રસ્તા પર રખડતા 'મોત'થી છુટકારો ક્યારે?


  • Published By : Payal rathod
  • Published Date : 2022-08-25 12:06:15

વિધાનસભાની ચૂંટણી હવે નજીક છે ત્યારે કેટલીક સળગતી સમસ્યાઓમાં રખડતા ઢોરનો પ્રશ્ન મહત્વનો છે, શહેરના માર્ગો પર ભટકતા આ ઢોરથી અનેક લોકોને ગંભીર ઇજાઓ પહોંચી છે. તો અનેક લોકો મોતને પણ ભેટ્યા છે. એટલુ જ નહીં થોડા દિવસ પહેલા તો ખુદ પૂર્વ ડેપ્યુટી સીએમ નીતિન પટેલને પણ ગાયે અડફેટે લીધા હતા. જેમાં તેમને ગંભીર ઇજા પહોંચી હતી. મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ પણ રખડતા ઢોરના ત્રાસ અંગે ચિંતા વ્યક્ત કરી ચુક્યા છે.

ઢોર મુદ્દે સરકારનો મહત્વનો નિર્ણય

હવે રાજ્ય સરકારે રખડતા ઢોરના પ્રશ્નને હલ કરવા મહત્વનો નિર્ણય કર્યો છે. રાજ્ય સરકાર જે પશુપાલકો પાસે પશુઓને રાખવા માટેની યોગ્ય વ્યવસ્થા ન હોય તેઓ પાલિકા કે નગરપાલિકાના ઢોરવાડામાં પોતાના પશુઓ મુકી શકશે. રાજ્ય સરકાર દ્વારા પશુપાલકો પોતાના પશુઓને ઢોરવાડામાં મુકી જઇ શકે તે માટેનો ટ્રાન્પોર્ટેશન ખર્ચ પણ મનપા દ્વારા ઉઠાવવામાં આવે તેવો નિર્ણય લેવામાં આવ્યો છે. પશુપાલકો અહીં તેમના પશુઓને વિનામુલ્યે મુકી જાય તેવી વ્યવસ્થા કરવામાં આવી છે. આ ઢોરવાડામાં પશુઓને જરુરી તમામ સગવડોનું ધ્યાન રાખવામાં આવશે. રાજ્ય સરકાર દ્વારા આ માટે 10 કરોડ રૂપિયાની જોગવાઈ કરવામાં આવી છે. રાજ્યની 08 મહાનગરપાલિકાઓ અને 156 નગરપાલિકાઓમાં ઢોરવાડા બનાવવામાં આવશે અને જરૂર પડે તેમાં વધારો પણ કરવામાં આવશે. રાજ્ય સરકાર શહેરી વિસ્તારમાં રખડતા ઢોરને પકડવા ખાસ ઝૂંબેશ પણ શરૂ કરશે.

ગુજરાત હાઇકોર્ટનું આકરુ વલણ 

હાઈકોર્ટે રાજ્ય સરકારને 24 ઓગસ્ટના સાંજે 4 વાગ્યા સુધીમાં નક્કર નિર્ણય લેવા ટકોર કરી હતી. જો નિર્ણય નહીં લેવાય તો કોર્ટ જ આકરો હુકમ કરશે તેવું જણાવ્યુ હતું. જેને કારણે હાઇકોર્ટમાં ફરી સુનાવણી શરુ થઈ હતી.તાજેતરમાં રખડતા ઢોરના ત્રાસના કારણે એક વ્યક્તિનું મૃત્યુ થતા હાઈકોર્ટે આ ઘટનાની ગંભીર નોંધ લઈ સરકારને કોઈ અસરકારક નિર્ણય લેવા દબાણ કર્યું હતું. રખડતા ઢોર મુદ્દે FIR નોંધવાની શરૂ કરવાનો પણ હાઈકોર્ટે નિર્દેશ કર્યો હતો.

