માધવસિંહ સોલંકીને 1985માં 182માંથી અધધધ 149 બેઠક જીતાડનારી KHAM થિયરી શું હતી? જાણો


  • Published By :
  • Published Date : 2022-11-20 12:42:38


बुलंदी देर तक किस शख़्स के हिस्से में रहती है
बहुत ऊँची इमारत हर घड़ी खतरे में रहती है


ગુજરાતમાં જોવા મળી રહેલા ચૂંટણી માહોલે મુનવ્વર રાણાની આ કાવ્ય પંક્તીઓ યાદ કરાવી દીધી. ભાજપના નેતાઓ તેના 27 વર્ષના શાસનને ટકાવી રાખવા માટે પ્રયાસો કરી રહ્યા છે. ખુદ વડાપ્રધાન મોદી પણ સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં જોરશોરથી ચૂંટણી અભિયાન ચલાવી રહ્યા છે. ભાજપ સામે જોવા મળી રહેલી એન્ટી ઈન્કમ્બસીનો ફાયદો લેવા માટે કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીના નેતાઓ પણ મેદાને આવ્યા છે. કેજરીવાલને પણ આ ટાણે આંકડે મધ દેખાઈ રહ્યું છે. હવે જોવાનું એ છે કે ગુજરાતની પ્રજા કઈ પાર્ટીને બહુમતીથી જીતાડે છે. જો કે કોઈ પણ સત્તા કાયમી નથી હોતી તે પણ એક નક્કર સત્ય છે. ગુજરાતમાં માધવસિંહ સોલંકીના નેતૃત્વમાં કૉંગ્રેસે વર્ષ 1985માં 182માંથી 149 બેઠક જીતી હતી, આ રેકોર્ડ આજે પણ તુટ્યો નથી. જો કે આ જ માધવસિંહ સોલંકીના જ નેતૃત્વમાં 1990માં કોંગ્રેસને માત્ર 30% મતો અને 33 બેઠકો મળી હતી. માધવસિંહ સોલંકીએ 1985માં  KHAM થિયરીના સહારે કોંગ્રેસને રેકોર્ડ સીટો અપાવી હતી. આજે જાણીએ કે આ બહુચર્ચિત અને સોશિયલ એન્જિંનિયરિંગની મિશાલ ગણાતી ખામ થીયરી ખરેખર શું હતી.


ચૂંટણી જીતવાનો કીમિયો એટલે KHAM થિયરી


ગુજરાતમાં ચૂંટણી ટાણે રાજકીય સમીકરણો બેસાડવાની ચર્ચા થાય, ત્યારે 'ખામ' સમીકરણની અચૂકપણે ચર્ચા થાય. માધવસિંહ સોલંકીના નેતૃત્વમાં કૉંગ્રેસે  ખામ થિયરી તૈયાર કરી હતી આ   KHAM એટલે 'K' (ક્ષત્રિય-ઠાકોર), 'H' (હરિજન, શિડ્યુલ્ડ કાસ્ટ), 'A' (આદિવાસી, શિડ્યુલ્ડ ટ્રાઇબ્સ) તથા 'M' મુસ્લિમોને સાથે રાખીને ચૂંટણી જીતવાનાં સમીકરણ ગોઠવવામાં આવ્યા હતા. કોંગ્રેસની આ થિયરી ખરેખર કામ કરી ગઈ હતી. જોવાની વાત તો એ છે કે ગુજરાતમાં નરેન્દ્ર મોદીની પ્રચંડ લોકપ્રિયતા છતાં પણ ભાજપ ક્યારેય  149 બેઠકોનો માધવસિંહનો રેકોર્ડ તોડી શકી નથી.


કેટલી સફળ રહી  KHAM થિયરી?


ગુજરાતમાં 1985માં યોજાયેલી વિધાનસભાની ચૂંટણીમાં કોંગ્રેસે 182માંથી 149 બેઠક જીતેલી આ 149માંથી કૉંગ્રેસના 31 ઓબીસી (કોળી, આહિર, ક્ષત્રિય ઠાકોર), 29 પટેલ ; 36 ઉચ્ચ જ્ઞાતિઓ (વાણિયા, બ્રાહ્મણ, ઠક્કર, નાગર, રાજપૂત, સિંધી વગેરે) તથા આઠ મુસ્લિમ વિજેતા થયા હતા. આ સિવાય એસટી માટે અનામત 26માંથી 25 બેઠક ઉપર તથા એસસી માટે અનામત તમામ 13 બેઠક ઉપર વિજય થયો હતો.


કોણ હતા KHAM થિયરીના જનક?


ખામ થિયરીની વાત નિકળે એટલે લોકો માધવસિંહ સોલંકીને યાદ  કરે છે. જો કે રસપ્રદ બાબત એ છે કે ખામ થિયરીએ ઝીણાભાઈ દરજીના ભેજાની ઉપજ હતી. ઝીણાભાઈ  દક્ષિણ ગુજરાતના પીઢ ગાંધીવાદી, સ્વાતંત્ર્યસેનાની અને રચનાત્મક કાર્યકર હતા, તેઓ માધવસિંહની સરકારમાં મંત્રી હતા. ઝીણાભાઈ દરજીની સંગઠનશક્તિને લોકોને લોકો આજે પણ યાદ કરે છે. તેમણે અને સનત મહેતાએ આ ખામ થિયરી ગુજરાતમાં અજમાવવા માટે માધવસિંહને પ્રેરણા આપી હતી. 




પહલગામના આતંકી હુમલા પછી રાજધાની દિલ્હીમાં એક પછી એક મહત્વની બેઠકો મળવાનું ચાલુ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ૭ , લોક કલ્યાણ માર્ગ સ્થિત નિવાસ સ્થાને કેબિનેટ કમિટી ઓન સિક્યોરિટીની મિટિંગ મળી છે. આ પછી કેબિનેટ કમિટી ઓન પોલિટિકલ અફેર્સની મિટિંગ પણ મળી છે.

ભારત સરકારે પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફનું ઓફિસિયલ પ્લેટફોર્મ એક્સનું એકાઉન્ટ સસ્પેન્ડ કરી નાખ્યું છે. પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફએ જે પેહલા નિવેદન આપ્યું હતું તે પણ ખુબ જ ચર્ચામાં રહ્યું હતું. આ પેહલા તેમણે એક ખાનગી ન્યુઝ ચેનલને આપેલા ઇન્ટરવ્યુમાં એ વાતનો સ્વીકાર કરી લીધો છે કે , પાકિસ્તાન છેલ્લા ૩૦ વર્ષથી આતંકીઓને ટ્રેનિંગ આપતું આવ્યું છે. હવે તેમણે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા રીયુટર્સને આપેલા ઇન્ટરવ્યુમાં એક વાતનો સાફ સ્વીકાર કરી લીધો છે કે , ભારત ગમે ત્યારે પાકિસ્તાન પર હુમલો કરી શકે છે.

ભારતના રક્ષામંત્રી રાજનાથ સિંહ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ૭ લોકકલ્યાણ માર્ગ પર મળીને નીકળ્યા છે. આ પેહલા રક્ષામંત્રી રાજનાથ સિંહ ગયિકાલે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ અનિલ ચૌહાણને મળ્યા હતા. સાથે જ તેમણે ભારતની ભવિષ્યની રણનીતિ વિશે ચર્ચા કરી હતી. તો હવે આજે જમ્મુ કાશ્મીર વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું છે. જેમાં બધા જ પક્ષોએ એક જ સૂરમાં આ આતંકવાદી હુમલાનો વિરોધ કર્યો છે.

ગુજરાત સરકાર, ગુજરાત ઈન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ કોર્પોરેશન અને મુંબઈ સ્થિત અમેરિકન કોન્સ્યુલેટના સંયુક્ત ઉપક્રમે અમદાવાદમાં ૨૫ એપ્રિલે યોજાઈ સેમિકન્ડક્ટર કોન્ફરન્સ, જેમાં ઉદ્યોગના નિષ્ણાંતો હિસ્સો બન્યા અને સેમિકન્ડક્ટર રાઉન્ડ ટેબલમાં વિવિધ વિષયોની ચર્ચા કરાઈ, આ કાર્યક્રમમાં ઈન્ડો અમેરિકન ચેમ્બર ઓફ કોમર્સ પણ હિસ્સો બન્યું હતુ.