ગુજરાતના ખાડા ક્યાં સુધી રાહદારીનો જીવ લેશે?


  • Published By : Payal rathod
  • Published Date : 2022-09-25 10:39:44

ગુજરાતના રસ્તાઓમાં ખાડા છે કે ખાડાની સાઈડમાં ગુજરાતના રસ્તાઓ બન્યા છે તે અમને નથી ખબર પણ ગઈકાલનો નવસારીનો બનાવ વાંચીને તમે રોષે ભરાઈ જશો. ગઈકાલે રાત્રે ચીખલીના હોન્ડ નજીક નેશનલ હાઈવે 48 પર અકસ્માત થયો છે. આ અકસ્માતમાં નેશનલ હાઈવેના ખાડાએ એક નિર્દોષ યુવાનનો જીવ લઈ લીધો છે. 


કેવી રીતે બની ઘટના?

એક યુવાન વલસાડથી ટુ વ્હીલ પર સવાર થઈને બહેનને મળવા જતો હતો. પરંતુ આ યુવાનને નહીં ખબર હોય કે ગુજરાતના ખાડા તેને તેની બહેનને નહીં મળી દે. નેશનલ હાઈવે પર જતા સમયે હોન્ડ વિસ્તાર નજીક ખાડામાં બાઈક આવી જતા યુવાને બાઈક પર કાબૂ ગુમાવ્યો હતો. ખાડાના કારણે બાઈક અચાનક ઉંચું થઈ નીચે પટકાયું હતું. જેના કારણે બાઈક પર બેઠેલો યુવાન ખાડા આગળની બાજુ રોડ પર પટકાયો હતો અને પટકાતા યુવાનનું મોત થઈ ગયું હતું. 


અંતે સ્થાનિકોને ખાડો પૂરવો પડ્યો 

દુઃખની વાત તો એ છે કે ખાડાના કારણે યુવાનનું મોત થઈ જાય છે પરંતુ નેશનલ હાઈવે ઓથોરિટીની ટીમે કોઈ કાર્યવાહી જ ના કરી. સ્થાનિક વિસ્તારના લોકોએ આ ઘટના બાદ ખાડો બૂર્યો હતો. નેશનલ હાઈવે ઓથોરિટીની આ લાપરવાહી નિંદનીય છે. ખાડાના કારણે એક નિર્દોષ યુવાનનું મોત થયું તે બાદ નેશનલ હાઈવે ઓથોરિટીની ટીમ મોડી રાત સુધી પહોંચી પણ નહોતી. 


આવા તો કેટલાય ખાડા હશે નેશનલ હાઈવે પર તો તેની જવાબદારી શું ત્યાંના નજીકના સ્થાનિકોની છે કે તે આવીને ખાડાઓ પૂરી જાય? નેશનલ હાઈવે બન્યા બાદ ઉઘરાણી માટે ટોલ ઉભા કરી દેવામાં આવે છે પણ ઘરમાં નાનું પોપડું પડે તો પણ તેના સમારકામ માટે આપણે તાત્કાલીક પગલા લેતા હોઈએ છીએ તો અહીં નેશનલ હાઈવે જે દેશની રાજધાની સુધી પહોંચે છે તેની કોઈ કામગીરી કેમ નથી કરવામાં આવતી? શું લોકોના જીવ જતા રહેશે પછી જ કોઈ કામગીરી થશે? લોકોના મોત થાય ત્યાં સુધી કામગીરી ના કરવી તે કેટલું યોગ્ય? દેશના રોડ અને ટ્રાન્સપોર્ટ મિનિસ્ટર કહે છે કે અમે રોજ હજારો કિલોમીટરના રોડ બનાવીએ છીએ પણ બન્યા બાદ તૂટી પણ જાયે છે તેની કામગીરી કોણ કરશે? આ એક સળગતો પ્રશ્ન છે અને ખાડાઓના કારણે નિર્દોષોનો જીવ જાય તે તો અતિ ગંભીર બાબત છે. આ ઘટના રાજ્ય તો ઠીક પણ કેન્દ્રની કામગીરી પર કલંક સમાન છે. 



