મોંઘવારીનો માર : અમૂલે દૂધમાં પ્રતિ લિટરે કર્યો 2 રૂપિયાનો ભાવ વધારો


  • Published By : Payal rathod
  • Published Date : 2022-10-15 14:05:07

દિવસને દિવસે મોંઘવારી વધી રહી છે. એક તરફ પેટ્રોલ તેમજ ડિઝલના ભાવ આસમાને પહોંચી રહ્યા છે ત્યારે ફરી જીવન જરૂરિયાત ગણાત દૂધના ભાવમાં વધારો થયો છે. મોંઘવારીનું સ્તર પ્રતિદિન વધી રહ્યું છે. તહેવારોની સિઝન નજીક આવી રહી છે ત્યારે અમુલે ફૂલ ક્રીમ અને ભેંસના દૂધમાં 2 રુપિયાનો ભાવ વધારો કરાયો છે. જો કે આ ભાવ વધારો ગુજરાતમાં લાગુ નહીં થાય.

 

ગુજરાતમાં નહીં લાગુ થાય ભાવ વધારો 

થોડા દિવસો બાદ દિવાળીનો તહેવાર આવી રહ્યો છે. તહેવાર નજીક આવતા જીવન જરૂરિયાતની ચીજ વસ્તુઓની કિંમતમાં તોતિંગ ભાવ વધારો જોવા મળી રહ્યો છે. ખદ્યતેલમાં પણ ભાવ વધારો થયો હતો જે બાદ આજે અમૂલે દૂધની કિંમતમાં વધારો કર્યો છે. અમૂલે એક લિટર ફુલ ક્રીમ દૂધની કિંમતમાં 2 રૂપિયાનો વધારો થતા હવેથી આ દૂધ દિલ્હીમાં 63 રૂપિયા પ્રતિ લિટરે મળશે. ઓગષ્ટ મહિનામાં જ દૂધની કિંમતમાં ભાવ વધારો થયો હતો. પરંતુ રાહતની વાત એ છે કે આ ભાવ વધારો ગુજરાતમાં નથી કરવામાં આવ્યો. દેશના તમામ રાજ્યોમાં આ ભાવ વધારો કરાયો છે પરંતુ ગુજરાતમાં ભાવ વધારો કરવામાં આવ્યો નથી.  




ગુજરાતના લાખો ગરીબ પરિવારોના આરોગ્યની સુરક્ષાને વધુ સુદૃઢ બનાવવા માટે ગુજરાત સરકારે એક મહત્ત્વપૂર્ણ પગલું ભર્યું છે. ગાંધીનગર ખાતે આરોગ્ય મંત્રી શ્રી પ્રફુલ પાનશેરિયાની ઉપસ્થિતિમાં આયુષ્માન ભારત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના હેઠળ રાજ્ય સરકારે બજાજ ઈન્સ્યોરન્સ કંપની સાથે એક નવા લેટર ઓફ એવોર્ડ(LOA) પર હસ્તાક્ષર કર્યા છે, જે રાજ્યની જનતા માટે આર્થિક રાહત અને વિસ્તૃત આરોગ્ય કવચ સુનિશ્ચિત કરે છે.

મુકેશ અંબાણીએ નાથદ્વારામાં દર્શન કર્યા, ‘યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન’ પ્રોજેક્ટની જાહેરાત કરી છે. મુકેશ અંબાણીએ પવિત્ર નગરી નાથદ્વારામાં શ્રીનાથજી ભગવાનના ભોગ આરતી દર્શનનો દિવ્ય લાભ લીધો તેમજ ગુરુ શ્રી વિશાલબાવા સાહેબના આશીર્વાદ પ્રાપ્ત કર્યા છે. આ અવસરે તેમણે નાથદ્વારામાં આધુનિક અને સુવિધાસંપન્ન “યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન”ના નિર્માણની જાહેરાત કરી છે તેમજ શ્રીનાથદ્વારા મંદિરને ₹15 કરોડનું દાન આપ્યું છે.

ગુજરાત સરકાર દ્વારા ખેડૂતો માટે એક રાહત પેકેજની ઘોષણા કરવામાં આવી છે. ગુજરાતમાં ૨૫મી ઓક્ટોબરથી જે કમોસમી વરસાદનો રાઉન્ડ આવ્યો છે તેમાં , ૪૨ લાખ હેકટર જમીનને નુકશાન થયું છે. અંદાજે ૧૬,૦૦૦ ગામોને અસર પહોંચી છે. તો હવે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ દ્વારા આજે એક કૃષિ રાહત પેકેજની જાહેરાત કરવામાં આવી છે.

અમરેલી જિલ્લામાં કોંગ્રેસ દ્વારા આજે ખેતી બચાવો સત્યાગ્રહ અંતર્ગત લીલીયા ખાતે પ્રતીક ધરણાનો કાર્યક્રમ યોજાયો છે. આ કાર્યક્રમમાં કમોસમી વરસાદના કારણે ખેડૂતોને જે પાક નુકશાની થઇ છે તેને લઇને અમરેલી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપ દુધાત અને પૂર્વ વિપક્ષના નેતા પરેશ ધાનાણીના નેતૃત્વમાં એક સંમેલન યોજાયું છે. આ ઉપરાંત ખેડૂતોના દેવામાફીના મુદ્દે , લીલીયા મામલતદારને આવેદન પત્ર પણ આપવામાં આવ્યું છે. આ પ્રસંગે , ખેડૂતો પણ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા.