પાલ આંબલિયાની વિરોધી રંગોળી બની ચર્ચાનું કેન્દ્ર


  • Published By :
  • Published Date : 2022-10-24 17:32:15



ખેડૂત આગેવાન પાલ આંબલિયા હંમેશા પોતાના ખેડૂતો માટેના મુદ્દાઓ સાથેના વિરોધના કારણે ચર્ચામાં રહેતા હોય છે. ત્યારે ફરીવાર દિપાવલીના પર્વ પર તેમણે રંગોળી બનાવી ગુજરાત સરકારનો વિરોધ કર્યો હતો. 


ખેડૂતોના મુદ્દાના ભારા લઈ ગાડું હાલ્યું

ખેડૂત આગેવાન પાલ આંબલિયાએ દેવભૂમિ દ્વારકા જિલ્લાના ખંભાળિયા તાલુકાના હંજડાપર ગામે પોતાના ઘરે રંગોળી બનાવી સરકાર સામે વિરોધ દર્શાવ્યો હતો. આ રંગોળીમાં તેમણે ખેડૂતોના 8 મુદ્દાઓને દેખાડ્યા છે. રંગોળીની અંદર ગાડાંમાં ખેડૂત પોતાના આઠ મુદ્દાઓ સાથે ગાંધીનગર જતો હોય તેવું દેખાડવામાં આવ્યું છે. 


પાલ આંબલિયાએ ખેડૂતો માટે  શું છે ખેડૂતો  આઠ મુદ્દા?

1) ચાલુ વર્ષે 120થી 291 ટકા સુધી પડેલા વરસાદ વાળા તાલુકાઓમાં લીલો દુષ્કાળ જાહેર કરવા માગ 

2) પાક નુકસાનીનું વળતર તાત્કાલિક ચૂકવવા માગ

3) પાક વીમામાં થયેલા કૌભાંડોમાં તટસ્થ તપાસ કરી ખેડૂતોને પાક વિમો ચૂકવો

4) વર્ષ 2020-21 અને 2021-22માં મુખ્યમંત્રી કિસાન સહાય યોજના મુજબનું વળતર ચૂકવો

5) વર્ષ 2019-20નું 12 લાખ ખેડૂતોએ ભરેલ 430 લાખનું પાકવીમા પ્રિમિયમ પરત આપવા માગ

6) વર્ષ 2019નો 8 તાલુકાઓનો મંજૂર થયેલો 25% પાકવિમો તાત્કાલિક ચૂકવવા માગ 


પાલ આંબલિયાને રંગોળી દોરવાનો વિચાર કેમ આવ્યો?

છેલ્લા ઘણા સમયથી પાલ આંબલિયા ખેડૂતોની માગણીઓ માટે આંદોલન ચલાવી રહ્યા છે. તેમણે જણાવ્યું હતું કે ગાંધીજીને જેમ અનોખી રીતે પોતાની માગ બ્રિટિશ સરકાર સામે રાખવા દાંડી કૂચ કરવાનો વિચાર આવ્યો હતો. આ વિચાર એકદમ અલગ હતો. ઠીક મને પણ મારી માગો માટે રંગોળી કરી સરકાર સામે રોષ વ્યક્ત કરવાનો અને પોતાની માગણી મૂકવાનો વિચાર આવ્યો હતો અને મેં રંગોળી બનાવી સરકાર સામે પોતાની માગણીઓ રાખી હતી. 


પાલ આંબલિયાનું માનવું હતું કે આનાથી સરકારની આંખ ખુલે અને ખેડૂતોના મહત્વના પ્રશ્નો મામલે સરકાર સકારાત્મ અભિગમ દાખવે જેથી ખેડૂતોના પ્રશ્નોને વાચા મળે. જો સરકાર ખેડૂતોના પ્રશ્નોને વાચા આપશે તો ખેડૂતોનો દિવાળી પછીનો સમય સારો રહેશે. આથી ગુજરાત કિસાન કોંગ્રેસના પાલ આંબલિયાએ પોતાના ઘરે રંગોળી બનાવી પ્રતિકાત્મક વિરોધ નોંધાવ્યો હતો. 



રાજકોટના જંગલેશ્વર ખાતે આજે ડિમોલિશન પૂર્ણ થયું છે. મહાનગરપાલિકા અને પોલીસ તંત્રના સંયુક્ત ઉપક્રમે જે કામગીરી ચાલી રહી હતી , તેમાં કુલ ૧૫૦૯ જેટલા મકાનોને જમીનદોસ્ત કરી દેવામાં આવ્યા છે. જંગલેશ્વરની જે શેરીઓ થોડાક સમય અગાઉ લોકોથી ધમધમતી હતી તે શેરીઓની જગ્યાએ હવે કાટમાળના ઢગલા અને વેરાન મેદાન જોવા મળી રહ્યા છે. આ ડિમોલિશન કામગીરી દરમ્યાન RMCના ૧ કર્મચારીનો જીવ માંડમાંડ બચ્યો હતો.

