પાલ આંબલિયાની વિરોધી રંગોળી બની ચર્ચાનું કેન્દ્ર


  • Published By :
  • Published Date : 2022-10-24 17:32:15



ખેડૂત આગેવાન પાલ આંબલિયા હંમેશા પોતાના ખેડૂતો માટેના મુદ્દાઓ સાથેના વિરોધના કારણે ચર્ચામાં રહેતા હોય છે. ત્યારે ફરીવાર દિપાવલીના પર્વ પર તેમણે રંગોળી બનાવી ગુજરાત સરકારનો વિરોધ કર્યો હતો. 


ખેડૂતોના મુદ્દાના ભારા લઈ ગાડું હાલ્યું

ખેડૂત આગેવાન પાલ આંબલિયાએ દેવભૂમિ દ્વારકા જિલ્લાના ખંભાળિયા તાલુકાના હંજડાપર ગામે પોતાના ઘરે રંગોળી બનાવી સરકાર સામે વિરોધ દર્શાવ્યો હતો. આ રંગોળીમાં તેમણે ખેડૂતોના 8 મુદ્દાઓને દેખાડ્યા છે. રંગોળીની અંદર ગાડાંમાં ખેડૂત પોતાના આઠ મુદ્દાઓ સાથે ગાંધીનગર જતો હોય તેવું દેખાડવામાં આવ્યું છે. 


પાલ આંબલિયાએ ખેડૂતો માટે  શું છે ખેડૂતો  આઠ મુદ્દા?

1) ચાલુ વર્ષે 120થી 291 ટકા સુધી પડેલા વરસાદ વાળા તાલુકાઓમાં લીલો દુષ્કાળ જાહેર કરવા માગ 

2) પાક નુકસાનીનું વળતર તાત્કાલિક ચૂકવવા માગ

3) પાક વીમામાં થયેલા કૌભાંડોમાં તટસ્થ તપાસ કરી ખેડૂતોને પાક વિમો ચૂકવો

4) વર્ષ 2020-21 અને 2021-22માં મુખ્યમંત્રી કિસાન સહાય યોજના મુજબનું વળતર ચૂકવો

5) વર્ષ 2019-20નું 12 લાખ ખેડૂતોએ ભરેલ 430 લાખનું પાકવીમા પ્રિમિયમ પરત આપવા માગ

6) વર્ષ 2019નો 8 તાલુકાઓનો મંજૂર થયેલો 25% પાકવિમો તાત્કાલિક ચૂકવવા માગ 


પાલ આંબલિયાને રંગોળી દોરવાનો વિચાર કેમ આવ્યો?

છેલ્લા ઘણા સમયથી પાલ આંબલિયા ખેડૂતોની માગણીઓ માટે આંદોલન ચલાવી રહ્યા છે. તેમણે જણાવ્યું હતું કે ગાંધીજીને જેમ અનોખી રીતે પોતાની માગ બ્રિટિશ સરકાર સામે રાખવા દાંડી કૂચ કરવાનો વિચાર આવ્યો હતો. આ વિચાર એકદમ અલગ હતો. ઠીક મને પણ મારી માગો માટે રંગોળી કરી સરકાર સામે રોષ વ્યક્ત કરવાનો અને પોતાની માગણી મૂકવાનો વિચાર આવ્યો હતો અને મેં રંગોળી બનાવી સરકાર સામે પોતાની માગણીઓ રાખી હતી. 


પાલ આંબલિયાનું માનવું હતું કે આનાથી સરકારની આંખ ખુલે અને ખેડૂતોના મહત્વના પ્રશ્નો મામલે સરકાર સકારાત્મ અભિગમ દાખવે જેથી ખેડૂતોના પ્રશ્નોને વાચા મળે. જો સરકાર ખેડૂતોના પ્રશ્નોને વાચા આપશે તો ખેડૂતોનો દિવાળી પછીનો સમય સારો રહેશે. આથી ગુજરાત કિસાન કોંગ્રેસના પાલ આંબલિયાએ પોતાના ઘરે રંગોળી બનાવી પ્રતિકાત્મક વિરોધ નોંધાવ્યો હતો. 



ગીરસોમનાથ જિલ્લામાં કાયદો વ્યવસ્થા પર પ્રશ્નો ઉભા કરતી એક ગંભીર ઘટના સામે આવી છે. જેમાં , જિલ્લાના વેરાવળ શહેરમાં ધોળા દિવસે ફાયરિંગ કરવામાં આવ્યું છે. વેરાવળના સોમનાથ ટોકીઝ વિસ્તારમાં અજાણ્યા શખ્સો દ્વારા તુરક સમાજના પ્રમુખ જાવીદ તાજવાની પર અંધાધૂંધ ફાયરિંગ કરવામાં આવ્યું છે. આ ઘાતક હુમલામાં જાવીદ તાજવાનીને માથાના ભાગે ઇજા થતા તેઓ ઢળી પડ્યા હતા. ત્યારબાદ , ગીર સોમનાથના SP જયદીપસિંહ જાડેજા ઘટનાસ્થળે દોડી ગયા હતા.

મોરબીમાં ભારતીય જનતા પાર્ટીમાં જૂથવાદ ચૂંટણી પછી સપાટી પર આવી ગયો છે. ભારતીય જનતા પાર્ટીની પાર્લિયામેંટ્રી બોર્ડની મિટિંગમાં મોરબી મહાનગરપાલિકાના મેયર અને જિલ્લાના અન્ય હોદ્દેદારોને લઇને કાંતિ અમૃતિયા અને મોહન કુંડારીયા આમનેસામને આવી ગયા છે. ત્યારબાદ મોરબી મેયરના નામ પર હાલ ચર્ચા મોકૂફ રાખવામાં આવી છે.

ગુજરાતમાં જયારે જયારે કોઈ ગંભીર ગુના બને છે. ત્યારે આપણી પોલીસ જાહેરમાં આરોપીઓનો વરઘોડો કાઢીને રિકંસ્ટ્રક્શન હાથ ધરે છે. આ પછી , આ વરઘોડાની રીલો ખુબ વાઇરલ થાય છે. લોકો હજારોની સંખ્યામાં ઘટના સ્થળ પર ઉમટી પડે છે. ત્યારે હવે રાજ્યના ઇન્ચાર્જ પોલીસ વડા ડૉ. કે.એલ.એન. રાવે રાજ્યના તમામ પોલીસ અધિકારીઓને ગુજરાત હાઇકોર્ટનો એક કેસ ટાંકીને ‘કાયદામાં રહેશો તો ફાયદામાં રહેશો’ તેવી લેખિત ચેતવણી આપી છે.

ઈરાન યુદ્ધમાં પાકિસ્તાન દ્વારા ઈરાન અને અમેરિકા વચ્ચે મધ્યસ્થી કરાવવામાં આવી છે. ત્યારે આજે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા CBS દ્વારા દાવો કરવામાં આવ્યો છે કે, પાકિસ્તાને ઈરાનને તેના મિલિટરી એરક્રાફ્ટ છુપાવવા માટે યુદ્ધ દરમ્યાન મદદ કરી હતી. જોકે હવે એક પાકિસ્તાની અધિકારી દ્વારા CBSના અહેવાલને ખોટો ગણાવવામાં આવ્યો છે. બીજી તરફ, અમેરિકામાં પાકિસ્તાનની ઈરાન યુદ્ધમાં મધ્યસ્થીને લઇને પ્રશ્નો ઉભા થયા છે.