સુપ્રીમ કૉર્ટમાં અસલી શિવસેના મામલે આજે સુનાવણી


  • Published By : Payal rathod
  • Published Date : 2022-09-27 10:22:46

સુપ્રીમ કોર્ટમાં આજે "અસલી શિવસેના કોની?" તે મામલે સુનાવણી થશે જેનું સીધું પ્રસારણ કરવામાં આવશે. સુપ્રીમ કોર્ટની બંધારણીય પીઠ મહારાષ્ટ્રમાં શિવસેના પર ચાલી રહેલા વિવાદ મામલે સુનાવણી કરશે. 


ન્યાયમૂર્તિ ચંદ્રચૂડની અધ્યક્ષતામાં સુનાવણી 

ન્યાયમૂર્તિ ડી. વાઈ. ચંદ્રચૂડની અધ્યક્ષતાની બંધારણીય પીઠ મહારાષ્ટ્રના રાજનૈતિક સંકટ મામલે ઉદ્ધવ ઠાકરે અને એકનાથ શિંદે ગ્રુપની અરજી પર સુનાવણી કરશે. ચૂંટણી પંચે ઉદ્ધવ ઠાકરે ગ્રુપને પાર્ટી પરનો અધિકાર સાબિત કરવા માટે માટે સમય આપ્યો હતો. તે સમય પણ આજના દિવસે પૂરો થઈ રહ્યો છે. ઉદ્ધવ ગ્રુપ આજે ચૂંટણી પંચને સબૂત રજૂ કરશે. 


શિંદે ગ્રુપના દાવા બાદ ઉદ્ધવને સબૂત રજૂ કરવા હુકમ

એકનાથ શિંદે ગ્રુપે દાવો કર્યો છે કે તેમની પાસે શિવસેનાના 40થી વધુ ધારાસભ્યો છે. માટે એકનાથ શિંદેના ગ્રુપને અસલી શિવસેનાનો હક મળવો જોઈએ. આ મામલે શિંદે ગ્રુપે ચૂંટણી પંચમાં અરજી પણ આપી છે. શિંદે ગ્રુપના આ દાવા પર ચૂંટણી પંચે ઉદ્ધવ ઠાકરેને શિવસેના તેની છે તે મામલે સબૂત રજૂ કરવા જણાવ્યું હતું.  



ધંધુકામાં માત્ર એક ઓવરટેક જેવી નજીવી બાબતે ધર્મેશ ગમારા નામના યુવાનનો જીવ લઇ લેવામાં આવે છે ત્યારબાદ , બે સમુદાયો ધંધુકામાં આમનેસામને આવી જાય છે. ખુબ મોટાપાયે ઘર્ષણ થાય છે. આ પછી , પોલીસ દ્વારા ધંધુકામાં સઘન કોમ્બિંગ હાથ ધરાય છે અને ૨૦૦ લોકોના ઘરોની પણ તપાસ કરવામાં આવી છે. તો હવે પોલીસ આ સમગ્ર મામલે તપાસ કરવા માટે અમદાવાદના રેન્જ IG રાઘવેન્દ્ર વત્સ દ્વારા સ્પેશ્યલ ઇન્વેસ્ટિગેશન ટીમની રચના કરવામાં આવી છે.

ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ માટે મતદાન ૨૬મી એપ્રિલે યોજાવાનું છે ત્યારે , રાજકોટ મહાનગરપાલિકામાં લેઉવા સમાજના મતો ખુબ મોટી સંખ્યામાં છે ત્યારે , ભારતીય જનતા પાર્ટીના રાજકોટના કોર્પોરેટરોએ ખોડલધામના ચેરમેન નરેશ પટેલ સાથે મુલાકાત કરી છે. જોકે આ મુલાકાત પછી , ભાજપ જીતી શકશે કે કેમ તે તો પરિણામના દિવસે જ ખબર પડશે. પરંતુ , રાજકોટ મહાનગરપાલિકામાં ભારતીય જનતા પાર્ટીના ટિકિટ વહેંચણી પછી જૂથવાદ સપાટી પર આવી ગયો છે. આ કારણે પાર્ટીની સામે પડકાર ઉભો થયો છે.

સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓમાં ૨૬મી તારીખે મતદાન યોજાવાનું છે ત્યારે , પંચમહાલમાં કોંગ્રેસને ખુબ મોટો ઝટકો લાગ્યો છે. પંચમહાલ જિલ્લા કોંગ્રેસ પ્રમુખ ચેતનસિંહ પરમારએ ભારતીય જનતા પાર્ટીમાં જોડાઈ ગયા છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના હસ્તે તેમણે ભાજપનો ખેસ ધારણ કર્યો છે. આમ હવે , પંચમહાલ જિલ્લામાં કોંગ્રેસમાં કાર્યકરો નિરાશ થઇ ગયા છે.

નવરચિત વાવ થરાદ જિલ્લામાં મામલતદાર કચેરીએ જયારે ઉમેદવારોના ફોર્મની સ્ક્રૂટિની ચાલી રહી છે ત્યારે મામલતદાર કચેરીએ કોંગ્રેસના કાર્યકરોએ નારેબાજી કરી છે. આ બાબતે બનાસકાંઠા જિલ્લા કોંગ્રેસ પ્રમુખ ગુલાબસિંહ રાજપૂત દ્વારા પોલીસ પર આરોપ લગાવવામાં આવ્યો છે કે , "પોલીસ અમારા ઉમેદવારોને ડરાવવાનું અને ધમકાવવાનું કામ કરી રહી છે. ગુલાબસિંહ રાજપૂતના આ દાવાથી વાવ થરાદ જિલ્લામાં રાજકારણ ગરમાઈ ગયું છે.