પાલ આંબલિયાની વિરોધી રંગોળી બની ચર્ચાનું કેન્દ્ર


  • Published By :
  • Published Date : 2022-10-24 17:32:15



ખેડૂત આગેવાન પાલ આંબલિયા હંમેશા પોતાના ખેડૂતો માટેના મુદ્દાઓ સાથેના વિરોધના કારણે ચર્ચામાં રહેતા હોય છે. ત્યારે ફરીવાર દિપાવલીના પર્વ પર તેમણે રંગોળી બનાવી ગુજરાત સરકારનો વિરોધ કર્યો હતો. 


ખેડૂતોના મુદ્દાના ભારા લઈ ગાડું હાલ્યું

ખેડૂત આગેવાન પાલ આંબલિયાએ દેવભૂમિ દ્વારકા જિલ્લાના ખંભાળિયા તાલુકાના હંજડાપર ગામે પોતાના ઘરે રંગોળી બનાવી સરકાર સામે વિરોધ દર્શાવ્યો હતો. આ રંગોળીમાં તેમણે ખેડૂતોના 8 મુદ્દાઓને દેખાડ્યા છે. રંગોળીની અંદર ગાડાંમાં ખેડૂત પોતાના આઠ મુદ્દાઓ સાથે ગાંધીનગર જતો હોય તેવું દેખાડવામાં આવ્યું છે. 


પાલ આંબલિયાએ ખેડૂતો માટે  શું છે ખેડૂતો  આઠ મુદ્દા?

1) ચાલુ વર્ષે 120થી 291 ટકા સુધી પડેલા વરસાદ વાળા તાલુકાઓમાં લીલો દુષ્કાળ જાહેર કરવા માગ 

2) પાક નુકસાનીનું વળતર તાત્કાલિક ચૂકવવા માગ

3) પાક વીમામાં થયેલા કૌભાંડોમાં તટસ્થ તપાસ કરી ખેડૂતોને પાક વિમો ચૂકવો

4) વર્ષ 2020-21 અને 2021-22માં મુખ્યમંત્રી કિસાન સહાય યોજના મુજબનું વળતર ચૂકવો

5) વર્ષ 2019-20નું 12 લાખ ખેડૂતોએ ભરેલ 430 લાખનું પાકવીમા પ્રિમિયમ પરત આપવા માગ

6) વર્ષ 2019નો 8 તાલુકાઓનો મંજૂર થયેલો 25% પાકવિમો તાત્કાલિક ચૂકવવા માગ 


પાલ આંબલિયાને રંગોળી દોરવાનો વિચાર કેમ આવ્યો?

છેલ્લા ઘણા સમયથી પાલ આંબલિયા ખેડૂતોની માગણીઓ માટે આંદોલન ચલાવી રહ્યા છે. તેમણે જણાવ્યું હતું કે ગાંધીજીને જેમ અનોખી રીતે પોતાની માગ બ્રિટિશ સરકાર સામે રાખવા દાંડી કૂચ કરવાનો વિચાર આવ્યો હતો. આ વિચાર એકદમ અલગ હતો. ઠીક મને પણ મારી માગો માટે રંગોળી કરી સરકાર સામે રોષ વ્યક્ત કરવાનો અને પોતાની માગણી મૂકવાનો વિચાર આવ્યો હતો અને મેં રંગોળી બનાવી સરકાર સામે પોતાની માગણીઓ રાખી હતી. 


પાલ આંબલિયાનું માનવું હતું કે આનાથી સરકારની આંખ ખુલે અને ખેડૂતોના મહત્વના પ્રશ્નો મામલે સરકાર સકારાત્મ અભિગમ દાખવે જેથી ખેડૂતોના પ્રશ્નોને વાચા મળે. જો સરકાર ખેડૂતોના પ્રશ્નોને વાચા આપશે તો ખેડૂતોનો દિવાળી પછીનો સમય સારો રહેશે. આથી ગુજરાત કિસાન કોંગ્રેસના પાલ આંબલિયાએ પોતાના ઘરે રંગોળી બનાવી પ્રતિકાત્મક વિરોધ નોંધાવ્યો હતો. 



પહલગામના આતંકી હુમલા પછી રાજધાની દિલ્હીમાં એક પછી એક મહત્વની બેઠકો મળવાનું ચાલુ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ૭ , લોક કલ્યાણ માર્ગ સ્થિત નિવાસ સ્થાને કેબિનેટ કમિટી ઓન સિક્યોરિટીની મિટિંગ મળી છે. આ પછી કેબિનેટ કમિટી ઓન પોલિટિકલ અફેર્સની મિટિંગ પણ મળી છે.

ભારત સરકારે પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફનું ઓફિસિયલ પ્લેટફોર્મ એક્સનું એકાઉન્ટ સસ્પેન્ડ કરી નાખ્યું છે. પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફએ જે પેહલા નિવેદન આપ્યું હતું તે પણ ખુબ જ ચર્ચામાં રહ્યું હતું. આ પેહલા તેમણે એક ખાનગી ન્યુઝ ચેનલને આપેલા ઇન્ટરવ્યુમાં એ વાતનો સ્વીકાર કરી લીધો છે કે , પાકિસ્તાન છેલ્લા ૩૦ વર્ષથી આતંકીઓને ટ્રેનિંગ આપતું આવ્યું છે. હવે તેમણે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા રીયુટર્સને આપેલા ઇન્ટરવ્યુમાં એક વાતનો સાફ સ્વીકાર કરી લીધો છે કે , ભારત ગમે ત્યારે પાકિસ્તાન પર હુમલો કરી શકે છે.

ભારતના રક્ષામંત્રી રાજનાથ સિંહ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ૭ લોકકલ્યાણ માર્ગ પર મળીને નીકળ્યા છે. આ પેહલા રક્ષામંત્રી રાજનાથ સિંહ ગયિકાલે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ અનિલ ચૌહાણને મળ્યા હતા. સાથે જ તેમણે ભારતની ભવિષ્યની રણનીતિ વિશે ચર્ચા કરી હતી. તો હવે આજે જમ્મુ કાશ્મીર વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું છે. જેમાં બધા જ પક્ષોએ એક જ સૂરમાં આ આતંકવાદી હુમલાનો વિરોધ કર્યો છે.

ગુજરાત સરકાર, ગુજરાત ઈન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ કોર્પોરેશન અને મુંબઈ સ્થિત અમેરિકન કોન્સ્યુલેટના સંયુક્ત ઉપક્રમે અમદાવાદમાં ૨૫ એપ્રિલે યોજાઈ સેમિકન્ડક્ટર કોન્ફરન્સ, જેમાં ઉદ્યોગના નિષ્ણાંતો હિસ્સો બન્યા અને સેમિકન્ડક્ટર રાઉન્ડ ટેબલમાં વિવિધ વિષયોની ચર્ચા કરાઈ, આ કાર્યક્રમમાં ઈન્ડો અમેરિકન ચેમ્બર ઓફ કોમર્સ પણ હિસ્સો બન્યું હતુ.