મોંઘવારીનો માર : અમૂલે દૂધમાં પ્રતિ લિટરે કર્યો 2 રૂપિયાનો ભાવ વધારો


  • Published By : Payal rathod
  • Published Date : 2022-10-15 14:05:07

દિવસને દિવસે મોંઘવારી વધી રહી છે. એક તરફ પેટ્રોલ તેમજ ડિઝલના ભાવ આસમાને પહોંચી રહ્યા છે ત્યારે ફરી જીવન જરૂરિયાત ગણાત દૂધના ભાવમાં વધારો થયો છે. મોંઘવારીનું સ્તર પ્રતિદિન વધી રહ્યું છે. તહેવારોની સિઝન નજીક આવી રહી છે ત્યારે અમુલે ફૂલ ક્રીમ અને ભેંસના દૂધમાં 2 રુપિયાનો ભાવ વધારો કરાયો છે. જો કે આ ભાવ વધારો ગુજરાતમાં લાગુ નહીં થાય.

 

ગુજરાતમાં નહીં લાગુ થાય ભાવ વધારો 

થોડા દિવસો બાદ દિવાળીનો તહેવાર આવી રહ્યો છે. તહેવાર નજીક આવતા જીવન જરૂરિયાતની ચીજ વસ્તુઓની કિંમતમાં તોતિંગ ભાવ વધારો જોવા મળી રહ્યો છે. ખદ્યતેલમાં પણ ભાવ વધારો થયો હતો જે બાદ આજે અમૂલે દૂધની કિંમતમાં વધારો કર્યો છે. અમૂલે એક લિટર ફુલ ક્રીમ દૂધની કિંમતમાં 2 રૂપિયાનો વધારો થતા હવેથી આ દૂધ દિલ્હીમાં 63 રૂપિયા પ્રતિ લિટરે મળશે. ઓગષ્ટ મહિનામાં જ દૂધની કિંમતમાં ભાવ વધારો થયો હતો. પરંતુ રાહતની વાત એ છે કે આ ભાવ વધારો ગુજરાતમાં નથી કરવામાં આવ્યો. દેશના તમામ રાજ્યોમાં આ ભાવ વધારો કરાયો છે પરંતુ ગુજરાતમાં ભાવ વધારો કરવામાં આવ્યો નથી.  




ધંધુકામાં માત્ર એક ઓવરટેક જેવી નજીવી બાબતે ધર્મેશ ગમારા નામના યુવાનનો જીવ લઇ લેવામાં આવે છે ત્યારબાદ , બે સમુદાયો ધંધુકામાં આમનેસામને આવી જાય છે. ખુબ મોટાપાયે ઘર્ષણ થાય છે. આ પછી , પોલીસ દ્વારા ધંધુકામાં સઘન કોમ્બિંગ હાથ ધરાય છે અને ૨૦૦ લોકોના ઘરોની પણ તપાસ કરવામાં આવી છે. તો હવે પોલીસ આ સમગ્ર મામલે તપાસ કરવા માટે અમદાવાદના રેન્જ IG રાઘવેન્દ્ર વત્સ દ્વારા સ્પેશ્યલ ઇન્વેસ્ટિગેશન ટીમની રચના કરવામાં આવી છે.

ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ માટે મતદાન ૨૬મી એપ્રિલે યોજાવાનું છે ત્યારે , રાજકોટ મહાનગરપાલિકામાં લેઉવા સમાજના મતો ખુબ મોટી સંખ્યામાં છે ત્યારે , ભારતીય જનતા પાર્ટીના રાજકોટના કોર્પોરેટરોએ ખોડલધામના ચેરમેન નરેશ પટેલ સાથે મુલાકાત કરી છે. જોકે આ મુલાકાત પછી , ભાજપ જીતી શકશે કે કેમ તે તો પરિણામના દિવસે જ ખબર પડશે. પરંતુ , રાજકોટ મહાનગરપાલિકામાં ભારતીય જનતા પાર્ટીના ટિકિટ વહેંચણી પછી જૂથવાદ સપાટી પર આવી ગયો છે. આ કારણે પાર્ટીની સામે પડકાર ઉભો થયો છે.

સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓમાં ૨૬મી તારીખે મતદાન યોજાવાનું છે ત્યારે , પંચમહાલમાં કોંગ્રેસને ખુબ મોટો ઝટકો લાગ્યો છે. પંચમહાલ જિલ્લા કોંગ્રેસ પ્રમુખ ચેતનસિંહ પરમારએ ભારતીય જનતા પાર્ટીમાં જોડાઈ ગયા છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના હસ્તે તેમણે ભાજપનો ખેસ ધારણ કર્યો છે. આમ હવે , પંચમહાલ જિલ્લામાં કોંગ્રેસમાં કાર્યકરો નિરાશ થઇ ગયા છે.

નવરચિત વાવ થરાદ જિલ્લામાં મામલતદાર કચેરીએ જયારે ઉમેદવારોના ફોર્મની સ્ક્રૂટિની ચાલી રહી છે ત્યારે મામલતદાર કચેરીએ કોંગ્રેસના કાર્યકરોએ નારેબાજી કરી છે. આ બાબતે બનાસકાંઠા જિલ્લા કોંગ્રેસ પ્રમુખ ગુલાબસિંહ રાજપૂત દ્વારા પોલીસ પર આરોપ લગાવવામાં આવ્યો છે કે , "પોલીસ અમારા ઉમેદવારોને ડરાવવાનું અને ધમકાવવાનું કામ કરી રહી છે. ગુલાબસિંહ રાજપૂતના આ દાવાથી વાવ થરાદ જિલ્લામાં રાજકારણ ગરમાઈ ગયું છે.