સ્થાનિક સમસ્યાઓને બદલે ચૂંટણીમાં કાશ્મીર, કલમ 370, નહેરૂ-ગાંધી પરિવાર, પાકિસ્તાન બન્યો મુદ્દો


  • Published By :
  • Published Date : 2022-11-22 20:30:31

ગુજરાત વિધાનસભાની ચૂંટણીને લઈ ભાજપ, કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીના નેતાઓ અને કાર્યકરો સમગ્ર રાજ્યમાં પ્રચાર અભિયાન ચલાવી રહ્યા છે. જો કે આ ચૂંટણીમાં સૌથી નોંધવા જેવો મુદ્દો એ છે કે રાજ્યની મુળભુત સમસ્યાઓથી ઈતર બાબતોની ચર્ચા વધુ કરવામાં આવી રહી છે. રાજ્યમાં મોંઘવારી, બેરોજગારી, આવકની અસમાનતા, મોંઘું શિક્ષણ અને આરોગ્ય સેવાઓ, પેપર લિંક કાંડ, કોન્ટ્રાક્ટ સિસ્ટમ, દારૂનું બેફામ વેચાણ, મોરબી દુર્ઘટના,ડ્ર્ગ્સની તસ્કરી, ખરાબ રસ્તાઓ અંગે કોઈ ચર્ચા જ થતી નથી. 


લોકોને ગેરમાર્ગે દોરાવાનો પ્રયાસ


રાજ્યમાં ચાલી રહેલા ચૂ્ંટણી પ્રચાર અભિયાન પર એક નજર કરીએ તો સમજાય છે કે લોકોને મૂળ મુદ્દાથી ભટકાવવામાં આવી રહ્યા છે. ગુજરાતના સળગતા પ્રશ્નો અંગે ભાજપ તો સત્તામાં છે એટલે ના બોલે પણ આપ અને કોંગ્રેસના નેતાઓ પણ આ પ્રશ્નોને જોરશોરથી ઉઠાવતા નથી. રાજ્યમાં તમામ સરકારી સુવિધાઓનું ખાનગીકરણ થઈ રહ્યું છે. ભાજપના નેતાઓ તેમના ચૂંટણી પ્રચારમાં રાષ્ટ્રિય મુદ્દાઓ પર જેવા કે રામમંદિર, કલમ 370, હિંદુત્વ, જવાહરલાલ નહેરૂ, ગાંધી પરિવાર, પાકિસ્તાન,  સરદાર પટેલ પર ભાષણબાજી કરે છે. હવે આ મુદ્દાઓને લોકસભાની ચૂંટણીમાં મુદ્દો બનાવવામાં આવે ત્યારે ઠીક છે, પણ વિધાનસભાની ચૂંટણી તો સંપુર્ણપણે સ્થાનિક મુદ્દાઓ પર લડાતી હોય છે. અમે ઉપર ગણાવેલા તમામ મુદ્દા લોકોને ભાવનાત્મક રીતે સ્પર્શતા હોવાથી તેની અવારનવાર ચર્ચા કરવામાં આવે છે તે સમજી શકાય છે. 


શિક્ષણ, બેરોજગારી અને મોંઘવારીની ચર્ચા ક્યારે?


ગુજરાતના અવલોકનકારોનું માનવું છે તે ચૂંટણીમાં શિક્ષણ, બેરોજગારી, આરોગ્યસેવા અને મોંઘવારી જેવા મુદ્દાઓની ચર્ચા જ નથી થતી. ભાજપના નેતાઓએ પણ મુદ્દાવાર ચર્ચા કરવી પડશે તેમજ શિક્ષણ, આરોગ્ય, બેરોજગારી અને મોંઘવારી જેવા મુદ્દે સરકારનાં કામોની માહિતી આપવી પડશે. ભૂતકાળમાં કરાયેલાં કામો માત્ર નહીં પરંતુ હવે ભાજપે કેટલાક અંશે ભવિષ્યમાં આ દિશામાં સરકાર શું કરવા ધારે છે, તે અંગે પણ સ્પષ્ટતા કરવી જોઈએ. આ મુદ્દાઓને ચર્ચામાં આગળ લાવવામાં આવે ત્યાર ભાજપ બચાવ મુદ્રામાં આવી જાય છે.




ભારતના રક્ષામંત્રી રાજનાથ સિંહ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ૭ લોકકલ્યાણ માર્ગ પર મળીને નીકળ્યા છે. આ પેહલા રક્ષામંત્રી રાજનાથ સિંહ ગયિકાલે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ અનિલ ચૌહાણને મળ્યા હતા. સાથે જ તેમણે ભારતની ભવિષ્યની રણનીતિ વિશે ચર્ચા કરી હતી. તો હવે આજે જમ્મુ કાશ્મીર વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું છે. જેમાં બધા જ પક્ષોએ એક જ સૂરમાં આ આતંકવાદી હુમલાનો વિરોધ કર્યો છે.

ગુજરાત સરકાર, ગુજરાત ઈન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ કોર્પોરેશન અને મુંબઈ સ્થિત અમેરિકન કોન્સ્યુલેટના સંયુક્ત ઉપક્રમે અમદાવાદમાં ૨૫ એપ્રિલે યોજાઈ સેમિકન્ડક્ટર કોન્ફરન્સ, જેમાં ઉદ્યોગના નિષ્ણાંતો હિસ્સો બન્યા અને સેમિકન્ડક્ટર રાઉન્ડ ટેબલમાં વિવિધ વિષયોની ચર્ચા કરાઈ, આ કાર્યક્રમમાં ઈન્ડો અમેરિકન ચેમ્બર ઓફ કોમર્સ પણ હિસ્સો બન્યું હતુ.

૧લી મે એટલે , આપણા ગુજરાતનો સ્થાપના દિવસ . આપણા ગુજરાતીઓ માટે મતલબ થાય છે ખાલી ક્રિકેટ . પરંતુ હવે અમદાવાદના કાંકરિયા સ્થિત ટ્રાન્સસ્ટેડિયામાં ગુજરાત સ્ટેટ ફૂટબોલ એસોસિયએશન દ્વારા ૧લી મેં થી ૧૩મી મેં સુધી ગુજરાત સુપર લીગનું આયોજન કરેલું છે

લોકસભાના વિરોધ પક્ષના નેતા રાહુલ ગાંધી જમ્મુ કાશ્મીરની મુલાકાતે પહોંચ્યા છે. સૌ પ્રથમ તેમણે રાજધાની શ્રીનગરના આર્મી હોસ્પિટલની મુલાકાત લીધી છે. આ ઉપરાંત તેમણે જમ્મુ કાશ્મીરના મુખ્યમંત્રી ઓમર અબ્દુલ્લાહની અને LG મનોજ સિંહની પણ મુલાકાત લીધી છે .