ચૂંટણીમાં કેટલો છે પાટીદાર પાવર, રાજકીય પક્ષો શા માટે આપે છે પટેલોને આટલું મહત્વ? જાણો


  • Published By :
  • Published Date : 2022-11-18 15:07:40

ગુજરાતમાં પાટીદારો સૌથી સંગઠિત સમાજ છે. કોઈ પણ રાજકીય પક્ષ તેમની અવગણના કરી શકે તેમ નથી. પાટીદાર સમાજ શિક્ષણ, બિઝનેશ અને સામાજીક ક્ષેત્રે ખુબ જ પ્રગતિશીલ પણ છે. ભાજપે વર્ષ 2017માં પાટીદારોની અવગણના કરી હતી તો તેને જબરદસ્ત ફટકો પડ્યો અને રાજ્યમાં માત્ર 99 સીટો જ મળી શકી હતી. સૌરાષ્ટ્રમાં તો ભાજપનો લગભગ સફાયો જ થઈ ગયો હતો. આ વખતની વિધાનસભાની ચૂંટણીમાં પણ પાટીદારોનો દબદબો યથાવત છે.


ભાજપ, કોંગ્રેસ અને AAPએ કેટલા પાટીદારોને ટિકિટ આપી?


રાજ્યના સક્રિય તમામ રાજકીય પક્ષોએ પાટીદારોને ઉમેદવાર બનાવ્યા છે. જેમાં પણ આમ આદમી પાર્ટીએ સૌથી વધુ 46 જ્યારે ભાજપે 43, કોંગ્રેસે 17 પાટીદારોને તમના ઉમેદવાર બનાવ્યા છે. પાટીદારોમાં વર્ષોથી બે ભાગ છે. એક, લેઉવા પટેલ અને બીજા કડવા પટેલ જો કે આ વખતની વાત કરીએ તો ભાજપ અને કોંગ્રેસે લેઉવા પટેલોને વધારે ટિકિટ આપી છે. આ ચૂંટણીમાં ભાજપે પાંચ સીટ પર પાટીદારના બદલે બીજી જ્ઞાતિના ઉમેદવાર પર દાવ અજમાવ્યો છે, તેનો અર્થ એ થયો કે ભાજપ ધીમે-ધીમે જ્ઞાતિવાદનું ફેક્ટર ખતમ કરવા માગે છે અને તેની શરૂઆત આ વખતની ચૂંટણીથી કરી છે.


રાજ્યની 50 સીટ પર પાટીદાર પાવર


ગુજરાતમાં પાટીદારોના સૌથી વધુ મતદારો ધરાવતી 50 બેઠક છે, જેમાં ઊંઝા, વીસનગર, બહુચરાજી, ગાંધીનગર ઉત્તર, મહેસાણા, વિજાપુર, હિંમતનગર, માણસા, ઘાટલોડિયા, વેજલપુર, ઠક્કરબાપાનગર, નારણપુરા, નિકોલ, નરોડા, મણિનગર, સાબરમતી, ધ્રાંગધ્રા, મોરબી, ટંકારા, દસક્રોઈ, વિરમગામ, રાજકોટ ઇસ્ટ, રાજકોટ સાઉથ, જસદણ, ગોંડલ, જામજોધપુર, માણાવદર, જૂનાગઢ, વિસાવદર, કેશોદ, ધારી, અમરેલી, લાઠી, સાવરકુંડલા, જેતપુર, ધોરાજી, જામનગર ગ્રામ્ય, સયાજીગંજ, બોટાદ, કામરેજ, સુરત ઉત્તર, વરાછા, કરંજ, મજુરા, કતારગામ, લુણાવાડા, નડિયાદ, ડભોઇ, કરજણ છે.


પાટીદાર સાંસદો અને ધારાસભ્યો કેટલા? 


ગુજરાતમાં પાટીદારો પ્રભુત્વ કેટલું છે તે બાબત તો તેમના સાંસદો અને ધારાસભ્યોની સંખ્યા પરથી ખબર પડી જશે. રાજ્યની 182 વિધાનસભા સીટોમાંથી 44 ધારાસભ્ય પાટીદાર છે, જ્યારે લોકસભાની 26 બેઠકમાંથી 6 સાંસદ પાટીદાર સમાજના છે. તે જ રીતે રાજ્યસભાની 11 બેઠકમાથી 3 સાંસદ પણ પાટીદાર છે.


કમનશીબ પાટીદાર મુખ્યમંત્રીઓ


ગુજરાતમાં પાટીદાર મતદારો સંગઠીત હોવાથી રાજ્યમાં સૌથી વધુ 4 પાટીદારો મુખ્યમંત્રી બન્યા છે., જેમાં બાબુભાઈ પટેલ, ચીમનભાઈ પટેલ અને કેશુભાઈ પટેલ  અને ભુપેન્દ્ર પટેલનો સમાવેશ થાય છે. તેમાં પણ ચીમનભાઈ પટેલ અને કેશુભાઈ પટેલ તો બે વાર મુખ્યમંત્રી બન્યા છે. જો કે રસપ્રદ બાબત એ છે કે આ તમામ પાટીદાર મુખ્યમંત્રીઓ તેમની પાંચ વર્ષ વર્ષની ટર્મ પણ પુરી શક્યા ન હતા. બાબુભાઈને કટોકટી, ચીમનભાઈને નવનિર્માણ આંદોલન કેશુભાઈ પટેલ ને  એક વખત ભાજપના બળવાખોરોએ ઊથલાવ્યા, તો બીજી વખત દિલ્હીમાં બેઠેલા હાઇકમાડે રાજીનામું માગી લઈ તેમને સત્તા પરથી દૂર કર્યા. જ્યારે આનંદીબેન પટેલ તો પાટીદાર અનામત આંદોલનનો જ ભોગ બન્યા હતા.



પશ્ચિમ એશિયાના દેશ ઈરાનમાં હાલમાં સ્થિતિ ખુબ જ તણાવપૂર્ણ છે. ત્યાં છેલ્લા બે અઠવાડિયાથી સરકાર વિરોધી દેખાવો ચાલુ છે. તો બીજી તરફ , USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પને , ઈરાનમાં સંભવિત લશ્કરી કાર્યવાહી કરવા માટેના વિકલ્પોની જાણકારી આપવામાં આવી છે. ઈરાને સ્પષ્ટ કરી દીધું છે કે, અમારા પર કોઈ પણ પ્રકારની કાર્યવાહી કરવામાં આવશે તો અમે જવાબ આપીશું.

સુરતના ખુબ ચર્ચિત બીટકોઈન કેસમાં , અમરેલીના ભારતીય જનતા પાર્ટીના પૂર્વ MLA નલિન કોટડીયાને , ગુજરાત હાઇકોર્ટ દ્વારા , ૫૦ હજારના બોન્ડ પર જામીન આપવામાં આવ્યા છે. અમદાવાદની ACB કોર્ટે , પૂર્વ MLA નલિન કોટડીયા સહીત ૧૪ આરોપીઓને આ જીવન કેદની ફટકારી હતી. નલિન કોટડીયા પર , ૨૦૧૮માં સુરતના બિલ્ડર શૈલેષ ભટ્ટનું અપહરણ કરીને , ખંડણી માંગવાનો આરોપ લાગેલો છે.

જવાહરલાલ નહેરુ યુનિવર્સિટીના કેમ્પસમાં કેટલાક વિદ્યાર્થીઓ પર મોડી રાત્રે વિવાદિત નારેબાજી કરી હોવાનો આરોપ છે. જેમાં નારા લગાવવામાં આવ્યા છે કે , " મોદી-શાહ કી કબર ખુદેગી , JNU કી ધરતી પર." આ અગાઉ , ૨૦૧૬માં JNUમાં રાષ્ટ્રવિરોધી નારાઓ લાગ્યા હતા જેના કારણે , તે ચર્ચામાં આવી હતી. JNUમાં થયેલી આ નારેબાજીના વિડિઓ સોશ્યિલ મીડિયામાં વાઇરલ થયા છે જેના કારણે રાજનીતિમાં ગરમાવો આવી ગયો છે.

વર્ષ ૨૦૨૬ની શરૂઆત થઇ ચુકી છે. ત્યારે આ વર્ષના મધ્યમાં થનારી, પશ્ચિમ બંગાળ , આસામ , કેરળ , તામિલનાડુ , પુડ્ડુચેરીની વિધાનસભાની ચૂંટણીઓ પર સૌની નજર છે. ત્યારે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે આ રાજ્યોમાં પોતાનો આક્રમક પ્રવાસ શરુ કર્યો છે. બીજી તરફ , કોંગ્રેસે પણ તૈયારીઓ શરુ કરી દીધી છે . કોંગ્રેસે સંગઠનના સ્તરે મહત્વના બદલાવ કરીને , પ્રિયંકા ગાંધીને મહત્વની જવાબદારી સોંપી છે.