સ્થાનિક સમસ્યાઓને બદલે ચૂંટણીમાં કાશ્મીર, કલમ 370, નહેરૂ-ગાંધી પરિવાર, પાકિસ્તાન બન્યો મુદ્દો


  • Published By :
  • Published Date : 2022-11-22 20:30:31

ગુજરાત વિધાનસભાની ચૂંટણીને લઈ ભાજપ, કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીના નેતાઓ અને કાર્યકરો સમગ્ર રાજ્યમાં પ્રચાર અભિયાન ચલાવી રહ્યા છે. જો કે આ ચૂંટણીમાં સૌથી નોંધવા જેવો મુદ્દો એ છે કે રાજ્યની મુળભુત સમસ્યાઓથી ઈતર બાબતોની ચર્ચા વધુ કરવામાં આવી રહી છે. રાજ્યમાં મોંઘવારી, બેરોજગારી, આવકની અસમાનતા, મોંઘું શિક્ષણ અને આરોગ્ય સેવાઓ, પેપર લિંક કાંડ, કોન્ટ્રાક્ટ સિસ્ટમ, દારૂનું બેફામ વેચાણ, મોરબી દુર્ઘટના,ડ્ર્ગ્સની તસ્કરી, ખરાબ રસ્તાઓ અંગે કોઈ ચર્ચા જ થતી નથી. 


લોકોને ગેરમાર્ગે દોરાવાનો પ્રયાસ


રાજ્યમાં ચાલી રહેલા ચૂ્ંટણી પ્રચાર અભિયાન પર એક નજર કરીએ તો સમજાય છે કે લોકોને મૂળ મુદ્દાથી ભટકાવવામાં આવી રહ્યા છે. ગુજરાતના સળગતા પ્રશ્નો અંગે ભાજપ તો સત્તામાં છે એટલે ના બોલે પણ આપ અને કોંગ્રેસના નેતાઓ પણ આ પ્રશ્નોને જોરશોરથી ઉઠાવતા નથી. રાજ્યમાં તમામ સરકારી સુવિધાઓનું ખાનગીકરણ થઈ રહ્યું છે. ભાજપના નેતાઓ તેમના ચૂંટણી પ્રચારમાં રાષ્ટ્રિય મુદ્દાઓ પર જેવા કે રામમંદિર, કલમ 370, હિંદુત્વ, જવાહરલાલ નહેરૂ, ગાંધી પરિવાર, પાકિસ્તાન,  સરદાર પટેલ પર ભાષણબાજી કરે છે. હવે આ મુદ્દાઓને લોકસભાની ચૂંટણીમાં મુદ્દો બનાવવામાં આવે ત્યારે ઠીક છે, પણ વિધાનસભાની ચૂંટણી તો સંપુર્ણપણે સ્થાનિક મુદ્દાઓ પર લડાતી હોય છે. અમે ઉપર ગણાવેલા તમામ મુદ્દા લોકોને ભાવનાત્મક રીતે સ્પર્શતા હોવાથી તેની અવારનવાર ચર્ચા કરવામાં આવે છે તે સમજી શકાય છે. 


શિક્ષણ, બેરોજગારી અને મોંઘવારીની ચર્ચા ક્યારે?


ગુજરાતના અવલોકનકારોનું માનવું છે તે ચૂંટણીમાં શિક્ષણ, બેરોજગારી, આરોગ્યસેવા અને મોંઘવારી જેવા મુદ્દાઓની ચર્ચા જ નથી થતી. ભાજપના નેતાઓએ પણ મુદ્દાવાર ચર્ચા કરવી પડશે તેમજ શિક્ષણ, આરોગ્ય, બેરોજગારી અને મોંઘવારી જેવા મુદ્દે સરકારનાં કામોની માહિતી આપવી પડશે. ભૂતકાળમાં કરાયેલાં કામો માત્ર નહીં પરંતુ હવે ભાજપે કેટલાક અંશે ભવિષ્યમાં આ દિશામાં સરકાર શું કરવા ધારે છે, તે અંગે પણ સ્પષ્ટતા કરવી જોઈએ. આ મુદ્દાઓને ચર્ચામાં આગળ લાવવામાં આવે ત્યાર ભાજપ બચાવ મુદ્રામાં આવી જાય છે.




મુકેશ અંબાણીએ નાથદ્વારામાં દર્શન કર્યા, ‘યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન’ પ્રોજેક્ટની જાહેરાત કરી છે. મુકેશ અંબાણીએ પવિત્ર નગરી નાથદ્વારામાં શ્રીનાથજી ભગવાનના ભોગ આરતી દર્શનનો દિવ્ય લાભ લીધો તેમજ ગુરુ શ્રી વિશાલબાવા સાહેબના આશીર્વાદ પ્રાપ્ત કર્યા છે. આ અવસરે તેમણે નાથદ્વારામાં આધુનિક અને સુવિધાસંપન્ન “યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન”ના નિર્માણની જાહેરાત કરી છે તેમજ શ્રીનાથદ્વારા મંદિરને ₹15 કરોડનું દાન આપ્યું છે.

ગુજરાત સરકાર દ્વારા ખેડૂતો માટે એક રાહત પેકેજની ઘોષણા કરવામાં આવી છે. ગુજરાતમાં ૨૫મી ઓક્ટોબરથી જે કમોસમી વરસાદનો રાઉન્ડ આવ્યો છે તેમાં , ૪૨ લાખ હેકટર જમીનને નુકશાન થયું છે. અંદાજે ૧૬,૦૦૦ ગામોને અસર પહોંચી છે. તો હવે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ દ્વારા આજે એક કૃષિ રાહત પેકેજની જાહેરાત કરવામાં આવી છે.

અમરેલી જિલ્લામાં કોંગ્રેસ દ્વારા આજે ખેતી બચાવો સત્યાગ્રહ અંતર્ગત લીલીયા ખાતે પ્રતીક ધરણાનો કાર્યક્રમ યોજાયો છે. આ કાર્યક્રમમાં કમોસમી વરસાદના કારણે ખેડૂતોને જે પાક નુકશાની થઇ છે તેને લઇને અમરેલી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપ દુધાત અને પૂર્વ વિપક્ષના નેતા પરેશ ધાનાણીના નેતૃત્વમાં એક સંમેલન યોજાયું છે. આ ઉપરાંત ખેડૂતોના દેવામાફીના મુદ્દે , લીલીયા મામલતદારને આવેદન પત્ર પણ આપવામાં આવ્યું છે. આ પ્રસંગે , ખેડૂતો પણ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા.

ગીર સોમનાથ જિલ્લાના ઉનામાં પાક નિષ્ફળ જતા ખેડૂતે આપઘાત કર્યો છે. ૪૯ વર્ષીય ખેડૂતે પોતાની વાડીના કુવામાં ઝંપલાવી જીવન ટૂંકાવ્યું છે. જેનાથી સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામી છે. ખેડૂત જેમનું નામ છે ગફાર મુસા ઉનડેએ પોતાનો જીવ એટલે ટૂંકાવ્યો છે કેમ કે , કમોસમી વરસાદના કારણે જે માવઠું આવ્યું તેના કારણે તેમનો પાક નિષ્ફળ જતો રહ્યો હતો જેના કારણે તેઓ ડિપ્રેશનમાં હતા.