દર વર્ષે 8 સપ્ટેમ્બરના રોજ ઉજવાય છે International Literacy Day, જાણો આ દિવસનો ઈતિહાસ અને જીવનમાં સાક્ષરતાનું મહત્વ...


  • Published By :
  • Published Date : 2023-09-08 11:57:48

દરેક માનવીના જીવનમાં સાક્ષારતાનું મહત્વ વિશેષ રહેલું હોય છે. સાક્ષરતા જીવનને નવી દિશા આપે છે, માનવીને જીવનમાં શું કરવું છે તેની સમજ આપે છે. દેશના દરેક નાગરિક સુધી સાક્ષરતા પહોંચે , લોકો ભણવા માટે પ્રોત્સાહિત થાય તે માટે અનેક પ્રયાસો કરવામાં આવે છે. દર વર્ષે 8 સપ્ટેમ્બરના રોજ વિશ્વ સાક્ષરતા દિવસની ઉજવણી કરવામાં આવે છે. સાક્ષરતાનો અર્થ થાય છે વાંચવા અને લખવા માટે સક્ષમ થવું. લોકો શિક્ષણનું, સાક્ષરતાનું મહત્વ સમજે તે માટે સરકાર અનેક પ્રયાસો કરે છે. અનેક યોજનાઓ બનાવવામાં આવે છે. ભારતમાં પણ સાક્ષરતાને લઈ અનેક યોજનાઓ બનાવવામાં આવી છે. 


દર વર્ષે 8 સપ્ટેમ્બરના રોજ ઉજવાય છે વિશ્વ સાક્ષરતા દિવસ 

વિશ્વ સાક્ષરતા દિવસની ઉજવણી દર વર્ષે 8 સપ્ટેમ્બરના રોજ કરવામાં આવે છે. આંતરરાષ્ટ્રીય સાક્ષરતા દિવસની ઉજવણી કરવામાં આવે છે. આ દિવસના ઈતિહાસની વાત કરીએ તો 1966થી આ દિવસ ઉજવવાની શરૂઆત થઈ. 7 સપ્ટેમ્બર 1965ના રોજ યુનેસ્કોમાં 8 સપ્ટેમ્બરને આંતરાષ્ટ્રીય સાક્ષરતા દિવસ તરીકે ઉજવવાનું નક્કી કરવામાં આવ્યું હતું. જે બાદ આગલા વર્ષે એટલે આ દિવસ ઉજવવાનો શરૂ થઈ ગયો હતો. 1966થી દર વર્ષે 8 સપ્ટેમ્બરના રોજ વિશ્વ સાક્ષરતા દિવસની ઉજવણી કરવામાં આવે છે.  


શિક્ષણ દેશના વિકાસમાં ભજવે છે મહત્વનો ફાળો   

સાક્ષરતાનું ખાસ તાત્પર્યએ છે કે લોકો લખતા અને વાંચતા શીખે, સાક્ષરતાને કારણે બુદ્ધિનો વિકાસ થાય છે, નવી નવી વસ્તુઓ, નવા નવા આઈડિયા આવે છે. દેશના વિકાસમાં પણ શિક્ષણ મહત્વનો ફાળો ભજવે છે. સમાજમાં શિક્ષણનું મહત્વ વધે, લોકો ભણવા માટે પ્રેરાય તે હેતુથી આ દિવસની ઉજવણી શરૂ કરવામાં આવી હતી. કહેવાય છે કે સમાજ શિક્ષિત હશે તો દેશ શિક્ષિત થશે. દેશમાં શિક્ષિત લોકો હશે તો દેશની ઉન્નતિ જલ્દી થશે તેવું માનવામાં આવે  છે. શિક્ષણ દેશના વિકાસમાં મહત્વનો ફાળો ભજવે છે.  


આ કારણોસર અનેક વિદ્યાર્થીઓ નથી ભણી શક્તા

મહત્વનું છે કે ભણવું તો દરેક વ્યક્તિ માટે અગત્યનું હોય છે. જો શિક્ષણ મેળવ્યું હશે તો સ્પર્ધાત્મક દુનિયામાં આપણે ટકી શકીશું. દુનિયા ખૂબ ઝડપથી આગળ વધી રહી છે. જો આ દુનિયામાં ટકવું હશે તો ભણવું ખૂબ જરૂરી છે. ગુજરાતમાં અનેક બાળકો એવા હશે જે શાળાએ નહીં જતા હોય. અનેક જગ્યાઓ એવી હશે જ્યાં બાળકોને ભણવાની ઈચ્છા હશે પરંતુ શાળાઓ ન હોવાને કારણે, શિક્ષકો ન હોવાને કારણે વિદ્યાર્થીઓ ભણી નથી શકતા.  



ગુજરાતમાં જયારે જયારે કોઈ ગંભીર ગુના બને છે. ત્યારે આપણી પોલીસ જાહેરમાં આરોપીઓનો વરઘોડો કાઢીને રિકંસ્ટ્રક્શન હાથ ધરે છે. આ પછી , આ વરઘોડાની રીલો ખુબ વાઇરલ થાય છે. લોકો હજારોની સંખ્યામાં ઘટના સ્થળ પર ઉમટી પડે છે. ત્યારે હવે રાજ્યના ઇન્ચાર્જ પોલીસ વડા ડૉ. કે.એલ.એન. રાવે રાજ્યના તમામ પોલીસ અધિકારીઓને ગુજરાત હાઇકોર્ટનો એક કેસ ટાંકીને ‘કાયદામાં રહેશો તો ફાયદામાં રહેશો’ તેવી લેખિત ચેતવણી આપી છે.

ઈરાન યુદ્ધમાં પાકિસ્તાન દ્વારા ઈરાન અને અમેરિકા વચ્ચે મધ્યસ્થી કરાવવામાં આવી છે. ત્યારે આજે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા CBS દ્વારા દાવો કરવામાં આવ્યો છે કે, પાકિસ્તાને ઈરાનને તેના મિલિટરી એરક્રાફ્ટ છુપાવવા માટે યુદ્ધ દરમ્યાન મદદ કરી હતી. જોકે હવે એક પાકિસ્તાની અધિકારી દ્વારા CBSના અહેવાલને ખોટો ગણાવવામાં આવ્યો છે. બીજી તરફ, અમેરિકામાં પાકિસ્તાનની ઈરાન યુદ્ધમાં મધ્યસ્થીને લઇને પ્રશ્નો ઉભા થયા છે.

"આપણે સમાજને ના તોડીએ. સમાજને તોડનારી વ્યક્તિઓને વ્યક્તિઓને સમજીએ." આ શબ્દો છે ,ઉત્તરપ્રદેશના રાજ્યપાલ આનંદીબેન પટેલના દીકરી અનાર પટેલના. અનાર પટેલે થોડાક સમય અગાઉ બનાસકાંઠાના શહેરના પાલનપુરના કાર્યક્રમમાં હાજરી આપી હતી. આ કાર્યક્રમમાં સરદાર સાહેબની મૂર્તિનું અનાવરણ કરવામાં આવ્યું હતું. પાલનપુરના કાર્યક્રમમાં અનાર પટેલ દ્વારા પાટીદાર સમાજની એકતા પર ટીપ્પણી કરવામાં આવી છે.

ગીર સોમનાથ જિલ્લામાં "સોમનાથ અમૃત મહોત્સવની" જબરદસ્ત તૈયારી ચાલી રહી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી આ અવસરે ગીર સોમનાથ જિલ્લાની મુલાકાતે આવવાના છે. ત્યારે , નગરપાલિકાનો એક કર્મચારી નારિયેળી દૂર કરવા માટે ઝાડ પર ચઢે છે. આ પછી તેઓ પોતાનું બેલેન્સ ગુમાવતા જમીન પર પડે છે અને જીવ ગુમાવે છે. ત્યારબાદ જિલ્લાના કોળી સમાજમાં આક્રોશ ફાટી નીકળ્યો હતો. આ પછી , ગીર સોમનાથના MLA વિમલ ચુડાસમા અને જૂનાગઢના MP રાજેશ ચુડાસમા પીડિત પરિવારને મળવા પહોંચી જાય છે. જેનાથી ગીર સોમનાથ જિલ્લાના રાજકારણમાં ગરમાવો આવી ગયો છે.