ગુજરાતમાં ચૂંટણી પહેલા રૂ.114.5 કરોડના ઈલેક્ટોરલ બોન્ડ ખરીદાયા, આ ઈલેક્ટોરલ બોન્ડ શું છે?


  • Published By :
  • Published Date : 2022-11-20 16:42:01

એસોસિયેશન ફોર ડેમોક્રેટિક રિફોર્મ્સ (ADR) એ જાહેર કરેલા ડેટા અનુસાર ગુજરાત વિધાનસભાની ચૂંટણીના પગલે રૂ. 114.5 કરોડના ઈલેક્ટોરલ બોન્ડ ખરીદવામાં આવ્યા હતા. તે જાન્યુઆરી 2018 થી રાજ્યમાં ખરીદાયેલા બોન્ડના 33 ટકા હિસ્સો ધરાવે છે, જ્યારે "દેશમાં રાજકીય ફંડિગની સિસ્ટમને સાફ કરવા" માટે ઈલેક્સન બોન્ડ સ્કીમ સૌપ્રથમ વખત શરૂ કરવામાં આવી હતી.


કોઈ પણ પક્ષે બોન્ડ રિડીમ ન કર્યા 


જો કે,  ADRના રિપોર્ટ અનુસાર ગુજરાતમાં હજુ સુધી કોઈ પણ રાજકીય પક્ષ દ્વારા કોઈ પણ બોન્ડને રિડીમ કે રોકડ કરવામાં આવ્યા નથી. આનો સીધો અર્થ એ છે કે બોન્ડ્સ અલગ જગ્યાએ રોકડ કરવામાં આવે છે અને રાજકીય પક્ષોના રાજ્ય એકમોને આનો લાભ મળ્યો નથી. ચૂંટણી પ્રચાર માટે ભંડોળના એક સાધન તરીકે ચૂંટણી બોન્ડનો મોટાભાગે ઉપયોગ થાય છે.


ADRના  ડેટા મુજબ જાન્યુઆરીમાં સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા (SBI)ની ગાંધીનગર શાખામાંથી રૂ. 33 કરોડના 132 ઈલેક્ટોરલ બોન્ડ ખરીદવામાં આવ્યા હતા. ખરીદવામાં આવેલા 110 બોન્ડ્સ પૈકીના પ્રત્યેકની કિંમત 10 લાખ રૂપિયા અને 1 કરોડ રૂપિયાના 22 બોન્ડ્સનો સમાવેશ થાય છે ઓક્ટોબરમાં, રૂ. 81.5 કરોડના વધારાના 86 બોન્ડ્સ - રૂ. 1 લાખના મૂલ્યના પાંચ બોન્ડ અને અનુક્રમે રૂ. 1 કરોડના મૂલ્યના 81 બોન્ડ ખરીદવામાં આવ્યા હતા.


ADRનો રિપોર્ટ દર્શાવે છે કે જાન્યુઆરી 2018 થી ઑક્ટોબર 2022 સુધીમાં આ યોજના માટે રાજ્યની એકમાત્ર સત્તાવાર બેંક શાખા ગાંધીનગર એસબીઆઈમાં કુલ રૂ. 343 કરોડના બોન્ડ ખરીદવામાં આવ્યા છે. આ સમયગાળામાં ખરીદાયેલા કુલ 595 બોન્ડમાંથી 280 દરેકની કિંમત 10 લાખ રૂપિયા છે અને 315ની કિંમત 1 કરોડ રૂપિયા છે. ADRના ડેટા મુજબ, ઈલેક્ટોરલ બોન્ડની ખરીદીના મામલે મુંબઈ, કોલકાતા, હૈદરાબાદ, નવી દિલ્હી, ચેન્નાઈ અને ભુવનેશ્વર પછી ગાંધીનગર દેશમાં સાતમા ક્રમે છે.


બોન્ડ્સના ખરીદારો અંગે ભારે ગુપ્તતા 


ગુજરાતમાં કોણે ચૂંટણી બોન્ડ્સ કોણે ખરીદ્યા તે અંગે ભારે ગુપ્તતા રાખવામાં આવે છે. આ તમામ બોન્ડના ખરીદદારોના નામ ગુપ્ત રાખવામાં આવ્યા છે. ફક્ત અધિકૃત બેંકના એસબીઆઈ મેનેજર બોન્ડ ખરીદારોની ઓળખ જાણે છે. જો કે, બોન્ડની ખરીદીના અંગે અનુમાન કરી શકાય કે રૂ. 1,000 થી રૂ. 10 લાખની વચ્ચેના ઓછા મૂલ્યના બોન્ડ સામાન્ય રીતે વ્યક્તિઓ દ્વારા ખરીદવામાં આવે છે, જ્યારે રૂ. 1 કરોડની કિંમતના બોન્ડ ઉદ્યોગપતિઓ અથવા કોર્પોરેટ ગૃહો દ્વારા ખરીદવામાં આવે છે.


