ગુજરાત વિધાનસભા ચૂંટણી 2022: કુલ મતદારો પૈકીના અડધાની ઉંમર 40થી ઓછી, જો કે પ્રથમ વખતના મતદારો ઘટ્યા


  • Published By :
  • Published Date : 2022-11-20 20:30:52

ગુજરાત વિધાનસભાની આગામી ચૂંટણીમાં, કુલ લાયક મતદારોની સંખ્યાના લગભગ અડધા ભાગના 40 વર્ષથી ઓછી ઉંમરના છે. જો કે આ જૂથમાં પ્રથમ વખતના મતદારોનો હિસ્સો ઘટી રહ્યો છે, આ જોતા 10 વર્ષ પહેલાં શરૂ થયેલો ટ્રેન્ડ ચાલુ રહેલો જણાય છે.


2.35 કરોડ મતદારો 40 વર્ષથી નીચેના


ચૂંટણી પંચ દ્વારા શેર કરાયેલા તાજેતરના એનરોલમેન્ટ ડેટા મુજબ, રાજ્યમાં નોંધાયેલા 4.9 કરોડ મતદારોમાંથી લગભગ 2.35 કરોડ મતદારો 40 વર્ષથી નીચેના છે. તેમાંથી પ્રથમ વખતના મતદારોની સંખ્યા 11.74 લાખ છે, જે 2012 અને 2017ની ચૂંટણીમાં 18-19 વય જૂથના મતદારોની સરખામણીમાં ઓછી છે. 


પ્રથમ વખતના મતદારો કુલ મતદારોના 2.39 ટકા


આ ચૂંટણીમાં પ્રથમ વખતના કુલ મતદારોના 2.39% છે. 2017ની ચૂંટણીમાં 2.7% (કુલ 4.33 કરોડમાંથી 11.8 લાખ) અને 2012માં 3.5% (3.81 કરોડમાંથી 13.3 લાખ)ની સરખામણીમાં તેમની સંખ્યામાં ઘટાડો એ રાજ્યમાં એકંદર મતદારોની સંખ્યાના વધારા સાથે સુસંગત છે.


80 વર્ષથી વધુ વયના 9.8 લાખ મતદારો


40 વર્ષથી ઓછી વયના મતદારોનો સૌથી વધુ હિસ્સો 30-39 વય જૂથનો છે. આ જૂથમાં 1.21 કરોડ મતદારો છે, જે રાજ્યના કુલ મતદારોના એક ચતુર્થાંશ જેટલા છે. વર્ષ 2017માં 30-39 વયજૂથના મતદારોની સંખ્યા 1.12 કરોડ હતી. બીજા નંબરે સૌથી વધુ મતદારો (1.03 કરોડ) 20-29 વય જૂથના છે. 80 વર્ષ અને તેથી વધુ ઉંમરના 9.8 લાખ મતદારો છે, જે 2017માં 6.3 લાખથી વધુ છે.


પ્રથમ વખતના મતદારોની સંખ્યા 3.66% ના બદલે માત્ર 1 ટકો


મુખ્ય ચૂંટણી અધિકારી પી ભારતીએ ઓગસ્ટમાં એક ઈન્ટરવ્યુમાં જણાવ્યું હતું કે તેમનો એક મોટો પડકાર પ્રથમ વખત મતદારોની નોંધણીનો હતો. “18-19 વર્ષની વય જૂથના પ્રથમ વખતના મતદારોની સંખ્યા કુલ મતદારોના 3.66% હોવી જોઈએ. પરંતુ આપણે હાલમાં 1% પર છીએ. વધુમાં તેમણે કહ્યું કે સ્પેશિયલ સમરી રિવિઝન (SSR) હાલમાં હાથ ધરવામાં આવી રહ્યું છે તે 18-19 વય જૂથના મહત્તમ મતદારોની નોંધણી પર ધ્યાન કેન્દ્રિત કરે છે".


18-19 વય જૂથના મતદારો ઘટ્યા


હકીકતમાં, 18-19 વય જૂથ એકમાત્ર એવો સમૂહ છે કે જેમાં છેલ્લા પાંચ વર્ષમાં મતદારોની સંખ્યામાં ઘટાડો જોવા મળ્યો છે. આ ઘટાડો વધુ સ્પષ્ટ છે કારણ કે ચૂંટણી પંચે ઓક્ટોબર 1, 2022 સુધી 18 વર્ષની વયના મતદારોની નોંધણીની મંજૂરી આપી હતી અને તેના માટે સપ્ટેમ્બરમાં વિશેષ ઝુંબેશનું આયોજન કર્યું હતું.


કયા જિલ્લામાં સૌથી વધુ અને ઓછા મતદારો?


ગુજરાતમાં પ્રથમ વખતના કુલ 11.74 લાખ મતદારોમાંથી લગભગ એટલી જ સંખ્યા બે તબક્કામાં 1 ડિસેમ્બર અને 5 ડિસેમ્બરે મતદાન કરશે. પ્રથમ તબક્કામાં 18-19 વયજૂથના સૌથી વધુ મતદારો સુરતજિલ્લોમાં (1.02 લાખ) છે. , જ્યારે સૌથી ઓછા ડાંગ જિલ્લામાં (8,680) છે. ફેઝ-2માં, અમદાવાદ જિલ્લામાં પ્રથમ વખતના મતદારોમાં સૌથી વધુ મતદારો (93,428) છે, જ્યારે સૌથી ઓછા છોટા ઉદેપુરમાં (20,638) છે.



પશ્ચિમ એશિયાના દેશ ઈરાનમાં હાલમાં સ્થિતિ ખુબ જ તણાવપૂર્ણ છે. ત્યાં છેલ્લા બે અઠવાડિયાથી સરકાર વિરોધી દેખાવો ચાલુ છે. તો બીજી તરફ , USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પને , ઈરાનમાં સંભવિત લશ્કરી કાર્યવાહી કરવા માટેના વિકલ્પોની જાણકારી આપવામાં આવી છે. ઈરાને સ્પષ્ટ કરી દીધું છે કે, અમારા પર કોઈ પણ પ્રકારની કાર્યવાહી કરવામાં આવશે તો અમે જવાબ આપીશું.

સુરતના ખુબ ચર્ચિત બીટકોઈન કેસમાં , અમરેલીના ભારતીય જનતા પાર્ટીના પૂર્વ MLA નલિન કોટડીયાને , ગુજરાત હાઇકોર્ટ દ્વારા , ૫૦ હજારના બોન્ડ પર જામીન આપવામાં આવ્યા છે. અમદાવાદની ACB કોર્ટે , પૂર્વ MLA નલિન કોટડીયા સહીત ૧૪ આરોપીઓને આ જીવન કેદની ફટકારી હતી. નલિન કોટડીયા પર , ૨૦૧૮માં સુરતના બિલ્ડર શૈલેષ ભટ્ટનું અપહરણ કરીને , ખંડણી માંગવાનો આરોપ લાગેલો છે.

જવાહરલાલ નહેરુ યુનિવર્સિટીના કેમ્પસમાં કેટલાક વિદ્યાર્થીઓ પર મોડી રાત્રે વિવાદિત નારેબાજી કરી હોવાનો આરોપ છે. જેમાં નારા લગાવવામાં આવ્યા છે કે , " મોદી-શાહ કી કબર ખુદેગી , JNU કી ધરતી પર." આ અગાઉ , ૨૦૧૬માં JNUમાં રાષ્ટ્રવિરોધી નારાઓ લાગ્યા હતા જેના કારણે , તે ચર્ચામાં આવી હતી. JNUમાં થયેલી આ નારેબાજીના વિડિઓ સોશ્યિલ મીડિયામાં વાઇરલ થયા છે જેના કારણે રાજનીતિમાં ગરમાવો આવી ગયો છે.

વર્ષ ૨૦૨૬ની શરૂઆત થઇ ચુકી છે. ત્યારે આ વર્ષના મધ્યમાં થનારી, પશ્ચિમ બંગાળ , આસામ , કેરળ , તામિલનાડુ , પુડ્ડુચેરીની વિધાનસભાની ચૂંટણીઓ પર સૌની નજર છે. ત્યારે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે આ રાજ્યોમાં પોતાનો આક્રમક પ્રવાસ શરુ કર્યો છે. બીજી તરફ , કોંગ્રેસે પણ તૈયારીઓ શરુ કરી દીધી છે . કોંગ્રેસે સંગઠનના સ્તરે મહત્વના બદલાવ કરીને , પ્રિયંકા ગાંધીને મહત્વની જવાબદારી સોંપી છે.