ગીર સોમનાથ જિલ્લામાં SP જયદીપસિંહ જાડેજા દ્વારા જિલ્લામાં અસામાજિક તત્વોને નિયંત્રણમાં લેવા હવે આઠ આરોપીઓની સામે ગુજસીટોકનું શાસ્ત્ર ઉગામવામાં આવ્યું છે. જેના કારણે , ગીર સોમનાથના અસામાજિક તત્વોમાં ભારે ફફડાટનો માહોલ છે. આ આઠ આરોપીઓની સામે પ્રોહિબિશન સહીત અનેક ગુનાઓ નોંધાયેલા છે , હવે આ ઈસમોની સામે , વેરાવળ સીટી પોલીસ સ્ટેશન ખાતે GUJSITOKની વિવિધ કલમ અંતર્ગત ગુનો નોંધવામાં આવ્યો છે.

દિલ્હીની AI ઈમ્પૅક્ટ સમિટમાં ઉદ્યોગપતિ મુકેશ અંબાણી દ્વારા સંબોધન કરવામાં આવ્યું છે. મુકેશ અંબાણીએ AIના હકારાત્મક ઉપયોગ પર ભાર મુકવામાં આવ્યો છે. તેમણે કહ્યું છે કે , " AI નોકરીઓ નઈ ખાય. એટલુંજ નહિ AI ખુબ મોટાપાયે તક ઉભી કરશે."

સોશ્યિલ મીડિયા ઇન્ફુએન્સર કીર્તિ પટેલ પર આજે બીજી ફરિયાદ દાખલ કરવામાં આવી છે. જૂનાગઢના મહાશિવરાત્રીના મેળામાં મૃગુ કુંડમાં ડૂબકી લગાવવા પર કીર્તિ પટેલ વિવાદોમાં આવ્યા હતા. આ બાબતે સાધુ સંતોમાં ભારે નારાજગી જોવા મળી હતી. ત્યારે હવે કીર્તિ પટેલ વિરૂદ્ધ ભવનાથ પોલીસ સ્ટેશનમાં વધુ એક ફરિયાદ નોંધાઈ છે. આ ફરિયાદ મહંત બજરંગદાસ બાપુ દ્વારા નોંધાવવામાં આવી છે. જૂનાગઢના ભવનાથ ખાતે દર વર્ષે , મહાશિવરાત્રીના પર્વ નિમિતે, લાખો શ્રદ્ધાળુઓ ઉમટી પડે છે. આ વર્ષે , ભવનાથના મેળામાં સોશ્યિલ મીડિયા ઇન્ફુએન્સર કીર્તિ પટેલને લઇને વિવાદ થયો છે. મૃગી કુંડમાં સ્નાન કરવા બદલ સાધુ સંતોમાં ભારે નારાજગી જોવા મળી છે. તે જ સમયે PI સાથે મૃગીકુંડમાં કીર્તિ પટેલને ઘર્ષણ પણ થયું હતું. આ પછી , ભવનાથ પોલીસ સ્ટેશનમાં મહિલા PI કે જે મોડ દ્વારા કીર્તિ પટેલની વિરુદ્ધમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. પોલીસની કામગીરીમાં અવરોધ ઉભો કરવાનો આરોપ , PIને જાનથી મારી નાખવાની ધમકી , શાંતિ ડહોળવાનો પ્રયાસની કલમ એડ કરવામાં આવી છે. હવે આજે , બીજી ફરિયાદ સાધુ-સંત દ્વારા કરવામાં આવી છે. આ ફરિયાદ સાધુ સંતોની લાગણી દુભાવવા પર અને તેમને બદનામ કરવા બદલ ભવનાથ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. પ્રભાસ પાટણ નિરાલી ખોડિયાર આશ્રમના મહંત બજરંગદાસ બાપુએ કીર્તિ પટેલન સામે પોલીસ ફરિયાદ નોંધાવી છે. પોલીસ ફરિયાદ નોંધાતા પોલીસે કીર્તિને પકડવા માટે ચક્રો ગતિમાન કર્યા છે. અલગ અલગ ટીમો બનાવીને તપાસ હાથ ધરાઈ છે.