સ્થાનિક નેતૃત્વનું મહત્વ ઘટ્યું: રાજ્યની ચૂંટણીઓમાં રાષ્ટ્રીય નેતાઓ પાર્ટીઓના ચહેરા બન્યા


  • Published By :
  • Published Date : 2022-11-03 17:36:31


દેશના રાજકારણમાં એક મહત્વનો ટ્રેન્ડ જોવા મળી રહ્યો છે. હવે વિધાનસભાની ચૂંટણીઓમાં પણ રાષ્ટ્રિય નેતાઓનું પ્રભુત્વ જણાય છે. ગુજરાત રાજ્ય વિધાન સભા ચૂંટણી પહેલા થયેલા CSDS-Lokniti surveyમાં આ બાબત જાણવા મળી છે. લોકનીતિ  સેન્ટર ફોર ધ સ્ટડી ઓફ ડેવલપિંગ સોસાયટી (CSDS)એ આ સર્વે કર્યો હતો.


રાજકીય પાર્ટીઓ માટે નેતૃત્વ પરિબળ મહત્વનું


તાજેતરના ભૂતકાળમાં, કેન્દ્રીય અને રાજ્ય સ્તરે પક્ષોની સફળતા નક્કી કરવામાં નેતૃત્વ પરિબળ મહત્ત્વની ભૂમિકા ભજવે છે. ગુજરાતમાં નેતૃત્વ પરિબળ કેટલું નિર્ણાયક હોઈ શકે? હકીકત એ છે કે ભારતીય જનતા પાર્ટી (BJP) એ રાજ્યમાં માત્ર મુખ્ય પ્રધાનને બદલવાની જ નહીં પરંતુ સમગ્ર કેબિનેટમાં મોટા પાયે ફેરફાર કર્યો હતો તે જોતાં, પક્ષ સંગઠન માટે તેના રાષ્ટ્રીય નેતૃત્વની ભૂમિકા કેટલી મહત્વપૂર્ણ જોઈ હતી તે દર્શાવે છે. ગુજરાતમાં આમ આદમી પાર્ટી (AAP) નો ઉદય પણ તેના રાષ્ટ્રીય નેતૃત્વને આભારી છે. 


પાર્ટીથી ઉપર ઉઠેલા નેતાઓ મોદી અને કેજરીવાલ


ભારતના રાજકારણમાં નરેન્દ્ર મોદી, કેજરીવાલ, મમતા બેનર્જી, અને ચંદ્રશેખર રાવ સહિતના નેતાઓ તેમની પાર્ટી કરતા મોટા બની ગયા છે. આ નેતાઓ તેમની  લોકચાહનાના જોરે એકલા હાથે ચૂંટણી જીતાડવા માટે સમર્થ છે. તેમાં પણ નરેન્દ્ર મોદી અને અરવિંદ કેજરીવાલ એવા નેતા બન્યા છે કે તેઓ તેમના રાજ્ય સિવાય પણ અન્ય રાજ્યોમાં લોકપ્રિય બન્યા છે. જેમ કે કેજરીવાલે દિલ્લી અને પંજાબમાં તેમની  લોકપ્રિયતાના જોરે પાર્ટીને જીત અપાવી હતી, હવે તે ગુજરાત જીતવાના પ્રયત્નો કરી રહ્યા છે.


ગુજરાતમાં મોદી અને કેજરીવાલ મુખ્ય ચહેરો


ગુજરાત વિધાન સભાની ચૂંટણી પહેલા શરૂ થયેલા પ્રચાર અભિયાનમાં આ દ્રશ્ય સ્પષ્ટ જોવા મળી રહ્યું છે. ભાજપ અને આપના સ્થાનિક નેતાઓ કરતા મોદી અને કેજરીવાલની રેલીઓમાં વધુ ભીડ ઉમટે છે, લોકો તેમના ભાષણને સાંભળવા ઉત્સુક રહે છે. ગુજરાત ભાજપના નેતાઓ જેવા સીએમ ભૂપેન્દ્ર પટેલ, જીતુ વાઘાણી તથા આપના નેતા ઈસુદાન ગઢવી અને ગોપાલ ઈટાલિયા ભીડ એકઠી કરવામાં ઉણા ઉતરી રહ્યા છે. રાજ્યમાં ચૂંટણી પ્રચારની કમાન ભાજપમાં મોદી અને આપમાં કેજરીવાલ પાસે છે.



રાજકોટ ગેમઝોન અગ્નિ કાંડ કે જેમાં RMCના પૂર્વ TPO મનસુખ સાગઠીયાને હવે સુપ્રીમ કોર્ટ દ્વારા રાહત આપવામાં આવી છે. રાજકોટ ગેમઝોન અગ્નિકાંડના આરોપી અને પૂર્વ TPO મનસુખ સાગઠીયાના જામીન સુપ્રીમ કોર્ટ તરફથી મંજુર કરવામાં આવ્યા છે. RMCના પૂર્વ TPO મનસુખ સાગઠીયા છેલ્લા સવા વર્ષથી જેલમાં બંધ હતા. તેમણે સુપ્રીમ કોર્ટમાં જામીન અરજી દાખલ કરી હતી જેના પર સુનાવણી કર્યા બાદ સુપ્રીમ કોર્ટે મનસુખ સાગઠીયાના જામીન મંજુર કર્યા છે.

રાજકોટના અનિરુદ્ધસિંહ જાડેજા કે જેઓ અવારનવાર સમાચારોમાં રહેતા હોય છે , તેમને હવે પૂર્વ MLA પોપટલાલ સોરઠિયાના કેસમાં સુપ્રીમ કોર્ટ તરફથી ઝટકો મળ્યો છે. અનિરુદ્ધસિંહ જાડેજાએ ગુજરાત હાઇકોર્ટનો જે સજામાંફીને લઇને જે ચુકાદો હતો તેને સુપ્રીમ કોર્ટમાં પડકાર્યો હતો પરંતુ , હવે રીબડાના અનિરુદ્ધસિંહ જાડેજાને સુપ્રીમ કોર્ટમાંથી પણ રાહત નથી મળી . સુપ્રીમ કોર્ટ તરફથી અનિરુદ્ધસિંહ જાડેજાને સરેન્ડર થવા માટે આદેશ આપવામાં આવ્યો છે.

આમ આદમી પાર્ટીમાં ભંગાણના એંધાણ છે , હવે અમદાવાદમાંથી ચેતન રાવલે આપમાંથી રાજીનામુ આપી દીધું છે . ચેતન રાવલ આમ આદમી પાર્ટીમાં નેશનલ જોઈન્ટ સેક્રેટરી હતા . ચેતન રાવલ કોંગ્રેસ છોડી આમ આદમી પાર્ટીમાં જોડાયા હતા . આ રાજીનામાનો પત્ર ચેતન રાવલે આમ આદમી પાર્ટીના પ્રદેશપ્રમુખ ઈસુદાન ગઢવીને સંબોધીને લખ્યો છે. ચેતન રાવલે રાજીનામુ આપવા પાછળ અંગત કારણ આગળ ધર્યું છે.

દેદિયાપાડાના MLA ચૈતર વસાવાની જામીન અરજી પર આજે ગુજરાત હાઇકોર્ટમાં સુનાવણી થવાની હતી. જેમાં હવે સમાચાર આવ્યા છે કે , ચૈતર વસાવાની જામીન અરજી પર આજે સુનાવણી નઈ થાય. ગુજરાત હાઇકોર્ટના વકીલોની હડતાળને કારણે સુનાવણી નહિ થાય. આજે ગુજરાત હાઇકોર્ટમાં ધારાસભ્ય ચૈતર વસાવાની જામીન અરજી પર સુનાવણી હાથ ધરાવવાની હતી . પરંતુ હવે વકીલોની હડતાળના કારણે આ સુનાવણી ટળી ગઈ છે . આમ હવે MLA ચૈતર વસાવાનો જેલવાસ લંબાયો છે .