હિમાચલ પ્રદેશ:ભાજપે 62 ઉમેદવારોની યાદી જાહેર કરી, સીએમ ઠાકુર સિરાજથી લડશે, જુઓ લિસ્ટ


  • Published By : Payal rathod
  • Published Date : 2022-10-19 09:31:41

તમને જણાવી દઈએ કે હિમાચલ પ્રદેશ વિધાનસભા ચૂંટણીમાં પાર્ટીના ઉમેદવારોની પસંદગી માટે દિલ્હીમાં રાષ્ટ્રીય અધ્યક્ષ જગત પ્રકાશ નડ્ડાની અધ્યક્ષતામાં બીજેપી સંસદીય બોર્ડની મેરેથોન બેઠક મંગળવારે મોડી રાત સુધી ચાલી હતી. આ બેઠકમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ પણ હાજર રહ્યા હતા. મોદી-શાહે એક-એક સીટ પર મસલત કરી હતી.


એન્ટી ઈન્કમ્બન્સીના કારણે ત્રણ મંત્રીઓ અને અનેક ધારાસભ્યોની ટિકિટ પર તલવાર લટકી ગઈ છે, જ્યારે બે મંત્રીઓની વિધાનસભાની બેઠકો બદલવાની પણ ચર્ચા થઈ છે. કેન્દ્રીય ચૂંટણી સમિતિએ મોડી રાત સુધી તમામ ટિકિટો અંગે નિર્ણય લઈ લીધો હતો. ભાજપે બુધવારે સવારે 62 બેઠકો માટે ઉમેદવારોની યાદી જાહેર કરી છે.


આ બેઠકમાં રક્ષા મંત્રી રાજનાથ સિંહ, કેન્દ્રીય મંત્રી ભૂપેન્દ્ર યાદવ, સર્બાનંદ સોનોવાલ, ભાજપના પ્રદેશ અધ્યક્ષ સુરેશ કશ્યપ, મુખ્યમંત્રી જયરામ ઠાકુર, ભાજપના રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ સૌદાન સિંહ, ભાજપના પ્રભારી અવિનાશ રાય ખન્ના, સહ પ્રભારી સંજય ટંડન. , કેન્દ્રીય માહિતી અને પ્રસારણ મંત્રી અનુરાગ ઠાકુર સહિત અનેક પ્રાદેશિક નેતાઓ હાજર રહ્યા હતા. આ બેઠકમાં રાજ્ય ચૂંટણી સમિતિની બે તબક્કામાં યોજાયેલી બેઠકોની ચર્ચા કરવામાં આવી હતી.



થોડાક સમય પહેલા કોંગ્રેસ દ્વારા પીએમ મોદીની માતા માટેનો એક AI જનરેટેડ વિડિઓ બહાર પાડવામાં આવ્યો હતો. આ AI વિડિઓને લઇને પટના હાઇકોર્ટ દ્વારા હવે કોંગ્રેસને આદેશ આપવામાં આવ્યો છે કે , " પીએમ મોદીના માતાનો AI વિડિઓ હટાવવામાં આવે. " કોંગ્રેસ દ્વારા AI વીડિયોમાં બતાવવામાં આવ્યું છે કે , પીએમ મોદીને સપનામાં તેમના માતા આવ્યા હતા. પટના હાઈકોર્ટે રાહુલ ગાંધી , ભારતીય ચૂંટણીપચ , મેટા , ગુગલ , એક્સ (ટ્વીટર) અને માહિતી ટેક્નોલોજી મંત્રાલયને AI વિડિઓને લઇને નોટિસ ફટકારી છે.

ગુજરાતમાં હવે બનાસ ડેરીમાં ચૂંટણીઓ જાહેર થઇ ચુકી છે . બનાસ ડેરીની ચૂંટણીઓમાં હરીફ પેનલ ઉભી થવાની શક્યતા છે . બનાસ ડેરીના ચેરમેન શંકર ચૌધરી એ હાલમાં વિધાનસભાના અધ્યક્ષ છે. ચૂંટણીની જાહેરાત થતા જ સહકરી ક્ષેત્રે હલચલ શરુ થઇ ગઈ છે. ૧૬મી સપ્ટેમ્બરથી ઉમેદવારી ફોર્મ ભરી શકાશે. આ ચૂંટણીઓના પરિણામ ૧૧મી ઓક્ટોબરના રોજ જાહેર થશે. બનાસ ડેરીના ૧૬ ડિરેક્ટર પદો માટે મતદાન યોજાવા જઈ રહ્યું છે.

અંકલેશ્વરના પાનોલી GIDCમાં આવેલી સંઘવી ઓર્ગેનિક્સ કંપનીમાં વહેલી સવારે આગ ફાટી નીકળી હતી. આ ભીષણ આગ લાગવાને કારણે અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. આગના કારણે ધુમાડાના ગોટેગોટા દૂર દૂર સુધી દેખાયા હતા. આગના કારણે નજીકના સંજાલી ગામમાં ભયનો માહોલ છે. ભીષણ આગના કારણે ૧૨થી ફાયર ફાઇટર્સ ઘટનાસ્થળે પહોંચી ગયા હતા. આ દુર્ઘટનાના કારણે આજુબાજુની કંપનીઓને પણ ખાલી કરાવવામાં આવી હતી.

દેદિયાપાડાના MLA ચૈતર વસાવા કે જેઓ ફરી એકવાર ગુજરાત હાઇકોર્ટના દરવાજા આજે ખખડાવી શકે છે. ડેડીયાપાડા પોલીસે સેશન્સ કોર્ટમાં ચાર્જશીટ રજુ કરી હતી તે પછી કોર્ટે ચૈતર વસાવાના જામીન ફગાવી દીધા છે. આ જામીન ફગાવતા ચૈતર વસાવા ફરી એકવાર ગુજરાત હાઇકોર્ટના દરવાજા ખખડાવી શકે છે. આ માટે સુપ્રીમ કોર્ટના વકીલ વિક્રમ ચૌધરી ચૈતર વસાવા તરફથી લડવાના છે .