રસ્તા પર રખડતા 'મોત'થી છુટકારો ક્યારે?


  • Published By : Payal rathod
  • Published Date : 2022-08-25 12:06:15

વિધાનસભાની ચૂંટણી હવે નજીક છે ત્યારે કેટલીક સળગતી સમસ્યાઓમાં રખડતા ઢોરનો પ્રશ્ન મહત્વનો છે, શહેરના માર્ગો પર ભટકતા આ ઢોરથી અનેક લોકોને ગંભીર ઇજાઓ પહોંચી છે. તો અનેક લોકો મોતને પણ ભેટ્યા છે. એટલુ જ નહીં થોડા દિવસ પહેલા તો ખુદ પૂર્વ ડેપ્યુટી સીએમ નીતિન પટેલને પણ ગાયે અડફેટે લીધા હતા. જેમાં તેમને ગંભીર ઇજા પહોંચી હતી. મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ પણ રખડતા ઢોરના ત્રાસ અંગે ચિંતા વ્યક્ત કરી ચુક્યા છે.

ઢોર મુદ્દે સરકારનો મહત્વનો નિર્ણય

હવે રાજ્ય સરકારે રખડતા ઢોરના પ્રશ્નને હલ કરવા મહત્વનો નિર્ણય કર્યો છે. રાજ્ય સરકાર જે પશુપાલકો પાસે પશુઓને રાખવા માટેની યોગ્ય વ્યવસ્થા ન હોય તેઓ પાલિકા કે નગરપાલિકાના ઢોરવાડામાં પોતાના પશુઓ મુકી શકશે. રાજ્ય સરકાર દ્વારા પશુપાલકો પોતાના પશુઓને ઢોરવાડામાં મુકી જઇ શકે તે માટેનો ટ્રાન્પોર્ટેશન ખર્ચ પણ મનપા દ્વારા ઉઠાવવામાં આવે તેવો નિર્ણય લેવામાં આવ્યો છે. પશુપાલકો અહીં તેમના પશુઓને વિનામુલ્યે મુકી જાય તેવી વ્યવસ્થા કરવામાં આવી છે. આ ઢોરવાડામાં પશુઓને જરુરી તમામ સગવડોનું ધ્યાન રાખવામાં આવશે. રાજ્ય સરકાર દ્વારા આ માટે 10 કરોડ રૂપિયાની જોગવાઈ કરવામાં આવી છે. રાજ્યની 08 મહાનગરપાલિકાઓ અને 156 નગરપાલિકાઓમાં ઢોરવાડા બનાવવામાં આવશે અને જરૂર પડે તેમાં વધારો પણ કરવામાં આવશે. રાજ્ય સરકાર શહેરી વિસ્તારમાં રખડતા ઢોરને પકડવા ખાસ ઝૂંબેશ પણ શરૂ કરશે.

ગુજરાત હાઇકોર્ટનું આકરુ વલણ 

હાઈકોર્ટે રાજ્ય સરકારને 24 ઓગસ્ટના સાંજે 4 વાગ્યા સુધીમાં નક્કર નિર્ણય લેવા ટકોર કરી હતી. જો નિર્ણય નહીં લેવાય તો કોર્ટ જ આકરો હુકમ કરશે તેવું જણાવ્યુ હતું. જેને કારણે હાઇકોર્ટમાં ફરી સુનાવણી શરુ થઈ હતી.તાજેતરમાં રખડતા ઢોરના ત્રાસના કારણે એક વ્યક્તિનું મૃત્યુ થતા હાઈકોર્ટે આ ઘટનાની ગંભીર નોંધ લઈ સરકારને કોઈ અસરકારક નિર્ણય લેવા દબાણ કર્યું હતું. રખડતા ઢોર મુદ્દે FIR નોંધવાની શરૂ કરવાનો પણ હાઈકોર્ટે નિર્દેશ કર્યો હતો.

