સુપ્રીમ કૉર્ટમાં અસલી શિવસેના મામલે આજે સુનાવણી


  • Published By : Payal rathod
  • Published Date : 2022-09-27 10:22:46

સુપ્રીમ કોર્ટમાં આજે "અસલી શિવસેના કોની?" તે મામલે સુનાવણી થશે જેનું સીધું પ્રસારણ કરવામાં આવશે. સુપ્રીમ કોર્ટની બંધારણીય પીઠ મહારાષ્ટ્રમાં શિવસેના પર ચાલી રહેલા વિવાદ મામલે સુનાવણી કરશે. 


ન્યાયમૂર્તિ ચંદ્રચૂડની અધ્યક્ષતામાં સુનાવણી 

ન્યાયમૂર્તિ ડી. વાઈ. ચંદ્રચૂડની અધ્યક્ષતાની બંધારણીય પીઠ મહારાષ્ટ્રના રાજનૈતિક સંકટ મામલે ઉદ્ધવ ઠાકરે અને એકનાથ શિંદે ગ્રુપની અરજી પર સુનાવણી કરશે. ચૂંટણી પંચે ઉદ્ધવ ઠાકરે ગ્રુપને પાર્ટી પરનો અધિકાર સાબિત કરવા માટે માટે સમય આપ્યો હતો. તે સમય પણ આજના દિવસે પૂરો થઈ રહ્યો છે. ઉદ્ધવ ગ્રુપ આજે ચૂંટણી પંચને સબૂત રજૂ કરશે. 


શિંદે ગ્રુપના દાવા બાદ ઉદ્ધવને સબૂત રજૂ કરવા હુકમ

એકનાથ શિંદે ગ્રુપે દાવો કર્યો છે કે તેમની પાસે શિવસેનાના 40થી વધુ ધારાસભ્યો છે. માટે એકનાથ શિંદેના ગ્રુપને અસલી શિવસેનાનો હક મળવો જોઈએ. આ મામલે શિંદે ગ્રુપે ચૂંટણી પંચમાં અરજી પણ આપી છે. શિંદે ગ્રુપના આ દાવા પર ચૂંટણી પંચે ઉદ્ધવ ઠાકરેને શિવસેના તેની છે તે મામલે સબૂત રજૂ કરવા જણાવ્યું હતું.  



ગુજરાતના લાખો ગરીબ પરિવારોના આરોગ્યની સુરક્ષાને વધુ સુદૃઢ બનાવવા માટે ગુજરાત સરકારે એક મહત્ત્વપૂર્ણ પગલું ભર્યું છે. ગાંધીનગર ખાતે આરોગ્ય મંત્રી શ્રી પ્રફુલ પાનશેરિયાની ઉપસ્થિતિમાં આયુષ્માન ભારત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના હેઠળ રાજ્ય સરકારે બજાજ ઈન્સ્યોરન્સ કંપની સાથે એક નવા લેટર ઓફ એવોર્ડ(LOA) પર હસ્તાક્ષર કર્યા છે, જે રાજ્યની જનતા માટે આર્થિક રાહત અને વિસ્તૃત આરોગ્ય કવચ સુનિશ્ચિત કરે છે.

મુકેશ અંબાણીએ નાથદ્વારામાં દર્શન કર્યા, ‘યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન’ પ્રોજેક્ટની જાહેરાત કરી છે. મુકેશ અંબાણીએ પવિત્ર નગરી નાથદ્વારામાં શ્રીનાથજી ભગવાનના ભોગ આરતી દર્શનનો દિવ્ય લાભ લીધો તેમજ ગુરુ શ્રી વિશાલબાવા સાહેબના આશીર્વાદ પ્રાપ્ત કર્યા છે. આ અવસરે તેમણે નાથદ્વારામાં આધુનિક અને સુવિધાસંપન્ન “યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન”ના નિર્માણની જાહેરાત કરી છે તેમજ શ્રીનાથદ્વારા મંદિરને ₹15 કરોડનું દાન આપ્યું છે.

ગુજરાત સરકાર દ્વારા ખેડૂતો માટે એક રાહત પેકેજની ઘોષણા કરવામાં આવી છે. ગુજરાતમાં ૨૫મી ઓક્ટોબરથી જે કમોસમી વરસાદનો રાઉન્ડ આવ્યો છે તેમાં , ૪૨ લાખ હેકટર જમીનને નુકશાન થયું છે. અંદાજે ૧૬,૦૦૦ ગામોને અસર પહોંચી છે. તો હવે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ દ્વારા આજે એક કૃષિ રાહત પેકેજની જાહેરાત કરવામાં આવી છે.

અમરેલી જિલ્લામાં કોંગ્રેસ દ્વારા આજે ખેતી બચાવો સત્યાગ્રહ અંતર્ગત લીલીયા ખાતે પ્રતીક ધરણાનો કાર્યક્રમ યોજાયો છે. આ કાર્યક્રમમાં કમોસમી વરસાદના કારણે ખેડૂતોને જે પાક નુકશાની થઇ છે તેને લઇને અમરેલી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપ દુધાત અને પૂર્વ વિપક્ષના નેતા પરેશ ધાનાણીના નેતૃત્વમાં એક સંમેલન યોજાયું છે. આ ઉપરાંત ખેડૂતોના દેવામાફીના મુદ્દે , લીલીયા મામલતદારને આવેદન પત્ર પણ આપવામાં આવ્યું છે. આ પ્રસંગે , ખેડૂતો પણ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા.