GCCI - NZBCCI વચ્ચે પ્રથમ MoU પર થયા હસ્તાક્ષર, સુધાંશુ મહેતા બન્યા NZBCCI ભારત ચેપ્ટરના ચેરમેન


  • Published By :
  • Published Date : 2024-09-21 17:53:45

કોઈ પણ દેશની પ્રગતિ તેના વેપાર સાથે સંકળાયેલી હોય છે.. બીજા દેશો સાથે કરવામાં આવતો વેપાર તે દેશ માટે ઉન્નતિના દ્વાર ખોલે છે.. અનેક દેશો સાથે આપણો દેશ MoU કરતો હોય છે.. ભારતના પણ અનેક દેશો સાથે વ્યાપારીક સંબંધો છે... ત્યારે ગુજરાત ચેમ્બર ઓફ કોર્મસ એન્ડ ઈન્ડસ્ટ્રી એટલે કે GCCI અને ન્યુઝીલેન્ડ ભારત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રી એટલે કે NZBCCI વચ્ચે MoU પર હસ્તાક્ષર કરવામાં આવ્યા છે. આ પ્રસંગે ન્યુઝીલેન્ડના નાયબ પ્રધાનમંત્રી વિન્સ્ટન પીટર્સ પણ ઓનલાઈન ઉપસ્થિત રહ્યા હતા..   NZBCCIના ચેરમેન તરીકે  GCCIના સુધાંશુ મહેતાની નિમણૂક કરવામાં આવી છે..


ન્યુઝીલેન્ડના નાયબ વડાપ્રધાન રહ્યા હતા ઉપસ્થિત!

ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રી અને ન્યુઝીલેન્ડ ભારત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રી વચ્ચે આજે અમદાવાદ ખાતે પ્રથમ MoU પર હસ્તાક્ષર થયા છે. જ્યારે કોઈ MoU થાય છે ત્યારે બે દેશો વચ્ચે થતાં વ્યવહારને આર્થિક વેગ મળે છે.. બંને દેશો વચ્ચેના સંબંધો ગાઢ બને છે. આ પ્રસંગે ઉપસ્થિત ન્યુઝિલેન્ડના નાયબ વડાપ્રધાને જણાવ્યું હતું કે તેમની સરકાર વિવિધ સમુદાયોને સમર્થન આપવા અને બંને દેશો વચ્ચેના વ્યાપારી સંબંધોને વધારવા માટે પ્રતિબદ્ધ છે.. 



શું કહ્યું સુધાંશુ મહેતાએ આ પ્રસંગે?

NZBCCI ભારત ચેપ્ટરના ચેરમેન સુધાંશુ મહેતાએ જણાવ્યું હતું કે ભારત શબ્દનો સમાવેશ NZBCCIના નામમાં ભારતના સાંસ્કૃતિક વારસા પ્રત્યેની તેમની પ્રતિબદ્ધતા દર્શાવે છે. NZBCCIનો ઉદ્દેશ ટેક્નોલોજી, માળખાગત સુવિધા ને સ્થાયી ઉર્જા જેવા ક્ષેત્રોમં વૃદ્ધિને પ્રોત્સાહન આપવાનો છે. GCCI સાથે હસ્તાક્ષર કરાયેલા સમજૂતી કરાર બંને સંસ્થાઓ વચ્ચેની સહયોગી ભાગીદારીને મજબૂત બનાવવાના સંકલ્પનું પ્રતિનિધિત્વ કરે છે.  NZBCCIના ચેરમેને જણાવ્યું કે તેમનો ઉદ્દેશ ભારત માટે ન્યુઝિલેન્ડના દરવાજા ખોલવાનો છે જે વિશ્વના સૌથી મોટા દૂધ ઉત્પાદક દેશ તરીકે વૈશ્વિક અર્થતંત્રમાં નોંધપાત્ર યોગદાન આપે છે. ભારત અને ન્યુઝિલેન્ડ વચ્ચેના સંબંધો નવી દિશામાં આગળ વધી રહ્યા છે અને તેઓ મજબૂત સંબંધો સ્થાપિત કરવા અને બંને દેશોને લાભદાયી વ્યવસાયિક ભાગીદારી બનાવવા માટે પ્રતિબદ્ધ છે.