ઢોર નિયંત્રણ બિલનું ભાવી અદ્ધરતાલ 

વિધાનસભાના શિયાળુ સત્રના અંત સમયે વિધાનસભામાં રખડતાં ઢોર નિયંત્રણ બિલ લાવવામાં આવ્યું હતું. આ બિલ રજૂ કરાયું ત્યારે સૌથી વધારે ચર્ચા કરવામાં આવી હતી. રાજ્યમાં આ બિલનો અમલ ન થાય તે માટે માલધારીઓએ જોરદાર વિરોધ કર્યો હતો. આખરે સરકારે બિલના અમલીકરણનો નિર્ણય મોકુફ રાખ્યો હતો. ચૂંટણી નજીક હોવાથી રાજ્ય સરકારને પણ માલધારી સમાજને નારાજ કરવો પોષાય તેમ નથી. માલધારીઓ માટે પણ આ ઢોર આવકનો એક માત્ર સ્ત્રોત હોવાથી તેમનો આક્રોશ યોગ્ય હતો. અંતે રાજ્ય સરકારે સામાન્ય રાહદારીઓ,વાહન ચાલકો અને માલધારીઓને પણ અનુકુળ એવો રસ્તો કાઢ્યો છે. 



જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.

આંતરરાષ્ટ્રીય સંબંધોમાં USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર ચર્ચાઓમાં છે તેમણે ફરી એકવાર , ભારતને લઇને નિવેદનબાજીઓ કરી છે. ડોનાલ્ડ ટ્રમ્પને અપેક્ષા છે કે , ભારત આ વર્ષના અંતથી રશિયન ક્રૂડની આયાત કરવાનું બંધ કરી દેશે. આ ઉપરાંત ડોનાલ્ડ ટ્રમ્પએ ચીન વિશે નિવેદન આપતા કહ્યું છે કે , બાઈડેન અને ઓબામાની નીતિઓના કારણે ચીન અને રશિયા એક થયા છે. બાકી બંને મિત્ર રહી શકે તેમ છે જ નહીં. ચીનના રશિયા સાથેના સંબંધો અલગ પ્રકારના છે.

રાજકોટના ગોંડલના ખુબ ચર્ચિત રાજકુમાર જાટ કેસમાં આ આખા કેસની તપાસ હવે સુરેન્દ્રનગરના SP , IPS પ્રેમસુખ ડેલુંને સોંપાઈ છે. જે ડી પુરોહિત કે જેઓ ધ્રાંગધ્રાના DYSP છે એ તેમને આ કેસની તપાસમાં મદદ કરશે. આમ હવે રાજકુમાર જાટ કેસમાં તપાસ માટે એક નવી તપાસ ટીમ બનાવવામાં આવશે. રાજકુમાર જાટના પરિવારજનોનું માનવું છે કે , સ્થાનિક પોલીસ પૂર્વ MLA જયરાજસિંહને બચાવી રહી છે. આ કેસની વધુ તપાસ CBIને સોંપવામાં આવે તેવી અરજી પણ તેમના દ્વારા દાખલ કરવામાં આવી હતી. ગુજરાત હાઇકોર્ટ દ્વારા આ કેસને લઇને મહત્વના નિર્દેશ આપવામાં આવ્યા છે.

રાજકોટના ખુબ ચર્ચિત કેસ અમિત ખૂંટ કેસમાં અનિરુદ્ધસિંહ જાડેજાના દીકરા રાજદીપસિંહ જાડેજાના આગોતરા જામીન હવે સુપ્રીમ કોર્ટે ફગાવી દીધા છે. સુપ્રીમ કોર્ટે દ્વારા રાજદીપ સિંહ જાડેજાના આગોતરા જામીન ના મંજુર કરવાંમાં આવ્યા છે. જેનાથી હવે રાજદીપ જાડેજાની મુશ્કેલીઓમાં વધારો થઇ શકે છે. આપને જણાવી દયિકે , રાજદીપસિંહ જાડેજાના પિતા અનિરુદ્ધસિંહ જાડેજા હાલમાં EX MLA પોપટલાલ સોરઠીયા કેસમાં સજામાફી રદ થવાના કારણે જેલમાં જ છે.