ચૂંટણીમાં કેટલો છે પાટીદાર પાવર, રાજકીય પક્ષો શા માટે આપે છે પટેલોને આટલું મહત્વ? જાણો


  • Published By :
  • Published Date : 2022-11-18 15:07:40

ગુજરાતમાં પાટીદારો સૌથી સંગઠિત સમાજ છે. કોઈ પણ રાજકીય પક્ષ તેમની અવગણના કરી શકે તેમ નથી. પાટીદાર સમાજ શિક્ષણ, બિઝનેશ અને સામાજીક ક્ષેત્રે ખુબ જ પ્રગતિશીલ પણ છે. ભાજપે વર્ષ 2017માં પાટીદારોની અવગણના કરી હતી તો તેને જબરદસ્ત ફટકો પડ્યો અને રાજ્યમાં માત્ર 99 સીટો જ મળી શકી હતી. સૌરાષ્ટ્રમાં તો ભાજપનો લગભગ સફાયો જ થઈ ગયો હતો. આ વખતની વિધાનસભાની ચૂંટણીમાં પણ પાટીદારોનો દબદબો યથાવત છે.


ભાજપ, કોંગ્રેસ અને AAPએ કેટલા પાટીદારોને ટિકિટ આપી?


રાજ્યના સક્રિય તમામ રાજકીય પક્ષોએ પાટીદારોને ઉમેદવાર બનાવ્યા છે. જેમાં પણ આમ આદમી પાર્ટીએ સૌથી વધુ 46 જ્યારે ભાજપે 43, કોંગ્રેસે 17 પાટીદારોને તમના ઉમેદવાર બનાવ્યા છે. પાટીદારોમાં વર્ષોથી બે ભાગ છે. એક, લેઉવા પટેલ અને બીજા કડવા પટેલ જો કે આ વખતની વાત કરીએ તો ભાજપ અને કોંગ્રેસે લેઉવા પટેલોને વધારે ટિકિટ આપી છે. આ ચૂંટણીમાં ભાજપે પાંચ સીટ પર પાટીદારના બદલે બીજી જ્ઞાતિના ઉમેદવાર પર દાવ અજમાવ્યો છે, તેનો અર્થ એ થયો કે ભાજપ ધીમે-ધીમે જ્ઞાતિવાદનું ફેક્ટર ખતમ કરવા માગે છે અને તેની શરૂઆત આ વખતની ચૂંટણીથી કરી છે.


રાજ્યની 50 સીટ પર પાટીદાર પાવર


ગુજરાતમાં પાટીદારોના સૌથી વધુ મતદારો ધરાવતી 50 બેઠક છે, જેમાં ઊંઝા, વીસનગર, બહુચરાજી, ગાંધીનગર ઉત્તર, મહેસાણા, વિજાપુર, હિંમતનગર, માણસા, ઘાટલોડિયા, વેજલપુર, ઠક્કરબાપાનગર, નારણપુરા, નિકોલ, નરોડા, મણિનગર, સાબરમતી, ધ્રાંગધ્રા, મોરબી, ટંકારા, દસક્રોઈ, વિરમગામ, રાજકોટ ઇસ્ટ, રાજકોટ સાઉથ, જસદણ, ગોંડલ, જામજોધપુર, માણાવદર, જૂનાગઢ, વિસાવદર, કેશોદ, ધારી, અમરેલી, લાઠી, સાવરકુંડલા, જેતપુર, ધોરાજી, જામનગર ગ્રામ્ય, સયાજીગંજ, બોટાદ, કામરેજ, સુરત ઉત્તર, વરાછા, કરંજ, મજુરા, કતારગામ, લુણાવાડા, નડિયાદ, ડભોઇ, કરજણ છે.


પાટીદાર સાંસદો અને ધારાસભ્યો કેટલા? 


ગુજરાતમાં પાટીદારો પ્રભુત્વ કેટલું છે તે બાબત તો તેમના સાંસદો અને ધારાસભ્યોની સંખ્યા પરથી ખબર પડી જશે. રાજ્યની 182 વિધાનસભા સીટોમાંથી 44 ધારાસભ્ય પાટીદાર છે, જ્યારે લોકસભાની 26 બેઠકમાંથી 6 સાંસદ પાટીદાર સમાજના છે. તે જ રીતે રાજ્યસભાની 11 બેઠકમાથી 3 સાંસદ પણ પાટીદાર છે.


