OPSનો તણખો ટૂંક સમયમાં જ થશે ભડકો


  • Published By :
  • Published Date : 2022-12-27 12:54:30

STORY BY- SAMIR PARMAR


ગુજરાત સરકારમાં કામ કરતા તમામ કર્મચારી સોશિયલ મીડિયામાં જૂની પેન્શન સ્કીમ ચાલુ કરવાની માગણીનું ડીપી લગાવીને વિરોધ નોંધાવી રહ્યા છે. ગુજરાત રાજ્ય સંયુક્ત કર્મચારી મોરચા અંતર્ગત કર્મચારીઓ નવી પેન્શન સ્કિમનો વિરોધ નોંધાવી રહ્યા છે. સમય મુજબ નવી પેન્શન સ્કીમમાં ઘણા બદલાવો કરવામાં આવ્યા હતા, જેનાથી સરકારી કર્મચારીઓ નારાજ છે. આથી ગુજરાતના સરકારી કર્મચારીઓ જૂની પેન્શન સ્કીમ લાગુ કરવા માટે વિરોધ કરી રહ્યા છે. 


કેવી રીતે આકાર લેશે આખું આંદોલન?

જમાવટ મીડિયાએ જ્યારે સરકારી સૂત્રને પૂછ્યું ત્યારે તેમણે જણાવ્યું હતું કે, "ગુજરાત રાજ્ય સંયુક્ત કર્મચારી મોરચા અંતર્ગત આંદોલન કરવામાં આવશે. ગુજરાતના તમામ જિલ્લાના કર્મચારીઓ જિલ્લા ખાતે આવેદન પત્રો આપી આંદોલન વિશે જાણકારી આપશે. 15 સપ્ટેમ્બર બાદ કર્મચારીઓ માસ CL એટલે કે તમામ કર્મચારીઓ રજા પર ઉતરી જશે, જ્યારે 18 સપ્ટેમ્બર પછી પેનડાઉન કરવાનું આયોજન ગુજરાત રાજ્ય સંયુક્ત કર્મચારી મોરચાનું છે. પેનડાઉન બાદ સરકારી કર્મચારીઓ કોઈ પણ પ્રકારના સરકારી કામમાં સહયોગ નહીં આપે. 20 સપ્ટેમ્બર બાદ તમામ સરકારી કર્મચારી અચોક્કસ મુદ્દત માટે હડતાળ પર ઉતરવાની યોજના બનાવી રહ્યું છે. આ મોરચા અંતર્ગત સરકારી કર્મચારી સહિત સરકારના કોન્ટ્રાક્ટ બેઝના કર્મચારી પણ આવી સામેલ થઈ જાય છે.  




OPS એટલે શું?

ભારત સરકારે 2004માં ઠરાવ કરી પેન્શન સ્કીમ બંધ કરી હતી. જે અંતર્ગત 2006થી સરકારી કર્મચારીનું પેન્શન બંધ થયું હતું. સરકારી કર્મચારીનું મોત થતાં તેના પત્ની/પતિને મળતું પેન્શન પણ બંધ થયું હતું. નવી પેન્શન સ્કીમમાં પેન્શન નહીં હોવાના કારણે તમામ કર્મચારીઓ જૂની પેન્શન સ્કીમ લાગુ કરવા માટે સરકાર સામે મોરચો માંડ્યો છે.


શું છે ગુજરાત રાજ્ય સંયુક્ત કર્મચારી મોરચાની માગ?

ગુજરાત રાજ્ય સંયુક્ત કર્મચારી મોરચાની માગ છે કે નવી સ્કીમ કાઢી જૂની પેન્શન સ્કીમ ફરીથી શરૂ કરવામાં આવે. અત્યારે સાતમું પગાર પંચ લાગુ હોવા છતાં સરકારી કર્મચારીને છઠ્ઠા પગાર પંચ મુજબ ભથ્થા મળે છે, તે બંધ કરી સાતમા પગાર પંચ મુજબ ભથ્થા આપવા માગ કરવામાં આવી રહી છે. સરકારી કર્મચારીઓનું કહેવું છે કે ત્યારની મોંઘવારી અને અત્યારની મોંઘવારીમાં જમીન આસમાનનો તફાવત છે. અત્યારની મોંઘવારી વધારે હોવાના કારણે ઓછા પગારમાં ઘર ચલાવવામાં મુશ્કેલી પડી રહી છે. ઉદાહરણ તરીકે સ્ટેટ ટેક્સ ઈન્સપેક્ટરનું ભથ્થું છઠ્ઠા પગાર પંચ મુજબ જો 38000 હોય તો સાતમા પગાર પંચ મુજબ ભથ્થું આપવામાં આવે તો તેમના પગારમાં 10થી 12 હજાર રૂપિયાનો વધારો થઈ જશે. માગણી મુજબ રિટાયર થવાની ઉંમર 58 છે તે વધારી 60 કરવામાં આવે તેવો પણ મુદ્દો આંદોલનમાં સામેલ છે. આ સિવાયના તેમના ઘણા નાના મુદ્દાઓ પણ છે પરંતુ મુખ્ય મુદ્દો જૂની પેન્શન સ્કીમ લાગુ કરવાનો છે. 


