હિમાચલ પ્રદેશ:ભાજપે 62 ઉમેદવારોની યાદી જાહેર કરી, સીએમ ઠાકુર સિરાજથી લડશે, જુઓ લિસ્ટ


  • Published By : Payal rathod
  • Published Date : 2022-10-19 09:31:41

તમને જણાવી દઈએ કે હિમાચલ પ્રદેશ વિધાનસભા ચૂંટણીમાં પાર્ટીના ઉમેદવારોની પસંદગી માટે દિલ્હીમાં રાષ્ટ્રીય અધ્યક્ષ જગત પ્રકાશ નડ્ડાની અધ્યક્ષતામાં બીજેપી સંસદીય બોર્ડની મેરેથોન બેઠક મંગળવારે મોડી રાત સુધી ચાલી હતી. આ બેઠકમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ પણ હાજર રહ્યા હતા. મોદી-શાહે એક-એક સીટ પર મસલત કરી હતી.


એન્ટી ઈન્કમ્બન્સીના કારણે ત્રણ મંત્રીઓ અને અનેક ધારાસભ્યોની ટિકિટ પર તલવાર લટકી ગઈ છે, જ્યારે બે મંત્રીઓની વિધાનસભાની બેઠકો બદલવાની પણ ચર્ચા થઈ છે. કેન્દ્રીય ચૂંટણી સમિતિએ મોડી રાત સુધી તમામ ટિકિટો અંગે નિર્ણય લઈ લીધો હતો. ભાજપે બુધવારે સવારે 62 બેઠકો માટે ઉમેદવારોની યાદી જાહેર કરી છે.


આ બેઠકમાં રક્ષા મંત્રી રાજનાથ સિંહ, કેન્દ્રીય મંત્રી ભૂપેન્દ્ર યાદવ, સર્બાનંદ સોનોવાલ, ભાજપના પ્રદેશ અધ્યક્ષ સુરેશ કશ્યપ, મુખ્યમંત્રી જયરામ ઠાકુર, ભાજપના રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ સૌદાન સિંહ, ભાજપના પ્રભારી અવિનાશ રાય ખન્ના, સહ પ્રભારી સંજય ટંડન. , કેન્દ્રીય માહિતી અને પ્રસારણ મંત્રી અનુરાગ ઠાકુર સહિત અનેક પ્રાદેશિક નેતાઓ હાજર રહ્યા હતા. આ બેઠકમાં રાજ્ય ચૂંટણી સમિતિની બે તબક્કામાં યોજાયેલી બેઠકોની ચર્ચા કરવામાં આવી હતી.



ગુજરાતના લાખો ગરીબ પરિવારોના આરોગ્યની સુરક્ષાને વધુ સુદૃઢ બનાવવા માટે ગુજરાત સરકારે એક મહત્ત્વપૂર્ણ પગલું ભર્યું છે. ગાંધીનગર ખાતે આરોગ્ય મંત્રી શ્રી પ્રફુલ પાનશેરિયાની ઉપસ્થિતિમાં આયુષ્માન ભારત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના હેઠળ રાજ્ય સરકારે બજાજ ઈન્સ્યોરન્સ કંપની સાથે એક નવા લેટર ઓફ એવોર્ડ(LOA) પર હસ્તાક્ષર કર્યા છે, જે રાજ્યની જનતા માટે આર્થિક રાહત અને વિસ્તૃત આરોગ્ય કવચ સુનિશ્ચિત કરે છે.

મુકેશ અંબાણીએ નાથદ્વારામાં દર્શન કર્યા, ‘યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન’ પ્રોજેક્ટની જાહેરાત કરી છે. મુકેશ અંબાણીએ પવિત્ર નગરી નાથદ્વારામાં શ્રીનાથજી ભગવાનના ભોગ આરતી દર્શનનો દિવ્ય લાભ લીધો તેમજ ગુરુ શ્રી વિશાલબાવા સાહેબના આશીર્વાદ પ્રાપ્ત કર્યા છે. આ અવસરે તેમણે નાથદ્વારામાં આધુનિક અને સુવિધાસંપન્ન “યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન”ના નિર્માણની જાહેરાત કરી છે તેમજ શ્રીનાથદ્વારા મંદિરને ₹15 કરોડનું દાન આપ્યું છે.

ગુજરાત સરકાર દ્વારા ખેડૂતો માટે એક રાહત પેકેજની ઘોષણા કરવામાં આવી છે. ગુજરાતમાં ૨૫મી ઓક્ટોબરથી જે કમોસમી વરસાદનો રાઉન્ડ આવ્યો છે તેમાં , ૪૨ લાખ હેકટર જમીનને નુકશાન થયું છે. અંદાજે ૧૬,૦૦૦ ગામોને અસર પહોંચી છે. તો હવે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ દ્વારા આજે એક કૃષિ રાહત પેકેજની જાહેરાત કરવામાં આવી છે.

અમરેલી જિલ્લામાં કોંગ્રેસ દ્વારા આજે ખેતી બચાવો સત્યાગ્રહ અંતર્ગત લીલીયા ખાતે પ્રતીક ધરણાનો કાર્યક્રમ યોજાયો છે. આ કાર્યક્રમમાં કમોસમી વરસાદના કારણે ખેડૂતોને જે પાક નુકશાની થઇ છે તેને લઇને અમરેલી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપ દુધાત અને પૂર્વ વિપક્ષના નેતા પરેશ ધાનાણીના નેતૃત્વમાં એક સંમેલન યોજાયું છે. આ ઉપરાંત ખેડૂતોના દેવામાફીના મુદ્દે , લીલીયા મામલતદારને આવેદન પત્ર પણ આપવામાં આવ્યું છે. આ પ્રસંગે , ખેડૂતો પણ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા.