સ્થાનિક સમસ્યાઓને બદલે ચૂંટણીમાં કાશ્મીર, કલમ 370, નહેરૂ-ગાંધી પરિવાર, પાકિસ્તાન બન્યો મુદ્દો


  • Published By :
  • Published Date : 2022-11-22 20:30:31

ગુજરાત વિધાનસભાની ચૂંટણીને લઈ ભાજપ, કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીના નેતાઓ અને કાર્યકરો સમગ્ર રાજ્યમાં પ્રચાર અભિયાન ચલાવી રહ્યા છે. જો કે આ ચૂંટણીમાં સૌથી નોંધવા જેવો મુદ્દો એ છે કે રાજ્યની મુળભુત સમસ્યાઓથી ઈતર બાબતોની ચર્ચા વધુ કરવામાં આવી રહી છે. રાજ્યમાં મોંઘવારી, બેરોજગારી, આવકની અસમાનતા, મોંઘું શિક્ષણ અને આરોગ્ય સેવાઓ, પેપર લિંક કાંડ, કોન્ટ્રાક્ટ સિસ્ટમ, દારૂનું બેફામ વેચાણ, મોરબી દુર્ઘટના,ડ્ર્ગ્સની તસ્કરી, ખરાબ રસ્તાઓ અંગે કોઈ ચર્ચા જ થતી નથી. 


લોકોને ગેરમાર્ગે દોરાવાનો પ્રયાસ


રાજ્યમાં ચાલી રહેલા ચૂ્ંટણી પ્રચાર અભિયાન પર એક નજર કરીએ તો સમજાય છે કે લોકોને મૂળ મુદ્દાથી ભટકાવવામાં આવી રહ્યા છે. ગુજરાતના સળગતા પ્રશ્નો અંગે ભાજપ તો સત્તામાં છે એટલે ના બોલે પણ આપ અને કોંગ્રેસના નેતાઓ પણ આ પ્રશ્નોને જોરશોરથી ઉઠાવતા નથી. રાજ્યમાં તમામ સરકારી સુવિધાઓનું ખાનગીકરણ થઈ રહ્યું છે. ભાજપના નેતાઓ તેમના ચૂંટણી પ્રચારમાં રાષ્ટ્રિય મુદ્દાઓ પર જેવા કે રામમંદિર, કલમ 370, હિંદુત્વ, જવાહરલાલ નહેરૂ, ગાંધી પરિવાર, પાકિસ્તાન,  સરદાર પટેલ પર ભાષણબાજી કરે છે. હવે આ મુદ્દાઓને લોકસભાની ચૂંટણીમાં મુદ્દો બનાવવામાં આવે ત્યારે ઠીક છે, પણ વિધાનસભાની ચૂંટણી તો સંપુર્ણપણે સ્થાનિક મુદ્દાઓ પર લડાતી હોય છે. અમે ઉપર ગણાવેલા તમામ મુદ્દા લોકોને ભાવનાત્મક રીતે સ્પર્શતા હોવાથી તેની અવારનવાર ચર્ચા કરવામાં આવે છે તે સમજી શકાય છે. 


શિક્ષણ, બેરોજગારી અને મોંઘવારીની ચર્ચા ક્યારે?


ગુજરાતના અવલોકનકારોનું માનવું છે તે ચૂંટણીમાં શિક્ષણ, બેરોજગારી, આરોગ્યસેવા અને મોંઘવારી જેવા મુદ્દાઓની ચર્ચા જ નથી થતી. ભાજપના નેતાઓએ પણ મુદ્દાવાર ચર્ચા કરવી પડશે તેમજ શિક્ષણ, આરોગ્ય, બેરોજગારી અને મોંઘવારી જેવા મુદ્દે સરકારનાં કામોની માહિતી આપવી પડશે. ભૂતકાળમાં કરાયેલાં કામો માત્ર નહીં પરંતુ હવે ભાજપે કેટલાક અંશે ભવિષ્યમાં આ દિશામાં સરકાર શું કરવા ધારે છે, તે અંગે પણ સ્પષ્ટતા કરવી જોઈએ. આ મુદ્દાઓને ચર્ચામાં આગળ લાવવામાં આવે ત્યાર ભાજપ બચાવ મુદ્રામાં આવી જાય છે.




જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.

આંતરરાષ્ટ્રીય સંબંધોમાં USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર ચર્ચાઓમાં છે તેમણે ફરી એકવાર , ભારતને લઇને નિવેદનબાજીઓ કરી છે. ડોનાલ્ડ ટ્રમ્પને અપેક્ષા છે કે , ભારત આ વર્ષના અંતથી રશિયન ક્રૂડની આયાત કરવાનું બંધ કરી દેશે. આ ઉપરાંત ડોનાલ્ડ ટ્રમ્પએ ચીન વિશે નિવેદન આપતા કહ્યું છે કે , બાઈડેન અને ઓબામાની નીતિઓના કારણે ચીન અને રશિયા એક થયા છે. બાકી બંને મિત્ર રહી શકે તેમ છે જ નહીં. ચીનના રશિયા સાથેના સંબંધો અલગ પ્રકારના છે.

રાજકોટના ગોંડલના ખુબ ચર્ચિત રાજકુમાર જાટ કેસમાં આ આખા કેસની તપાસ હવે સુરેન્દ્રનગરના SP , IPS પ્રેમસુખ ડેલુંને સોંપાઈ છે. જે ડી પુરોહિત કે જેઓ ધ્રાંગધ્રાના DYSP છે એ તેમને આ કેસની તપાસમાં મદદ કરશે. આમ હવે રાજકુમાર જાટ કેસમાં તપાસ માટે એક નવી તપાસ ટીમ બનાવવામાં આવશે. રાજકુમાર જાટના પરિવારજનોનું માનવું છે કે , સ્થાનિક પોલીસ પૂર્વ MLA જયરાજસિંહને બચાવી રહી છે. આ કેસની વધુ તપાસ CBIને સોંપવામાં આવે તેવી અરજી પણ તેમના દ્વારા દાખલ કરવામાં આવી હતી. ગુજરાત હાઇકોર્ટ દ્વારા આ કેસને લઇને મહત્વના નિર્દેશ આપવામાં આવ્યા છે.

રાજકોટના ખુબ ચર્ચિત કેસ અમિત ખૂંટ કેસમાં અનિરુદ્ધસિંહ જાડેજાના દીકરા રાજદીપસિંહ જાડેજાના આગોતરા જામીન હવે સુપ્રીમ કોર્ટે ફગાવી દીધા છે. સુપ્રીમ કોર્ટે દ્વારા રાજદીપ સિંહ જાડેજાના આગોતરા જામીન ના મંજુર કરવાંમાં આવ્યા છે. જેનાથી હવે રાજદીપ જાડેજાની મુશ્કેલીઓમાં વધારો થઇ શકે છે. આપને જણાવી દયિકે , રાજદીપસિંહ જાડેજાના પિતા અનિરુદ્ધસિંહ જાડેજા હાલમાં EX MLA પોપટલાલ સોરઠીયા કેસમાં સજામાફી રદ થવાના કારણે જેલમાં જ છે.