દર વર્ષે 8 સપ્ટેમ્બરના રોજ ઉજવાય છે International Literacy Day, જાણો આ દિવસનો ઈતિહાસ અને જીવનમાં સાક્ષરતાનું મહત્વ...


  • Published By :
  • Published Date : 2023-09-08 11:57:48

દરેક માનવીના જીવનમાં સાક્ષારતાનું મહત્વ વિશેષ રહેલું હોય છે. સાક્ષરતા જીવનને નવી દિશા આપે છે, માનવીને જીવનમાં શું કરવું છે તેની સમજ આપે છે. દેશના દરેક નાગરિક સુધી સાક્ષરતા પહોંચે , લોકો ભણવા માટે પ્રોત્સાહિત થાય તે માટે અનેક પ્રયાસો કરવામાં આવે છે. દર વર્ષે 8 સપ્ટેમ્બરના રોજ વિશ્વ સાક્ષરતા દિવસની ઉજવણી કરવામાં આવે છે. સાક્ષરતાનો અર્થ થાય છે વાંચવા અને લખવા માટે સક્ષમ થવું. લોકો શિક્ષણનું, સાક્ષરતાનું મહત્વ સમજે તે માટે સરકાર અનેક પ્રયાસો કરે છે. અનેક યોજનાઓ બનાવવામાં આવે છે. ભારતમાં પણ સાક્ષરતાને લઈ અનેક યોજનાઓ બનાવવામાં આવી છે. 


દર વર્ષે 8 સપ્ટેમ્બરના રોજ ઉજવાય છે વિશ્વ સાક્ષરતા દિવસ 

વિશ્વ સાક્ષરતા દિવસની ઉજવણી દર વર્ષે 8 સપ્ટેમ્બરના રોજ કરવામાં આવે છે. આંતરરાષ્ટ્રીય સાક્ષરતા દિવસની ઉજવણી કરવામાં આવે છે. આ દિવસના ઈતિહાસની વાત કરીએ તો 1966થી આ દિવસ ઉજવવાની શરૂઆત થઈ. 7 સપ્ટેમ્બર 1965ના રોજ યુનેસ્કોમાં 8 સપ્ટેમ્બરને આંતરાષ્ટ્રીય સાક્ષરતા દિવસ તરીકે ઉજવવાનું નક્કી કરવામાં આવ્યું હતું. જે બાદ આગલા વર્ષે એટલે આ દિવસ ઉજવવાનો શરૂ થઈ ગયો હતો. 1966થી દર વર્ષે 8 સપ્ટેમ્બરના રોજ વિશ્વ સાક્ષરતા દિવસની ઉજવણી કરવામાં આવે છે.  


શિક્ષણ દેશના વિકાસમાં ભજવે છે મહત્વનો ફાળો   

સાક્ષરતાનું ખાસ તાત્પર્યએ છે કે લોકો લખતા અને વાંચતા શીખે, સાક્ષરતાને કારણે બુદ્ધિનો વિકાસ થાય છે, નવી નવી વસ્તુઓ, નવા નવા આઈડિયા આવે છે. દેશના વિકાસમાં પણ શિક્ષણ મહત્વનો ફાળો ભજવે છે. સમાજમાં શિક્ષણનું મહત્વ વધે, લોકો ભણવા માટે પ્રેરાય તે હેતુથી આ દિવસની ઉજવણી શરૂ કરવામાં આવી હતી. કહેવાય છે કે સમાજ શિક્ષિત હશે તો દેશ શિક્ષિત થશે. દેશમાં શિક્ષિત લોકો હશે તો દેશની ઉન્નતિ જલ્દી થશે તેવું માનવામાં આવે  છે. શિક્ષણ દેશના વિકાસમાં મહત્વનો ફાળો ભજવે છે.  


આ કારણોસર અનેક વિદ્યાર્થીઓ નથી ભણી શક્તા

મહત્વનું છે કે ભણવું તો દરેક વ્યક્તિ માટે અગત્યનું હોય છે. જો શિક્ષણ મેળવ્યું હશે તો સ્પર્ધાત્મક દુનિયામાં આપણે ટકી શકીશું. દુનિયા ખૂબ ઝડપથી આગળ વધી રહી છે. જો આ દુનિયામાં ટકવું હશે તો ભણવું ખૂબ જરૂરી છે. ગુજરાતમાં અનેક બાળકો એવા હશે જે શાળાએ નહીં જતા હોય. અનેક જગ્યાઓ એવી હશે જ્યાં બાળકોને ભણવાની ઈચ્છા હશે પરંતુ શાળાઓ ન હોવાને કારણે, શિક્ષકો ન હોવાને કારણે વિદ્યાર્થીઓ ભણી નથી શકતા.  



એક તરફ અમેરિકા અને ઈરાન વચ્ચે જબરદસ્ત તણાવ જબરદસ્ત સ્તરે પહોંચી ગયો છે. અમેરિકાએ ઈરાનના કેશમ આઇલેન્ડ પર હુમલો કરી દીધો છે તો બીજી તરફ , ઈરાને કુવૈત પર મિસાઇલો દાગી છે. હવે , કુવૈતમાં ઈરાનના હુમલામાં ૧ વ્યક્તિએ જીવ પણ ગુમાવ્યો છે. પશ્ચિમ એશિયા ફરી એકવાર ભીષણ યુદ્ધની ધરી પર પહોંચી ગયું છે.

જામનગરમાં ભાજપના કોર્પોરેટરના પુત્રની એક દારૂ કૌભાંડમાં ધરપકડ કરવામાં આવી છે. કુલ ૧૯ ગંભીર ગુનાઓ જેની પર લાગેલા છે તેવો રીઢો આરોપી હિતેશ ઉર્ફે વાંગો નરશીભાઇ બાંભણીયા ને ચોટીલાની લાલા રઘુવંશી હોટલ નજીક થી ઝડપી પાડવામાં આવ્યો છે. જેનાથી જામનગરમાં ફરી એકવાર રાજકીય માહોલ ગરમાઈ ગયો છે. આ વાન્ગો બામભણીયા હત્યા અને મારામારીના કેસમાં સંડોવણી ધરાવે છે. વાન્ગો બામભણીયાના માતા મંજુબેન બામભણીયા જામનગર શહેરમાં વોર્ડ નંબર ૧૦માંથી ભાજપમાંથી કોર્પોરેટર છે.

શિસ્ત માટે જાણીતા રાજકોટ રેન્જના IG નિર્લિપ્ત રાય દ્વારા આજે રાજકોટ જિલ્લાના પડધરીમાં એક ખુબ કડક કાર્યવાહી કરવામાં આવી છે. જેમાં , પડધરીના કેસમાં તાત્કાલિક ધોરણે ૨ PI , PSI અને ASIને સસ્પેન્ડ કરી નાખવામાં આવ્યા છે. પડધરીમાં દુષ્કર્મના કેસમાં આરોપીઓ બે વર્ષથી વધારે સમય માટે ફરાર હતા. ૨ વર્ષ જેટલો લામ્બો સમય થયો હોવા છતાં આરોપીઓને પકડવામાં પોલીસની ઘોર બેદરકારી સામે આવી હતી. આ કારણે , રેન્જ IG નિર્લિપ્ત રાય દ્વારા પોલીસ કર્મીઓને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે.

ગીરસોમનાથ જિલ્લામાં કાયદો વ્યવસ્થા પર પ્રશ્નો ઉભા કરતી એક ગંભીર ઘટના સામે આવી છે. જેમાં , જિલ્લાના વેરાવળ શહેરમાં ધોળા દિવસે ફાયરિંગ કરવામાં આવ્યું છે. વેરાવળના સોમનાથ ટોકીઝ વિસ્તારમાં અજાણ્યા શખ્સો દ્વારા તુરક સમાજના પ્રમુખ જાવીદ તાજવાની પર અંધાધૂંધ ફાયરિંગ કરવામાં આવ્યું છે. આ ઘાતક હુમલામાં જાવીદ તાજવાનીને માથાના ભાગે ઇજા થતા તેઓ ઢળી પડ્યા હતા. ત્યારબાદ , ગીર સોમનાથના SP જયદીપસિંહ જાડેજા ઘટનાસ્થળે દોડી ગયા હતા.