મોંઘવારીનો માર : અમૂલે દૂધમાં પ્રતિ લિટરે કર્યો 2 રૂપિયાનો ભાવ વધારો


  • Published By : Payal rathod
  • Published Date : 2022-10-15 14:05:07

દિવસને દિવસે મોંઘવારી વધી રહી છે. એક તરફ પેટ્રોલ તેમજ ડિઝલના ભાવ આસમાને પહોંચી રહ્યા છે ત્યારે ફરી જીવન જરૂરિયાત ગણાત દૂધના ભાવમાં વધારો થયો છે. મોંઘવારીનું સ્તર પ્રતિદિન વધી રહ્યું છે. તહેવારોની સિઝન નજીક આવી રહી છે ત્યારે અમુલે ફૂલ ક્રીમ અને ભેંસના દૂધમાં 2 રુપિયાનો ભાવ વધારો કરાયો છે. જો કે આ ભાવ વધારો ગુજરાતમાં લાગુ નહીં થાય.

 

ગુજરાતમાં નહીં લાગુ થાય ભાવ વધારો 

થોડા દિવસો બાદ દિવાળીનો તહેવાર આવી રહ્યો છે. તહેવાર નજીક આવતા જીવન જરૂરિયાતની ચીજ વસ્તુઓની કિંમતમાં તોતિંગ ભાવ વધારો જોવા મળી રહ્યો છે. ખદ્યતેલમાં પણ ભાવ વધારો થયો હતો જે બાદ આજે અમૂલે દૂધની કિંમતમાં વધારો કર્યો છે. અમૂલે એક લિટર ફુલ ક્રીમ દૂધની કિંમતમાં 2 રૂપિયાનો વધારો થતા હવેથી આ દૂધ દિલ્હીમાં 63 રૂપિયા પ્રતિ લિટરે મળશે. ઓગષ્ટ મહિનામાં જ દૂધની કિંમતમાં ભાવ વધારો થયો હતો. પરંતુ રાહતની વાત એ છે કે આ ભાવ વધારો ગુજરાતમાં નથી કરવામાં આવ્યો. દેશના તમામ રાજ્યોમાં આ ભાવ વધારો કરાયો છે પરંતુ ગુજરાતમાં ભાવ વધારો કરવામાં આવ્યો નથી.  




પુણેના કેતન અગ્રવાલનું લોહગઢ કિલ્લા પર થયેલું મોત અકસ્માતથી હત્યાના કેસમાં કેવી રીતે ફેરવાયું? સિયા ગોયલ, ચેતન ચૌધરી, CCTV અને કોલ રેકોર્ડની સંપૂર્ણ માહિતી વાંચો.

અમદાવાદના ચાંગોદરમાં 1,140 નકલી અને ભેળસેળયુક્ત પ્લાઝમા યુનિટ સાથે ચાર આરોપી ઝડપાયા. જાણો રેકેટની રીત, જોખમ અને કાયદામાં થતી સજા.

23 જૂન 2026ના રોજ નવી દિલ્હીના રાષ્ટ્રપતિ ભવનમાં નાગરિક અલંકાર સમારોહ-II યોજાયો હતો. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ કલા, સાહિત્ય, શિક્ષણ, સમાજસેવા, જાહેર જીવન, રમતગમત, વિજ્ઞાન, ચિકિત્સા, કૃષિ, ઉદ્યોગ અને અન્ય ક્ષેત્રોમાં નોંધપાત્ર યોગદાન આપનાર મહાનુભાવોને પદ્મ પુરસ્કારોથી સન્માનિત કર્યા હતા. આ સમારોહની સત્તાવાર યાદીમાં 2 પદ્મ વિભૂષણ, 7 પદ્મ ભૂષણ અને 57 પદ્મ શ્રી પ્રાપ્તકર્તાઓ સહિત કુલ 66 વ્યક્તિઓનો સમાવેશ કરવામાં આવ્યો હતો. રંજની અને ગાયત્રીને સંયુક્ત એટલે કે Duo શ્રેણીમાં એક પુરસ્કાર આપવામાં આવ્યો છે. કેટલાક મહાનુભાવોને મરણોત્તર સન્માનિત કરવામાં આવ્યા છે.

સ્ટોરીમાં કોર્ટનો ચુકાદો, પત્ની સહિત નવ લોકોને સજા, 2023ની ઘટનાની શરૂઆત, વન અધિકારીઓ સાથે જોડાયેલા આરોપો, ₹60 હજારના વ્યવહારનો મુદ્દો, FIRથી ચુકાદા સુધીની સમયરેખા, કેસમાં ટ્રાયલ થયેલી IPC અને Arms Actની કલમો, સાક્ષીઓ, જેલની સ્થિતિ, ધારાસભ્ય તરીકેની અયોગ્યતા, અપીલનો રસ્તો અને AAP પર પડનારી રાજકીય અસર આવરી લેવાઈ છે. નર્મદા જિલ્લાના રાજપીપળાની કોર્ટે ચૈતર વસાવા અને અન્ય આઠ લોકોને સાત વર્ષની સજા સંભળાવીને ન્યાયિક કસ્ટડીમાં મોકલ્યાના અહેવાલ છે.