માનગઢ હિલ પર અંગ્રેજોએ ગોળીઓ પૂરી ના થઈ ત્યાં સુધી બંદૂકો ચલાવી, હજારો આદિવાસીઓના થયા મોત


  • Published By :
  • Published Date : 2022-10-28 16:43:51

Story by Samir Parmar

1912નો એ સમય હતો. અંગ્રેજ ઓફિસરો ગોળી ચલાવવાનો આદેશ આપ્યો અને એક સાથે હજારો આદિવાસીનો નરસંહાર થયો. જલિયાવાલા બાગ હત્યાકાંડથી આપણે સૌ પરિચિત છીએ. તેના પણ છ વર્ષ પહેલા માનગઢ ખાતે આદિવાસીઓને ગોળીઓથી વીંધી નરસંહાર થયો હતો. માનગઢ વિસ્તારના લોકો સિવાય ગુજરાતના બહુ ઓછા લોકો આ ઘટનાની ખબર હશે. આપણા ઈતિહાસમાં આ નરસંહારને કેમ સ્થાન નથી મળ્યું તે ચર્ચાનો વિષય છે, પણ અંગ્રેજોની તાનાશાહીનો ભોગ બની આપણા હજારો લોકો ઈતિહાસમાં અમર થઈ ગયા છે. આ અમે તમને એટલા માટે જણાવી રહ્યા છીએ કારણ કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી માનગઢની મુલાકાતે આવી રહ્યા છે અને ગુજરાતના આદિવાસીઓ માનગઢને રાષ્ટ્રીય સ્મારક જાહેર કરવાની માગ કરી રહ્યા છે. આવો વિસ્તારથી જાણીએ માનગઢ ખાતે આજથી 108 વર્ષ પહેલા શું ઘટના ઘટી હતી. 


ગોવિંદ ગુરુએ ભગત આંદોલનથી સમાજ સુધારાની કામગીરી કરી 

17 નવેમ્બર 1913ના રોજ માનગઢ ડુંગર પર આદિવાસીઓ ગોવિંદ ગુરુની આગેવાનમાં ભેગા થયા હતા. ગોવિંદગુરુ સમાજ કલ્યાણ માટે જાગૃતિનું અભિયાન ચલાવી રહ્યા હતા. ગોવિંદ ગુરુ લોકોને સમજાવતા હતા કે દારુ ના પીવાય, માંસ ના ખવાય, શરીર અને આપણા આસપાસના વિસ્તારને સાફ રખાય... આ બધા માટે ગોવિંદગુરુ લોકોને ધૂણી કરીને પૂજા કરવાની સલાહ આપતા હતા. આ વિસ્તારના લોકો પણ તેમને માનતા ગયા અને સમાજ સુધારાના ગોવિંદ ગુરુના કાર્યો આગળ વધ્યા. ગોવિંદ ગુરુની કામગીરીથી માનગઢ વિસ્તારના લોકોમાં ચોરીઓ બંધ થવા લાગી. લોકોએ દારૂ પીવાનો બંધ કર્યો એટલે અંગ્રેજોને મહેસૂલની આગક ઘટી ગઈ. દેશી રજવાડાઓ ગોવિંદગરુ પર ખાર ખાઈને બેઠા હતા. તેમને એવું લાગી રહ્યું હતું કે ગોવિંદગુરુ પોતાની ઝુંબેશથી રજવાડાઓને દબાવી દેશે. આથી તેમણે અંગ્રેજોને ગોવિંદગુરુની ફરિયાદ કરવાનું શરી કરી દીધું હતું. 


અંગ્રેજ સરકારે આદિવાસીઓ પર ગોળીઓનો વરસાદ કર્યો 

માનગઢ હિલ પર ગોવિંદગુરુની ધૂણીનો પ્રભાવ વધી રહ્યો હતો માટે અંગ્રેજ સરકારે ગોવિંદગુરુને અને આદિવાસી લોકોને માનગઢ હિલ ખાલી કરી દેવાનો આદેશ દીધો હતો. ગોવિંદગુરુએ આદેશને માન્યો ન હતો અને તેમણે ધૂણી ચાલુ રાખી હતી. અંગ્રેજ સરકારે પોતાનો હુકુમ ન માનતા લાલઘૂમ થઈ ગઈ હતી અને બંદૂકના જોરે બધાને હટાવવા માટેની કાર્યવાહી શરી કરી દીધી. અંગ્રેજોએ ગધેડાઓ અને ખચ્ચરોનો સહારો લીધો અને માનગઢ હિલો પર હથિયારો અને તોપો પહોંચાડી. અંગ્રેજોએ માનગઢ હિલ પર ભેગા થયેલા આદિવાસીઓ પર ગોળીઓનો વરસાદ કર્યો હતો. સવારે આઠ વાગ્યે શરૂ કરાયેલો ગોળીબાર છેક દસ વાગ્યે બંધ કરવામાં આવ્યો હતો. અંગ્રેજોએ પોતાની ગોળીનો ખજાનો પૂરો ના થયો ત્યાં સુધી મોતનો તાંડવ રમ્યો. આ દર્ઘટનામાં દોઢ હજારથી વધુ લોકોના મોત થયા હતા. જેમાં અંગ્રેજોની ગોળીથી 700 લોકોના મોત થયા હતા. અન્ય લોકો ગોળીબારના કારણે ભાગ્યા હતા. લોકો ડુંગર પરથી પડીને પણ ઘાયલ થયા હતા અને સારવાર ના મળતા તેમના મોત થયા હતા. 


બ્રિટિશરોએ નરસંહારને કંઈક આવી રીતે ઢાંકવાનો પ્રયાસ કર્યો 

બ્રિટિશરોએ સમાજ સુધારા માટે ભગત આંદોલન ચલાવનારા ગોવિંદ ગુરુ અને તેમના શિષ્ય પૂંજા પારગીને ફાંસી ફટકારી તેમને લટકાવવા આદેશ કરી દીધો હતો. પણ અંગ્રેજોએ તેમની સજાને ઉંમર કેદમાં બદલી નાખી હતી. અંગ્રેજોએ આ નરસંહાર પર કહ્યું હતું કે માનગઢ ડુંગર ખાલી કરી દીધો છે જેમાં 10 જેટલા લોકો ઘાયલ થયા છે બાકીના લોકોએ આત્મ સમર્પણ કરી દીધું છે. અંતે 1921માં ગોવિંદગુરુનું દાહોદમાં નિધન થયું હતું. અંગ્રેજોએ આ નરસંહાર બાદ દાયકાઓ સુધી લોકોને માનગઢ હિલ પર નહોતા જવા દીધા. 

ખોદકામમાં માનગઢ હિલમાંથી 300થી વધુ ગોળીઓ મળી

આ કારમા નરસંહારના 108 વર્ષ બાદની અત્યારની પરિસ્થિતિની વાત કરીએ તો ઝાલોદ પાસે ગોવિંદગુરુનો આશ્રમ બનાવવામાં આવ્યો છે. 17 નવેમ્બરે ગુજરાતમાં શહીદ દિવસની ઉજવણી કરવામાં આવે છે. ગુજરાત સરકારે અહીં આ નરસંહારની યાદમાં સ્મૃતિવન બનાવ્યું છે. અહીં ખોદકામ કરવામાં આવ્યું ત્યારે અહીંથી અંગ્રેજોની 300થી વધુ ગોળીઓ મળી આવી હતી અને જે લોકોના મોત થયા હતા તેમના હાડપિંજરો મળી આવ્યા હતા. 