કમનશીબ પાટીદાર મુખ્યમંત્રીઓ


ગુજરાતમાં પાટીદાર મતદારો સંગઠીત હોવાથી રાજ્યમાં સૌથી વધુ 4 પાટીદારો મુખ્યમંત્રી બન્યા છે., જેમાં બાબુભાઈ પટેલ, ચીમનભાઈ પટેલ અને કેશુભાઈ પટેલ  અને ભુપેન્દ્ર પટેલનો સમાવેશ થાય છે. તેમાં પણ ચીમનભાઈ પટેલ અને કેશુભાઈ પટેલ તો બે વાર મુખ્યમંત્રી બન્યા છે. જો કે રસપ્રદ બાબત એ છે કે આ તમામ પાટીદાર મુખ્યમંત્રીઓ તેમની પાંચ વર્ષ વર્ષની ટર્મ પણ પુરી શક્યા ન હતા. બાબુભાઈને કટોકટી, ચીમનભાઈને નવનિર્માણ આંદોલન કેશુભાઈ પટેલ ને  એક વખત ભાજપના બળવાખોરોએ ઊથલાવ્યા, તો બીજી વખત દિલ્હીમાં બેઠેલા હાઇકમાડે રાજીનામું માગી લઈ તેમને સત્તા પરથી દૂર કર્યા. જ્યારે આનંદીબેન પટેલ તો પાટીદાર અનામત આંદોલનનો જ ભોગ બન્યા હતા.



જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.

આંતરરાષ્ટ્રીય સંબંધોમાં USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર ચર્ચાઓમાં છે તેમણે ફરી એકવાર , ભારતને લઇને નિવેદનબાજીઓ કરી છે. ડોનાલ્ડ ટ્રમ્પને અપેક્ષા છે કે , ભારત આ વર્ષના અંતથી રશિયન ક્રૂડની આયાત કરવાનું બંધ કરી દેશે. આ ઉપરાંત ડોનાલ્ડ ટ્રમ્પએ ચીન વિશે નિવેદન આપતા કહ્યું છે કે , બાઈડેન અને ઓબામાની નીતિઓના કારણે ચીન અને રશિયા એક થયા છે. બાકી બંને મિત્ર રહી શકે તેમ છે જ નહીં. ચીનના રશિયા સાથેના સંબંધો અલગ પ્રકારના છે.

રાજકોટના ગોંડલના ખુબ ચર્ચિત રાજકુમાર જાટ કેસમાં આ આખા કેસની તપાસ હવે સુરેન્દ્રનગરના SP , IPS પ્રેમસુખ ડેલુંને સોંપાઈ છે. જે ડી પુરોહિત કે જેઓ ધ્રાંગધ્રાના DYSP છે એ તેમને આ કેસની તપાસમાં મદદ કરશે. આમ હવે રાજકુમાર જાટ કેસમાં તપાસ માટે એક નવી તપાસ ટીમ બનાવવામાં આવશે. રાજકુમાર જાટના પરિવારજનોનું માનવું છે કે , સ્થાનિક પોલીસ પૂર્વ MLA જયરાજસિંહને બચાવી રહી છે. આ કેસની વધુ તપાસ CBIને સોંપવામાં આવે તેવી અરજી પણ તેમના દ્વારા દાખલ કરવામાં આવી હતી. ગુજરાત હાઇકોર્ટ દ્વારા આ કેસને લઇને મહત્વના નિર્દેશ આપવામાં આવ્યા છે.

રાજકોટના ખુબ ચર્ચિત કેસ અમિત ખૂંટ કેસમાં અનિરુદ્ધસિંહ જાડેજાના દીકરા રાજદીપસિંહ જાડેજાના આગોતરા જામીન હવે સુપ્રીમ કોર્ટે ફગાવી દીધા છે. સુપ્રીમ કોર્ટે દ્વારા રાજદીપ સિંહ જાડેજાના આગોતરા જામીન ના મંજુર કરવાંમાં આવ્યા છે. જેનાથી હવે રાજદીપ જાડેજાની મુશ્કેલીઓમાં વધારો થઇ શકે છે. આપને જણાવી દયિકે , રાજદીપસિંહ જાડેજાના પિતા અનિરુદ્ધસિંહ જાડેજા હાલમાં EX MLA પોપટલાલ સોરઠીયા કેસમાં સજામાફી રદ થવાના કારણે જેલમાં જ છે.