સુપ્રીમ કૉર્ટમાં અસલી શિવસેના મામલે આજે સુનાવણી


  • Published By : Payal rathod
  • Published Date : 2022-09-27 10:22:46

સુપ્રીમ કોર્ટમાં આજે "અસલી શિવસેના કોની?" તે મામલે સુનાવણી થશે જેનું સીધું પ્રસારણ કરવામાં આવશે. સુપ્રીમ કોર્ટની બંધારણીય પીઠ મહારાષ્ટ્રમાં શિવસેના પર ચાલી રહેલા વિવાદ મામલે સુનાવણી કરશે. 


ન્યાયમૂર્તિ ચંદ્રચૂડની અધ્યક્ષતામાં સુનાવણી 

ન્યાયમૂર્તિ ડી. વાઈ. ચંદ્રચૂડની અધ્યક્ષતાની બંધારણીય પીઠ મહારાષ્ટ્રના રાજનૈતિક સંકટ મામલે ઉદ્ધવ ઠાકરે અને એકનાથ શિંદે ગ્રુપની અરજી પર સુનાવણી કરશે. ચૂંટણી પંચે ઉદ્ધવ ઠાકરે ગ્રુપને પાર્ટી પરનો અધિકાર સાબિત કરવા માટે માટે સમય આપ્યો હતો. તે સમય પણ આજના દિવસે પૂરો થઈ રહ્યો છે. ઉદ્ધવ ગ્રુપ આજે ચૂંટણી પંચને સબૂત રજૂ કરશે. 


શિંદે ગ્રુપના દાવા બાદ ઉદ્ધવને સબૂત રજૂ કરવા હુકમ

એકનાથ શિંદે ગ્રુપે દાવો કર્યો છે કે તેમની પાસે શિવસેનાના 40થી વધુ ધારાસભ્યો છે. માટે એકનાથ શિંદેના ગ્રુપને અસલી શિવસેનાનો હક મળવો જોઈએ. આ મામલે શિંદે ગ્રુપે ચૂંટણી પંચમાં અરજી પણ આપી છે. શિંદે ગ્રુપના આ દાવા પર ચૂંટણી પંચે ઉદ્ધવ ઠાકરેને શિવસેના તેની છે તે મામલે સબૂત રજૂ કરવા જણાવ્યું હતું.  



દેદિયાપાડાના MLA ચૈતર વસાવાની જામીન અરજી પર આજે ગુજરાત હાઇકોર્ટમાં સુનાવણી થવાની હતી. જેમાં હવે સમાચાર આવ્યા છે કે , ચૈતર વસાવાની જામીન અરજી પર આજે સુનાવણી નઈ થાય. ગુજરાત હાઇકોર્ટના વકીલોની હડતાળને કારણે સુનાવણી નહિ થાય. આજે ગુજરાત હાઇકોર્ટમાં ધારાસભ્ય ચૈતર વસાવાની જામીન અરજી પર સુનાવણી હાથ ધરાવવાની હતી . પરંતુ હવે વકીલોની હડતાળના કારણે આ સુનાવણી ટળી ગઈ છે . આમ હવે MLA ચૈતર વસાવાનો જેલવાસ લંબાયો છે .

પોન્ઝી સ્કીમ કૌભાંડના આરોપી ભુપેન્દ્ર સિંહ ઝાલા વિશે એક મહત્વના સમાચાર પ્રાપ્ત થઇ રહ્યા છે . ભુપેન્દ્ર સિંહ ઝાલાની જામીન અરજી ગુજરાત હાઇકોર્ટ દ્વારા મંજુર કરવામાં આવી છે. ગુજરાત હાઇકોર્ટે પોન્ઝી સ્કીમ કૌભાંડના આરોપી ભુપેન્દ્ર સિંહ ઝાલાની જામીન અરજી શરતોને આધારે મંજુર કરી છે. ભુપેન્દ્ર સિંહ ઝાલાને ૮ મહિનાથી વધુના જેલવાસ પછી ગુજરાત હાઇકોર્ટ દ્વારા જામીન આપવામાં આવ્યા છે .

અમદાવાદના સેવન્થ ડે સ્કૂલની ઘટનાની સંપૂર્ણ તપાસ હાલમાં ક્રાઇમ બ્રાન્ચ દ્વારા કરવામાં આવી રહી છે. અને હવે ક્રાઇમ બ્રાન્ચ સેવન્થ ડે સ્કૂલની ઘટનામાં તેના સંચાલકો સામે ફરિયાદ દાખલ કરવા માટે કોર્ટની મંજૂરી મેળવશે . હાલમાં ક્રાઇમ બ્રાન્ચની ટિમ આખી ઘટનાની અંદર ઝીણવટભરી તપાસ કરી રહી છે . આપને જણાવી દયિકે , આ આખી ઘટનામાં , સેવન્થ ડે સ્કૂલના સંચાલકોની ખુબ ભારે બેદરકારી સામે આવી છે .

સમાજમાં કેટલીકવાર એવી ઘટનાઓ અને ગુનાઓ બનતા હોય છે કે જેના કારણે સમાજની આત્માને કુઠારાઘાત પહોંચતો હોય છે. આવી જ એક ઘટના અમદાવાદના હાટકેશ્વર ખાતે બની છે . જ્યાં સેવન્થ ડે સ્કૂલમાં ધક્કામુક્કી જેવી સામાન્ય બાબતે ધોરણ ૮ માં ભણતો વિદ્યાર્થી દસમા ધોરણમાં ભણતા છોકરાને ધારદાર વસ્તુના ઘા મારીને મારી નાખે છે . જેના પ્રત્યાઘાત હવે ખુબ ઊંડા પડ્યા છે. આજે ૨૧ ઓગસ્ટના રોજ યુથ કોંગ્રેસ અને NSUI દ્વારા સ્કૂલને તાળાબંધીનું એલાન કરવામાં આવ્યું છે. ઉપરાંત વિશ્વ હિન્દૂ પરિષદ દ્વારા મણિનગર અને આસપાસના વિસ્તારોમાં સ્કૂલો બંધ રાખી વિસ્તારને બંધ રાખવાનું એલાન કરવામાં આવ્યું છે . સાથે જ અમદાવાદના મણિનગર વિસ્તારમાં આવેલી સિંધી માર્કેટ આજે બંધ છે.