કર્ણાટકમાં ખાડાઓથી પરેશાન એક વ્યક્તિએ રસ્તા પર આળોટીને કર્યું પ્રદર્શન, લોકોએ ઢોલ-નગારાં વગાડીને સમર્થન આપ્યું; VIDEO જુઓ


  • Published By : Payal rathod
  • Published Date : 2022-09-15 08:49:53

કર્ણાટકના ઘણા જિલ્લાઓમાં છેલ્લા દિવસોમાં ભારે વરસાદ થયો હતો.ભારે વરસાદથી રસ્તાની હાલત બહુ ખરાબ જોવા મળી હતી.રસ્તા પરથી પસાર થતાં રાહદારીઓ અનેક મુસકેલીનો સામનો કરી રહ્યા છે.એવામાં એક વ્યક્તિ ખાડાથી આટલો કંટાળ્યો કે એને ખરાબ રસ્તા પર આળોટી વિરોધ નોંધાવ્યો. 


વરસાદને કારણે રાજધાની બેંગલુરુ સહિત રાજ્યના ઘણા ભાગોમાં પાણી ભરાઈ જવાની સ્થિતિ સર્જાઈ છે. વરસાદના કારણે માર્ગો પર ખાડા પડી ગયા છે. વરસાદના કારણે સર્જાઈ રહેલી સમસ્યાના કારણે લોકોમાં વહીવટીતંત્ર સામે નારાજગી છે.

સામાજિક કાર્યકર્તાએ રસ્તા પરના ખાડાઓ સામે અનોખી રીતે વિરોધ કર્યો.


કર્ણાટકના ઉડુપી જિલ્લામાં એક સામાજિક કાર્યકર્તાએ રસ્તા પરના ખાડાઓ સામે અનોખી રીતે વિરોધ કર્યો. આ ખાડાઓ તરફ પ્રશાસનનું ધ્યાન દોરવા માટે નિત્યાનંદ ઓલાકુડ નામના સામાજિક કાર્યકર્તાએ રસ્તા પર રોલ કરીને રજૂઆત કરી હતી. આ દરમિયાન તેમની સાથે હાજર લોકો ઢોલ-નગારાં વગાડીને તેમના વિરોધને સમર્થન આપી રહ્યાં છે. ઉબડખાબડ રોડ પર ફરીને તે લોકોનું ધ્યાન પાણીથી ભરેલા આ ખાડાઓ તરફ ખેંચી રહ્યો છે.


 વરસાદને કારણે કર્ણાટકની રાજધાની બેંગલુરુમાં પાણી ભરાઈ જવાની ગંભીર સ્થિતિ સર્જાઈ હતી. ઘણા દિવસો સુધી રસ્તાઓ પર પાણી ભરાયા હતા. લોકોને ઓફિસ જવા અને બાળકોને શાળાએ મુકવા માટે ભારે મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો.




ધંધુકામાં માત્ર એક ઓવરટેક જેવી નજીવી બાબતે ધર્મેશ ગમારા નામના યુવાનનો જીવ લઇ લેવામાં આવે છે ત્યારબાદ , બે સમુદાયો ધંધુકામાં આમનેસામને આવી જાય છે. ખુબ મોટાપાયે ઘર્ષણ થાય છે. આ પછી , પોલીસ દ્વારા ધંધુકામાં સઘન કોમ્બિંગ હાથ ધરાય છે અને ૨૦૦ લોકોના ઘરોની પણ તપાસ કરવામાં આવી છે. તો હવે પોલીસ આ સમગ્ર મામલે તપાસ કરવા માટે અમદાવાદના રેન્જ IG રાઘવેન્દ્ર વત્સ દ્વારા સ્પેશ્યલ ઇન્વેસ્ટિગેશન ટીમની રચના કરવામાં આવી છે.

ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ માટે મતદાન ૨૬મી એપ્રિલે યોજાવાનું છે ત્યારે , રાજકોટ મહાનગરપાલિકામાં લેઉવા સમાજના મતો ખુબ મોટી સંખ્યામાં છે ત્યારે , ભારતીય જનતા પાર્ટીના રાજકોટના કોર્પોરેટરોએ ખોડલધામના ચેરમેન નરેશ પટેલ સાથે મુલાકાત કરી છે. જોકે આ મુલાકાત પછી , ભાજપ જીતી શકશે કે કેમ તે તો પરિણામના દિવસે જ ખબર પડશે. પરંતુ , રાજકોટ મહાનગરપાલિકામાં ભારતીય જનતા પાર્ટીના ટિકિટ વહેંચણી પછી જૂથવાદ સપાટી પર આવી ગયો છે. આ કારણે પાર્ટીની સામે પડકાર ઉભો થયો છે.

સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓમાં ૨૬મી તારીખે મતદાન યોજાવાનું છે ત્યારે , પંચમહાલમાં કોંગ્રેસને ખુબ મોટો ઝટકો લાગ્યો છે. પંચમહાલ જિલ્લા કોંગ્રેસ પ્રમુખ ચેતનસિંહ પરમારએ ભારતીય જનતા પાર્ટીમાં જોડાઈ ગયા છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના હસ્તે તેમણે ભાજપનો ખેસ ધારણ કર્યો છે. આમ હવે , પંચમહાલ જિલ્લામાં કોંગ્રેસમાં કાર્યકરો નિરાશ થઇ ગયા છે.

નવરચિત વાવ થરાદ જિલ્લામાં મામલતદાર કચેરીએ જયારે ઉમેદવારોના ફોર્મની સ્ક્રૂટિની ચાલી રહી છે ત્યારે મામલતદાર કચેરીએ કોંગ્રેસના કાર્યકરોએ નારેબાજી કરી છે. આ બાબતે બનાસકાંઠા જિલ્લા કોંગ્રેસ પ્રમુખ ગુલાબસિંહ રાજપૂત દ્વારા પોલીસ પર આરોપ લગાવવામાં આવ્યો છે કે , "પોલીસ અમારા ઉમેદવારોને ડરાવવાનું અને ધમકાવવાનું કામ કરી રહી છે. ગુલાબસિંહ રાજપૂતના આ દાવાથી વાવ થરાદ જિલ્લામાં રાજકારણ ગરમાઈ ગયું છે.