મોંઘવારીનો માર : અમૂલે દૂધમાં પ્રતિ લિટરે કર્યો 2 રૂપિયાનો ભાવ વધારો


  • Published By : Payal rathod
  • Published Date : 2022-10-15 14:05:07

દિવસને દિવસે મોંઘવારી વધી રહી છે. એક તરફ પેટ્રોલ તેમજ ડિઝલના ભાવ આસમાને પહોંચી રહ્યા છે ત્યારે ફરી જીવન જરૂરિયાત ગણાત દૂધના ભાવમાં વધારો થયો છે. મોંઘવારીનું સ્તર પ્રતિદિન વધી રહ્યું છે. તહેવારોની સિઝન નજીક આવી રહી છે ત્યારે અમુલે ફૂલ ક્રીમ અને ભેંસના દૂધમાં 2 રુપિયાનો ભાવ વધારો કરાયો છે. જો કે આ ભાવ વધારો ગુજરાતમાં લાગુ નહીં થાય.

 

ગુજરાતમાં નહીં લાગુ થાય ભાવ વધારો 

થોડા દિવસો બાદ દિવાળીનો તહેવાર આવી રહ્યો છે. તહેવાર નજીક આવતા જીવન જરૂરિયાતની ચીજ વસ્તુઓની કિંમતમાં તોતિંગ ભાવ વધારો જોવા મળી રહ્યો છે. ખદ્યતેલમાં પણ ભાવ વધારો થયો હતો જે બાદ આજે અમૂલે દૂધની કિંમતમાં વધારો કર્યો છે. અમૂલે એક લિટર ફુલ ક્રીમ દૂધની કિંમતમાં 2 રૂપિયાનો વધારો થતા હવેથી આ દૂધ દિલ્હીમાં 63 રૂપિયા પ્રતિ લિટરે મળશે. ઓગષ્ટ મહિનામાં જ દૂધની કિંમતમાં ભાવ વધારો થયો હતો. પરંતુ રાહતની વાત એ છે કે આ ભાવ વધારો ગુજરાતમાં નથી કરવામાં આવ્યો. દેશના તમામ રાજ્યોમાં આ ભાવ વધારો કરાયો છે પરંતુ ગુજરાતમાં ભાવ વધારો કરવામાં આવ્યો નથી.  




રાજકોટ ગેમઝોન અગ્નિ કાંડ કે જેમાં RMCના પૂર્વ TPO મનસુખ સાગઠીયાને હવે સુપ્રીમ કોર્ટ દ્વારા રાહત આપવામાં આવી છે. રાજકોટ ગેમઝોન અગ્નિકાંડના આરોપી અને પૂર્વ TPO મનસુખ સાગઠીયાના જામીન સુપ્રીમ કોર્ટ તરફથી મંજુર કરવામાં આવ્યા છે. RMCના પૂર્વ TPO મનસુખ સાગઠીયા છેલ્લા સવા વર્ષથી જેલમાં બંધ હતા. તેમણે સુપ્રીમ કોર્ટમાં જામીન અરજી દાખલ કરી હતી જેના પર સુનાવણી કર્યા બાદ સુપ્રીમ કોર્ટે મનસુખ સાગઠીયાના જામીન મંજુર કર્યા છે.

રાજકોટના અનિરુદ્ધસિંહ જાડેજા કે જેઓ અવારનવાર સમાચારોમાં રહેતા હોય છે , તેમને હવે પૂર્વ MLA પોપટલાલ સોરઠિયાના કેસમાં સુપ્રીમ કોર્ટ તરફથી ઝટકો મળ્યો છે. અનિરુદ્ધસિંહ જાડેજાએ ગુજરાત હાઇકોર્ટનો જે સજામાંફીને લઇને જે ચુકાદો હતો તેને સુપ્રીમ કોર્ટમાં પડકાર્યો હતો પરંતુ , હવે રીબડાના અનિરુદ્ધસિંહ જાડેજાને સુપ્રીમ કોર્ટમાંથી પણ રાહત નથી મળી . સુપ્રીમ કોર્ટ તરફથી અનિરુદ્ધસિંહ જાડેજાને સરેન્ડર થવા માટે આદેશ આપવામાં આવ્યો છે.

આમ આદમી પાર્ટીમાં ભંગાણના એંધાણ છે , હવે અમદાવાદમાંથી ચેતન રાવલે આપમાંથી રાજીનામુ આપી દીધું છે . ચેતન રાવલ આમ આદમી પાર્ટીમાં નેશનલ જોઈન્ટ સેક્રેટરી હતા . ચેતન રાવલ કોંગ્રેસ છોડી આમ આદમી પાર્ટીમાં જોડાયા હતા . આ રાજીનામાનો પત્ર ચેતન રાવલે આમ આદમી પાર્ટીના પ્રદેશપ્રમુખ ઈસુદાન ગઢવીને સંબોધીને લખ્યો છે. ચેતન રાવલે રાજીનામુ આપવા પાછળ અંગત કારણ આગળ ધર્યું છે.

દેદિયાપાડાના MLA ચૈતર વસાવાની જામીન અરજી પર આજે ગુજરાત હાઇકોર્ટમાં સુનાવણી થવાની હતી. જેમાં હવે સમાચાર આવ્યા છે કે , ચૈતર વસાવાની જામીન અરજી પર આજે સુનાવણી નઈ થાય. ગુજરાત હાઇકોર્ટના વકીલોની હડતાળને કારણે સુનાવણી નહિ થાય. આજે ગુજરાત હાઇકોર્ટમાં ધારાસભ્ય ચૈતર વસાવાની જામીન અરજી પર સુનાવણી હાથ ધરાવવાની હતી . પરંતુ હવે વકીલોની હડતાળના કારણે આ સુનાવણી ટળી ગઈ છે . આમ હવે MLA ચૈતર વસાવાનો જેલવાસ લંબાયો છે .