હિમાચલ પ્રદેશ:ભાજપે 62 ઉમેદવારોની યાદી જાહેર કરી, સીએમ ઠાકુર સિરાજથી લડશે, જુઓ લિસ્ટ


  • Published By : Payal rathod
  • Published Date : 2022-10-19 09:31:41

તમને જણાવી દઈએ કે હિમાચલ પ્રદેશ વિધાનસભા ચૂંટણીમાં પાર્ટીના ઉમેદવારોની પસંદગી માટે દિલ્હીમાં રાષ્ટ્રીય અધ્યક્ષ જગત પ્રકાશ નડ્ડાની અધ્યક્ષતામાં બીજેપી સંસદીય બોર્ડની મેરેથોન બેઠક મંગળવારે મોડી રાત સુધી ચાલી હતી. આ બેઠકમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ પણ હાજર રહ્યા હતા. મોદી-શાહે એક-એક સીટ પર મસલત કરી હતી.


એન્ટી ઈન્કમ્બન્સીના કારણે ત્રણ મંત્રીઓ અને અનેક ધારાસભ્યોની ટિકિટ પર તલવાર લટકી ગઈ છે, જ્યારે બે મંત્રીઓની વિધાનસભાની બેઠકો બદલવાની પણ ચર્ચા થઈ છે. કેન્દ્રીય ચૂંટણી સમિતિએ મોડી રાત સુધી તમામ ટિકિટો અંગે નિર્ણય લઈ લીધો હતો. ભાજપે બુધવારે સવારે 62 બેઠકો માટે ઉમેદવારોની યાદી જાહેર કરી છે.


આ બેઠકમાં રક્ષા મંત્રી રાજનાથ સિંહ, કેન્દ્રીય મંત્રી ભૂપેન્દ્ર યાદવ, સર્બાનંદ સોનોવાલ, ભાજપના પ્રદેશ અધ્યક્ષ સુરેશ કશ્યપ, મુખ્યમંત્રી જયરામ ઠાકુર, ભાજપના રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ સૌદાન સિંહ, ભાજપના પ્રભારી અવિનાશ રાય ખન્ના, સહ પ્રભારી સંજય ટંડન. , કેન્દ્રીય માહિતી અને પ્રસારણ મંત્રી અનુરાગ ઠાકુર સહિત અનેક પ્રાદેશિક નેતાઓ હાજર રહ્યા હતા. આ બેઠકમાં રાજ્ય ચૂંટણી સમિતિની બે તબક્કામાં યોજાયેલી બેઠકોની ચર્ચા કરવામાં આવી હતી.



ગુજરાત હવે ખેલકૂદમાં પણ "ગ્લોબલ હબ" બનીને ઉભરી રહ્યું છે. આવનારા સમયમાં 2030ના વર્ષમાં કોમનવેલ્થ ગેમ્સ અમદાવાદમાં યોજવા જઈ રહી છે. આગામી સમયમાં 2036માં ભારતમાં ઓલિમ્પિક યોજાય તે માટે પ્રયાસો શરુ થઇ ગયા છે. ઇન્ડિયન ઓલિમ્પિક એસોસિએશનની એક્ઝિક્યુટિવ કાઉન્સિલ દ્વારા નેશનલ ઓલિમ્પિક એજ્યુકેશન એન્ડ ડેવલપમન્ટ પ્રોગ્રામ લોન્ચ કરવામાં આવ્યો છે. સાથે જ નેશનલ ઓલિમ્પિક એકેડેમીને ફરી સક્રિય કરવામાં આવી છે. આ નિર્ણય ૮મી જાન્યુઆરીએ ઇન્ડિયન ઓલિમ્પિક એસોસિએશનની એક્ઝિક્યુટિવ કાઉન્સિલ મળી હતી તેમાં લેવાયો છે અને આ પછી , 9મી જાન્યુઆરીએ ઇન્ડિયન ઓલિમ્પિક એસોસિએશનની જે વાર્ષિક સામાન્ય સભા મળી હતી તેમાં આ નિર્ણયને મંજૂરી આપવામાં આવી હતી. IOAની આ બંને મિટિંગ અમદાવાદ ખાતે મળી હતી.

પશ્ચિમ એશિયાના દેશ ઈરાનમાં હાલમાં સ્થિતિ ખુબ જ તણાવપૂર્ણ છે. ત્યાં છેલ્લા બે અઠવાડિયાથી સરકાર વિરોધી દેખાવો ચાલુ છે. તો બીજી તરફ , USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પને , ઈરાનમાં સંભવિત લશ્કરી કાર્યવાહી કરવા માટેના વિકલ્પોની જાણકારી આપવામાં આવી છે. ઈરાને સ્પષ્ટ કરી દીધું છે કે, અમારા પર કોઈ પણ પ્રકારની કાર્યવાહી કરવામાં આવશે તો અમે જવાબ આપીશું.

સુરતના ખુબ ચર્ચિત બીટકોઈન કેસમાં , અમરેલીના ભારતીય જનતા પાર્ટીના પૂર્વ MLA નલિન કોટડીયાને , ગુજરાત હાઇકોર્ટ દ્વારા , ૫૦ હજારના બોન્ડ પર જામીન આપવામાં આવ્યા છે. અમદાવાદની ACB કોર્ટે , પૂર્વ MLA નલિન કોટડીયા સહીત ૧૪ આરોપીઓને આ જીવન કેદની ફટકારી હતી. નલિન કોટડીયા પર , ૨૦૧૮માં સુરતના બિલ્ડર શૈલેષ ભટ્ટનું અપહરણ કરીને , ખંડણી માંગવાનો આરોપ લાગેલો છે.

જવાહરલાલ નહેરુ યુનિવર્સિટીના કેમ્પસમાં કેટલાક વિદ્યાર્થીઓ પર મોડી રાત્રે વિવાદિત નારેબાજી કરી હોવાનો આરોપ છે. જેમાં નારા લગાવવામાં આવ્યા છે કે , " મોદી-શાહ કી કબર ખુદેગી , JNU કી ધરતી પર." આ અગાઉ , ૨૦૧૬માં JNUમાં રાષ્ટ્રવિરોધી નારાઓ લાગ્યા હતા જેના કારણે , તે ચર્ચામાં આવી હતી. JNUમાં થયેલી આ નારેબાજીના વિડિઓ સોશ્યિલ મીડિયામાં વાઇરલ થયા છે જેના કારણે રાજનીતિમાં ગરમાવો આવી ગયો છે.