મોદી સરકારે બોન્ડ ખરીદીની મુદ્દત વધારી


કેન્દ્રીય નાણા મંત્રાલય દ્વારા 2018માં જારી કરાયેલ અગાઉની સૂચના મુજબ, બોન્ડ જાન્યુઆરી, એપ્રિલ, જુલાઈ અને ઓક્ટોબરમાં 10 દિવસ માટે ખરીદી શકાય છે. 8 નવેમ્બરના રોજ, મંત્રાલયે ચૂંટણી વર્ષમાં ઈલેક્ટોરલ બોન્ડના વેચાણ માટે વધારાના 15 દિવસની છૂટ આપવા માટે ઈલેક્ટોરલ બોન્ડ સ્કીમ 2018માં સુધારાની સૂચના આપી હતી.


પરંતુ નવેમ્બરના પહેલા અઠવાડિયામાં સરકારે ચૂંટણી દરમિયાન તારીખ વધારવા માટે સુધારો કર્યો. આ વર્ષે ઈલેક્ટોરલ બોન્ડ ખરીદવાનો છેલ્લો તબક્કો 31 ઓક્ટોબરે પૂરો થયો હતો, જ્યારે નવેમ્બરમાં 9 અને 15 વચ્ચે નવો તબક્કો શરૂ થયો છે. જો કે આ અંગે ADR સાથે જોડાયેલા  કોમોડોર લોકેશ બત્રાએ ચૂંટણી પંચને પત્ર લખ્યો છે કે સરકારના સુધારામાં "મોડેલ કોડ ઓફ આચારસંહિતા (MCC)નું ઉલ્લંઘન થાય છે. બોન્ડના વેચાણનો આ 23મો તબક્કો છે. તે 12 નવેમ્બરે હિમાચલ પ્રદેશની વિધાનસભાની ચૂંટણી સાથે એકરુપ છે. 


ઈલેક્ટોરલ બોન્ડ શું છે?


ઈલેક્ટોરલ બોન્ડ એ પ્રોમિસરી નોટ અથવા બેરર બોન્ડની પ્રકૃતિનું એક મની ઇન્સ્ટ્રુમેન્ટ્સ છે જે કોઈપણ વ્યક્તિ, કંપની, પેઢી અથવા વ્યક્તિઓના સંગઠન દ્વારા ખરીદી શકાય છે, જો કે તે વ્યક્તિ ભારતનો નાગરિક અને જે-તે સંસ્થા ભારતમાં સ્થપાયેલી હોવી જરૂરી છે.


ઈલેક્ટોરલ બોન્ડ એટલે એક એવો બોન્ડ જેના પર એક ચલણી નોટની જેમ તેની વેલ્યૂ અથવા મૂલ્ય લખેલું હોય છે. આ બોન્ડનો ઉપયોગ વ્યક્તિઓ, કંપની – સંસ્થા અને સંસ્થાઓ વતી રાજકીય પક્ષોને દાન આપવા માટે થઈ શકે છે. સૌ પ્રથમવાર ઈલેક્ટોરલ બોન્ડનું વેચાણ 1 થી 10 માર્ચ 2018 દરમિયાન થયું હતું.


ફાઈનાન્સ એક્ટ 2017 હેઠળ ચૂંટણી બોન્ડ રજૂ કરવામાં આવ્યા હતા. જેમાં આરબીઆઈ એક્ટ, ઈન્કમ ટેક્સ એક્ટ અને રિપ્રેઝન્ટેશન ઓફ ધ પીપલ એક્ટમાં સુધારો કરીને આવા બોન્ડ રજૂ કરવામાં આવ્યા હતા. બીજા શબ્દો કહીયે તો ઇલેક્ટ્રોલ બોન્ડ એ રાજકીય પક્ષો માટે નાણાંકીય ભંડોળ ઉભું કરવાનું એક માધ્યમ છે.


ગુજરાતમાં SBIની બ્રાંચ  ઈલેક્ટોરલ બોન્ડનું વેચાણ 


ગુજરાત માટે ગાંધીનગર સેક્ટર-10માં આવેલી એસબીઆઇની ઝોનલ કચેરીથી ઇલેક્ટ્રોલ બોન્ડનું વેચાણ કરાય છે. એક આરટીઆઇની માહિતી અનુસાર ગુજરાતમાં પાછલા નાણાંકીય વર્ષે 114.5 કરોડ રૂપિયાના ઇલેક્ટ્રોલ બોન્ડ વેચાયા હતા. આ સાથે છેલ્લા પાંચ વર્ષમાં કુલ 343 કરોડ રૂપિયાના ઈલેક્ટોરલ બોન્ડ વેચવામાં આવ્યા છે.



