ચાર ધામ યાત્રામાં હેલિકોપ્ટર સર્વિસ કરતાં ખચ્ચરવાળાએ કરી બમણી કમાણી


  • Published By :
  • Published Date : 2022-10-28 13:50:04

લોકો પગપાળા, ખચ્ચર પર અથવા હેલિકોપ્ટરમાં કરે છે ચારધામ યાત્રા
આ વખતે સૌથી વધુ કમાણી ખચ્ચરવાળાઓએ કરી
દયનીય સ્થિતિમાં કામ કરતા 250 જેટલા ખચ્ચરોના આ વર્ષે મોત થયા

Char Dham Yatra in 2020 | Best Taxi & Hotel Deal @ 20% OFF

ચારધામ યાત્રામાં કમાણી કરવામાં ખચ્ચરોએ હેલિકોપ્ટરોને હંફાવ્યા!! બે વર્ષથી નવરા બેઠેલા પાલખીવાળા પણ આ વર્ષે લાખો રુપિયા કમાઈ શક્યા. ઉત્તરાખંડમાં ચારધામ યાત્રા રુટ પર 8,664 ખચ્ચરો કાર્યરત, આ વર્ષે રાત-દિવસ યાત્રીકોને લઈ જવામાં અનેક ખચ્ચરોના પણ દયનીય સ્થિતિમાં મોત નીપજ્યા. સરકારે ટેક્સ અને રજિસ્ટ્રેશન ફી પેટે 8 કરોડની કમાણી કરી.

Char Dham Yatra Tour Package By Helicopter | Triptochardham.com

ચાર ધામની યાત્રા કરવા દર વર્ષે લાખો લોકો જતા હોય છે. એક સમય હતો જ્યારે લોકો પગપાળા યાત્રા કરતા અથવા ખચ્ચરની સવારી કરતા. જોકે, હવે તો હેલિકોપ્ટર સર્વિસ શરુ થતાં આ યાત્રા ઝડપી અને વધુ સગવડભરી બની છે, પરંતુ તાજેતરમાં જ સંપન્ન થયેલી ચારધામ યાત્રામાં હેલિકોપ્ટર સર્વિસ પૂરી પાડતી કંપનીઓ કરતાં ખચ્ચરવાળાઓએ વધુ આવક રળી હોવાનું સામે આવ્યું છે.

केदारनाथ यात्रा में लगातार मर रहे बेजुबान जानवर, 46 दिनों में गई 175 घोड़े  और खच्चरों की जान

ઉત્તરાખંડ સરકારના સત્તાવાર આંકડા અનુસાર, આ વર્ષે 15 લાખ યાત્રાળુ ચારધામની યાત્રા કરવા આવ્યા હતા. જેમાંથી 5.3 લાખ લોકોએ ખચ્ચરની સવારી કરી હતી. જેના થકી ખચ્ચરના માલિકો 101.3 કરોડ રુપિયા કમાયા હતા, જ્યારે બીજી તરફ હેલિકોપ્ટર સેવા પૂરી પાડતી કંપનીઓ 75.80 કરોડ રુપિયા કમાઈ શકી છે. બીજી તરફ, પાલખીવાળા 86 લાખ રુપિયા કમાયા છે. પાલખી, હેલિકોપ્ટર અને ખચ્ચરવાળાએ આ સીઝનમાં કુલ 190 કરોડ રુપિયાની કમાણી કરી છે.

Ponies and Palkies Rates for Kedarnath Dham

ઉત્તરાખંડમાં 4,302 ખચ્ચર માલિકો નોંધાયેલા છે, જ્યારે ખચ્ચરોની સંખ્યા 8,664 ખચ્ચરોની સરકારમાં નોંધણી થયેલી છે. હાલ ઉત્તરાખંડમાં નવ હેલિકોપ્ટર ફર્મ્સ કાર્યરત છે, જે કેદારનાથ રુટ ઉપરાંત સિરસી, ફાટા અને ગુપ્તકાશીના રુટ પર સેવા પૂરી પાડે છે.

Amarnath Yatra cancelled due to Covid-19 pandemic: J&K govt

કેદારનાથ ટ્રેક રુટ 17 કિલોમીટર લાંબો છે, જ્યારે યમુનોત્રી ધામને ગુરુવારે જ યાત્રીકો માટે બંધ કરી દેવાયો છે, જે 5 કિલોમીટર લાંબો ટ્રેક છે. યમુનોત્રી રુટ પર ખચ્ચર માલિકો 22 કરોડ રુપિયા કમાયા છે. કેદારનાથ અને યમુનોત્રીમાં ખચ્ચર માલિકો, હેલિકોપ્ટર ફર્મ્સ અને પાલખીવાળા કુલ 211 કરોડ રુપિયા કમાયા છે. બીજી તરફ, સરકારને તેમાંથી ટેક્સ અને રજિસ્ટ્રેશન ફી પેટે 8 કરોડ રુપિયાની આવક પ્રાપ્ત થઈ છે.

people walking on street near brown concrete building during daytime

યમુનોત્રીમાં હેલિકોપ્ટર સર્વિસ નથી, જ્યાં ખચ્ચર માલિકો 22 કરોડ કમાયા છે. આ રુટ પર 2,900 ખચ્ચર માલિકો નોંધાયેલા છે. ઉત્તરાખંડના સીએમ પુષ્કરસિંહ ધામીના જણાવ્યા અનુસાર, બે વર્ષથી કોરોનાને કારણે ચારધામ યાત્રા બંધ હોવાથી તેના પર જ ગુજરાન ચલાવતા લોકો કફોડી સ્થિતિમાં મુકાયા હતા. આ વર્ષે રેકોર્ડ સંખ્યામાં યાત્રીકો આવતા તેઓ બે વર્ષ દરમિયાન થયેલા નુક્સાનની ભરપાઈ કરી શક્યા છે. સીઝન દરમિયાન આ રુટ પર આવતી હોટેલ્સ અને ધર્મશાળા પણ ભરેલી રહી હતી. હવે આ રુટ પર રોપવે પ્રોજેક્ટ પણ આકાર લેશે, જે યાત્રાને વધુ સરળ અને સુગમ બનાવશે.

The shrine of Goddess Yamuna nestled in the Himalayan Yamunotri Valley. uttarakhand, india.

ગુપ્તકાશી-કેદારનાથ રુટ પર હેલિકોપ્ટરની રાઉન્ડ ટ્રીપની ટિકિટ રુ. 7,750 રુપિયા થાય છે. જ્યારે ફાટાથી કેદારનાથની ટુ-વે ટિકિટનો દર 4,720 અને સિરસી-કેદારનાથ રુટની ટિકિટ 4,680 રુપિયા છે. હેલિકોપ્ટર સામાન્ય રીતે કેદારનાથ પહોંચવામાં 15-30 મિનિટ જેટલો સમય લે છે. જ્યારે ખચ્ચર પર ત્યાં પહોંચતા 8 કલાક થાય છે. ખચ્ચર પર કેદારનાથ પહોંચવા માટે એક વ્યક્તિએ 2500 રુપિયા ચૂકવવા પડે છે.

GuptKashi - Gorgeous Landscape | Uttarakhand Tourism


ગુજરાત હવે ખેલકૂદમાં પણ "ગ્લોબલ હબ" બનીને ઉભરી રહ્યું છે. આવનારા સમયમાં 2030ના વર્ષમાં કોમનવેલ્થ ગેમ્સ અમદાવાદમાં યોજવા જઈ રહી છે. આગામી સમયમાં 2036માં ભારતમાં ઓલિમ્પિક યોજાય તે માટે પ્રયાસો શરુ થઇ ગયા છે. ઇન્ડિયન ઓલિમ્પિક એસોસિએશનની એક્ઝિક્યુટિવ કાઉન્સિલ દ્વારા નેશનલ ઓલિમ્પિક એજ્યુકેશન એન્ડ ડેવલપમન્ટ પ્રોગ્રામ લોન્ચ કરવામાં આવ્યો છે. સાથે જ નેશનલ ઓલિમ્પિક એકેડેમીને ફરી સક્રિય કરવામાં આવી છે. આ નિર્ણય ૮મી જાન્યુઆરીએ ઇન્ડિયન ઓલિમ્પિક એસોસિએશનની એક્ઝિક્યુટિવ કાઉન્સિલ મળી હતી તેમાં લેવાયો છે અને આ પછી , 9મી જાન્યુઆરીએ ઇન્ડિયન ઓલિમ્પિક એસોસિએશનની જે વાર્ષિક સામાન્ય સભા મળી હતી તેમાં આ નિર્ણયને મંજૂરી આપવામાં આવી હતી. IOAની આ બંને મિટિંગ અમદાવાદ ખાતે મળી હતી.

પશ્ચિમ એશિયાના દેશ ઈરાનમાં હાલમાં સ્થિતિ ખુબ જ તણાવપૂર્ણ છે. ત્યાં છેલ્લા બે અઠવાડિયાથી સરકાર વિરોધી દેખાવો ચાલુ છે. તો બીજી તરફ , USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પને , ઈરાનમાં સંભવિત લશ્કરી કાર્યવાહી કરવા માટેના વિકલ્પોની જાણકારી આપવામાં આવી છે. ઈરાને સ્પષ્ટ કરી દીધું છે કે, અમારા પર કોઈ પણ પ્રકારની કાર્યવાહી કરવામાં આવશે તો અમે જવાબ આપીશું.

સુરતના ખુબ ચર્ચિત બીટકોઈન કેસમાં , અમરેલીના ભારતીય જનતા પાર્ટીના પૂર્વ MLA નલિન કોટડીયાને , ગુજરાત હાઇકોર્ટ દ્વારા , ૫૦ હજારના બોન્ડ પર જામીન આપવામાં આવ્યા છે. અમદાવાદની ACB કોર્ટે , પૂર્વ MLA નલિન કોટડીયા સહીત ૧૪ આરોપીઓને આ જીવન કેદની ફટકારી હતી. નલિન કોટડીયા પર , ૨૦૧૮માં સુરતના બિલ્ડર શૈલેષ ભટ્ટનું અપહરણ કરીને , ખંડણી માંગવાનો આરોપ લાગેલો છે.

જવાહરલાલ નહેરુ યુનિવર્સિટીના કેમ્પસમાં કેટલાક વિદ્યાર્થીઓ પર મોડી રાત્રે વિવાદિત નારેબાજી કરી હોવાનો આરોપ છે. જેમાં નારા લગાવવામાં આવ્યા છે કે , " મોદી-શાહ કી કબર ખુદેગી , JNU કી ધરતી પર." આ અગાઉ , ૨૦૧૬માં JNUમાં રાષ્ટ્રવિરોધી નારાઓ લાગ્યા હતા જેના કારણે , તે ચર્ચામાં આવી હતી. JNUમાં થયેલી આ નારેબાજીના વિડિઓ સોશ્યિલ મીડિયામાં વાઇરલ થયા છે જેના કારણે રાજનીતિમાં ગરમાવો આવી ગયો છે.