હરિયાણા પાસેથી ગુજરાત શીખશે ઝીરો બજેટ ખેતી


  • Published By : Payal rathod
  • Published Date : 2022-09-15 19:00:13

આવતીકાલે રાજ્યપાલ આચાર્ય દેવવ્રત અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ હરિયાણાની મુલાકાતે જશે. આવતીકાલે કુરુક્ષેત્રમાં યોજાનાર ઝીરો બજેટ ખેતીની બેઠકમાં હરિયાણા સરકાર ગુજરાત સરકાર સાથે ચર્ચા કરશે. 


ગુજરાત અને હરિયાણાના મુખ્યમંત્રી મળશે

બેઠકમાં હરિયાણા મુખ્યમંત્રી મનોહરલાલ ખટ્ટર કૃષિ વિભાગના અધિકારીઓ અને વિશેષજ્ઞો સાથે ઉપસ્થિત રહેશે. હરિયાણા સરકાર ઝીરો બજેટ ખેતી મામલે ખેડૂતો માટે અનેક યોજનાઓ બહાર પાડી ચૂકી છે. હરિયાણામાં ઝીરો બજેટ ખેતી કરનાર અને એક ગાય રાખનાર ખેડૂતને 25 હજાર રૂપિયા આપવામાં આવી રહ્યા છે. 



શું હોય છે ઝીરો બજેટ ખેતી?

હરિયાણાના કૈંથલામાં ગુરુકુળ કુરુક્ષેત્રની 180 એકરની ભૂમિ પર શેરડી, ફળ અને શાકભાજીની ખેતી કરવામાં આવી રહી છે. અન્ય રાજ્યો પણ કેવી રીતે ખેતી કરવામાં આવે છે તેની તાલિમ લેવા માટે કુરુક્ષેત્ર વિસ્તારમાં આવી રહ્યા છે.  



ગુજરાત સરકારની પાંચ વર્ષની ફિક્સ પેની નીતિનો કેસ છેલ્લા ૧૪ વર્ષથી સુપ્રીમ કોર્ટમાં પેન્ડિંગ છે ત્યારે , કર્મચારીઓ સુપ્રીમ કોર્ટના ચુકાદાની રાહ જોઈ રહ્યા છે. હવે , આ કેસને લઇને તાત્કાલિક ધોરણે સુનાવણી હાથ ધરાય તે માટે સુપ્રીમ કોર્ટના CJI સૂર્યકાન્તને ઈમેલ કરવામાં આવ્યો છે.

"રાજસ્થાનની જેમ ગુજરાતમાં પણ દર પાંચ વર્ષે સરકાર બદલાવી જોઈએ." આ શબ્દો છે , બનાસકાંઠાના MP ગેનીબેન ઠાકોરના. ગેનીબેન ઠાકોર દ્વારા આ નિવેદન થરાદમાં યોજાયેલી ધાર્મિક પદયાત્રા દરમ્યાન આપવામાં આવ્યું છે. ગેનીબેન ઠાકોરના આ નિવેદનથી ઉત્તર ગુજરાતનું રાજકારણ ગરમાઈ ગયું છે.

ભરૂચના સાંસદ મનસુખ વસાવા પોતાના આકરા સ્વભાવના લીધે અવારનવાર ચર્ચામાં રહે છે. કોઈક વાર તેઓ અધિકારીઓને ખખડાવતા હોય છે તો કોઈકવાર તેઓ જાહેર મંચ પરથી ધારાસભ્યોને ટકોર કરતા હોય છે. હવે તેમનો એક એવો વિડીયો સામે આવ્યો છે જેમાં મનસુખ વસાવાને SRP જવાન સાથે માથકૂટ થઇ છે. આ ઘટનાનો વિડીયો સોશ્યિલ મીડિયામાં ખુબ જ વાઇરલ થઇ રહ્યો છે.

વીજલાઇનની કામગીરીને લઇને ગુજરાતના ખેડૂતોમાં ભારે આક્રોશ છે. આજ મહિનાની શરૂઆતમાં ખેડૂતોના આક્રોશને શાંત કરવા માટે ગુજરાત સરકારે વીજલાઇનની કામગીરીમાં બજારભાવના બે ગણા વળતર આપવાની જાહેરાત કરતો પરિપત્ર બહાર પડ્યો તેમ છતાં ખેડૂતોમાં નારાજગી છે. મોરબી , પડધરી પછી આજે જામનગરના ખેડૂતો દ્વારા હજારોની સંખ્યામાં ભેગા થઇને કલેકટર કચેરીએ વીજલાઇનની કામગીરીની સામે આવેદનપત્ર આપવામાં આવ્યું છે