ગુજરાત વિધાનસભા ચૂંટણી 2022: કુલ મતદારો પૈકીના અડધાની ઉંમર 40થી ઓછી, જો કે પ્રથમ વખતના મતદારો ઘટ્યા


  • Published By :
  • Published Date : 2022-11-20 20:30:52

ગુજરાત વિધાનસભાની આગામી ચૂંટણીમાં, કુલ લાયક મતદારોની સંખ્યાના લગભગ અડધા ભાગના 40 વર્ષથી ઓછી ઉંમરના છે. જો કે આ જૂથમાં પ્રથમ વખતના મતદારોનો હિસ્સો ઘટી રહ્યો છે, આ જોતા 10 વર્ષ પહેલાં શરૂ થયેલો ટ્રેન્ડ ચાલુ રહેલો જણાય છે.


2.35 કરોડ મતદારો 40 વર્ષથી નીચેના


ચૂંટણી પંચ દ્વારા શેર કરાયેલા તાજેતરના એનરોલમેન્ટ ડેટા મુજબ, રાજ્યમાં નોંધાયેલા 4.9 કરોડ મતદારોમાંથી લગભગ 2.35 કરોડ મતદારો 40 વર્ષથી નીચેના છે. તેમાંથી પ્રથમ વખતના મતદારોની સંખ્યા 11.74 લાખ છે, જે 2012 અને 2017ની ચૂંટણીમાં 18-19 વય જૂથના મતદારોની સરખામણીમાં ઓછી છે. 


પ્રથમ વખતના મતદારો કુલ મતદારોના 2.39 ટકા


આ ચૂંટણીમાં પ્રથમ વખતના કુલ મતદારોના 2.39% છે. 2017ની ચૂંટણીમાં 2.7% (કુલ 4.33 કરોડમાંથી 11.8 લાખ) અને 2012માં 3.5% (3.81 કરોડમાંથી 13.3 લાખ)ની સરખામણીમાં તેમની સંખ્યામાં ઘટાડો એ રાજ્યમાં એકંદર મતદારોની સંખ્યાના વધારા સાથે સુસંગત છે.


80 વર્ષથી વધુ વયના 9.8 લાખ મતદારો


40 વર્ષથી ઓછી વયના મતદારોનો સૌથી વધુ હિસ્સો 30-39 વય જૂથનો છે. આ જૂથમાં 1.21 કરોડ મતદારો છે, જે રાજ્યના કુલ મતદારોના એક ચતુર્થાંશ જેટલા છે. વર્ષ 2017માં 30-39 વયજૂથના મતદારોની સંખ્યા 1.12 કરોડ હતી. બીજા નંબરે સૌથી વધુ મતદારો (1.03 કરોડ) 20-29 વય જૂથના છે. 80 વર્ષ અને તેથી વધુ ઉંમરના 9.8 લાખ મતદારો છે, જે 2017માં 6.3 લાખથી વધુ છે.


પ્રથમ વખતના મતદારોની સંખ્યા 3.66% ના બદલે માત્ર 1 ટકો


મુખ્ય ચૂંટણી અધિકારી પી ભારતીએ ઓગસ્ટમાં એક ઈન્ટરવ્યુમાં જણાવ્યું હતું કે તેમનો એક મોટો પડકાર પ્રથમ વખત મતદારોની નોંધણીનો હતો. “18-19 વર્ષની વય જૂથના પ્રથમ વખતના મતદારોની સંખ્યા કુલ મતદારોના 3.66% હોવી જોઈએ. પરંતુ આપણે હાલમાં 1% પર છીએ. વધુમાં તેમણે કહ્યું કે સ્પેશિયલ સમરી રિવિઝન (SSR) હાલમાં હાથ ધરવામાં આવી રહ્યું છે તે 18-19 વય જૂથના મહત્તમ મતદારોની નોંધણી પર ધ્યાન કેન્દ્રિત કરે છે".


18-19 વય જૂથના મતદારો ઘટ્યા


હકીકતમાં, 18-19 વય જૂથ એકમાત્ર એવો સમૂહ છે કે જેમાં છેલ્લા પાંચ વર્ષમાં મતદારોની સંખ્યામાં ઘટાડો જોવા મળ્યો છે. આ ઘટાડો વધુ સ્પષ્ટ છે કારણ કે ચૂંટણી પંચે ઓક્ટોબર 1, 2022 સુધી 18 વર્ષની વયના મતદારોની નોંધણીની મંજૂરી આપી હતી અને તેના માટે સપ્ટેમ્બરમાં વિશેષ ઝુંબેશનું આયોજન કર્યું હતું.


કયા જિલ્લામાં સૌથી વધુ અને ઓછા મતદારો?


ગુજરાતમાં પ્રથમ વખતના કુલ 11.74 લાખ મતદારોમાંથી લગભગ એટલી જ સંખ્યા બે તબક્કામાં 1 ડિસેમ્બર અને 5 ડિસેમ્બરે મતદાન કરશે. પ્રથમ તબક્કામાં 18-19 વયજૂથના સૌથી વધુ મતદારો સુરતજિલ્લોમાં (1.02 લાખ) છે. , જ્યારે સૌથી ઓછા ડાંગ જિલ્લામાં (8,680) છે. ફેઝ-2માં, અમદાવાદ જિલ્લામાં પ્રથમ વખતના મતદારોમાં સૌથી વધુ મતદારો (93,428) છે, જ્યારે સૌથી ઓછા છોટા ઉદેપુરમાં (20,638) છે.



