રસ્તા પર રખડતા 'મોત'થી છુટકારો ક્યારે?


  • Published By : Payal rathod
  • Published Date : 2022-08-25 12:06:15

વિધાનસભાની ચૂંટણી હવે નજીક છે ત્યારે કેટલીક સળગતી સમસ્યાઓમાં રખડતા ઢોરનો પ્રશ્ન મહત્વનો છે, શહેરના માર્ગો પર ભટકતા આ ઢોરથી અનેક લોકોને ગંભીર ઇજાઓ પહોંચી છે. તો અનેક લોકો મોતને પણ ભેટ્યા છે. એટલુ જ નહીં થોડા દિવસ પહેલા તો ખુદ પૂર્વ ડેપ્યુટી સીએમ નીતિન પટેલને પણ ગાયે અડફેટે લીધા હતા. જેમાં તેમને ગંભીર ઇજા પહોંચી હતી. મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ પણ રખડતા ઢોરના ત્રાસ અંગે ચિંતા વ્યક્ત કરી ચુક્યા છે.

ઢોર મુદ્દે સરકારનો મહત્વનો નિર્ણય

હવે રાજ્ય સરકારે રખડતા ઢોરના પ્રશ્નને હલ કરવા મહત્વનો નિર્ણય કર્યો છે. રાજ્ય સરકાર જે પશુપાલકો પાસે પશુઓને રાખવા માટેની યોગ્ય વ્યવસ્થા ન હોય તેઓ પાલિકા કે નગરપાલિકાના ઢોરવાડામાં પોતાના પશુઓ મુકી શકશે. રાજ્ય સરકાર દ્વારા પશુપાલકો પોતાના પશુઓને ઢોરવાડામાં મુકી જઇ શકે તે માટેનો ટ્રાન્પોર્ટેશન ખર્ચ પણ મનપા દ્વારા ઉઠાવવામાં આવે તેવો નિર્ણય લેવામાં આવ્યો છે. પશુપાલકો અહીં તેમના પશુઓને વિનામુલ્યે મુકી જાય તેવી વ્યવસ્થા કરવામાં આવી છે. આ ઢોરવાડામાં પશુઓને જરુરી તમામ સગવડોનું ધ્યાન રાખવામાં આવશે. રાજ્ય સરકાર દ્વારા આ માટે 10 કરોડ રૂપિયાની જોગવાઈ કરવામાં આવી છે. રાજ્યની 08 મહાનગરપાલિકાઓ અને 156 નગરપાલિકાઓમાં ઢોરવાડા બનાવવામાં આવશે અને જરૂર પડે તેમાં વધારો પણ કરવામાં આવશે. રાજ્ય સરકાર શહેરી વિસ્તારમાં રખડતા ઢોરને પકડવા ખાસ ઝૂંબેશ પણ શરૂ કરશે.

ગુજરાત હાઇકોર્ટનું આકરુ વલણ 

હાઈકોર્ટે રાજ્ય સરકારને 24 ઓગસ્ટના સાંજે 4 વાગ્યા સુધીમાં નક્કર નિર્ણય લેવા ટકોર કરી હતી. જો નિર્ણય નહીં લેવાય તો કોર્ટ જ આકરો હુકમ કરશે તેવું જણાવ્યુ હતું. જેને કારણે હાઇકોર્ટમાં ફરી સુનાવણી શરુ થઈ હતી.તાજેતરમાં રખડતા ઢોરના ત્રાસના કારણે એક વ્યક્તિનું મૃત્યુ થતા હાઈકોર્ટે આ ઘટનાની ગંભીર નોંધ લઈ સરકારને કોઈ અસરકારક નિર્ણય લેવા દબાણ કર્યું હતું. રખડતા ઢોર મુદ્દે FIR નોંધવાની શરૂ કરવાનો પણ હાઈકોર્ટે નિર્દેશ કર્યો હતો.

ઢોર નિયંત્રણ બિલનું ભાવી અદ્ધરતાલ 

વિધાનસભાના શિયાળુ સત્રના અંત સમયે વિધાનસભામાં રખડતાં ઢોર નિયંત્રણ બિલ લાવવામાં આવ્યું હતું. આ બિલ રજૂ કરાયું ત્યારે સૌથી વધારે ચર્ચા કરવામાં આવી હતી. રાજ્યમાં આ બિલનો અમલ ન થાય તે માટે માલધારીઓએ જોરદાર વિરોધ કર્યો હતો. આખરે સરકારે બિલના અમલીકરણનો નિર્ણય મોકુફ રાખ્યો હતો. ચૂંટણી નજીક હોવાથી રાજ્ય સરકારને પણ માલધારી સમાજને નારાજ કરવો પોષાય તેમ નથી. માલધારીઓ માટે પણ આ ઢોર આવકનો એક માત્ર સ્ત્રોત હોવાથી તેમનો આક્રોશ યોગ્ય હતો. અંતે રાજ્ય સરકારે સામાન્ય રાહદારીઓ,વાહન ચાલકો અને માલધારીઓને પણ અનુકુળ એવો રસ્તો કાઢ્યો છે. 



રાજકોટના જંગલેશ્વર ખાતે આજે ડિમોલિશન પૂર્ણ થયું છે. મહાનગરપાલિકા અને પોલીસ તંત્રના સંયુક્ત ઉપક્રમે જે કામગીરી ચાલી રહી હતી , તેમાં કુલ ૧૫૦૯ જેટલા મકાનોને જમીનદોસ્ત કરી દેવામાં આવ્યા છે. જંગલેશ્વરની જે શેરીઓ થોડાક સમય અગાઉ લોકોથી ધમધમતી હતી તે શેરીઓની જગ્યાએ હવે કાટમાળના ઢગલા અને વેરાન મેદાન જોવા મળી રહ્યા છે. આ ડિમોલિશન કામગીરી દરમ્યાન RMCના ૧ કર્મચારીનો જીવ માંડમાંડ બચ્યો હતો.

ગીર સોમનાથ જિલ્લામાં SP જયદીપસિંહ જાડેજા દ્વારા જિલ્લામાં અસામાજિક તત્વોને નિયંત્રણમાં લેવા હવે આઠ આરોપીઓની સામે ગુજસીટોકનું શાસ્ત્ર ઉગામવામાં આવ્યું છે. જેના કારણે , ગીર સોમનાથના અસામાજિક તત્વોમાં ભારે ફફડાટનો માહોલ છે. આ આઠ આરોપીઓની સામે પ્રોહિબિશન સહીત અનેક ગુનાઓ નોંધાયેલા છે , હવે આ ઈસમોની સામે , વેરાવળ સીટી પોલીસ સ્ટેશન ખાતે GUJSITOKની વિવિધ કલમ અંતર્ગત ગુનો નોંધવામાં આવ્યો છે.

દિલ્હીની AI ઈમ્પૅક્ટ સમિટમાં ઉદ્યોગપતિ મુકેશ અંબાણી દ્વારા સંબોધન કરવામાં આવ્યું છે. મુકેશ અંબાણીએ AIના હકારાત્મક ઉપયોગ પર ભાર મુકવામાં આવ્યો છે. તેમણે કહ્યું છે કે , " AI નોકરીઓ નઈ ખાય. એટલુંજ નહિ AI ખુબ મોટાપાયે તક ઉભી કરશે."

સોશ્યિલ મીડિયા ઇન્ફુએન્સર કીર્તિ પટેલ પર આજે બીજી ફરિયાદ દાખલ કરવામાં આવી છે. જૂનાગઢના મહાશિવરાત્રીના મેળામાં મૃગુ કુંડમાં ડૂબકી લગાવવા પર કીર્તિ પટેલ વિવાદોમાં આવ્યા હતા. આ બાબતે સાધુ સંતોમાં ભારે નારાજગી જોવા મળી હતી. ત્યારે હવે કીર્તિ પટેલ વિરૂદ્ધ ભવનાથ પોલીસ સ્ટેશનમાં વધુ એક ફરિયાદ નોંધાઈ છે. આ ફરિયાદ મહંત બજરંગદાસ બાપુ દ્વારા નોંધાવવામાં આવી છે. જૂનાગઢના ભવનાથ ખાતે દર વર્ષે , મહાશિવરાત્રીના પર્વ નિમિતે, લાખો શ્રદ્ધાળુઓ ઉમટી પડે છે. આ વર્ષે , ભવનાથના મેળામાં સોશ્યિલ મીડિયા ઇન્ફુએન્સર કીર્તિ પટેલને લઇને વિવાદ થયો છે. મૃગી કુંડમાં સ્નાન કરવા બદલ સાધુ સંતોમાં ભારે નારાજગી જોવા મળી છે. તે જ સમયે PI સાથે મૃગીકુંડમાં કીર્તિ પટેલને ઘર્ષણ પણ થયું હતું. આ પછી , ભવનાથ પોલીસ સ્ટેશનમાં મહિલા PI કે જે મોડ દ્વારા કીર્તિ પટેલની વિરુદ્ધમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. પોલીસની કામગીરીમાં અવરોધ ઉભો કરવાનો આરોપ , PIને જાનથી મારી નાખવાની ધમકી , શાંતિ ડહોળવાનો પ્રયાસની કલમ એડ કરવામાં આવી છે. હવે આજે , બીજી ફરિયાદ સાધુ-સંત દ્વારા કરવામાં આવી છે. આ ફરિયાદ સાધુ સંતોની લાગણી દુભાવવા પર અને તેમને બદનામ કરવા બદલ ભવનાથ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. પ્રભાસ પાટણ નિરાલી ખોડિયાર આશ્રમના મહંત બજરંગદાસ બાપુએ કીર્તિ પટેલન સામે પોલીસ ફરિયાદ નોંધાવી છે. પોલીસ ફરિયાદ નોંધાતા પોલીસે કીર્તિને પકડવા માટે ચક્રો ગતિમાન કર્યા છે. અલગ અલગ ટીમો બનાવીને તપાસ હાથ ધરાઈ છે.