હિમાચલ પ્રદેશ | ભારતના પ્રથમ મતદાર શ્યામ સરન નેગીનું 106 વર્ષની વયે નિધન,બે દિવસ પહેલા જ મતદાન કર્યું હતું


  • Published By :
  • Published Date : 2022-11-05 09:37:53

સ્વતંત્ર ભારતના પ્રથમ મતદાર શ્યામ સરન નેગીનું શનિવારે વહેલી સવારે અવસાન થયું. તેઓ 106 વર્ષના હતા. નેગીએ બુધવારે જ 14મી વિધાનસભા માટે કલ્પામાં તેમના ઘરેથી પ્રથમ વખત બેલેટ પેપર દ્વારા મતદાન કર્યું હતું. પીએમ મોદીએ દેશના સૌથી વૃદ્ધ મતદાતા નેગીના પણ વખાણ કર્યા છે. પીએમ મોદીએ કહ્યું કે આનાથી નવી પેઢીના લોકોને મતદાન કરવા માટે પ્રેરણા મળશે.

Shyam Saran Negi, independent India's first voter from Himachal's Kinnaur,  dies at 106 - India Today

ઉલ્લેખનીય છે કે આ પહેલા નેગીએ કહ્યું હતું કે તેઓ પોલિંગ બૂથ પર જઈને મતદાન કરશે, પરંતુ તબિયત ખરાબ હોવાને કારણે તેમને ઘરેથી જ વોટ કરવો પડ્યો હતો. 34મી વખત મતદાન કરનાર નેગીએ બુધવારે પ્રથમ વખત પોસ્ટલ બેલેટ દ્વારા પોતાનો મત આપ્યો. જુલાઈ 1917માં જન્મેલા નેગીએ 1951થી અત્યાર સુધી 16 વખત લોકસભા ચૂંટણીમાં મતદાન કર્યું છે. તેઓ 2014 થી હિમાચલના ચૂંટણી આઇકોન પણ છે. નેગીએ 1951 થી દરેક ચૂંટણીમાં મતદાન કર્યું છે. મુખ્ય ચૂંટણી અધિકારી મનીષ ગર્ગે પણ શતાબ્દી મતદાતા શ્યામ સરન નેગીને તેમનો મત આપવા બદલ અભિનંદન પાઠવ્યા હતા.

બુધવારે પ્રથમ વખત પોસ્ટલ બેલેટ દ્વારા પોતાનો મત આપ્યો

106-year-old Shyam Saran, first voter of Independent India, casts his  postal ballot for Himachal polls

જિલ્લા ચૂંટણી અધિકારી આબિદ હુસૈન સાદીકે જણાવ્યું હતું કે નેગીને તેમના ઘરના આંગણામાં પોસ્ટલ બૂથ પર લાવવા માટે લાલ જાજમ પાથરી હતી. મતદાન કર્યા બાદ તેમનો મત એક પરબિડીયામાં સીલ કરીને મતપેટીમાં મુકવામાં આવ્યો હતો. શ્યામ સરન નેગીને કેપ અને મફલરથી સન્માનિત કરવામાં આવ્યા હતા. તેમણે કહ્યું કે શ્યામ સરન નેગી માત્ર હિમાચલના જ નહીં પરંતુ દેશના આઇકોન છે. અમે બધા માટે પ્રેરણા સ્ત્રોત છીએ. 106 વર્ષની ઉંમર પછી પણ મતદાન કરવાનો તેમનો જુસ્સો લોકશાહીની મજબૂતીમાં દરેક મતના મહત્વનો પુરાવો છે.



અમરેલી જિલ્લામાં કોંગ્રેસ દ્વારા આજે ખેતી બચાવો સત્યાગ્રહ અંતર્ગત લીલીયા ખાતે પ્રતીક ધરણાનો કાર્યક્રમ યોજાયો છે. આ કાર્યક્રમમાં કમોસમી વરસાદના કારણે ખેડૂતોને જે પાક નુકશાની થઇ છે તેને લઇને અમરેલી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપ દુધાત અને પૂર્વ વિપક્ષના નેતા પરેશ ધાનાણીના નેતૃત્વમાં એક સંમેલન યોજાયું છે. આ ઉપરાંત ખેડૂતોના દેવામાફીના મુદ્દે , લીલીયા મામલતદારને આવેદન પત્ર પણ આપવામાં આવ્યું છે. આ પ્રસંગે , ખેડૂતો પણ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા.

ગીર સોમનાથ જિલ્લાના ઉનામાં પાક નિષ્ફળ જતા ખેડૂતે આપઘાત કર્યો છે. ૪૯ વર્ષીય ખેડૂતે પોતાની વાડીના કુવામાં ઝંપલાવી જીવન ટૂંકાવ્યું છે. જેનાથી સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામી છે. ખેડૂત જેમનું નામ છે ગફાર મુસા ઉનડેએ પોતાનો જીવ એટલે ટૂંકાવ્યો છે કેમ કે , કમોસમી વરસાદના કારણે જે માવઠું આવ્યું તેના કારણે તેમનો પાક નિષ્ફળ જતો રહ્યો હતો જેના કારણે તેઓ ડિપ્રેશનમાં હતા.

ગુજરાતમાં મંત્રીમંડળના વિસ્તરણ પછી , નવા મંત્રીઓએ પદભાર સંભાળીને કામ શરુ કરી દીધું છે. ત્યારે હવે બે મંત્રીઓને પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને પ્રવક્તા મંત્રી તરીકેની જવાબદારી આપવામાં આવી છે. સાથે જ જીતુ વાઘાણીને પણ પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. આ અગાઉ ઋષિકેશ પટેલ પ્રવક્તા મંત્રી હતા.

જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.