રાજકોટના જંગલેશ્વર ખાતે આજે ડિમોલિશન પૂર્ણ થયું છે. મહાનગરપાલિકા અને પોલીસ તંત્રના સંયુક્ત ઉપક્રમે જે કામગીરી ચાલી રહી હતી , તેમાં કુલ ૧૫૦૯ જેટલા મકાનોને જમીનદોસ્ત કરી દેવામાં આવ્યા છે. જંગલેશ્વરની જે શેરીઓ થોડાક સમય અગાઉ લોકોથી ધમધમતી હતી તે શેરીઓની જગ્યાએ હવે કાટમાળના ઢગલા અને વેરાન મેદાન જોવા મળી રહ્યા છે. આ ડિમોલિશન કામગીરી દરમ્યાન RMCના ૧ કર્મચારીનો જીવ માંડમાંડ બચ્યો હતો.

ગીર સોમનાથ જિલ્લામાં SP જયદીપસિંહ જાડેજા દ્વારા જિલ્લામાં અસામાજિક તત્વોને નિયંત્રણમાં લેવા હવે આઠ આરોપીઓની સામે ગુજસીટોકનું શાસ્ત્ર ઉગામવામાં આવ્યું છે. જેના કારણે , ગીર સોમનાથના અસામાજિક તત્વોમાં ભારે ફફડાટનો માહોલ છે. આ આઠ આરોપીઓની સામે પ્રોહિબિશન સહીત અનેક ગુનાઓ નોંધાયેલા છે , હવે આ ઈસમોની સામે , વેરાવળ સીટી પોલીસ સ્ટેશન ખાતે GUJSITOKની વિવિધ કલમ અંતર્ગત ગુનો નોંધવામાં આવ્યો છે.

દિલ્હીની AI ઈમ્પૅક્ટ સમિટમાં ઉદ્યોગપતિ મુકેશ અંબાણી દ્વારા સંબોધન કરવામાં આવ્યું છે. મુકેશ અંબાણીએ AIના હકારાત્મક ઉપયોગ પર ભાર મુકવામાં આવ્યો છે. તેમણે કહ્યું છે કે , " AI નોકરીઓ નઈ ખાય. એટલુંજ નહિ AI ખુબ મોટાપાયે તક ઉભી કરશે."

સોશ્યિલ મીડિયા ઇન્ફુએન્સર કીર્તિ પટેલ પર આજે બીજી ફરિયાદ દાખલ કરવામાં આવી છે. જૂનાગઢના મહાશિવરાત્રીના મેળામાં મૃગુ કુંડમાં ડૂબકી લગાવવા પર કીર્તિ પટેલ વિવાદોમાં આવ્યા હતા. આ બાબતે સાધુ સંતોમાં ભારે નારાજગી જોવા મળી હતી. ત્યારે હવે કીર્તિ પટેલ વિરૂદ્ધ ભવનાથ પોલીસ સ્ટેશનમાં વધુ એક ફરિયાદ નોંધાઈ છે. આ ફરિયાદ મહંત બજરંગદાસ બાપુ દ્વારા નોંધાવવામાં આવી છે. જૂનાગઢના ભવનાથ ખાતે દર વર્ષે , મહાશિવરાત્રીના પર્વ નિમિતે, લાખો શ્રદ્ધાળુઓ ઉમટી પડે છે. આ વર્ષે , ભવનાથના મેળામાં સોશ્યિલ મીડિયા ઇન્ફુએન્સર કીર્તિ પટેલને લઇને વિવાદ થયો છે. મૃગી કુંડમાં સ્નાન કરવા બદલ સાધુ સંતોમાં ભારે નારાજગી જોવા મળી છે. તે જ સમયે PI સાથે મૃગીકુંડમાં કીર્તિ પટેલને ઘર્ષણ પણ થયું હતું. આ પછી , ભવનાથ પોલીસ સ્ટેશનમાં મહિલા PI કે જે મોડ દ્વારા કીર્તિ પટેલની વિરુદ્ધમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. પોલીસની કામગીરીમાં અવરોધ ઉભો કરવાનો આરોપ , PIને જાનથી મારી નાખવાની ધમકી , શાંતિ ડહોળવાનો પ્રયાસની કલમ એડ કરવામાં આવી છે. હવે આજે , બીજી ફરિયાદ સાધુ-સંત દ્વારા કરવામાં આવી છે. આ ફરિયાદ સાધુ સંતોની લાગણી દુભાવવા પર અને તેમને બદનામ કરવા બદલ ભવનાથ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. પ્રભાસ પાટણ નિરાલી ખોડિયાર આશ્રમના મહંત બજરંગદાસ બાપુએ કીર્તિ પટેલન સામે પોલીસ ફરિયાદ નોંધાવી છે. પોલીસ ફરિયાદ નોંધાતા પોલીસે કીર્તિને પકડવા માટે ચક્રો ગતિમાન કર્યા છે. અલગ અલગ ટીમો બનાવીને તપાસ હાથ ધરાઈ છે.