દર વર્ષે 8 સપ્ટેમ્બરના રોજ ઉજવાય છે International Literacy Day, જાણો આ દિવસનો ઈતિહાસ અને જીવનમાં સાક્ષરતાનું મહત્વ...


  • Published By :
  • Published Date : 2023-09-08 11:57:48

દરેક માનવીના જીવનમાં સાક્ષારતાનું મહત્વ વિશેષ રહેલું હોય છે. સાક્ષરતા જીવનને નવી દિશા આપે છે, માનવીને જીવનમાં શું કરવું છે તેની સમજ આપે છે. દેશના દરેક નાગરિક સુધી સાક્ષરતા પહોંચે , લોકો ભણવા માટે પ્રોત્સાહિત થાય તે માટે અનેક પ્રયાસો કરવામાં આવે છે. દર વર્ષે 8 સપ્ટેમ્બરના રોજ વિશ્વ સાક્ષરતા દિવસની ઉજવણી કરવામાં આવે છે. સાક્ષરતાનો અર્થ થાય છે વાંચવા અને લખવા માટે સક્ષમ થવું. લોકો શિક્ષણનું, સાક્ષરતાનું મહત્વ સમજે તે માટે સરકાર અનેક પ્રયાસો કરે છે. અનેક યોજનાઓ બનાવવામાં આવે છે. ભારતમાં પણ સાક્ષરતાને લઈ અનેક યોજનાઓ બનાવવામાં આવી છે. 


દર વર્ષે 8 સપ્ટેમ્બરના રોજ ઉજવાય છે વિશ્વ સાક્ષરતા દિવસ 

વિશ્વ સાક્ષરતા દિવસની ઉજવણી દર વર્ષે 8 સપ્ટેમ્બરના રોજ કરવામાં આવે છે. આંતરરાષ્ટ્રીય સાક્ષરતા દિવસની ઉજવણી કરવામાં આવે છે. આ દિવસના ઈતિહાસની વાત કરીએ તો 1966થી આ દિવસ ઉજવવાની શરૂઆત થઈ. 7 સપ્ટેમ્બર 1965ના રોજ યુનેસ્કોમાં 8 સપ્ટેમ્બરને આંતરાષ્ટ્રીય સાક્ષરતા દિવસ તરીકે ઉજવવાનું નક્કી કરવામાં આવ્યું હતું. જે બાદ આગલા વર્ષે એટલે આ દિવસ ઉજવવાનો શરૂ થઈ ગયો હતો. 1966થી દર વર્ષે 8 સપ્ટેમ્બરના રોજ વિશ્વ સાક્ષરતા દિવસની ઉજવણી કરવામાં આવે છે.  


શિક્ષણ દેશના વિકાસમાં ભજવે છે મહત્વનો ફાળો   

સાક્ષરતાનું ખાસ તાત્પર્યએ છે કે લોકો લખતા અને વાંચતા શીખે, સાક્ષરતાને કારણે બુદ્ધિનો વિકાસ થાય છે, નવી નવી વસ્તુઓ, નવા નવા આઈડિયા આવે છે. દેશના વિકાસમાં પણ શિક્ષણ મહત્વનો ફાળો ભજવે છે. સમાજમાં શિક્ષણનું મહત્વ વધે, લોકો ભણવા માટે પ્રેરાય તે હેતુથી આ દિવસની ઉજવણી શરૂ કરવામાં આવી હતી. કહેવાય છે કે સમાજ શિક્ષિત હશે તો દેશ શિક્ષિત થશે. દેશમાં શિક્ષિત લોકો હશે તો દેશની ઉન્નતિ જલ્દી થશે તેવું માનવામાં આવે  છે. શિક્ષણ દેશના વિકાસમાં મહત્વનો ફાળો ભજવે છે.  


આ કારણોસર અનેક વિદ્યાર્થીઓ નથી ભણી શક્તા

મહત્વનું છે કે ભણવું તો દરેક વ્યક્તિ માટે અગત્યનું હોય છે. જો શિક્ષણ મેળવ્યું હશે તો સ્પર્ધાત્મક દુનિયામાં આપણે ટકી શકીશું. દુનિયા ખૂબ ઝડપથી આગળ વધી રહી છે. જો આ દુનિયામાં ટકવું હશે તો ભણવું ખૂબ જરૂરી છે. ગુજરાતમાં અનેક બાળકો એવા હશે જે શાળાએ નહીં જતા હોય. અનેક જગ્યાઓ એવી હશે જ્યાં બાળકોને ભણવાની ઈચ્છા હશે પરંતુ શાળાઓ ન હોવાને કારણે, શિક્ષકો ન હોવાને કારણે વિદ્યાર્થીઓ ભણી નથી શકતા.  



સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ માટે ૨૬મી એપ્રિલે મતદાન છે ત્યારે , નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ પુરજોશમાં પ્રચારમાં લાગી ચુક્યા છે. વિકાસ સંકલ્પ સભાઓ હર્ષ સંઘવી જે વિરોધીઓ છે તેમના ગઢમાં કરી રહ્યા છે. જેમ કે , થોડાક સમય અગાઉ , હર્ષ સંઘવીએ આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચૈતર વસાવાના ગઢમાં સભા કરી હતી , હવે કોંગ્રેસના વડગામના MLA જીગ્નેશ મેવાણીના ગઢમાં સભા ગજવી છે. આ ઉપરાંત , તેઓ ૨૩મી તારીખે રાજકોટમાં રોડ શો પણ કરવાના છે.

ધંધુકામાં માત્ર એક ઓવરટેક જેવી નજીવી બાબતે ધર્મેશ ગમારા નામના યુવાનનો જીવ લઇ લેવામાં આવે છે ત્યારબાદ , બે સમુદાયો ધંધુકામાં આમનેસામને આવી જાય છે. ખુબ મોટાપાયે ઘર્ષણ થાય છે. આ પછી , પોલીસ દ્વારા ધંધુકામાં સઘન કોમ્બિંગ હાથ ધરાય છે અને ૨૦૦ લોકોના ઘરોની પણ તપાસ કરવામાં આવી છે. તો હવે પોલીસ આ સમગ્ર મામલે તપાસ કરવા માટે અમદાવાદના રેન્જ IG રાઘવેન્દ્ર વત્સ દ્વારા સ્પેશ્યલ ઇન્વેસ્ટિગેશન ટીમની રચના કરવામાં આવી છે.

ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ માટે મતદાન ૨૬મી એપ્રિલે યોજાવાનું છે ત્યારે , રાજકોટ મહાનગરપાલિકામાં લેઉવા સમાજના મતો ખુબ મોટી સંખ્યામાં છે ત્યારે , ભારતીય જનતા પાર્ટીના રાજકોટના કોર્પોરેટરોએ ખોડલધામના ચેરમેન નરેશ પટેલ સાથે મુલાકાત કરી છે. જોકે આ મુલાકાત પછી , ભાજપ જીતી શકશે કે કેમ તે તો પરિણામના દિવસે જ ખબર પડશે. પરંતુ , રાજકોટ મહાનગરપાલિકામાં ભારતીય જનતા પાર્ટીના ટિકિટ વહેંચણી પછી જૂથવાદ સપાટી પર આવી ગયો છે. આ કારણે પાર્ટીની સામે પડકાર ઉભો થયો છે.

સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓમાં ૨૬મી તારીખે મતદાન યોજાવાનું છે ત્યારે , પંચમહાલમાં કોંગ્રેસને ખુબ મોટો ઝટકો લાગ્યો છે. પંચમહાલ જિલ્લા કોંગ્રેસ પ્રમુખ ચેતનસિંહ પરમારએ ભારતીય જનતા પાર્ટીમાં જોડાઈ ગયા છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના હસ્તે તેમણે ભાજપનો ખેસ ધારણ કર્યો છે. આમ હવે , પંચમહાલ જિલ્લામાં કોંગ્રેસમાં કાર્યકરો નિરાશ થઇ ગયા છે.