આંતરરાષ્ટ્રીય સંબંધોમાં USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર ચર્ચાઓમાં છે તેમણે ફરી એકવાર , ભારતને લઇને નિવેદનબાજીઓ કરી છે. ડોનાલ્ડ ટ્રમ્પને અપેક્ષા છે કે , ભારત આ વર્ષના અંતથી રશિયન ક્રૂડની આયાત કરવાનું બંધ કરી દેશે. આ ઉપરાંત ડોનાલ્ડ ટ્રમ્પએ ચીન વિશે નિવેદન આપતા કહ્યું છે કે , બાઈડેન અને ઓબામાની નીતિઓના કારણે ચીન અને રશિયા એક થયા છે. બાકી બંને મિત્ર રહી શકે તેમ છે જ નહીં. ચીનના રશિયા સાથેના સંબંધો અલગ પ્રકારના છે.

રાજકોટના ગોંડલના ખુબ ચર્ચિત રાજકુમાર જાટ કેસમાં આ આખા કેસની તપાસ હવે સુરેન્દ્રનગરના SP , IPS પ્રેમસુખ ડેલુંને સોંપાઈ છે. જે ડી પુરોહિત કે જેઓ ધ્રાંગધ્રાના DYSP છે એ તેમને આ કેસની તપાસમાં મદદ કરશે. આમ હવે રાજકુમાર જાટ કેસમાં તપાસ માટે એક નવી તપાસ ટીમ બનાવવામાં આવશે. રાજકુમાર જાટના પરિવારજનોનું માનવું છે કે , સ્થાનિક પોલીસ પૂર્વ MLA જયરાજસિંહને બચાવી રહી છે. આ કેસની વધુ તપાસ CBIને સોંપવામાં આવે તેવી અરજી પણ તેમના દ્વારા દાખલ કરવામાં આવી હતી. ગુજરાત હાઇકોર્ટ દ્વારા આ કેસને લઇને મહત્વના નિર્દેશ આપવામાં આવ્યા છે.

રાજકોટના ખુબ ચર્ચિત કેસ અમિત ખૂંટ કેસમાં અનિરુદ્ધસિંહ જાડેજાના દીકરા રાજદીપસિંહ જાડેજાના આગોતરા જામીન હવે સુપ્રીમ કોર્ટે ફગાવી દીધા છે. સુપ્રીમ કોર્ટે દ્વારા રાજદીપ સિંહ જાડેજાના આગોતરા જામીન ના મંજુર કરવાંમાં આવ્યા છે. જેનાથી હવે રાજદીપ જાડેજાની મુશ્કેલીઓમાં વધારો થઇ શકે છે. આપને જણાવી દયિકે , રાજદીપસિંહ જાડેજાના પિતા અનિરુદ્ધસિંહ જાડેજા હાલમાં EX MLA પોપટલાલ સોરઠીયા કેસમાં સજામાફી રદ થવાના કારણે જેલમાં જ છે.

ભરૂચમાં મનરેગા કૌભાંડમા કોંગ્રેસ નેતા હીરા જોટવા પછી હવે તેમના દીકરા દિગ્વિજય જોટવાના જામીન મંજુર થઇ ગયા છે. આ મનરેગા કૌભાંડમા બંને પિતા પુત્રો હીરા જોટવા અને દિગ્વિજય જોટવા જેલમાં હતા ત્યારે દિગ્વિજય જોટવાના જામીન પણ કોર્ટ દ્વારા મંજુર કરવામાં આવ્યા છે. બેઉ પિતા પુત્રએ ભરૂચના મનરેગા કૌભાંડમા બે મહિનાથી વધારેનો જેલવાસ ભોગવ્યો છે.