હિમાચલના કુલ્લુમાં સર્જાયો ગમખ્વાર અકસ્માત:ટેમ્પો ટ્રાવેલર ખાડીમાં પડતાં 7નાં મોત, 10 ઘાયલ


  • Published By : Payal rathod
  • Published Date : 2022-09-26 08:32:27

હિમાચલ પ્રદેશના કુલ્લુમાં એક ટેમ્પો ટ્રાવેલર ખાડીમાં પડતાં ઓછામાં ઓછા સાત પ્રવાસીઓનાં મોત થયાં અને અન્ય દસ ઘાયલ થયા.આ ઘટના રવિવારે રાત્રે બની છે.

બંજર ઘાટીના ઘિયાગી વિસ્તારમાં રવિવારે રાત્રે 8:30 વાગ્યે એક પ્રવાસી વાહન ભેખડ પરથી નીચે પડતાં સાત લોકોનાં મોત થયાં છે અને 10 અન્ય ઘાયલ થયા. પાંચ ઘાયલોને કુલ્લુની ઝોનલ હૉસ્પિટલમાં ખસેડવામાં આવ્યાં હતા.બંજરના બીજેપી ધારાસભ્ય સુરેન્દ્ર શૌરીએ સોમવારે મધરાત્રે12.45 વાગ્યે તેમના સોશિયલ મીડિયા એકાઉન્ટ દ્વારા ફેસબુક લાઈવ પર એક વીડિયો સ્ટ્રીમ કરીને અકસ્માતની જાણકારી આપી.શૌરીએ અંધારું હોવા છતાં બચાવ કામગીરી હાથ ધરવા બદલ જિલ્લા વહીવટીતંત્ર અને સ્થાનિકોનો આભાર માન્યો હતો.



ગુજરાતના લાખો ગરીબ પરિવારોના આરોગ્યની સુરક્ષાને વધુ સુદૃઢ બનાવવા માટે ગુજરાત સરકારે એક મહત્ત્વપૂર્ણ પગલું ભર્યું છે. ગાંધીનગર ખાતે આરોગ્ય મંત્રી શ્રી પ્રફુલ પાનશેરિયાની ઉપસ્થિતિમાં આયુષ્માન ભારત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના હેઠળ રાજ્ય સરકારે બજાજ ઈન્સ્યોરન્સ કંપની સાથે એક નવા લેટર ઓફ એવોર્ડ(LOA) પર હસ્તાક્ષર કર્યા છે, જે રાજ્યની જનતા માટે આર્થિક રાહત અને વિસ્તૃત આરોગ્ય કવચ સુનિશ્ચિત કરે છે.

મુકેશ અંબાણીએ નાથદ્વારામાં દર્શન કર્યા, ‘યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન’ પ્રોજેક્ટની જાહેરાત કરી છે. મુકેશ અંબાણીએ પવિત્ર નગરી નાથદ્વારામાં શ્રીનાથજી ભગવાનના ભોગ આરતી દર્શનનો દિવ્ય લાભ લીધો તેમજ ગુરુ શ્રી વિશાલબાવા સાહેબના આશીર્વાદ પ્રાપ્ત કર્યા છે. આ અવસરે તેમણે નાથદ્વારામાં આધુનિક અને સુવિધાસંપન્ન “યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન”ના નિર્માણની જાહેરાત કરી છે તેમજ શ્રીનાથદ્વારા મંદિરને ₹15 કરોડનું દાન આપ્યું છે.

ગુજરાત સરકાર દ્વારા ખેડૂતો માટે એક રાહત પેકેજની ઘોષણા કરવામાં આવી છે. ગુજરાતમાં ૨૫મી ઓક્ટોબરથી જે કમોસમી વરસાદનો રાઉન્ડ આવ્યો છે તેમાં , ૪૨ લાખ હેકટર જમીનને નુકશાન થયું છે. અંદાજે ૧૬,૦૦૦ ગામોને અસર પહોંચી છે. તો હવે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ દ્વારા આજે એક કૃષિ રાહત પેકેજની જાહેરાત કરવામાં આવી છે.

અમરેલી જિલ્લામાં કોંગ્રેસ દ્વારા આજે ખેતી બચાવો સત્યાગ્રહ અંતર્ગત લીલીયા ખાતે પ્રતીક ધરણાનો કાર્યક્રમ યોજાયો છે. આ કાર્યક્રમમાં કમોસમી વરસાદના કારણે ખેડૂતોને જે પાક નુકશાની થઇ છે તેને લઇને અમરેલી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપ દુધાત અને પૂર્વ વિપક્ષના નેતા પરેશ ધાનાણીના નેતૃત્વમાં એક સંમેલન યોજાયું છે. આ ઉપરાંત ખેડૂતોના દેવામાફીના મુદ્દે , લીલીયા મામલતદારને આવેદન પત્ર પણ આપવામાં આવ્યું છે. આ પ્રસંગે , ખેડૂતો પણ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા.