OPSનો તણખો ટૂંક સમયમાં જ થશે ભડકો


  • Published By :
  • Published Date : 2022-12-27 12:54:30

STORY BY- SAMIR PARMAR


ગુજરાત સરકારમાં કામ કરતા તમામ કર્મચારી સોશિયલ મીડિયામાં જૂની પેન્શન સ્કીમ ચાલુ કરવાની માગણીનું ડીપી લગાવીને વિરોધ નોંધાવી રહ્યા છે. ગુજરાત રાજ્ય સંયુક્ત કર્મચારી મોરચા અંતર્ગત કર્મચારીઓ નવી પેન્શન સ્કિમનો વિરોધ નોંધાવી રહ્યા છે. સમય મુજબ નવી પેન્શન સ્કીમમાં ઘણા બદલાવો કરવામાં આવ્યા હતા, જેનાથી સરકારી કર્મચારીઓ નારાજ છે. આથી ગુજરાતના સરકારી કર્મચારીઓ જૂની પેન્શન સ્કીમ લાગુ કરવા માટે વિરોધ કરી રહ્યા છે. 


કેવી રીતે આકાર લેશે આખું આંદોલન?

જમાવટ મીડિયાએ જ્યારે સરકારી સૂત્રને પૂછ્યું ત્યારે તેમણે જણાવ્યું હતું કે, "ગુજરાત રાજ્ય સંયુક્ત કર્મચારી મોરચા અંતર્ગત આંદોલન કરવામાં આવશે. ગુજરાતના તમામ જિલ્લાના કર્મચારીઓ જિલ્લા ખાતે આવેદન પત્રો આપી આંદોલન વિશે જાણકારી આપશે. 15 સપ્ટેમ્બર બાદ કર્મચારીઓ માસ CL એટલે કે તમામ કર્મચારીઓ રજા પર ઉતરી જશે, જ્યારે 18 સપ્ટેમ્બર પછી પેનડાઉન કરવાનું આયોજન ગુજરાત રાજ્ય સંયુક્ત કર્મચારી મોરચાનું છે. પેનડાઉન બાદ સરકારી કર્મચારીઓ કોઈ પણ પ્રકારના સરકારી કામમાં સહયોગ નહીં આપે. 20 સપ્ટેમ્બર બાદ તમામ સરકારી કર્મચારી અચોક્કસ મુદ્દત માટે હડતાળ પર ઉતરવાની યોજના બનાવી રહ્યું છે. આ મોરચા અંતર્ગત સરકારી કર્મચારી સહિત સરકારના કોન્ટ્રાક્ટ બેઝના કર્મચારી પણ આવી સામેલ થઈ જાય છે.  




OPS એટલે શું?

ભારત સરકારે 2004માં ઠરાવ કરી પેન્શન સ્કીમ બંધ કરી હતી. જે અંતર્ગત 2006થી સરકારી કર્મચારીનું પેન્શન બંધ થયું હતું. સરકારી કર્મચારીનું મોત થતાં તેના પત્ની/પતિને મળતું પેન્શન પણ બંધ થયું હતું. નવી પેન્શન સ્કીમમાં પેન્શન નહીં હોવાના કારણે તમામ કર્મચારીઓ જૂની પેન્શન સ્કીમ લાગુ કરવા માટે સરકાર સામે મોરચો માંડ્યો છે.


શું છે ગુજરાત રાજ્ય સંયુક્ત કર્મચારી મોરચાની માગ?

ગુજરાત રાજ્ય સંયુક્ત કર્મચારી મોરચાની માગ છે કે નવી સ્કીમ કાઢી જૂની પેન્શન સ્કીમ ફરીથી શરૂ કરવામાં આવે. અત્યારે સાતમું પગાર પંચ લાગુ હોવા છતાં સરકારી કર્મચારીને છઠ્ઠા પગાર પંચ મુજબ ભથ્થા મળે છે, તે બંધ કરી સાતમા પગાર પંચ મુજબ ભથ્થા આપવા માગ કરવામાં આવી રહી છે. સરકારી કર્મચારીઓનું કહેવું છે કે ત્યારની મોંઘવારી અને અત્યારની મોંઘવારીમાં જમીન આસમાનનો તફાવત છે. અત્યારની મોંઘવારી વધારે હોવાના કારણે ઓછા પગારમાં ઘર ચલાવવામાં મુશ્કેલી પડી રહી છે. ઉદાહરણ તરીકે સ્ટેટ ટેક્સ ઈન્સપેક્ટરનું ભથ્થું છઠ્ઠા પગાર પંચ મુજબ જો 38000 હોય તો સાતમા પગાર પંચ મુજબ ભથ્થું આપવામાં આવે તો તેમના પગારમાં 10થી 12 હજાર રૂપિયાનો વધારો થઈ જશે. માગણી મુજબ રિટાયર થવાની ઉંમર 58 છે તે વધારી 60 કરવામાં આવે તેવો પણ મુદ્દો આંદોલનમાં સામેલ છે. આ સિવાયના તેમના ઘણા નાના મુદ્દાઓ પણ છે પરંતુ મુખ્ય મુદ્દો જૂની પેન્શન સ્કીમ લાગુ કરવાનો છે. 


ટૂંક સમયમાં ગુજરાત વિધાનસભાની ચૂંટણી આવી રહી છે. ચૂંટણી પહેલા જ સરકારી કર્મચારી માગણીઓ સાથે વિરોધ નોંધાવે છે. સરકારને મતોની જરૂર હોવાના કારણે સામાન્ય રીતે સરકાર માગણી સ્વિકારતી હોય છે. આથી સરકારી કર્મચારીઓ ચૂંટણી પહેલા પોતાની માગણી સાથે મેદાને ઉતરતા હોય છે. તમામ સરકારી અને બિનસરકારી લોકોના માગ સ્વિકારવા માટે ભૂપેન્દ્ર પટેલ સરકારે પાંચ મંત્રીની સમિતી બનાવી છે. આ સમિતીએ ઘણા લોકોની માગણી સ્વિકારી છે. જ્યારે ટૂંક સમયમાં સફાઈ કર્મચારી મંડળ પણ વિરોધ નોંધાવા જઈ રહ્યું છે. 



રાજકોટના જંગલેશ્વર ખાતે આજે ડિમોલિશન પૂર્ણ થયું છે. મહાનગરપાલિકા અને પોલીસ તંત્રના સંયુક્ત ઉપક્રમે જે કામગીરી ચાલી રહી હતી , તેમાં કુલ ૧૫૦૯ જેટલા મકાનોને જમીનદોસ્ત કરી દેવામાં આવ્યા છે. જંગલેશ્વરની જે શેરીઓ થોડાક સમય અગાઉ લોકોથી ધમધમતી હતી તે શેરીઓની જગ્યાએ હવે કાટમાળના ઢગલા અને વેરાન મેદાન જોવા મળી રહ્યા છે. આ ડિમોલિશન કામગીરી દરમ્યાન RMCના ૧ કર્મચારીનો જીવ માંડમાંડ બચ્યો હતો.

ગીર સોમનાથ જિલ્લામાં SP જયદીપસિંહ જાડેજા દ્વારા જિલ્લામાં અસામાજિક તત્વોને નિયંત્રણમાં લેવા હવે આઠ આરોપીઓની સામે ગુજસીટોકનું શાસ્ત્ર ઉગામવામાં આવ્યું છે. જેના કારણે , ગીર સોમનાથના અસામાજિક તત્વોમાં ભારે ફફડાટનો માહોલ છે. આ આઠ આરોપીઓની સામે પ્રોહિબિશન સહીત અનેક ગુનાઓ નોંધાયેલા છે , હવે આ ઈસમોની સામે , વેરાવળ સીટી પોલીસ સ્ટેશન ખાતે GUJSITOKની વિવિધ કલમ અંતર્ગત ગુનો નોંધવામાં આવ્યો છે.

દિલ્હીની AI ઈમ્પૅક્ટ સમિટમાં ઉદ્યોગપતિ મુકેશ અંબાણી દ્વારા સંબોધન કરવામાં આવ્યું છે. મુકેશ અંબાણીએ AIના હકારાત્મક ઉપયોગ પર ભાર મુકવામાં આવ્યો છે. તેમણે કહ્યું છે કે , " AI નોકરીઓ નઈ ખાય. એટલુંજ નહિ AI ખુબ મોટાપાયે તક ઉભી કરશે."

સોશ્યિલ મીડિયા ઇન્ફુએન્સર કીર્તિ પટેલ પર આજે બીજી ફરિયાદ દાખલ કરવામાં આવી છે. જૂનાગઢના મહાશિવરાત્રીના મેળામાં મૃગુ કુંડમાં ડૂબકી લગાવવા પર કીર્તિ પટેલ વિવાદોમાં આવ્યા હતા. આ બાબતે સાધુ સંતોમાં ભારે નારાજગી જોવા મળી હતી. ત્યારે હવે કીર્તિ પટેલ વિરૂદ્ધ ભવનાથ પોલીસ સ્ટેશનમાં વધુ એક ફરિયાદ નોંધાઈ છે. આ ફરિયાદ મહંત બજરંગદાસ બાપુ દ્વારા નોંધાવવામાં આવી છે. જૂનાગઢના ભવનાથ ખાતે દર વર્ષે , મહાશિવરાત્રીના પર્વ નિમિતે, લાખો શ્રદ્ધાળુઓ ઉમટી પડે છે. આ વર્ષે , ભવનાથના મેળામાં સોશ્યિલ મીડિયા ઇન્ફુએન્સર કીર્તિ પટેલને લઇને વિવાદ થયો છે. મૃગી કુંડમાં સ્નાન કરવા બદલ સાધુ સંતોમાં ભારે નારાજગી જોવા મળી છે. તે જ સમયે PI સાથે મૃગીકુંડમાં કીર્તિ પટેલને ઘર્ષણ પણ થયું હતું. આ પછી , ભવનાથ પોલીસ સ્ટેશનમાં મહિલા PI કે જે મોડ દ્વારા કીર્તિ પટેલની વિરુદ્ધમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. પોલીસની કામગીરીમાં અવરોધ ઉભો કરવાનો આરોપ , PIને જાનથી મારી નાખવાની ધમકી , શાંતિ ડહોળવાનો પ્રયાસની કલમ એડ કરવામાં આવી છે. હવે આજે , બીજી ફરિયાદ સાધુ-સંત દ્વારા કરવામાં આવી છે. આ ફરિયાદ સાધુ સંતોની લાગણી દુભાવવા પર અને તેમને બદનામ કરવા બદલ ભવનાથ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. પ્રભાસ પાટણ નિરાલી ખોડિયાર આશ્રમના મહંત બજરંગદાસ બાપુએ કીર્તિ પટેલન સામે પોલીસ ફરિયાદ નોંધાવી છે. પોલીસ ફરિયાદ નોંધાતા પોલીસે કીર્તિને પકડવા માટે ચક્રો ગતિમાન કર્યા છે. અલગ અલગ ટીમો બનાવીને તપાસ હાથ ધરાઈ છે.