ઢોર નિયંત્રણ બિલનું ભાવી અદ્ધરતાલ 

વિધાનસભાના શિયાળુ સત્રના અંત સમયે વિધાનસભામાં રખડતાં ઢોર નિયંત્રણ બિલ લાવવામાં આવ્યું હતું. આ બિલ રજૂ કરાયું ત્યારે સૌથી વધારે ચર્ચા કરવામાં આવી હતી. રાજ્યમાં આ બિલનો અમલ ન થાય તે માટે માલધારીઓએ જોરદાર વિરોધ કર્યો હતો. આખરે સરકારે બિલના અમલીકરણનો નિર્ણય મોકુફ રાખ્યો હતો. ચૂંટણી નજીક હોવાથી રાજ્ય સરકારને પણ માલધારી સમાજને નારાજ કરવો પોષાય તેમ નથી. માલધારીઓ માટે પણ આ ઢોર આવકનો એક માત્ર સ્ત્રોત હોવાથી તેમનો આક્રોશ યોગ્ય હતો. અંતે રાજ્ય સરકારે સામાન્ય રાહદારીઓ,વાહન ચાલકો અને માલધારીઓને પણ અનુકુળ એવો રસ્તો કાઢ્યો છે. 



થોડાક સમય પહેલા કોંગ્રેસ દ્વારા પીએમ મોદીની માતા માટેનો એક AI જનરેટેડ વિડિઓ બહાર પાડવામાં આવ્યો હતો. આ AI વિડિઓને લઇને પટના હાઇકોર્ટ દ્વારા હવે કોંગ્રેસને આદેશ આપવામાં આવ્યો છે કે , " પીએમ મોદીના માતાનો AI વિડિઓ હટાવવામાં આવે. " કોંગ્રેસ દ્વારા AI વીડિયોમાં બતાવવામાં આવ્યું છે કે , પીએમ મોદીને સપનામાં તેમના માતા આવ્યા હતા. પટના હાઈકોર્ટે રાહુલ ગાંધી , ભારતીય ચૂંટણીપચ , મેટા , ગુગલ , એક્સ (ટ્વીટર) અને માહિતી ટેક્નોલોજી મંત્રાલયને AI વિડિઓને લઇને નોટિસ ફટકારી છે.

ગુજરાતમાં હવે બનાસ ડેરીમાં ચૂંટણીઓ જાહેર થઇ ચુકી છે . બનાસ ડેરીની ચૂંટણીઓમાં હરીફ પેનલ ઉભી થવાની શક્યતા છે . બનાસ ડેરીના ચેરમેન શંકર ચૌધરી એ હાલમાં વિધાનસભાના અધ્યક્ષ છે. ચૂંટણીની જાહેરાત થતા જ સહકરી ક્ષેત્રે હલચલ શરુ થઇ ગઈ છે. ૧૬મી સપ્ટેમ્બરથી ઉમેદવારી ફોર્મ ભરી શકાશે. આ ચૂંટણીઓના પરિણામ ૧૧મી ઓક્ટોબરના રોજ જાહેર થશે. બનાસ ડેરીના ૧૬ ડિરેક્ટર પદો માટે મતદાન યોજાવા જઈ રહ્યું છે.

અંકલેશ્વરના પાનોલી GIDCમાં આવેલી સંઘવી ઓર્ગેનિક્સ કંપનીમાં વહેલી સવારે આગ ફાટી નીકળી હતી. આ ભીષણ આગ લાગવાને કારણે અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. આગના કારણે ધુમાડાના ગોટેગોટા દૂર દૂર સુધી દેખાયા હતા. આગના કારણે નજીકના સંજાલી ગામમાં ભયનો માહોલ છે. ભીષણ આગના કારણે ૧૨થી ફાયર ફાઇટર્સ ઘટનાસ્થળે પહોંચી ગયા હતા. આ દુર્ઘટનાના કારણે આજુબાજુની કંપનીઓને પણ ખાલી કરાવવામાં આવી હતી.

દેદિયાપાડાના MLA ચૈતર વસાવા કે જેઓ ફરી એકવાર ગુજરાત હાઇકોર્ટના દરવાજા આજે ખખડાવી શકે છે. ડેડીયાપાડા પોલીસે સેશન્સ કોર્ટમાં ચાર્જશીટ રજુ કરી હતી તે પછી કોર્ટે ચૈતર વસાવાના જામીન ફગાવી દીધા છે. આ જામીન ફગાવતા ચૈતર વસાવા ફરી એકવાર ગુજરાત હાઇકોર્ટના દરવાજા ખખડાવી શકે છે. આ માટે સુપ્રીમ કોર્ટના વકીલ વિક્રમ ચૌધરી ચૈતર વસાવા તરફથી લડવાના છે .