દર વર્ષે 8 સપ્ટેમ્બરના રોજ ઉજવાય છે International Literacy Day, જાણો આ દિવસનો ઈતિહાસ અને જીવનમાં સાક્ષરતાનું મહત્વ...


  • Published By :
  • Published Date : 2023-09-08 11:57:48

દરેક માનવીના જીવનમાં સાક્ષારતાનું મહત્વ વિશેષ રહેલું હોય છે. સાક્ષરતા જીવનને નવી દિશા આપે છે, માનવીને જીવનમાં શું કરવું છે તેની સમજ આપે છે. દેશના દરેક નાગરિક સુધી સાક્ષરતા પહોંચે , લોકો ભણવા માટે પ્રોત્સાહિત થાય તે માટે અનેક પ્રયાસો કરવામાં આવે છે. દર વર્ષે 8 સપ્ટેમ્બરના રોજ વિશ્વ સાક્ષરતા દિવસની ઉજવણી કરવામાં આવે છે. સાક્ષરતાનો અર્થ થાય છે વાંચવા અને લખવા માટે સક્ષમ થવું. લોકો શિક્ષણનું, સાક્ષરતાનું મહત્વ સમજે તે માટે સરકાર અનેક પ્રયાસો કરે છે. અનેક યોજનાઓ બનાવવામાં આવે છે. ભારતમાં પણ સાક્ષરતાને લઈ અનેક યોજનાઓ બનાવવામાં આવી છે. 


દર વર્ષે 8 સપ્ટેમ્બરના રોજ ઉજવાય છે વિશ્વ સાક્ષરતા દિવસ 

વિશ્વ સાક્ષરતા દિવસની ઉજવણી દર વર્ષે 8 સપ્ટેમ્બરના રોજ કરવામાં આવે છે. આંતરરાષ્ટ્રીય સાક્ષરતા દિવસની ઉજવણી કરવામાં આવે છે. આ દિવસના ઈતિહાસની વાત કરીએ તો 1966થી આ દિવસ ઉજવવાની શરૂઆત થઈ. 7 સપ્ટેમ્બર 1965ના રોજ યુનેસ્કોમાં 8 સપ્ટેમ્બરને આંતરાષ્ટ્રીય સાક્ષરતા દિવસ તરીકે ઉજવવાનું નક્કી કરવામાં આવ્યું હતું. જે બાદ આગલા વર્ષે એટલે આ દિવસ ઉજવવાનો શરૂ થઈ ગયો હતો. 1966થી દર વર્ષે 8 સપ્ટેમ્બરના રોજ વિશ્વ સાક્ષરતા દિવસની ઉજવણી કરવામાં આવે છે.  


શિક્ષણ દેશના વિકાસમાં ભજવે છે મહત્વનો ફાળો   

સાક્ષરતાનું ખાસ તાત્પર્યએ છે કે લોકો લખતા અને વાંચતા શીખે, સાક્ષરતાને કારણે બુદ્ધિનો વિકાસ થાય છે, નવી નવી વસ્તુઓ, નવા નવા આઈડિયા આવે છે. દેશના વિકાસમાં પણ શિક્ષણ મહત્વનો ફાળો ભજવે છે. સમાજમાં શિક્ષણનું મહત્વ વધે, લોકો ભણવા માટે પ્રેરાય તે હેતુથી આ દિવસની ઉજવણી શરૂ કરવામાં આવી હતી. કહેવાય છે કે સમાજ શિક્ષિત હશે તો દેશ શિક્ષિત થશે. દેશમાં શિક્ષિત લોકો હશે તો દેશની ઉન્નતિ જલ્દી થશે તેવું માનવામાં આવે  છે. શિક્ષણ દેશના વિકાસમાં મહત્વનો ફાળો ભજવે છે.  


આ કારણોસર અનેક વિદ્યાર્થીઓ નથી ભણી શક્તા

મહત્વનું છે કે ભણવું તો દરેક વ્યક્તિ માટે અગત્યનું હોય છે. જો શિક્ષણ મેળવ્યું હશે તો સ્પર્ધાત્મક દુનિયામાં આપણે ટકી શકીશું. દુનિયા ખૂબ ઝડપથી આગળ વધી રહી છે. જો આ દુનિયામાં ટકવું હશે તો ભણવું ખૂબ જરૂરી છે. ગુજરાતમાં અનેક બાળકો એવા હશે જે શાળાએ નહીં જતા હોય. અનેક જગ્યાઓ એવી હશે જ્યાં બાળકોને ભણવાની ઈચ્છા હશે પરંતુ શાળાઓ ન હોવાને કારણે, શિક્ષકો ન હોવાને કારણે વિદ્યાર્થીઓ ભણી નથી શકતા.  



અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પના સ્વપ્નનું બિલ એટલે , "બિગ બ્યુટીફૂલ બિલ" જેને , હવે યુએસ કોંગ્રેસના ઉપલા ગૃહ સેનેટે મંજૂરી આપી દીધી છે. ૯૪૦ પન્નાનું આ બિલ ટ્રમ્પના બીજા કાર્યકાળ માટેનું ખુબ મહત્વનું બિલ મનાય છે. જોકે હવે ડોનાલ્ડ ટ્રમ્પના આ "બિલ બ્યુટીફૂલ બિલનો" વિરોધ ટેસ્લાના સીઈઓ એલોન મસ્ક દ્વારા કરવામાં આવ્યો છે. તો આવો જાણીએ ડોનાલ્ડ ટ્રમ્પનું આ "બિગ બ્યુટીફૂલ બિલ " છે શું તેને કેમ ઈલોન મસ્કે તેને ખરાબ ગણાવ્યું છે?

હાલમાં દુનિયામાં સૌથી વધારે ચર્ચિત જગ્યા હોય તો તે ઈરાનનું ફોરદો પરમાણુ મથક. થોડાક સમય પેહલા અમેરિકા અને ઈઝરાયલે તેને બરબાદ કરવાનો પ્રયાસ કર્યો હતો . અમેરિકાએ તેના સૌથી શક્તિશાળી બી ૨ સ્ટીલ્થ બોમ્બર વાપર્યા હતા . પરંતુ હવે સવાલ એ છે કે , આ ઈરાનનું ફોરદો પરમાણુ મથક બરબાદ થયું છે કે નહિ? તો આનો જવાબ આપણને યુએસના એક ખાનગી રિપોર્ટ પરથી મળે છે જે BBC દ્વારા છાપવામાં આવ્યો છે.

ભારત તરફથી , અમેરિકા સાથે વ્યાપારી કરારોની ચર્ચા કરવા માટે , એક પ્રતિનિધિમંડળ અમેરિકા પહોંચી ચૂક્યું છે. ભારત અને અમેરિકા વચ્ચે વ્યાપારી કરારો માટેની ડેડલાઈન ૯ મી જુલાઈ રાખવામાં આવી છે. તો હવે આ બાબતે અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પએ વ્હાઇટ હાઉસમાં નિવેદન આપ્યું છે કે , ભારત અને અમેરિકા વચ્ચે ટૂંક સમયમાં એક "મોટો" વેપાર સોદો થવા જઈ રહ્યો છે. ડોનાલ્ડ ટ્રમ્પએ આ નિવેદન વ્હાઇટ હાઉસ ખાતે આયોજિત "બિગ બ્યુટીફૂલ બિલ" કાર્યક્રમમાં આપ્યું છે .

આમ આદમી પાર્ટીમાં એક નવો વિવાદનો વંટોળ ઉભો થયો છે. અને આ વિવાદનો વંટોળ કેમ ઉભો થયો છે તો , બોટાદના MLA ઉમેશ મકવાણા પ્રેસ કોન્ફરન્સ કરીને વિધાનસભાના દંડકપદેથી અને રાષ્ટ્રીય જોઈન્ટ સેક્રેટરીના પદેથી રાજીનામુ આપે છે . તો હવે આ મામલે ગુજરાતમાં આમ આદમી પાર્ટીના પ્રદેશ પ્રમુખ ઈસુદાન ગઢવીની ટ્વીટ સામે આવી છે જેમાં તેમણે લખ્યું છે કે બોટાદના MLA ઉમેશ મકવાણાને પાર્ટી વિરોધી ગતિવિધિઓ હાથ ધરવા માટે પાંચ વર્ષ માટે સસ્પેન્ડ કરવામાં આવે છે.