કર્ણાટકમાં ખાડાઓથી પરેશાન એક વ્યક્તિએ રસ્તા પર આળોટીને કર્યું પ્રદર્શન, લોકોએ ઢોલ-નગારાં વગાડીને સમર્થન આપ્યું; VIDEO જુઓ


  • Published By : Payal rathod
  • Published Date : 2022-09-15 08:49:53

કર્ણાટકના ઘણા જિલ્લાઓમાં છેલ્લા દિવસોમાં ભારે વરસાદ થયો હતો.ભારે વરસાદથી રસ્તાની હાલત બહુ ખરાબ જોવા મળી હતી.રસ્તા પરથી પસાર થતાં રાહદારીઓ અનેક મુસકેલીનો સામનો કરી રહ્યા છે.એવામાં એક વ્યક્તિ ખાડાથી આટલો કંટાળ્યો કે એને ખરાબ રસ્તા પર આળોટી વિરોધ નોંધાવ્યો. 


વરસાદને કારણે રાજધાની બેંગલુરુ સહિત રાજ્યના ઘણા ભાગોમાં પાણી ભરાઈ જવાની સ્થિતિ સર્જાઈ છે. વરસાદના કારણે માર્ગો પર ખાડા પડી ગયા છે. વરસાદના કારણે સર્જાઈ રહેલી સમસ્યાના કારણે લોકોમાં વહીવટીતંત્ર સામે નારાજગી છે.

સામાજિક કાર્યકર્તાએ રસ્તા પરના ખાડાઓ સામે અનોખી રીતે વિરોધ કર્યો.


કર્ણાટકના ઉડુપી જિલ્લામાં એક સામાજિક કાર્યકર્તાએ રસ્તા પરના ખાડાઓ સામે અનોખી રીતે વિરોધ કર્યો. આ ખાડાઓ તરફ પ્રશાસનનું ધ્યાન દોરવા માટે નિત્યાનંદ ઓલાકુડ નામના સામાજિક કાર્યકર્તાએ રસ્તા પર રોલ કરીને રજૂઆત કરી હતી. આ દરમિયાન તેમની સાથે હાજર લોકો ઢોલ-નગારાં વગાડીને તેમના વિરોધને સમર્થન આપી રહ્યાં છે. ઉબડખાબડ રોડ પર ફરીને તે લોકોનું ધ્યાન પાણીથી ભરેલા આ ખાડાઓ તરફ ખેંચી રહ્યો છે.


 વરસાદને કારણે કર્ણાટકની રાજધાની બેંગલુરુમાં પાણી ભરાઈ જવાની ગંભીર સ્થિતિ સર્જાઈ હતી. ઘણા દિવસો સુધી રસ્તાઓ પર પાણી ભરાયા હતા. લોકોને ઓફિસ જવા અને બાળકોને શાળાએ મુકવા માટે ભારે મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો.




અયોધ્યા રામ મંદિરના ચઢાવામાં કથિત ચોરી અને ગેરરીતિના કેસમાં પોલીસે આઠ આરોપીઓની ધરપકડ કરી છે. SITના રિપોર્ટ બાદ નોંધાયેલી FIR, ₹80 લાખની વસૂલાત, ચંપત રાય અને અનિલ મિશ્રાનાં રાજીનામાં તથા સુપ્રીમ કોર્ટ સુધી પહોંચેલા કેસની સંપૂર્ણ વિગતો વાંચો.

વેનેઝુએલામાં માત્ર 39 સેકન્ડમાં 7.2 અને 7.5ની તીવ્રતાના બે ભૂકંપ આવ્યા. ઓછામાં ઓછા 32નાં મોત, 700થી વધુ ઘાયલ અને કરાકાસમાં ભારે તબાહી. વાંચો સંપૂર્ણ માહિતી.

પુણેના કેતન અગ્રવાલનું લોહગઢ કિલ્લા પર થયેલું મોત અકસ્માતથી હત્યાના કેસમાં કેવી રીતે ફેરવાયું? સિયા ગોયલ, ચેતન ચૌધરી, CCTV અને કોલ રેકોર્ડની સંપૂર્ણ માહિતી વાંચો.

અમદાવાદના ચાંગોદરમાં 1,140 નકલી અને ભેળસેળયુક્ત પ્લાઝમા યુનિટ સાથે ચાર આરોપી ઝડપાયા. જાણો રેકેટની રીત, જોખમ અને કાયદામાં થતી સજા.