રસ્તા પર રખડતા 'મોત'થી છુટકારો ક્યારે?


  • Published By : Payal rathod
  • Published Date : 2022-08-25 12:06:15

વિધાનસભાની ચૂંટણી હવે નજીક છે ત્યારે કેટલીક સળગતી સમસ્યાઓમાં રખડતા ઢોરનો પ્રશ્ન મહત્વનો છે, શહેરના માર્ગો પર ભટકતા આ ઢોરથી અનેક લોકોને ગંભીર ઇજાઓ પહોંચી છે. તો અનેક લોકો મોતને પણ ભેટ્યા છે. એટલુ જ નહીં થોડા દિવસ પહેલા તો ખુદ પૂર્વ ડેપ્યુટી સીએમ નીતિન પટેલને પણ ગાયે અડફેટે લીધા હતા. જેમાં તેમને ગંભીર ઇજા પહોંચી હતી. મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ પણ રખડતા ઢોરના ત્રાસ અંગે ચિંતા વ્યક્ત કરી ચુક્યા છે.

ઢોર મુદ્દે સરકારનો મહત્વનો નિર્ણય

હવે રાજ્ય સરકારે રખડતા ઢોરના પ્રશ્નને હલ કરવા મહત્વનો નિર્ણય કર્યો છે. રાજ્ય સરકાર જે પશુપાલકો પાસે પશુઓને રાખવા માટેની યોગ્ય વ્યવસ્થા ન હોય તેઓ પાલિકા કે નગરપાલિકાના ઢોરવાડામાં પોતાના પશુઓ મુકી શકશે. રાજ્ય સરકાર દ્વારા પશુપાલકો પોતાના પશુઓને ઢોરવાડામાં મુકી જઇ શકે તે માટેનો ટ્રાન્પોર્ટેશન ખર્ચ પણ મનપા દ્વારા ઉઠાવવામાં આવે તેવો નિર્ણય લેવામાં આવ્યો છે. પશુપાલકો અહીં તેમના પશુઓને વિનામુલ્યે મુકી જાય તેવી વ્યવસ્થા કરવામાં આવી છે. આ ઢોરવાડામાં પશુઓને જરુરી તમામ સગવડોનું ધ્યાન રાખવામાં આવશે. રાજ્ય સરકાર દ્વારા આ માટે 10 કરોડ રૂપિયાની જોગવાઈ કરવામાં આવી છે. રાજ્યની 08 મહાનગરપાલિકાઓ અને 156 નગરપાલિકાઓમાં ઢોરવાડા બનાવવામાં આવશે અને જરૂર પડે તેમાં વધારો પણ કરવામાં આવશે. રાજ્ય સરકાર શહેરી વિસ્તારમાં રખડતા ઢોરને પકડવા ખાસ ઝૂંબેશ પણ શરૂ કરશે.

ગુજરાત હાઇકોર્ટનું આકરુ વલણ 

હાઈકોર્ટે રાજ્ય સરકારને 24 ઓગસ્ટના સાંજે 4 વાગ્યા સુધીમાં નક્કર નિર્ણય લેવા ટકોર કરી હતી. જો નિર્ણય નહીં લેવાય તો કોર્ટ જ આકરો હુકમ કરશે તેવું જણાવ્યુ હતું. જેને કારણે હાઇકોર્ટમાં ફરી સુનાવણી શરુ થઈ હતી.તાજેતરમાં રખડતા ઢોરના ત્રાસના કારણે એક વ્યક્તિનું મૃત્યુ થતા હાઈકોર્ટે આ ઘટનાની ગંભીર નોંધ લઈ સરકારને કોઈ અસરકારક નિર્ણય લેવા દબાણ કર્યું હતું. રખડતા ઢોર મુદ્દે FIR નોંધવાની શરૂ કરવાનો પણ હાઈકોર્ટે નિર્દેશ કર્યો હતો.

ઢોર નિયંત્રણ બિલનું ભાવી અદ્ધરતાલ 

વિધાનસભાના શિયાળુ સત્રના અંત સમયે વિધાનસભામાં રખડતાં ઢોર નિયંત્રણ બિલ લાવવામાં આવ્યું હતું. આ બિલ રજૂ કરાયું ત્યારે સૌથી વધારે ચર્ચા કરવામાં આવી હતી. રાજ્યમાં આ બિલનો અમલ ન થાય તે માટે માલધારીઓએ જોરદાર વિરોધ કર્યો હતો. આખરે સરકારે બિલના અમલીકરણનો નિર્ણય મોકુફ રાખ્યો હતો. ચૂંટણી નજીક હોવાથી રાજ્ય સરકારને પણ માલધારી સમાજને નારાજ કરવો પોષાય તેમ નથી. માલધારીઓ માટે પણ આ ઢોર આવકનો એક માત્ર સ્ત્રોત હોવાથી તેમનો આક્રોશ યોગ્ય હતો. અંતે રાજ્ય સરકારે સામાન્ય રાહદારીઓ,વાહન ચાલકો અને માલધારીઓને પણ અનુકુળ એવો રસ્તો કાઢ્યો છે. 



ગુજરાતના લાખો ગરીબ પરિવારોના આરોગ્યની સુરક્ષાને વધુ સુદૃઢ બનાવવા માટે ગુજરાત સરકારે એક મહત્ત્વપૂર્ણ પગલું ભર્યું છે. ગાંધીનગર ખાતે આરોગ્ય મંત્રી શ્રી પ્રફુલ પાનશેરિયાની ઉપસ્થિતિમાં આયુષ્માન ભારત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના હેઠળ રાજ્ય સરકારે બજાજ ઈન્સ્યોરન્સ કંપની સાથે એક નવા લેટર ઓફ એવોર્ડ(LOA) પર હસ્તાક્ષર કર્યા છે, જે રાજ્યની જનતા માટે આર્થિક રાહત અને વિસ્તૃત આરોગ્ય કવચ સુનિશ્ચિત કરે છે.

મુકેશ અંબાણીએ નાથદ્વારામાં દર્શન કર્યા, ‘યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન’ પ્રોજેક્ટની જાહેરાત કરી છે. મુકેશ અંબાણીએ પવિત્ર નગરી નાથદ્વારામાં શ્રીનાથજી ભગવાનના ભોગ આરતી દર્શનનો દિવ્ય લાભ લીધો તેમજ ગુરુ શ્રી વિશાલબાવા સાહેબના આશીર્વાદ પ્રાપ્ત કર્યા છે. આ અવસરે તેમણે નાથદ્વારામાં આધુનિક અને સુવિધાસંપન્ન “યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન”ના નિર્માણની જાહેરાત કરી છે તેમજ શ્રીનાથદ્વારા મંદિરને ₹15 કરોડનું દાન આપ્યું છે.

ગુજરાત સરકાર દ્વારા ખેડૂતો માટે એક રાહત પેકેજની ઘોષણા કરવામાં આવી છે. ગુજરાતમાં ૨૫મી ઓક્ટોબરથી જે કમોસમી વરસાદનો રાઉન્ડ આવ્યો છે તેમાં , ૪૨ લાખ હેકટર જમીનને નુકશાન થયું છે. અંદાજે ૧૬,૦૦૦ ગામોને અસર પહોંચી છે. તો હવે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ દ્વારા આજે એક કૃષિ રાહત પેકેજની જાહેરાત કરવામાં આવી છે.

અમરેલી જિલ્લામાં કોંગ્રેસ દ્વારા આજે ખેતી બચાવો સત્યાગ્રહ અંતર્ગત લીલીયા ખાતે પ્રતીક ધરણાનો કાર્યક્રમ યોજાયો છે. આ કાર્યક્રમમાં કમોસમી વરસાદના કારણે ખેડૂતોને જે પાક નુકશાની થઇ છે તેને લઇને અમરેલી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપ દુધાત અને પૂર્વ વિપક્ષના નેતા પરેશ ધાનાણીના નેતૃત્વમાં એક સંમેલન યોજાયું છે. આ ઉપરાંત ખેડૂતોના દેવામાફીના મુદ્દે , લીલીયા મામલતદારને આવેદન પત્ર પણ આપવામાં આવ્યું છે. આ પ્રસંગે , ખેડૂતો પણ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા.