ગુજરાત વિધાનસભા ચૂંટણી 2022: કુલ મતદારો પૈકીના અડધાની ઉંમર 40થી ઓછી, જો કે પ્રથમ વખતના મતદારો ઘટ્યા


  • Published By :
  • Published Date : 2022-11-20 20:30:52

ગુજરાત વિધાનસભાની આગામી ચૂંટણીમાં, કુલ લાયક મતદારોની સંખ્યાના લગભગ અડધા ભાગના 40 વર્ષથી ઓછી ઉંમરના છે. જો કે આ જૂથમાં પ્રથમ વખતના મતદારોનો હિસ્સો ઘટી રહ્યો છે, આ જોતા 10 વર્ષ પહેલાં શરૂ થયેલો ટ્રેન્ડ ચાલુ રહેલો જણાય છે.


2.35 કરોડ મતદારો 40 વર્ષથી નીચેના


ચૂંટણી પંચ દ્વારા શેર કરાયેલા તાજેતરના એનરોલમેન્ટ ડેટા મુજબ, રાજ્યમાં નોંધાયેલા 4.9 કરોડ મતદારોમાંથી લગભગ 2.35 કરોડ મતદારો 40 વર્ષથી નીચેના છે. તેમાંથી પ્રથમ વખતના મતદારોની સંખ્યા 11.74 લાખ છે, જે 2012 અને 2017ની ચૂંટણીમાં 18-19 વય જૂથના મતદારોની સરખામણીમાં ઓછી છે. 


પ્રથમ વખતના મતદારો કુલ મતદારોના 2.39 ટકા


આ ચૂંટણીમાં પ્રથમ વખતના કુલ મતદારોના 2.39% છે. 2017ની ચૂંટણીમાં 2.7% (કુલ 4.33 કરોડમાંથી 11.8 લાખ) અને 2012માં 3.5% (3.81 કરોડમાંથી 13.3 લાખ)ની સરખામણીમાં તેમની સંખ્યામાં ઘટાડો એ રાજ્યમાં એકંદર મતદારોની સંખ્યાના વધારા સાથે સુસંગત છે.


80 વર્ષથી વધુ વયના 9.8 લાખ મતદારો


40 વર્ષથી ઓછી વયના મતદારોનો સૌથી વધુ હિસ્સો 30-39 વય જૂથનો છે. આ જૂથમાં 1.21 કરોડ મતદારો છે, જે રાજ્યના કુલ મતદારોના એક ચતુર્થાંશ જેટલા છે. વર્ષ 2017માં 30-39 વયજૂથના મતદારોની સંખ્યા 1.12 કરોડ હતી. બીજા નંબરે સૌથી વધુ મતદારો (1.03 કરોડ) 20-29 વય જૂથના છે. 80 વર્ષ અને તેથી વધુ ઉંમરના 9.8 લાખ મતદારો છે, જે 2017માં 6.3 લાખથી વધુ છે.


પ્રથમ વખતના મતદારોની સંખ્યા 3.66% ના બદલે માત્ર 1 ટકો


મુખ્ય ચૂંટણી અધિકારી પી ભારતીએ ઓગસ્ટમાં એક ઈન્ટરવ્યુમાં જણાવ્યું હતું કે તેમનો એક મોટો પડકાર પ્રથમ વખત મતદારોની નોંધણીનો હતો. “18-19 વર્ષની વય જૂથના પ્રથમ વખતના મતદારોની સંખ્યા કુલ મતદારોના 3.66% હોવી જોઈએ. પરંતુ આપણે હાલમાં 1% પર છીએ. વધુમાં તેમણે કહ્યું કે સ્પેશિયલ સમરી રિવિઝન (SSR) હાલમાં હાથ ધરવામાં આવી રહ્યું છે તે 18-19 વય જૂથના મહત્તમ મતદારોની નોંધણી પર ધ્યાન કેન્દ્રિત કરે છે".


18-19 વય જૂથના મતદારો ઘટ્યા


હકીકતમાં, 18-19 વય જૂથ એકમાત્ર એવો સમૂહ છે કે જેમાં છેલ્લા પાંચ વર્ષમાં મતદારોની સંખ્યામાં ઘટાડો જોવા મળ્યો છે. આ ઘટાડો વધુ સ્પષ્ટ છે કારણ કે ચૂંટણી પંચે ઓક્ટોબર 1, 2022 સુધી 18 વર્ષની વયના મતદારોની નોંધણીની મંજૂરી આપી હતી અને તેના માટે સપ્ટેમ્બરમાં વિશેષ ઝુંબેશનું આયોજન કર્યું હતું.


કયા જિલ્લામાં સૌથી વધુ અને ઓછા મતદારો?


ગુજરાતમાં પ્રથમ વખતના કુલ 11.74 લાખ મતદારોમાંથી લગભગ એટલી જ સંખ્યા બે તબક્કામાં 1 ડિસેમ્બર અને 5 ડિસેમ્બરે મતદાન કરશે. પ્રથમ તબક્કામાં 18-19 વયજૂથના સૌથી વધુ મતદારો સુરતજિલ્લોમાં (1.02 લાખ) છે. , જ્યારે સૌથી ઓછા ડાંગ જિલ્લામાં (8,680) છે. ફેઝ-2માં, અમદાવાદ જિલ્લામાં પ્રથમ વખતના મતદારોમાં સૌથી વધુ મતદારો (93,428) છે, જ્યારે સૌથી ઓછા છોટા ઉદેપુરમાં (20,638) છે.



સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ માટે ૨૬મી એપ્રિલે મતદાન છે ત્યારે , નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ પુરજોશમાં પ્રચારમાં લાગી ચુક્યા છે. વિકાસ સંકલ્પ સભાઓ હર્ષ સંઘવી જે વિરોધીઓ છે તેમના ગઢમાં કરી રહ્યા છે. જેમ કે , થોડાક સમય અગાઉ , હર્ષ સંઘવીએ આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચૈતર વસાવાના ગઢમાં સભા કરી હતી , હવે કોંગ્રેસના વડગામના MLA જીગ્નેશ મેવાણીના ગઢમાં સભા ગજવી છે. આ ઉપરાંત , તેઓ ૨૩મી તારીખે રાજકોટમાં રોડ શો પણ કરવાના છે.

ધંધુકામાં માત્ર એક ઓવરટેક જેવી નજીવી બાબતે ધર્મેશ ગમારા નામના યુવાનનો જીવ લઇ લેવામાં આવે છે ત્યારબાદ , બે સમુદાયો ધંધુકામાં આમનેસામને આવી જાય છે. ખુબ મોટાપાયે ઘર્ષણ થાય છે. આ પછી , પોલીસ દ્વારા ધંધુકામાં સઘન કોમ્બિંગ હાથ ધરાય છે અને ૨૦૦ લોકોના ઘરોની પણ તપાસ કરવામાં આવી છે. તો હવે પોલીસ આ સમગ્ર મામલે તપાસ કરવા માટે અમદાવાદના રેન્જ IG રાઘવેન્દ્ર વત્સ દ્વારા સ્પેશ્યલ ઇન્વેસ્ટિગેશન ટીમની રચના કરવામાં આવી છે.

ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ માટે મતદાન ૨૬મી એપ્રિલે યોજાવાનું છે ત્યારે , રાજકોટ મહાનગરપાલિકામાં લેઉવા સમાજના મતો ખુબ મોટી સંખ્યામાં છે ત્યારે , ભારતીય જનતા પાર્ટીના રાજકોટના કોર્પોરેટરોએ ખોડલધામના ચેરમેન નરેશ પટેલ સાથે મુલાકાત કરી છે. જોકે આ મુલાકાત પછી , ભાજપ જીતી શકશે કે કેમ તે તો પરિણામના દિવસે જ ખબર પડશે. પરંતુ , રાજકોટ મહાનગરપાલિકામાં ભારતીય જનતા પાર્ટીના ટિકિટ વહેંચણી પછી જૂથવાદ સપાટી પર આવી ગયો છે. આ કારણે પાર્ટીની સામે પડકાર ઉભો થયો છે.

સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓમાં ૨૬મી તારીખે મતદાન યોજાવાનું છે ત્યારે , પંચમહાલમાં કોંગ્રેસને ખુબ મોટો ઝટકો લાગ્યો છે. પંચમહાલ જિલ્લા કોંગ્રેસ પ્રમુખ ચેતનસિંહ પરમારએ ભારતીય જનતા પાર્ટીમાં જોડાઈ ગયા છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના હસ્તે તેમણે ભાજપનો ખેસ ધારણ કર્યો છે. આમ હવે , પંચમહાલ જિલ્લામાં કોંગ્રેસમાં કાર્યકરો નિરાશ થઇ ગયા છે.