સુરતના ખુબ ચર્ચિત બીટકોઈન કેસમાં , અમરેલીના ભારતીય જનતા પાર્ટીના પૂર્વ MLA નલિન કોટડીયાને , ગુજરાત હાઇકોર્ટ દ્વારા , ૫૦ હજારના બોન્ડ પર જામીન આપવામાં આવ્યા છે. અમદાવાદની ACB કોર્ટે , પૂર્વ MLA નલિન કોટડીયા સહીત ૧૪ આરોપીઓને આ જીવન કેદની ફટકારી હતી. નલિન કોટડીયા પર , ૨૦૧૮માં સુરતના બિલ્ડર શૈલેષ ભટ્ટનું અપહરણ કરીને , ખંડણી માંગવાનો આરોપ લાગેલો છે.

જવાહરલાલ નહેરુ યુનિવર્સિટીના કેમ્પસમાં કેટલાક વિદ્યાર્થીઓ પર મોડી રાત્રે વિવાદિત નારેબાજી કરી હોવાનો આરોપ છે. જેમાં નારા લગાવવામાં આવ્યા છે કે , " મોદી-શાહ કી કબર ખુદેગી , JNU કી ધરતી પર." આ અગાઉ , ૨૦૧૬માં JNUમાં રાષ્ટ્રવિરોધી નારાઓ લાગ્યા હતા જેના કારણે , તે ચર્ચામાં આવી હતી. JNUમાં થયેલી આ નારેબાજીના વિડિઓ સોશ્યિલ મીડિયામાં વાઇરલ થયા છે જેના કારણે રાજનીતિમાં ગરમાવો આવી ગયો છે.

વર્ષ ૨૦૨૬ની શરૂઆત થઇ ચુકી છે. ત્યારે આ વર્ષના મધ્યમાં થનારી, પશ્ચિમ બંગાળ , આસામ , કેરળ , તામિલનાડુ , પુડ્ડુચેરીની વિધાનસભાની ચૂંટણીઓ પર સૌની નજર છે. ત્યારે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે આ રાજ્યોમાં પોતાનો આક્રમક પ્રવાસ શરુ કર્યો છે. બીજી તરફ , કોંગ્રેસે પણ તૈયારીઓ શરુ કરી દીધી છે . કોંગ્રેસે સંગઠનના સ્તરે મહત્વના બદલાવ કરીને , પ્રિયંકા ગાંધીને મહત્વની જવાબદારી સોંપી છે.

બગદાણામાં કોળી સમાજના નવનીત બાલધીયા પર હિંસા થઈ તેને લઇને હવે ગુજરાત કોંગ્રેસના પ્રદેશપ્રમુખ અમિત ચાવડાની પ્લેટોફોર્મ એક્સ પર પ્રતિક્રિયા સામે આવી છે, જેમાં તેમના દ્વારા કહેવામાં આવ્યું છે કે, " ગુજરાતમાં Bhupendra પટેલની ડબલ એન્જિન સરકારનું રાજ નથી ચાલતું પણ દાદાઓ ( ગુંડાઓ)નું રાજ ચાલે છે. બગદાણાના કોળી સમાજના સરપંચના પરિવારના યુવાન પર ગુંડાઓ ખુલ્લેઆમ જાનલેવા હુમલો કરી હાથ પગ તોડી નાખે છે, ત્યારે પોલીસ દેખાવ પુરતી કાર્યવાહી કરી કોળી સમાજનો ગુસ્સો શાંત પાડવા પ્રયાસ કરે છે, પરંતુ હુમલો કરાવનારા કોણ છે તેની તપાસ કેમ નથી થતી? હર્ષ સંઘવી તમારી પોલીસ, ગુંડાઓ ભવિષ્યમાં આવી ફરી હિંમત ના કરે તેવી કડક કાર્યવાહી કરશે કે નહીં?"