સરકારની બાંહેધરી સ્વીકારવી કે નહીં તે અંગે પંચાયત હસ્તકના આરોગ્ય કર્મી યુનિયનમાં તડાં


  • Published By : Payal rathod
  • Published Date : 2022-09-25 11:25:12

ગુજરાત વિધાનસભાની ચૂંટણી પૂર્વે ઉઠેલા કર્મચારી આંદોલનોથી ચિંતિંત ભૂપેન્દ્ર પટેલની સરકારે  મંત્રીઓની ઉચ્ચ કક્ષાની કમિટી બનાવી હતી. આ 5 મંત્રીઓની આંદોલન કમિટી દ્વારા આજે મહત્વની જાહેરાત કરવામાં આવી હતી. પંચાયત હસ્તકના વર્ગ 3 ના આરોગ્ય કર્મચારીઓની માંગણીઓ સરકારે સ્વિકારી લીધી હતી. જેના પગલે હડતાળનો અંત આવ્યો હોવાની જાહેરાત સરકાર દ્વારા કરવામાં આવી હતી. એક મહિનામાં તમામ પ્રશ્નોનો ઉકેલ લાવવાની બાંહેધરી આરોગ્યમંત્રી સહિતની કમિટીએ આપી દીધી છે.


સરકારે કેટલી માંગણી સ્વીકારી?


આરોગ્ય કર્મચારી મહાસંઘ કર્મચારી મહાસંઘના પ્રમુખ રણજીતસિંહ મોરીએ આ અંગે  જણાવ્યું કે, પંચાયત હસ્તકના 16 હજાર આરોગ્ય કર્મચારીઓ છે. પગારની વિસંગતતાને કારણે કર્મચારીઓમાં અસંતોષ હતો. જો કે સરકારે 1 મહિનાની અંદર નિકાલ માટેની બાંહેધરી આપી છે. પગારની વિસંગતતા અને ક્ષતીઓ દુર કરવાની પણ બાંહેધરી આપી છે. એક મહિનામાં પ્રશ્નનો ઉકેલ નહી આવે તો આંદોલન યથાવત્ત રહેશે.


યુનિયનમાં પણ ભાગલા પડ્યા 


જો કે આ પ્રતિનિધિ મંડળ બહાર આવ્યા બાદ હવે આ યુનિયનમાં પણ બે તડાં પડી રહ્યા હોવાનું સામે આવ્યું છે. એક ગ્રુપ સરકાર પર વિશ્વાસ રાખીને પરત ફરી જવા માંગે છે. જ્યારે બીજુ ગ્રુપ જ્યાં સુધી આ નિર્ણય અંગેનો GR કે અમલીકરણ પત્ર ન બને ત્યાં સુધી પરત નહીં જવાનો હિમાયત કરે છે. જેના કારણે હવે આંદોલન LRD આંદોલનની જેમ જ વિમાસણની સ્થિતિમાં છે. 


આરોગ્ય કર્મચારીઓની માંગણી શું હતી?


1 ગ્રેડ પે સહિતના મુદ્દાઓનો લાંબા સમયથી ઉકેલ લાવવા માટે માંગ હતી.

2 2017,2019 અને 2021 માં કર્મચારીઓ માંગણીઓ મુદ્દે હડતાળ પર હતા

3 અગાઉ સરકારે આશ્વાસન આપ્યું હતું જો કે અમલ થયો નહોતો

4 ગ્રેડ પે 1900 થી વધારીને 2800 કરવાની આરોગ્ય કર્મચારીઓની માંગ

5 કોવિડ કાળ દરમિયાન કરેલી કામગીરીનું ભથ્થુ આપવા માંગ

6 આ ઉપરાંત ટ્રાન્સપોર્ટેશન એલાઉન્સ પણ આપવાની માંગ છે.



જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.

આંતરરાષ્ટ્રીય સંબંધોમાં USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર ચર્ચાઓમાં છે તેમણે ફરી એકવાર , ભારતને લઇને નિવેદનબાજીઓ કરી છે. ડોનાલ્ડ ટ્રમ્પને અપેક્ષા છે કે , ભારત આ વર્ષના અંતથી રશિયન ક્રૂડની આયાત કરવાનું બંધ કરી દેશે. આ ઉપરાંત ડોનાલ્ડ ટ્રમ્પએ ચીન વિશે નિવેદન આપતા કહ્યું છે કે , બાઈડેન અને ઓબામાની નીતિઓના કારણે ચીન અને રશિયા એક થયા છે. બાકી બંને મિત્ર રહી શકે તેમ છે જ નહીં. ચીનના રશિયા સાથેના સંબંધો અલગ પ્રકારના છે.

રાજકોટના ગોંડલના ખુબ ચર્ચિત રાજકુમાર જાટ કેસમાં આ આખા કેસની તપાસ હવે સુરેન્દ્રનગરના SP , IPS પ્રેમસુખ ડેલુંને સોંપાઈ છે. જે ડી પુરોહિત કે જેઓ ધ્રાંગધ્રાના DYSP છે એ તેમને આ કેસની તપાસમાં મદદ કરશે. આમ હવે રાજકુમાર જાટ કેસમાં તપાસ માટે એક નવી તપાસ ટીમ બનાવવામાં આવશે. રાજકુમાર જાટના પરિવારજનોનું માનવું છે કે , સ્થાનિક પોલીસ પૂર્વ MLA જયરાજસિંહને બચાવી રહી છે. આ કેસની વધુ તપાસ CBIને સોંપવામાં આવે તેવી અરજી પણ તેમના દ્વારા દાખલ કરવામાં આવી હતી. ગુજરાત હાઇકોર્ટ દ્વારા આ કેસને લઇને મહત્વના નિર્દેશ આપવામાં આવ્યા છે.

રાજકોટના ખુબ ચર્ચિત કેસ અમિત ખૂંટ કેસમાં અનિરુદ્ધસિંહ જાડેજાના દીકરા રાજદીપસિંહ જાડેજાના આગોતરા જામીન હવે સુપ્રીમ કોર્ટે ફગાવી દીધા છે. સુપ્રીમ કોર્ટે દ્વારા રાજદીપ સિંહ જાડેજાના આગોતરા જામીન ના મંજુર કરવાંમાં આવ્યા છે. જેનાથી હવે રાજદીપ જાડેજાની મુશ્કેલીઓમાં વધારો થઇ શકે છે. આપને જણાવી દયિકે , રાજદીપસિંહ જાડેજાના પિતા અનિરુદ્ધસિંહ જાડેજા હાલમાં EX MLA પોપટલાલ સોરઠીયા કેસમાં સજામાફી રદ થવાના કારણે જેલમાં જ છે.