પાલ આંબલિયાની વિરોધી રંગોળી બની ચર્ચાનું કેન્દ્ર


  • Published By :
  • Published Date : 2022-10-24 17:32:15



ખેડૂત આગેવાન પાલ આંબલિયા હંમેશા પોતાના ખેડૂતો માટેના મુદ્દાઓ સાથેના વિરોધના કારણે ચર્ચામાં રહેતા હોય છે. ત્યારે ફરીવાર દિપાવલીના પર્વ પર તેમણે રંગોળી બનાવી ગુજરાત સરકારનો વિરોધ કર્યો હતો. 


ખેડૂતોના મુદ્દાના ભારા લઈ ગાડું હાલ્યું

ખેડૂત આગેવાન પાલ આંબલિયાએ દેવભૂમિ દ્વારકા જિલ્લાના ખંભાળિયા તાલુકાના હંજડાપર ગામે પોતાના ઘરે રંગોળી બનાવી સરકાર સામે વિરોધ દર્શાવ્યો હતો. આ રંગોળીમાં તેમણે ખેડૂતોના 8 મુદ્દાઓને દેખાડ્યા છે. રંગોળીની અંદર ગાડાંમાં ખેડૂત પોતાના આઠ મુદ્દાઓ સાથે ગાંધીનગર જતો હોય તેવું દેખાડવામાં આવ્યું છે. 


પાલ આંબલિયાએ ખેડૂતો માટે  શું છે ખેડૂતો  આઠ મુદ્દા?

1) ચાલુ વર્ષે 120થી 291 ટકા સુધી પડેલા વરસાદ વાળા તાલુકાઓમાં લીલો દુષ્કાળ જાહેર કરવા માગ 

2) પાક નુકસાનીનું વળતર તાત્કાલિક ચૂકવવા માગ

3) પાક વીમામાં થયેલા કૌભાંડોમાં તટસ્થ તપાસ કરી ખેડૂતોને પાક વિમો ચૂકવો

4) વર્ષ 2020-21 અને 2021-22માં મુખ્યમંત્રી કિસાન સહાય યોજના મુજબનું વળતર ચૂકવો

5) વર્ષ 2019-20નું 12 લાખ ખેડૂતોએ ભરેલ 430 લાખનું પાકવીમા પ્રિમિયમ પરત આપવા માગ

6) વર્ષ 2019નો 8 તાલુકાઓનો મંજૂર થયેલો 25% પાકવિમો તાત્કાલિક ચૂકવવા માગ 


પાલ આંબલિયાને રંગોળી દોરવાનો વિચાર કેમ આવ્યો?

છેલ્લા ઘણા સમયથી પાલ આંબલિયા ખેડૂતોની માગણીઓ માટે આંદોલન ચલાવી રહ્યા છે. તેમણે જણાવ્યું હતું કે ગાંધીજીને જેમ અનોખી રીતે પોતાની માગ બ્રિટિશ સરકાર સામે રાખવા દાંડી કૂચ કરવાનો વિચાર આવ્યો હતો. આ વિચાર એકદમ અલગ હતો. ઠીક મને પણ મારી માગો માટે રંગોળી કરી સરકાર સામે રોષ વ્યક્ત કરવાનો અને પોતાની માગણી મૂકવાનો વિચાર આવ્યો હતો અને મેં રંગોળી બનાવી સરકાર સામે પોતાની માગણીઓ રાખી હતી. 


પાલ આંબલિયાનું માનવું હતું કે આનાથી સરકારની આંખ ખુલે અને ખેડૂતોના મહત્વના પ્રશ્નો મામલે સરકાર સકારાત્મ અભિગમ દાખવે જેથી ખેડૂતોના પ્રશ્નોને વાચા મળે. જો સરકાર ખેડૂતોના પ્રશ્નોને વાચા આપશે તો ખેડૂતોનો દિવાળી પછીનો સમય સારો રહેશે. આથી ગુજરાત કિસાન કોંગ્રેસના પાલ આંબલિયાએ પોતાના ઘરે રંગોળી બનાવી પ્રતિકાત્મક વિરોધ નોંધાવ્યો હતો. 



જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.

આંતરરાષ્ટ્રીય સંબંધોમાં USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર ચર્ચાઓમાં છે તેમણે ફરી એકવાર , ભારતને લઇને નિવેદનબાજીઓ કરી છે. ડોનાલ્ડ ટ્રમ્પને અપેક્ષા છે કે , ભારત આ વર્ષના અંતથી રશિયન ક્રૂડની આયાત કરવાનું બંધ કરી દેશે. આ ઉપરાંત ડોનાલ્ડ ટ્રમ્પએ ચીન વિશે નિવેદન આપતા કહ્યું છે કે , બાઈડેન અને ઓબામાની નીતિઓના કારણે ચીન અને રશિયા એક થયા છે. બાકી બંને મિત્ર રહી શકે તેમ છે જ નહીં. ચીનના રશિયા સાથેના સંબંધો અલગ પ્રકારના છે.

રાજકોટના ગોંડલના ખુબ ચર્ચિત રાજકુમાર જાટ કેસમાં આ આખા કેસની તપાસ હવે સુરેન્દ્રનગરના SP , IPS પ્રેમસુખ ડેલુંને સોંપાઈ છે. જે ડી પુરોહિત કે જેઓ ધ્રાંગધ્રાના DYSP છે એ તેમને આ કેસની તપાસમાં મદદ કરશે. આમ હવે રાજકુમાર જાટ કેસમાં તપાસ માટે એક નવી તપાસ ટીમ બનાવવામાં આવશે. રાજકુમાર જાટના પરિવારજનોનું માનવું છે કે , સ્થાનિક પોલીસ પૂર્વ MLA જયરાજસિંહને બચાવી રહી છે. આ કેસની વધુ તપાસ CBIને સોંપવામાં આવે તેવી અરજી પણ તેમના દ્વારા દાખલ કરવામાં આવી હતી. ગુજરાત હાઇકોર્ટ દ્વારા આ કેસને લઇને મહત્વના નિર્દેશ આપવામાં આવ્યા છે.

રાજકોટના ખુબ ચર્ચિત કેસ અમિત ખૂંટ કેસમાં અનિરુદ્ધસિંહ જાડેજાના દીકરા રાજદીપસિંહ જાડેજાના આગોતરા જામીન હવે સુપ્રીમ કોર્ટે ફગાવી દીધા છે. સુપ્રીમ કોર્ટે દ્વારા રાજદીપ સિંહ જાડેજાના આગોતરા જામીન ના મંજુર કરવાંમાં આવ્યા છે. જેનાથી હવે રાજદીપ જાડેજાની મુશ્કેલીઓમાં વધારો થઇ શકે છે. આપને જણાવી દયિકે , રાજદીપસિંહ જાડેજાના પિતા અનિરુદ્ધસિંહ જાડેજા હાલમાં EX MLA પોપટલાલ સોરઠીયા કેસમાં સજામાફી રદ થવાના કારણે જેલમાં જ છે.