રાજકોટના જંગલેશ્વર ખાતે આજે ડિમોલિશન પૂર્ણ થયું છે. મહાનગરપાલિકા અને પોલીસ તંત્રના સંયુક્ત ઉપક્રમે જે કામગીરી ચાલી રહી હતી , તેમાં કુલ ૧૫૦૯ જેટલા મકાનોને જમીનદોસ્ત કરી દેવામાં આવ્યા છે. જંગલેશ્વરની જે શેરીઓ થોડાક સમય અગાઉ લોકોથી ધમધમતી હતી તે શેરીઓની જગ્યાએ હવે કાટમાળના ઢગલા અને વેરાન મેદાન જોવા મળી રહ્યા છે. આ ડિમોલિશન કામગીરી દરમ્યાન RMCના ૧ કર્મચારીનો જીવ માંડમાંડ બચ્યો હતો.

ગીર સોમનાથ જિલ્લામાં SP જયદીપસિંહ જાડેજા દ્વારા જિલ્લામાં અસામાજિક તત્વોને નિયંત્રણમાં લેવા હવે આઠ આરોપીઓની સામે ગુજસીટોકનું શાસ્ત્ર ઉગામવામાં આવ્યું છે. જેના કારણે , ગીર સોમનાથના અસામાજિક તત્વોમાં ભારે ફફડાટનો માહોલ છે. આ આઠ આરોપીઓની સામે પ્રોહિબિશન સહીત અનેક ગુનાઓ નોંધાયેલા છે , હવે આ ઈસમોની સામે , વેરાવળ સીટી પોલીસ સ્ટેશન ખાતે GUJSITOKની વિવિધ કલમ અંતર્ગત ગુનો નોંધવામાં આવ્યો છે.

દિલ્હીની AI ઈમ્પૅક્ટ સમિટમાં ઉદ્યોગપતિ મુકેશ અંબાણી દ્વારા સંબોધન કરવામાં આવ્યું છે. મુકેશ અંબાણીએ AIના હકારાત્મક ઉપયોગ પર ભાર મુકવામાં આવ્યો છે. તેમણે કહ્યું છે કે , " AI નોકરીઓ નઈ ખાય. એટલુંજ નહિ AI ખુબ મોટાપાયે તક ઉભી કરશે."

સોશ્યિલ મીડિયા ઇન્ફુએન્સર કીર્તિ પટેલ પર આજે બીજી ફરિયાદ દાખલ કરવામાં આવી છે. જૂનાગઢના મહાશિવરાત્રીના મેળામાં મૃગુ કુંડમાં ડૂબકી લગાવવા પર કીર્તિ પટેલ વિવાદોમાં આવ્યા હતા. આ બાબતે સાધુ સંતોમાં ભારે નારાજગી જોવા મળી હતી. ત્યારે હવે કીર્તિ પટેલ વિરૂદ્ધ ભવનાથ પોલીસ સ્ટેશનમાં વધુ એક ફરિયાદ નોંધાઈ છે. આ ફરિયાદ મહંત બજરંગદાસ બાપુ દ્વારા નોંધાવવામાં આવી છે. જૂનાગઢના ભવનાથ ખાતે દર વર્ષે , મહાશિવરાત્રીના પર્વ નિમિતે, લાખો શ્રદ્ધાળુઓ ઉમટી પડે છે. આ વર્ષે , ભવનાથના મેળામાં સોશ્યિલ મીડિયા ઇન્ફુએન્સર કીર્તિ પટેલને લઇને વિવાદ થયો છે. મૃગી કુંડમાં સ્નાન કરવા બદલ સાધુ સંતોમાં ભારે નારાજગી જોવા મળી છે. તે જ સમયે PI સાથે મૃગીકુંડમાં કીર્તિ પટેલને ઘર્ષણ પણ થયું હતું. આ પછી , ભવનાથ પોલીસ સ્ટેશનમાં મહિલા PI કે જે મોડ દ્વારા કીર્તિ પટેલની વિરુદ્ધમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. પોલીસની કામગીરીમાં અવરોધ ઉભો કરવાનો આરોપ , PIને જાનથી મારી નાખવાની ધમકી , શાંતિ ડહોળવાનો પ્રયાસની કલમ એડ કરવામાં આવી છે. હવે આજે , બીજી ફરિયાદ સાધુ-સંત દ્વારા કરવામાં આવી છે. આ ફરિયાદ સાધુ સંતોની લાગણી દુભાવવા પર અને તેમને બદનામ કરવા બદલ ભવનાથ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. પ્રભાસ પાટણ નિરાલી ખોડિયાર આશ્રમના મહંત બજરંગદાસ બાપુએ કીર્તિ પટેલન સામે પોલીસ ફરિયાદ નોંધાવી છે. પોલીસ ફરિયાદ નોંધાતા પોલીસે કીર્તિને પકડવા માટે ચક્રો ગતિમાન કર્યા છે. અલગ અલગ ટીમો બનાવીને તપાસ હાથ ધરાઈ છે.