માધવસિંહ સોલંકીને 1985માં 182માંથી અધધધ 149 બેઠક જીતાડનારી KHAM થિયરી શું હતી? જાણો


  • Published By :
  • Published Date : 2022-11-20 12:42:38


बुलंदी देर तक किस शख़्स के हिस्से में रहती है
बहुत ऊँची इमारत हर घड़ी खतरे में रहती है


ગુજરાતમાં જોવા મળી રહેલા ચૂંટણી માહોલે મુનવ્વર રાણાની આ કાવ્ય પંક્તીઓ યાદ કરાવી દીધી. ભાજપના નેતાઓ તેના 27 વર્ષના શાસનને ટકાવી રાખવા માટે પ્રયાસો કરી રહ્યા છે. ખુદ વડાપ્રધાન મોદી પણ સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં જોરશોરથી ચૂંટણી અભિયાન ચલાવી રહ્યા છે. ભાજપ સામે જોવા મળી રહેલી એન્ટી ઈન્કમ્બસીનો ફાયદો લેવા માટે કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીના નેતાઓ પણ મેદાને આવ્યા છે. કેજરીવાલને પણ આ ટાણે આંકડે મધ દેખાઈ રહ્યું છે. હવે જોવાનું એ છે કે ગુજરાતની પ્રજા કઈ પાર્ટીને બહુમતીથી જીતાડે છે. જો કે કોઈ પણ સત્તા કાયમી નથી હોતી તે પણ એક નક્કર સત્ય છે. ગુજરાતમાં માધવસિંહ સોલંકીના નેતૃત્વમાં કૉંગ્રેસે વર્ષ 1985માં 182માંથી 149 બેઠક જીતી હતી, આ રેકોર્ડ આજે પણ તુટ્યો નથી. જો કે આ જ માધવસિંહ સોલંકીના જ નેતૃત્વમાં 1990માં કોંગ્રેસને માત્ર 30% મતો અને 33 બેઠકો મળી હતી. માધવસિંહ સોલંકીએ 1985માં  KHAM થિયરીના સહારે કોંગ્રેસને રેકોર્ડ સીટો અપાવી હતી. આજે જાણીએ કે આ બહુચર્ચિત અને સોશિયલ એન્જિંનિયરિંગની મિશાલ ગણાતી ખામ થીયરી ખરેખર શું હતી.


ચૂંટણી જીતવાનો કીમિયો એટલે KHAM થિયરી


ગુજરાતમાં ચૂંટણી ટાણે રાજકીય સમીકરણો બેસાડવાની ચર્ચા થાય, ત્યારે 'ખામ' સમીકરણની અચૂકપણે ચર્ચા થાય. માધવસિંહ સોલંકીના નેતૃત્વમાં કૉંગ્રેસે  ખામ થિયરી તૈયાર કરી હતી આ   KHAM એટલે 'K' (ક્ષત્રિય-ઠાકોર), 'H' (હરિજન, શિડ્યુલ્ડ કાસ્ટ), 'A' (આદિવાસી, શિડ્યુલ્ડ ટ્રાઇબ્સ) તથા 'M' મુસ્લિમોને સાથે રાખીને ચૂંટણી જીતવાનાં સમીકરણ ગોઠવવામાં આવ્યા હતા. કોંગ્રેસની આ થિયરી ખરેખર કામ કરી ગઈ હતી. જોવાની વાત તો એ છે કે ગુજરાતમાં નરેન્દ્ર મોદીની પ્રચંડ લોકપ્રિયતા છતાં પણ ભાજપ ક્યારેય  149 બેઠકોનો માધવસિંહનો રેકોર્ડ તોડી શકી નથી.


કેટલી સફળ રહી  KHAM થિયરી?


ગુજરાતમાં 1985માં યોજાયેલી વિધાનસભાની ચૂંટણીમાં કોંગ્રેસે 182માંથી 149 બેઠક જીતેલી આ 149માંથી કૉંગ્રેસના 31 ઓબીસી (કોળી, આહિર, ક્ષત્રિય ઠાકોર), 29 પટેલ ; 36 ઉચ્ચ જ્ઞાતિઓ (વાણિયા, બ્રાહ્મણ, ઠક્કર, નાગર, રાજપૂત, સિંધી વગેરે) તથા આઠ મુસ્લિમ વિજેતા થયા હતા. આ સિવાય એસટી માટે અનામત 26માંથી 25 બેઠક ઉપર તથા એસસી માટે અનામત તમામ 13 બેઠક ઉપર વિજય થયો હતો.


કોણ હતા KHAM થિયરીના જનક?


ખામ થિયરીની વાત નિકળે એટલે લોકો માધવસિંહ સોલંકીને યાદ  કરે છે. જો કે રસપ્રદ બાબત એ છે કે ખામ થિયરીએ ઝીણાભાઈ દરજીના ભેજાની ઉપજ હતી. ઝીણાભાઈ  દક્ષિણ ગુજરાતના પીઢ ગાંધીવાદી, સ્વાતંત્ર્યસેનાની અને રચનાત્મક કાર્યકર હતા, તેઓ માધવસિંહની સરકારમાં મંત્રી હતા. ઝીણાભાઈ દરજીની સંગઠનશક્તિને લોકોને લોકો આજે પણ યાદ કરે છે. તેમણે અને સનત મહેતાએ આ ખામ થિયરી ગુજરાતમાં અજમાવવા માટે માધવસિંહને પ્રેરણા આપી હતી. 




રાજકોટ ગેમઝોન અગ્નિ કાંડ કે જેમાં RMCના પૂર્વ TPO મનસુખ સાગઠીયાને હવે સુપ્રીમ કોર્ટ દ્વારા રાહત આપવામાં આવી છે. રાજકોટ ગેમઝોન અગ્નિકાંડના આરોપી અને પૂર્વ TPO મનસુખ સાગઠીયાના જામીન સુપ્રીમ કોર્ટ તરફથી મંજુર કરવામાં આવ્યા છે. RMCના પૂર્વ TPO મનસુખ સાગઠીયા છેલ્લા સવા વર્ષથી જેલમાં બંધ હતા. તેમણે સુપ્રીમ કોર્ટમાં જામીન અરજી દાખલ કરી હતી જેના પર સુનાવણી કર્યા બાદ સુપ્રીમ કોર્ટે મનસુખ સાગઠીયાના જામીન મંજુર કર્યા છે.

રાજકોટના અનિરુદ્ધસિંહ જાડેજા કે જેઓ અવારનવાર સમાચારોમાં રહેતા હોય છે , તેમને હવે પૂર્વ MLA પોપટલાલ સોરઠિયાના કેસમાં સુપ્રીમ કોર્ટ તરફથી ઝટકો મળ્યો છે. અનિરુદ્ધસિંહ જાડેજાએ ગુજરાત હાઇકોર્ટનો જે સજામાંફીને લઇને જે ચુકાદો હતો તેને સુપ્રીમ કોર્ટમાં પડકાર્યો હતો પરંતુ , હવે રીબડાના અનિરુદ્ધસિંહ જાડેજાને સુપ્રીમ કોર્ટમાંથી પણ રાહત નથી મળી . સુપ્રીમ કોર્ટ તરફથી અનિરુદ્ધસિંહ જાડેજાને સરેન્ડર થવા માટે આદેશ આપવામાં આવ્યો છે.

આમ આદમી પાર્ટીમાં ભંગાણના એંધાણ છે , હવે અમદાવાદમાંથી ચેતન રાવલે આપમાંથી રાજીનામુ આપી દીધું છે . ચેતન રાવલ આમ આદમી પાર્ટીમાં નેશનલ જોઈન્ટ સેક્રેટરી હતા . ચેતન રાવલ કોંગ્રેસ છોડી આમ આદમી પાર્ટીમાં જોડાયા હતા . આ રાજીનામાનો પત્ર ચેતન રાવલે આમ આદમી પાર્ટીના પ્રદેશપ્રમુખ ઈસુદાન ગઢવીને સંબોધીને લખ્યો છે. ચેતન રાવલે રાજીનામુ આપવા પાછળ અંગત કારણ આગળ ધર્યું છે.

દેદિયાપાડાના MLA ચૈતર વસાવાની જામીન અરજી પર આજે ગુજરાત હાઇકોર્ટમાં સુનાવણી થવાની હતી. જેમાં હવે સમાચાર આવ્યા છે કે , ચૈતર વસાવાની જામીન અરજી પર આજે સુનાવણી નઈ થાય. ગુજરાત હાઇકોર્ટના વકીલોની હડતાળને કારણે સુનાવણી નહિ થાય. આજે ગુજરાત હાઇકોર્ટમાં ધારાસભ્ય ચૈતર વસાવાની જામીન અરજી પર સુનાવણી હાથ ધરાવવાની હતી . પરંતુ હવે વકીલોની હડતાળના કારણે આ સુનાવણી ટળી ગઈ છે . આમ હવે MLA ચૈતર વસાવાનો જેલવાસ લંબાયો છે .