ટૂંક સમયમાં ગુજરાત વિધાનસભાની ચૂંટણી આવી રહી છે. ચૂંટણી પહેલા જ સરકારી કર્મચારી માગણીઓ સાથે વિરોધ નોંધાવે છે. સરકારને મતોની જરૂર હોવાના કારણે સામાન્ય રીતે સરકાર માગણી સ્વિકારતી હોય છે. આથી સરકારી કર્મચારીઓ ચૂંટણી પહેલા પોતાની માગણી સાથે મેદાને ઉતરતા હોય છે. તમામ સરકારી અને બિનસરકારી લોકોના માગ સ્વિકારવા માટે ભૂપેન્દ્ર પટેલ સરકારે પાંચ મંત્રીની સમિતી બનાવી છે. આ સમિતીએ ઘણા લોકોની માગણી સ્વિકારી છે. જ્યારે ટૂંક સમયમાં સફાઈ કર્મચારી મંડળ પણ વિરોધ નોંધાવા જઈ રહ્યું છે. 



જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.

આંતરરાષ્ટ્રીય સંબંધોમાં USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર ચર્ચાઓમાં છે તેમણે ફરી એકવાર , ભારતને લઇને નિવેદનબાજીઓ કરી છે. ડોનાલ્ડ ટ્રમ્પને અપેક્ષા છે કે , ભારત આ વર્ષના અંતથી રશિયન ક્રૂડની આયાત કરવાનું બંધ કરી દેશે. આ ઉપરાંત ડોનાલ્ડ ટ્રમ્પએ ચીન વિશે નિવેદન આપતા કહ્યું છે કે , બાઈડેન અને ઓબામાની નીતિઓના કારણે ચીન અને રશિયા એક થયા છે. બાકી બંને મિત્ર રહી શકે તેમ છે જ નહીં. ચીનના રશિયા સાથેના સંબંધો અલગ પ્રકારના છે.

રાજકોટના ગોંડલના ખુબ ચર્ચિત રાજકુમાર જાટ કેસમાં આ આખા કેસની તપાસ હવે સુરેન્દ્રનગરના SP , IPS પ્રેમસુખ ડેલુંને સોંપાઈ છે. જે ડી પુરોહિત કે જેઓ ધ્રાંગધ્રાના DYSP છે એ તેમને આ કેસની તપાસમાં મદદ કરશે. આમ હવે રાજકુમાર જાટ કેસમાં તપાસ માટે એક નવી તપાસ ટીમ બનાવવામાં આવશે. રાજકુમાર જાટના પરિવારજનોનું માનવું છે કે , સ્થાનિક પોલીસ પૂર્વ MLA જયરાજસિંહને બચાવી રહી છે. આ કેસની વધુ તપાસ CBIને સોંપવામાં આવે તેવી અરજી પણ તેમના દ્વારા દાખલ કરવામાં આવી હતી. ગુજરાત હાઇકોર્ટ દ્વારા આ કેસને લઇને મહત્વના નિર્દેશ આપવામાં આવ્યા છે.

રાજકોટના ખુબ ચર્ચિત કેસ અમિત ખૂંટ કેસમાં અનિરુદ્ધસિંહ જાડેજાના દીકરા રાજદીપસિંહ જાડેજાના આગોતરા જામીન હવે સુપ્રીમ કોર્ટે ફગાવી દીધા છે. સુપ્રીમ કોર્ટે દ્વારા રાજદીપ સિંહ જાડેજાના આગોતરા જામીન ના મંજુર કરવાંમાં આવ્યા છે. જેનાથી હવે રાજદીપ જાડેજાની મુશ્કેલીઓમાં વધારો થઇ શકે છે. આપને જણાવી દયિકે , રાજદીપસિંહ જાડેજાના પિતા અનિરુદ્ધસિંહ જાડેજા હાલમાં EX MLA પોપટલાલ સોરઠીયા કેસમાં સજામાફી રદ થવાના કારણે જેલમાં જ છે.