એક સ્ટડીમાં થયો ચોંકાવનારો ખુલાસો, 66% ભારતીય પાયલોટ વિમાનમાં સૂઈ જાય છે


  • Published By : Payal rathod
  • Published Date : 2022-09-26 18:17:54

ધારો કે તમે પ્લેનમાં પ્રવાસ કરી રહ્યા છો અને કોઈ તમને કહે કે પ્લેનનો પાયલોટ સૂઈ રહ્યો છે, ત્યારે તમારી શું હાલત થાય!. તાજેતરના એક સ્ટડીમાં જાણવા મળ્યું છે કે ભારતીય એરલાઇન્સમાં કામ કરતા મોટાભાગના પાઇલોટ્સ ઊંઘી જાય છે અને તેમના સાથી ક્રૂ મેમ્બર્સને પણ જાણ કરતા નથી. આ સર્વેમાં 542 પાયલોટનો સમાવેશ કરવામાં આવ્યો હતો જેમાંથી 358એ આ વાત સ્વીકારી છે. તેણે કહ્યું હતું કે થાકને કારણે તે કોકપીટમાં સૂઈ જાય છે.


આ સર્વે એક NGO 'સેફ્ટી મેટર્સ ફાઉન્ડેશન' દ્વારા કરવામાં આવ્યો હતો, જેમાં ડોમેસ્ટિક ફ્લાઈટ માટે કામ કરતા પાઈલટોને સામેલ કરવામાં આવ્યા હતા. સામાન્ય રીતે આ પાઇલોટ 4 કલાક માટે ઉડાન ભરે છે. તેમના જણાવ્યા મુજબ, 54 ટકા પાઈલટોને દિવસ દરમિયાન ઊંઘવાની આદત હોય છે. જ્યારે 41 ટકા એવા છે જેઓ ક્યારેક-ક્યારેક જ સૂઈ જાય છે.


પ્લેન ક્રેશ થવા પાછળનું સૌથી મોટું કારણ થાક છે


આ અભ્યાસમાં દાવો કરવામાં આવ્યો છે કે પ્લેન ક્રેશ થવા પાછળનું મુખ્ય કારણ પાયલોટનો થાક છે. અગાઉ પાઇલોટે અઠવાડિયામાં 30 કલાક ઉડાન ભરવાની રહેતી હતી. જો કે, હવે કામનું પ્રેસર એટલું વધી ગયું છે કે આખા અઠવાડિયા દરમિયાન બેક ટુ બેક ફ્લાઇટ્સમાં ઉડાન ભરવી પડે છે તેથી પાયલોટ વધુ તણાવ અને થાકમાં રહે છે. એરલાઇન્સ ઓછા કર્મચારીઓ પાસે વધુ કામ કરાવવા માંગે છે. આવી સ્થિતિમાં પાઇલોટ્સ માટે કામના કલાકો પણ વધી ગયા છે.



ભ્રષ્ટાચાર એ કોઈ પણ દેશને અંદરથી એટલો ખોખલો કરી નાખે છે કે , જે તે દેશ પોતાની આગળ વધવાની ક્ષમતા ગુમાવી ચુકે છે. આ ભ્રષ્ટાચારનું પરિણામ આવે છે રાજકોટ TRP ગેમઝોન કાંડ , ગંભીરા બ્રિજ અકસ્માત , હરણી બોટકાંડ અને મોરબી બ્રીજકાંડ. વાત કરીએ , આપણા ACBની તો , ACBના ઇતિહાસમાં ગુજરાત રાજ્યમાં પહેલીવાર DNA પરીક્ષણથી આરોપીને સજા થઇ છે. છે ને રસપ્રદ વાત .

દિવસેને દિવસે વૃક્ષોનું મહત્વ વધતું જાય છે. કેમ કે જો આપણે આપણી આવનારી પેઢીઓને દુનિયા સહીસલામત આપવી હશે તો , માનવજાતે વધારેમાં વધારે વૃક્ષો વાવવા જ પડશે. તો હવે બનાસકાંઠા જિલ્લાએ એક પેડ માં કે નામ અભિયાન અંતર્ગત ખુબ મોટાપાયે વૃક્ષો વાવીને એક પ્રકારની હરિયાળી ક્રાંતિ કરી છે. વિધાનસભાના અધ્યક્ષશ્રી શંકરભાઈ ચૌધરીના હસ્તે લુણાવા ખાતે એકસાથે ૫૧૦૦ રોપાઓનું વૃક્ષારોપણ કરાયું છે. વિધાનસભા સ્પીકર શંકર ચૌધરીએ આ પ્રસંગે કહ્યું છે કે , વૃક્ષ નારાયણની પૂજા અર્ચના સાથે થરાદ તાલુકામાં વધુ પાંચ વન બનાવવામાં આવશે

ગુજરાત રાજ્યના માનનીય મુખ્યમંત્રીના હસ્તે ગુજરાતના 4 આદિજાતી અને અંતરીયાળ વિસ્તારમાંના જિલ્લાઓ માટેની મોબાઈલ મેડિકલ યુનિટનું લોકાર્પણ કરવામાં આવ્યું. ઈન્ડિયન રેડક્રોસ સોસાયટી આરોગ્ય ક્ષેત્રે, કુદરતી તેમજ માનવસર્જિત આપત્તિઓનો ભોગ બનેલા લોકોને સહાય કરનારી તથા લોકોના દુઃખો મહદઅંશે દુર કરતી મોટામાં મોટી માનવતાવાદી સંસ્થાઓમાંથી એક છે. ઈન્ડિયન રેડક્રોસ સોસાયટીની ગુજરાત રાજ્ય શાખા દેશની સૌથી સક્રિય રાજ્ય શાખાઓમાંની એક છે.

જૂનાગઢના ભેંસાણમાં પરબ વાવડીમાં તલાટી મંત્રીએ ફરીયાદી પાસેથી ૧૫૦૦ રૂપિયા માંગ્યાા કેશની માથાકુટમાં કોણ પડે એટલે કરી નાખ્યો ડિજીટલ વ્યહવાર હવે એન્ટી કરપ્શન બ્યુરોના સકંજામાં તલાટી