હરિયાણા પાસેથી ગુજરાત શીખશે ઝીરો બજેટ ખેતી


  • Published By : Payal rathod
  • Published Date : 2022-09-15 19:00:13

આવતીકાલે રાજ્યપાલ આચાર્ય દેવવ્રત અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ હરિયાણાની મુલાકાતે જશે. આવતીકાલે કુરુક્ષેત્રમાં યોજાનાર ઝીરો બજેટ ખેતીની બેઠકમાં હરિયાણા સરકાર ગુજરાત સરકાર સાથે ચર્ચા કરશે. 


ગુજરાત અને હરિયાણાના મુખ્યમંત્રી મળશે

બેઠકમાં હરિયાણા મુખ્યમંત્રી મનોહરલાલ ખટ્ટર કૃષિ વિભાગના અધિકારીઓ અને વિશેષજ્ઞો સાથે ઉપસ્થિત રહેશે. હરિયાણા સરકાર ઝીરો બજેટ ખેતી મામલે ખેડૂતો માટે અનેક યોજનાઓ બહાર પાડી ચૂકી છે. હરિયાણામાં ઝીરો બજેટ ખેતી કરનાર અને એક ગાય રાખનાર ખેડૂતને 25 હજાર રૂપિયા આપવામાં આવી રહ્યા છે. 



શું હોય છે ઝીરો બજેટ ખેતી?

હરિયાણાના કૈંથલામાં ગુરુકુળ કુરુક્ષેત્રની 180 એકરની ભૂમિ પર શેરડી, ફળ અને શાકભાજીની ખેતી કરવામાં આવી રહી છે. અન્ય રાજ્યો પણ કેવી રીતે ખેતી કરવામાં આવે છે તેની તાલિમ લેવા માટે કુરુક્ષેત્ર વિસ્તારમાં આવી રહ્યા છે.  



આપણા પાડોશી દેશ પાકિસ્તાનની રાજધાની ઇસ્લામાબાદમાં ખુબ ભયંકર વિસ્ફોટ થયો છે. ઇસ્લામાબાદના તલઈ વિસ્તારના ઇમામબાડામાં આ ભીષણ બૉમ્બ બ્લાસ્ટ થયા છે. આ હુમલામાં ઓછામાં ઓછા ૨૫ લોકોના જીવ ગુમાવ્યાના અને ૧૦૦થી વધારે લોકોના ઘાયલ થયાના સમાચાર સામે આવ્યા છે. આજે જુમ્માની નમાજ દરમ્યાન આ શિયા મસ્જિદ પર ફિદાયીન હુમલો કરવામાં આવ્યો હતો.

મહીસાગર જિલ્લામાં થોડાક સમય પહેલા , આદિવાસી સમાજના એક યુવકને મહિલા PSI દ્વારા કારમાં સીટ બેલ્ટ નહિ પહેરવા જેવી સામાન્ય બાબતે માર મારવાના ગંભીર આક્ષેપો થયા હતા .આ સમગ્ર મામલે, મહીસાગરના ASP વિકાસ યાદવની પ્રતિક્રિયા સામે આવી છે

ચોટીલાના ડેપ્યુટી કલેકટર એચ ટી મકવાણા દ્વારા થોડાક સમય પહેલા , યાત્રાધામ ચોટીલા ખાતે ખુબ મોટી સંખ્યામાં દબાણો દૂર કરવામાં આવ્યા હતા. આ દબાણ હટાવવાની કામગીરી પાછળથી વિવાદોમાં આવી છે. કેમ કે , ગુજરાત હાઇકોર્ટ દ્વારા આ સમગ્ર કામગીરી દરમ્યાન ઇન્ચાર્જ મામલતદારની ઝાટકણી કાઢવામાં આવી છે. તો બીજી તરફ , મહંત પરિવાર અને સ્થાનિક જનતા દ્વારા તંત્ર પર '' વાલા- દવલાં"ની નીતિ અને પક્ષપાતના આક્ષેપો લગાડવામાં આવ્યા છે.

ગુજરાત પોલીસ ભરતી બોર્ડ દ્વારા , સમગ્ર રાજ્યમાં PSI અને LRDને લઈને શારીરિક કસોટી ચાલી રહી છે. ત્યારે , ગોંડલથી એક દુઃખદ સમાચાર સામે આવ્યા છે જેમાં એક આશાસ્પદ યુવાન , નીતિનસિંહ ચૌહાણએ આ શારીરિક કસોટી દરમ્યાન પોતાનો જીવ ગુમાવ્યો છે. આ અગાઉ , ભરૂચ અને ગોધરામાં આવી દુઃખદ ઘટનાઓ સામે આવી હતી.