એક સ્ટડીમાં થયો ચોંકાવનારો ખુલાસો, 66% ભારતીય પાયલોટ વિમાનમાં સૂઈ જાય છે


  • Published By : Payal rathod
  • Published Date : 2022-09-26 18:17:54

ધારો કે તમે પ્લેનમાં પ્રવાસ કરી રહ્યા છો અને કોઈ તમને કહે કે પ્લેનનો પાયલોટ સૂઈ રહ્યો છે, ત્યારે તમારી શું હાલત થાય!. તાજેતરના એક સ્ટડીમાં જાણવા મળ્યું છે કે ભારતીય એરલાઇન્સમાં કામ કરતા મોટાભાગના પાઇલોટ્સ ઊંઘી જાય છે અને તેમના સાથી ક્રૂ મેમ્બર્સને પણ જાણ કરતા નથી. આ સર્વેમાં 542 પાયલોટનો સમાવેશ કરવામાં આવ્યો હતો જેમાંથી 358એ આ વાત સ્વીકારી છે. તેણે કહ્યું હતું કે થાકને કારણે તે કોકપીટમાં સૂઈ જાય છે.


આ સર્વે એક NGO 'સેફ્ટી મેટર્સ ફાઉન્ડેશન' દ્વારા કરવામાં આવ્યો હતો, જેમાં ડોમેસ્ટિક ફ્લાઈટ માટે કામ કરતા પાઈલટોને સામેલ કરવામાં આવ્યા હતા. સામાન્ય રીતે આ પાઇલોટ 4 કલાક માટે ઉડાન ભરે છે. તેમના જણાવ્યા મુજબ, 54 ટકા પાઈલટોને દિવસ દરમિયાન ઊંઘવાની આદત હોય છે. જ્યારે 41 ટકા એવા છે જેઓ ક્યારેક-ક્યારેક જ સૂઈ જાય છે.


પ્લેન ક્રેશ થવા પાછળનું સૌથી મોટું કારણ થાક છે


આ અભ્યાસમાં દાવો કરવામાં આવ્યો છે કે પ્લેન ક્રેશ થવા પાછળનું મુખ્ય કારણ પાયલોટનો થાક છે. અગાઉ પાઇલોટે અઠવાડિયામાં 30 કલાક ઉડાન ભરવાની રહેતી હતી. જો કે, હવે કામનું પ્રેસર એટલું વધી ગયું છે કે આખા અઠવાડિયા દરમિયાન બેક ટુ બેક ફ્લાઇટ્સમાં ઉડાન ભરવી પડે છે તેથી પાયલોટ વધુ તણાવ અને થાકમાં રહે છે. એરલાઇન્સ ઓછા કર્મચારીઓ પાસે વધુ કામ કરાવવા માંગે છે. આવી સ્થિતિમાં પાઇલોટ્સ માટે કામના કલાકો પણ વધી ગયા છે.



ગુજરાતના લાખો ગરીબ પરિવારોના આરોગ્યની સુરક્ષાને વધુ સુદૃઢ બનાવવા માટે ગુજરાત સરકારે એક મહત્ત્વપૂર્ણ પગલું ભર્યું છે. ગાંધીનગર ખાતે આરોગ્ય મંત્રી શ્રી પ્રફુલ પાનશેરિયાની ઉપસ્થિતિમાં આયુષ્માન ભારત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના હેઠળ રાજ્ય સરકારે બજાજ ઈન્સ્યોરન્સ કંપની સાથે એક નવા લેટર ઓફ એવોર્ડ(LOA) પર હસ્તાક્ષર કર્યા છે, જે રાજ્યની જનતા માટે આર્થિક રાહત અને વિસ્તૃત આરોગ્ય કવચ સુનિશ્ચિત કરે છે.

મુકેશ અંબાણીએ નાથદ્વારામાં દર્શન કર્યા, ‘યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન’ પ્રોજેક્ટની જાહેરાત કરી છે. મુકેશ અંબાણીએ પવિત્ર નગરી નાથદ્વારામાં શ્રીનાથજી ભગવાનના ભોગ આરતી દર્શનનો દિવ્ય લાભ લીધો તેમજ ગુરુ શ્રી વિશાલબાવા સાહેબના આશીર્વાદ પ્રાપ્ત કર્યા છે. આ અવસરે તેમણે નાથદ્વારામાં આધુનિક અને સુવિધાસંપન્ન “યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન”ના નિર્માણની જાહેરાત કરી છે તેમજ શ્રીનાથદ્વારા મંદિરને ₹15 કરોડનું દાન આપ્યું છે.

ગુજરાત સરકાર દ્વારા ખેડૂતો માટે એક રાહત પેકેજની ઘોષણા કરવામાં આવી છે. ગુજરાતમાં ૨૫મી ઓક્ટોબરથી જે કમોસમી વરસાદનો રાઉન્ડ આવ્યો છે તેમાં , ૪૨ લાખ હેકટર જમીનને નુકશાન થયું છે. અંદાજે ૧૬,૦૦૦ ગામોને અસર પહોંચી છે. તો હવે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ દ્વારા આજે એક કૃષિ રાહત પેકેજની જાહેરાત કરવામાં આવી છે.

અમરેલી જિલ્લામાં કોંગ્રેસ દ્વારા આજે ખેતી બચાવો સત્યાગ્રહ અંતર્ગત લીલીયા ખાતે પ્રતીક ધરણાનો કાર્યક્રમ યોજાયો છે. આ કાર્યક્રમમાં કમોસમી વરસાદના કારણે ખેડૂતોને જે પાક નુકશાની થઇ છે તેને લઇને અમરેલી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપ દુધાત અને પૂર્વ વિપક્ષના નેતા પરેશ ધાનાણીના નેતૃત્વમાં એક સંમેલન યોજાયું છે. આ ઉપરાંત ખેડૂતોના દેવામાફીના મુદ્દે , લીલીયા મામલતદારને આવેદન પત્ર પણ આપવામાં આવ્યું છે. આ પ્રસંગે , ખેડૂતો પણ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા.