણ નીલવર્ણના લાગે છે.અનેક પ્રકારની શાકભાજી તેમજ ફળફળાદીથી તેઓ ઘેરાયેલા છે. આ ઋતુ દરમિયાન લગભગ દરેક શાકભાજી ઉપલબ્ધ હોય છે. વિવિધ પ્રકારના ફ્રૂટ પણ જોવા મળે છે.  



એક તરફ અમેરિકા અને ઈરાન વચ્ચે જબરદસ્ત તણાવ જબરદસ્ત સ્તરે પહોંચી ગયો છે. અમેરિકાએ ઈરાનના કેશમ આઇલેન્ડ પર હુમલો કરી દીધો છે તો બીજી તરફ , ઈરાને કુવૈત પર મિસાઇલો દાગી છે. હવે , કુવૈતમાં ઈરાનના હુમલામાં ૧ વ્યક્તિએ જીવ પણ ગુમાવ્યો છે. પશ્ચિમ એશિયા ફરી એકવાર ભીષણ યુદ્ધની ધરી પર પહોંચી ગયું છે.

જામનગરમાં ભાજપના કોર્પોરેટરના પુત્રની એક દારૂ કૌભાંડમાં ધરપકડ કરવામાં આવી છે. કુલ ૧૯ ગંભીર ગુનાઓ જેની પર લાગેલા છે તેવો રીઢો આરોપી હિતેશ ઉર્ફે વાંગો નરશીભાઇ બાંભણીયા ને ચોટીલાની લાલા રઘુવંશી હોટલ નજીક થી ઝડપી પાડવામાં આવ્યો છે. જેનાથી જામનગરમાં ફરી એકવાર રાજકીય માહોલ ગરમાઈ ગયો છે. આ વાન્ગો બામભણીયા હત્યા અને મારામારીના કેસમાં સંડોવણી ધરાવે છે. વાન્ગો બામભણીયાના માતા મંજુબેન બામભણીયા જામનગર શહેરમાં વોર્ડ નંબર ૧૦માંથી ભાજપમાંથી કોર્પોરેટર છે.

શિસ્ત માટે જાણીતા રાજકોટ રેન્જના IG નિર્લિપ્ત રાય દ્વારા આજે રાજકોટ જિલ્લાના પડધરીમાં એક ખુબ કડક કાર્યવાહી કરવામાં આવી છે. જેમાં , પડધરીના કેસમાં તાત્કાલિક ધોરણે ૨ PI , PSI અને ASIને સસ્પેન્ડ કરી નાખવામાં આવ્યા છે. પડધરીમાં દુષ્કર્મના કેસમાં આરોપીઓ બે વર્ષથી વધારે સમય માટે ફરાર હતા. ૨ વર્ષ જેટલો લામ્બો સમય થયો હોવા છતાં આરોપીઓને પકડવામાં પોલીસની ઘોર બેદરકારી સામે આવી હતી. આ કારણે , રેન્જ IG નિર્લિપ્ત રાય દ્વારા પોલીસ કર્મીઓને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે.

ગીરસોમનાથ જિલ્લામાં કાયદો વ્યવસ્થા પર પ્રશ્નો ઉભા કરતી એક ગંભીર ઘટના સામે આવી છે. જેમાં , જિલ્લાના વેરાવળ શહેરમાં ધોળા દિવસે ફાયરિંગ કરવામાં આવ્યું છે. વેરાવળના સોમનાથ ટોકીઝ વિસ્તારમાં અજાણ્યા શખ્સો દ્વારા તુરક સમાજના પ્રમુખ જાવીદ તાજવાની પર અંધાધૂંધ ફાયરિંગ કરવામાં આવ્યું છે. આ ઘાતક હુમલામાં જાવીદ તાજવાનીને માથાના ભાગે ઇજા થતા તેઓ ઢળી પડ્યા હતા. ત્યારબાદ , ગીર સોમનાથના SP જયદીપસિંહ જાડેજા ઘટનાસ્થળે દોડી ગયા હતા.