આથી આદિવાસીઓ વર્ષોથી સરકાર સામે માગ કરી રહ્યા છે કે માનગઢ હિલને રાષ્ટ્રીય સ્મારકનો દરજ્જો આપવામાં આવે. બીજી બાજુ ચર્ચાઓ ચાલી રહી છે કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી જ્યારે 1 નવેમ્બર 2022ના રોજ માનગઢ હિલ ખાતે આવશે ત્યારે તેને રાષ્ટ્રીય સ્મારક જાહેર કરશે. દેશમાં જલિયાવાલા હત્યાકાંડ પહેલા પણ આટલો મોટો નરસંહાર થઈ ગયો છે પરંતુ ઈતિહાસમાં આની નોંધ શા માટે નથી લેવાઈ તે દુઃખદ બાબત છે.  આપણે સૌ લોકોએ ઈતિહાસના પાના વચ્ચે દબાયેલી આ વાત જાણવી જોઈએ



સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ માટે ૨૬મી એપ્રિલે મતદાન છે ત્યારે , નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ પુરજોશમાં પ્રચારમાં લાગી ચુક્યા છે. વિકાસ સંકલ્પ સભાઓ હર્ષ સંઘવી જે વિરોધીઓ છે તેમના ગઢમાં કરી રહ્યા છે. જેમ કે , થોડાક સમય અગાઉ , હર્ષ સંઘવીએ આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચૈતર વસાવાના ગઢમાં સભા કરી હતી , હવે કોંગ્રેસના વડગામના MLA જીગ્નેશ મેવાણીના ગઢમાં સભા ગજવી છે. આ ઉપરાંત , તેઓ ૨૩મી તારીખે રાજકોટમાં રોડ શો પણ કરવાના છે.

ધંધુકામાં માત્ર એક ઓવરટેક જેવી નજીવી બાબતે ધર્મેશ ગમારા નામના યુવાનનો જીવ લઇ લેવામાં આવે છે ત્યારબાદ , બે સમુદાયો ધંધુકામાં આમનેસામને આવી જાય છે. ખુબ મોટાપાયે ઘર્ષણ થાય છે. આ પછી , પોલીસ દ્વારા ધંધુકામાં સઘન કોમ્બિંગ હાથ ધરાય છે અને ૨૦૦ લોકોના ઘરોની પણ તપાસ કરવામાં આવી છે. તો હવે પોલીસ આ સમગ્ર મામલે તપાસ કરવા માટે અમદાવાદના રેન્જ IG રાઘવેન્દ્ર વત્સ દ્વારા સ્પેશ્યલ ઇન્વેસ્ટિગેશન ટીમની રચના કરવામાં આવી છે.

ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ માટે મતદાન ૨૬મી એપ્રિલે યોજાવાનું છે ત્યારે , રાજકોટ મહાનગરપાલિકામાં લેઉવા સમાજના મતો ખુબ મોટી સંખ્યામાં છે ત્યારે , ભારતીય જનતા પાર્ટીના રાજકોટના કોર્પોરેટરોએ ખોડલધામના ચેરમેન નરેશ પટેલ સાથે મુલાકાત કરી છે. જોકે આ મુલાકાત પછી , ભાજપ જીતી શકશે કે કેમ તે તો પરિણામના દિવસે જ ખબર પડશે. પરંતુ , રાજકોટ મહાનગરપાલિકામાં ભારતીય જનતા પાર્ટીના ટિકિટ વહેંચણી પછી જૂથવાદ સપાટી પર આવી ગયો છે. આ કારણે પાર્ટીની સામે પડકાર ઉભો થયો છે.

સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓમાં ૨૬મી તારીખે મતદાન યોજાવાનું છે ત્યારે , પંચમહાલમાં કોંગ્રેસને ખુબ મોટો ઝટકો લાગ્યો છે. પંચમહાલ જિલ્લા કોંગ્રેસ પ્રમુખ ચેતનસિંહ પરમારએ ભારતીય જનતા પાર્ટીમાં જોડાઈ ગયા છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના હસ્તે તેમણે ભાજપનો ખેસ ધારણ કર્યો છે. આમ હવે , પંચમહાલ જિલ્લામાં કોંગ્રેસમાં કાર્યકરો નિરાશ થઇ ગયા છે.