કર્ણાટકમાં ખાડાઓથી પરેશાન એક વ્યક્તિએ રસ્તા પર આળોટીને કર્યું પ્રદર્શન, લોકોએ ઢોલ-નગારાં વગાડીને સમર્થન આપ્યું; VIDEO જુઓ


  • Published By : Payal rathod
  • Published Date : 2022-09-15 08:49:53

કર્ણાટકના ઘણા જિલ્લાઓમાં છેલ્લા દિવસોમાં ભારે વરસાદ થયો હતો.ભારે વરસાદથી રસ્તાની હાલત બહુ ખરાબ જોવા મળી હતી.રસ્તા પરથી પસાર થતાં રાહદારીઓ અનેક મુસકેલીનો સામનો કરી રહ્યા છે.એવામાં એક વ્યક્તિ ખાડાથી આટલો કંટાળ્યો કે એને ખરાબ રસ્તા પર આળોટી વિરોધ નોંધાવ્યો. 


વરસાદને કારણે રાજધાની બેંગલુરુ સહિત રાજ્યના ઘણા ભાગોમાં પાણી ભરાઈ જવાની સ્થિતિ સર્જાઈ છે. વરસાદના કારણે માર્ગો પર ખાડા પડી ગયા છે. વરસાદના કારણે સર્જાઈ રહેલી સમસ્યાના કારણે લોકોમાં વહીવટીતંત્ર સામે નારાજગી છે.

સામાજિક કાર્યકર્તાએ રસ્તા પરના ખાડાઓ સામે અનોખી રીતે વિરોધ કર્યો.


કર્ણાટકના ઉડુપી જિલ્લામાં એક સામાજિક કાર્યકર્તાએ રસ્તા પરના ખાડાઓ સામે અનોખી રીતે વિરોધ કર્યો. આ ખાડાઓ તરફ પ્રશાસનનું ધ્યાન દોરવા માટે નિત્યાનંદ ઓલાકુડ નામના સામાજિક કાર્યકર્તાએ રસ્તા પર રોલ કરીને રજૂઆત કરી હતી. આ દરમિયાન તેમની સાથે હાજર લોકો ઢોલ-નગારાં વગાડીને તેમના વિરોધને સમર્થન આપી રહ્યાં છે. ઉબડખાબડ રોડ પર ફરીને તે લોકોનું ધ્યાન પાણીથી ભરેલા આ ખાડાઓ તરફ ખેંચી રહ્યો છે.


 વરસાદને કારણે કર્ણાટકની રાજધાની બેંગલુરુમાં પાણી ભરાઈ જવાની ગંભીર સ્થિતિ સર્જાઈ હતી. ઘણા દિવસો સુધી રસ્તાઓ પર પાણી ભરાયા હતા. લોકોને ઓફિસ જવા અને બાળકોને શાળાએ મુકવા માટે ભારે મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો.




ગુજરાતના લાખો ગરીબ પરિવારોના આરોગ્યની સુરક્ષાને વધુ સુદૃઢ બનાવવા માટે ગુજરાત સરકારે એક મહત્ત્વપૂર્ણ પગલું ભર્યું છે. ગાંધીનગર ખાતે આરોગ્ય મંત્રી શ્રી પ્રફુલ પાનશેરિયાની ઉપસ્થિતિમાં આયુષ્માન ભારત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના હેઠળ રાજ્ય સરકારે બજાજ ઈન્સ્યોરન્સ કંપની સાથે એક નવા લેટર ઓફ એવોર્ડ(LOA) પર હસ્તાક્ષર કર્યા છે, જે રાજ્યની જનતા માટે આર્થિક રાહત અને વિસ્તૃત આરોગ્ય કવચ સુનિશ્ચિત કરે છે.

મુકેશ અંબાણીએ નાથદ્વારામાં દર્શન કર્યા, ‘યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન’ પ્રોજેક્ટની જાહેરાત કરી છે. મુકેશ અંબાણીએ પવિત્ર નગરી નાથદ્વારામાં શ્રીનાથજી ભગવાનના ભોગ આરતી દર્શનનો દિવ્ય લાભ લીધો તેમજ ગુરુ શ્રી વિશાલબાવા સાહેબના આશીર્વાદ પ્રાપ્ત કર્યા છે. આ અવસરે તેમણે નાથદ્વારામાં આધુનિક અને સુવિધાસંપન્ન “યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન”ના નિર્માણની જાહેરાત કરી છે તેમજ શ્રીનાથદ્વારા મંદિરને ₹15 કરોડનું દાન આપ્યું છે.

ગુજરાત સરકાર દ્વારા ખેડૂતો માટે એક રાહત પેકેજની ઘોષણા કરવામાં આવી છે. ગુજરાતમાં ૨૫મી ઓક્ટોબરથી જે કમોસમી વરસાદનો રાઉન્ડ આવ્યો છે તેમાં , ૪૨ લાખ હેકટર જમીનને નુકશાન થયું છે. અંદાજે ૧૬,૦૦૦ ગામોને અસર પહોંચી છે. તો હવે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ દ્વારા આજે એક કૃષિ રાહત પેકેજની જાહેરાત કરવામાં આવી છે.

અમરેલી જિલ્લામાં કોંગ્રેસ દ્વારા આજે ખેતી બચાવો સત્યાગ્રહ અંતર્ગત લીલીયા ખાતે પ્રતીક ધરણાનો કાર્યક્રમ યોજાયો છે. આ કાર્યક્રમમાં કમોસમી વરસાદના કારણે ખેડૂતોને જે પાક નુકશાની થઇ છે તેને લઇને અમરેલી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપ દુધાત અને પૂર્વ વિપક્ષના નેતા પરેશ ધાનાણીના નેતૃત્વમાં એક સંમેલન યોજાયું છે. આ ઉપરાંત ખેડૂતોના દેવામાફીના મુદ્દે , લીલીયા મામલતદારને આવેદન પત્ર પણ આપવામાં આવ્યું છે. આ પ્રસંગે , ખેડૂતો પણ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા.