ગુજરાતના ખાડા ક્યાં સુધી રાહદારીનો જીવ લેશે?


  • Published By : Payal rathod
  • Published Date : 2022-09-25 10:39:44

ગુજરાતના રસ્તાઓમાં ખાડા છે કે ખાડાની સાઈડમાં ગુજરાતના રસ્તાઓ બન્યા છે તે અમને નથી ખબર પણ ગઈકાલનો નવસારીનો બનાવ વાંચીને તમે રોષે ભરાઈ જશો. ગઈકાલે રાત્રે ચીખલીના હોન્ડ નજીક નેશનલ હાઈવે 48 પર અકસ્માત થયો છે. આ અકસ્માતમાં નેશનલ હાઈવેના ખાડાએ એક નિર્દોષ યુવાનનો જીવ લઈ લીધો છે. 


કેવી રીતે બની ઘટના?

એક યુવાન વલસાડથી ટુ વ્હીલ પર સવાર થઈને બહેનને મળવા જતો હતો. પરંતુ આ યુવાનને નહીં ખબર હોય કે ગુજરાતના ખાડા તેને તેની બહેનને નહીં મળી દે. નેશનલ હાઈવે પર જતા સમયે હોન્ડ વિસ્તાર નજીક ખાડામાં બાઈક આવી જતા યુવાને બાઈક પર કાબૂ ગુમાવ્યો હતો. ખાડાના કારણે બાઈક અચાનક ઉંચું થઈ નીચે પટકાયું હતું. જેના કારણે બાઈક પર બેઠેલો યુવાન ખાડા આગળની બાજુ રોડ પર પટકાયો હતો અને પટકાતા યુવાનનું મોત થઈ ગયું હતું. 


અંતે સ્થાનિકોને ખાડો પૂરવો પડ્યો 

દુઃખની વાત તો એ છે કે ખાડાના કારણે યુવાનનું મોત થઈ જાય છે પરંતુ નેશનલ હાઈવે ઓથોરિટીની ટીમે કોઈ કાર્યવાહી જ ના કરી. સ્થાનિક વિસ્તારના લોકોએ આ ઘટના બાદ ખાડો બૂર્યો હતો. નેશનલ હાઈવે ઓથોરિટીની આ લાપરવાહી નિંદનીય છે. ખાડાના કારણે એક નિર્દોષ યુવાનનું મોત થયું તે બાદ નેશનલ હાઈવે ઓથોરિટીની ટીમ મોડી રાત સુધી પહોંચી પણ નહોતી. 


આવા તો કેટલાય ખાડા હશે નેશનલ હાઈવે પર તો તેની જવાબદારી શું ત્યાંના નજીકના સ્થાનિકોની છે કે તે આવીને ખાડાઓ પૂરી જાય? નેશનલ હાઈવે બન્યા બાદ ઉઘરાણી માટે ટોલ ઉભા કરી દેવામાં આવે છે પણ ઘરમાં નાનું પોપડું પડે તો પણ તેના સમારકામ માટે આપણે તાત્કાલીક પગલા લેતા હોઈએ છીએ તો અહીં નેશનલ હાઈવે જે દેશની રાજધાની સુધી પહોંચે છે તેની કોઈ કામગીરી કેમ નથી કરવામાં આવતી? શું લોકોના જીવ જતા રહેશે પછી જ કોઈ કામગીરી થશે? લોકોના મોત થાય ત્યાં સુધી કામગીરી ના કરવી તે કેટલું યોગ્ય? દેશના રોડ અને ટ્રાન્સપોર્ટ મિનિસ્ટર કહે છે કે અમે રોજ હજારો કિલોમીટરના રોડ બનાવીએ છીએ પણ બન્યા બાદ તૂટી પણ જાયે છે તેની કામગીરી કોણ કરશે? આ એક સળગતો પ્રશ્ન છે અને ખાડાઓના કારણે નિર્દોષોનો જીવ જાય તે તો અતિ ગંભીર બાબત છે. આ ઘટના રાજ્ય તો ઠીક પણ કેન્દ્રની કામગીરી પર કલંક સમાન છે. 



જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.

આંતરરાષ્ટ્રીય સંબંધોમાં USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર ચર્ચાઓમાં છે તેમણે ફરી એકવાર , ભારતને લઇને નિવેદનબાજીઓ કરી છે. ડોનાલ્ડ ટ્રમ્પને અપેક્ષા છે કે , ભારત આ વર્ષના અંતથી રશિયન ક્રૂડની આયાત કરવાનું બંધ કરી દેશે. આ ઉપરાંત ડોનાલ્ડ ટ્રમ્પએ ચીન વિશે નિવેદન આપતા કહ્યું છે કે , બાઈડેન અને ઓબામાની નીતિઓના કારણે ચીન અને રશિયા એક થયા છે. બાકી બંને મિત્ર રહી શકે તેમ છે જ નહીં. ચીનના રશિયા સાથેના સંબંધો અલગ પ્રકારના છે.

રાજકોટના ગોંડલના ખુબ ચર્ચિત રાજકુમાર જાટ કેસમાં આ આખા કેસની તપાસ હવે સુરેન્દ્રનગરના SP , IPS પ્રેમસુખ ડેલુંને સોંપાઈ છે. જે ડી પુરોહિત કે જેઓ ધ્રાંગધ્રાના DYSP છે એ તેમને આ કેસની તપાસમાં મદદ કરશે. આમ હવે રાજકુમાર જાટ કેસમાં તપાસ માટે એક નવી તપાસ ટીમ બનાવવામાં આવશે. રાજકુમાર જાટના પરિવારજનોનું માનવું છે કે , સ્થાનિક પોલીસ પૂર્વ MLA જયરાજસિંહને બચાવી રહી છે. આ કેસની વધુ તપાસ CBIને સોંપવામાં આવે તેવી અરજી પણ તેમના દ્વારા દાખલ કરવામાં આવી હતી. ગુજરાત હાઇકોર્ટ દ્વારા આ કેસને લઇને મહત્વના નિર્દેશ આપવામાં આવ્યા છે.

રાજકોટના ખુબ ચર્ચિત કેસ અમિત ખૂંટ કેસમાં અનિરુદ્ધસિંહ જાડેજાના દીકરા રાજદીપસિંહ જાડેજાના આગોતરા જામીન હવે સુપ્રીમ કોર્ટે ફગાવી દીધા છે. સુપ્રીમ કોર્ટે દ્વારા રાજદીપ સિંહ જાડેજાના આગોતરા જામીન ના મંજુર કરવાંમાં આવ્યા છે. જેનાથી હવે રાજદીપ જાડેજાની મુશ્કેલીઓમાં વધારો થઇ શકે છે. આપને જણાવી દયિકે , રાજદીપસિંહ જાડેજાના પિતા અનિરુદ્ધસિંહ જાડેજા હાલમાં EX MLA પોપટલાલ સોરઠીયા કેસમાં સજામાફી રદ થવાના કારણે જેલમાં જ છે.