હરિયાણા પાસેથી ગુજરાત શીખશે ઝીરો બજેટ ખેતી


  • Published By : Payal rathod
  • Published Date : 2022-09-15 19:00:13

આવતીકાલે રાજ્યપાલ આચાર્ય દેવવ્રત અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ હરિયાણાની મુલાકાતે જશે. આવતીકાલે કુરુક્ષેત્રમાં યોજાનાર ઝીરો બજેટ ખેતીની બેઠકમાં હરિયાણા સરકાર ગુજરાત સરકાર સાથે ચર્ચા કરશે. 


ગુજરાત અને હરિયાણાના મુખ્યમંત્રી મળશે

બેઠકમાં હરિયાણા મુખ્યમંત્રી મનોહરલાલ ખટ્ટર કૃષિ વિભાગના અધિકારીઓ અને વિશેષજ્ઞો સાથે ઉપસ્થિત રહેશે. હરિયાણા સરકાર ઝીરો બજેટ ખેતી મામલે ખેડૂતો માટે અનેક યોજનાઓ બહાર પાડી ચૂકી છે. હરિયાણામાં ઝીરો બજેટ ખેતી કરનાર અને એક ગાય રાખનાર ખેડૂતને 25 હજાર રૂપિયા આપવામાં આવી રહ્યા છે. 



શું હોય છે ઝીરો બજેટ ખેતી?

હરિયાણાના કૈંથલામાં ગુરુકુળ કુરુક્ષેત્રની 180 એકરની ભૂમિ પર શેરડી, ફળ અને શાકભાજીની ખેતી કરવામાં આવી રહી છે. અન્ય રાજ્યો પણ કેવી રીતે ખેતી કરવામાં આવે છે તેની તાલિમ લેવા માટે કુરુક્ષેત્ર વિસ્તારમાં આવી રહ્યા છે.  



ગુજરાતના લાખો ગરીબ પરિવારોના આરોગ્યની સુરક્ષાને વધુ સુદૃઢ બનાવવા માટે ગુજરાત સરકારે એક મહત્ત્વપૂર્ણ પગલું ભર્યું છે. ગાંધીનગર ખાતે આરોગ્ય મંત્રી શ્રી પ્રફુલ પાનશેરિયાની ઉપસ્થિતિમાં આયુષ્માન ભારત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના હેઠળ રાજ્ય સરકારે બજાજ ઈન્સ્યોરન્સ કંપની સાથે એક નવા લેટર ઓફ એવોર્ડ(LOA) પર હસ્તાક્ષર કર્યા છે, જે રાજ્યની જનતા માટે આર્થિક રાહત અને વિસ્તૃત આરોગ્ય કવચ સુનિશ્ચિત કરે છે.

મુકેશ અંબાણીએ નાથદ્વારામાં દર્શન કર્યા, ‘યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન’ પ્રોજેક્ટની જાહેરાત કરી છે. મુકેશ અંબાણીએ પવિત્ર નગરી નાથદ્વારામાં શ્રીનાથજી ભગવાનના ભોગ આરતી દર્શનનો દિવ્ય લાભ લીધો તેમજ ગુરુ શ્રી વિશાલબાવા સાહેબના આશીર્વાદ પ્રાપ્ત કર્યા છે. આ અવસરે તેમણે નાથદ્વારામાં આધુનિક અને સુવિધાસંપન્ન “યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન”ના નિર્માણની જાહેરાત કરી છે તેમજ શ્રીનાથદ્વારા મંદિરને ₹15 કરોડનું દાન આપ્યું છે.

ગુજરાત સરકાર દ્વારા ખેડૂતો માટે એક રાહત પેકેજની ઘોષણા કરવામાં આવી છે. ગુજરાતમાં ૨૫મી ઓક્ટોબરથી જે કમોસમી વરસાદનો રાઉન્ડ આવ્યો છે તેમાં , ૪૨ લાખ હેકટર જમીનને નુકશાન થયું છે. અંદાજે ૧૬,૦૦૦ ગામોને અસર પહોંચી છે. તો હવે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ દ્વારા આજે એક કૃષિ રાહત પેકેજની જાહેરાત કરવામાં આવી છે.

અમરેલી જિલ્લામાં કોંગ્રેસ દ્વારા આજે ખેતી બચાવો સત્યાગ્રહ અંતર્ગત લીલીયા ખાતે પ્રતીક ધરણાનો કાર્યક્રમ યોજાયો છે. આ કાર્યક્રમમાં કમોસમી વરસાદના કારણે ખેડૂતોને જે પાક નુકશાની થઇ છે તેને લઇને અમરેલી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપ દુધાત અને પૂર્વ વિપક્ષના નેતા પરેશ ધાનાણીના નેતૃત્વમાં એક સંમેલન યોજાયું છે. આ ઉપરાંત ખેડૂતોના દેવામાફીના મુદ્દે , લીલીયા મામલતદારને આવેદન પત્ર પણ આપવામાં આવ્યું છે. આ પ્રસંગે , ખેડૂતો પણ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા.