GCCI - NZBCCI વચ્ચે પ્રથમ MoU પર થયા હસ્તાક્ષર, સુધાંશુ મહેતા બન્યા NZBCCI ભારત ચેપ્ટરના ચેરમેન


  • Published By :
  • Published Date : 2024-09-21 17:53:45

કોઈ પણ દેશની પ્રગતિ તેના વેપાર સાથે સંકળાયેલી હોય છે.. બીજા દેશો સાથે કરવામાં આવતો વેપાર તે દેશ માટે ઉન્નતિના દ્વાર ખોલે છે.. અનેક દેશો સાથે આપણો દેશ MoU કરતો હોય છે.. ભારતના પણ અનેક દેશો સાથે વ્યાપારીક સંબંધો છે... ત્યારે ગુજરાત ચેમ્બર ઓફ કોર્મસ એન્ડ ઈન્ડસ્ટ્રી એટલે કે GCCI અને ન્યુઝીલેન્ડ ભારત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રી એટલે કે NZBCCI વચ્ચે MoU પર હસ્તાક્ષર કરવામાં આવ્યા છે. આ પ્રસંગે ન્યુઝીલેન્ડના નાયબ પ્રધાનમંત્રી વિન્સ્ટન પીટર્સ પણ ઓનલાઈન ઉપસ્થિત રહ્યા હતા..   NZBCCIના ચેરમેન તરીકે  GCCIના સુધાંશુ મહેતાની નિમણૂક કરવામાં આવી છે..


ન્યુઝીલેન્ડના નાયબ વડાપ્રધાન રહ્યા હતા ઉપસ્થિત!

ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રી અને ન્યુઝીલેન્ડ ભારત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રી વચ્ચે આજે અમદાવાદ ખાતે પ્રથમ MoU પર હસ્તાક્ષર થયા છે. જ્યારે કોઈ MoU થાય છે ત્યારે બે દેશો વચ્ચે થતાં વ્યવહારને આર્થિક વેગ મળે છે.. બંને દેશો વચ્ચેના સંબંધો ગાઢ બને છે. આ પ્રસંગે ઉપસ્થિત ન્યુઝિલેન્ડના નાયબ વડાપ્રધાને જણાવ્યું હતું કે તેમની સરકાર વિવિધ સમુદાયોને સમર્થન આપવા અને બંને દેશો વચ્ચેના વ્યાપારી સંબંધોને વધારવા માટે પ્રતિબદ્ધ છે.. 



શું કહ્યું સુધાંશુ મહેતાએ આ પ્રસંગે?

NZBCCI ભારત ચેપ્ટરના ચેરમેન સુધાંશુ મહેતાએ જણાવ્યું હતું કે ભારત શબ્દનો સમાવેશ NZBCCIના નામમાં ભારતના સાંસ્કૃતિક વારસા પ્રત્યેની તેમની પ્રતિબદ્ધતા દર્શાવે છે. NZBCCIનો ઉદ્દેશ ટેક્નોલોજી, માળખાગત સુવિધા ને સ્થાયી ઉર્જા જેવા ક્ષેત્રોમં વૃદ્ધિને પ્રોત્સાહન આપવાનો છે. GCCI સાથે હસ્તાક્ષર કરાયેલા સમજૂતી કરાર બંને સંસ્થાઓ વચ્ચેની સહયોગી ભાગીદારીને મજબૂત બનાવવાના સંકલ્પનું પ્રતિનિધિત્વ કરે છે.  NZBCCIના ચેરમેને જણાવ્યું કે તેમનો ઉદ્દેશ ભારત માટે ન્યુઝિલેન્ડના દરવાજા ખોલવાનો છે જે વિશ્વના સૌથી મોટા દૂધ ઉત્પાદક દેશ તરીકે વૈશ્વિક અર્થતંત્રમાં નોંધપાત્ર યોગદાન આપે છે. ભારત અને ન્યુઝિલેન્ડ વચ્ચેના સંબંધો નવી દિશામાં આગળ વધી રહ્યા છે અને તેઓ મજબૂત સંબંધો સ્થાપિત કરવા અને બંને દેશોને લાભદાયી વ્યવસાયિક ભાગીદારી બનાવવા માટે પ્રતિબદ્ધ છે.




ગુજરાતના લાખો ગરીબ પરિવારોના આરોગ્યની સુરક્ષાને વધુ સુદૃઢ બનાવવા માટે ગુજરાત સરકારે એક મહત્ત્વપૂર્ણ પગલું ભર્યું છે. ગાંધીનગર ખાતે આરોગ્ય મંત્રી શ્રી પ્રફુલ પાનશેરિયાની ઉપસ્થિતિમાં આયુષ્માન ભારત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના હેઠળ રાજ્ય સરકારે બજાજ ઈન્સ્યોરન્સ કંપની સાથે એક નવા લેટર ઓફ એવોર્ડ(LOA) પર હસ્તાક્ષર કર્યા છે, જે રાજ્યની જનતા માટે આર્થિક રાહત અને વિસ્તૃત આરોગ્ય કવચ સુનિશ્ચિત કરે છે.

મુકેશ અંબાણીએ નાથદ્વારામાં દર્શન કર્યા, ‘યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન’ પ્રોજેક્ટની જાહેરાત કરી છે. મુકેશ અંબાણીએ પવિત્ર નગરી નાથદ્વારામાં શ્રીનાથજી ભગવાનના ભોગ આરતી દર્શનનો દિવ્ય લાભ લીધો તેમજ ગુરુ શ્રી વિશાલબાવા સાહેબના આશીર્વાદ પ્રાપ્ત કર્યા છે. આ અવસરે તેમણે નાથદ્વારામાં આધુનિક અને સુવિધાસંપન્ન “યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન”ના નિર્માણની જાહેરાત કરી છે તેમજ શ્રીનાથદ્વારા મંદિરને ₹15 કરોડનું દાન આપ્યું છે.

ગુજરાત સરકાર દ્વારા ખેડૂતો માટે એક રાહત પેકેજની ઘોષણા કરવામાં આવી છે. ગુજરાતમાં ૨૫મી ઓક્ટોબરથી જે કમોસમી વરસાદનો રાઉન્ડ આવ્યો છે તેમાં , ૪૨ લાખ હેકટર જમીનને નુકશાન થયું છે. અંદાજે ૧૬,૦૦૦ ગામોને અસર પહોંચી છે. તો હવે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ દ્વારા આજે એક કૃષિ રાહત પેકેજની જાહેરાત કરવામાં આવી છે.

અમરેલી જિલ્લામાં કોંગ્રેસ દ્વારા આજે ખેતી બચાવો સત્યાગ્રહ અંતર્ગત લીલીયા ખાતે પ્રતીક ધરણાનો કાર્યક્રમ યોજાયો છે. આ કાર્યક્રમમાં કમોસમી વરસાદના કારણે ખેડૂતોને જે પાક નુકશાની થઇ છે તેને લઇને અમરેલી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપ દુધાત અને પૂર્વ વિપક્ષના નેતા પરેશ ધાનાણીના નેતૃત્વમાં એક સંમેલન યોજાયું છે. આ ઉપરાંત ખેડૂતોના દેવામાફીના મુદ્દે , લીલીયા મામલતદારને આવેદન પત્ર પણ આપવામાં આવ્યું છે. આ પ્રસંગે , ખેડૂતો પણ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા.