CBIના સકંજામાં મનીષ સિસોદિયા


  • Published By : Payal rathod
  • Published Date : 2022-10-17 12:08:43

દિલ્હીના નાયબ મુખ્યમંત્રી મનીષ સિસોદિયાની તકલીફો પૂરી થવાની નામ નથી લેતી. દારુ કાંડમાં સીબીઆઈએ તેમને સમન પાઠવ્યું હતું જે બાદ તેમને CBIએ પૂછપરછ માટે બોલાવ્યા છે. પૂછપરછ પહેલા મનીષ સિસોદિયાએ ટ્વિટ કરી લખ્યું હતું કે મને ગુજરાત જતો રોકવા માટે આ ષડયંત્ર કરવામાં આવ્યું છે. CBI ઓફિસે જતા પહેલા તેમણે માંના આશીર્વાદ લીધા હતા અને પત્નીએ તિલક કર્યું હતું. 

સિસોદિયા જ્યારે પૂછપરછ માટે ઘરની બહાર નીકળ્યા ત્યારે માતાએ તેમને આશીર્વાદ આપ્યા હતા.

રાજઘાટ જઈ બાપુને અર્પી પુષ્પાંજલિ

સીબીઆઈ ઓફિસે જતા પહેલા તેઓ રાજઘાટ પહોંચ્યા હતા. બાપૂને નમન કરી પુષ્પાંજલી અર્પણ કરી હતી. બાપુના આશીર્વાદ લેતા પહેલા તેમણે કહ્યું કે આ લોકોની તૈયારી મારી ધરપકડ કરવાની છે, ઘરમાં દરોડા પાડ્યા પરંતુ તેમને કંઈ મળ્યું ન હતું.  
સ્ટોરી અપડેટ થઈ રહી છે...



ગુજરાત હવે ખેલકૂદમાં પણ "ગ્લોબલ હબ" બનીને ઉભરી રહ્યું છે. આવનારા સમયમાં 2030ના વર્ષમાં કોમનવેલ્થ ગેમ્સ અમદાવાદમાં યોજવા જઈ રહી છે. આગામી સમયમાં 2036માં ભારતમાં ઓલિમ્પિક યોજાય તે માટે પ્રયાસો શરુ થઇ ગયા છે. ઇન્ડિયન ઓલિમ્પિક એસોસિએશનની એક્ઝિક્યુટિવ કાઉન્સિલ દ્વારા નેશનલ ઓલિમ્પિક એજ્યુકેશન એન્ડ ડેવલપમન્ટ પ્રોગ્રામ લોન્ચ કરવામાં આવ્યો છે. સાથે જ નેશનલ ઓલિમ્પિક એકેડેમીને ફરી સક્રિય કરવામાં આવી છે. આ નિર્ણય ૮મી જાન્યુઆરીએ ઇન્ડિયન ઓલિમ્પિક એસોસિએશનની એક્ઝિક્યુટિવ કાઉન્સિલ મળી હતી તેમાં લેવાયો છે અને આ પછી , 9મી જાન્યુઆરીએ ઇન્ડિયન ઓલિમ્પિક એસોસિએશનની જે વાર્ષિક સામાન્ય સભા મળી હતી તેમાં આ નિર્ણયને મંજૂરી આપવામાં આવી હતી. IOAની આ બંને મિટિંગ અમદાવાદ ખાતે મળી હતી.

પશ્ચિમ એશિયાના દેશ ઈરાનમાં હાલમાં સ્થિતિ ખુબ જ તણાવપૂર્ણ છે. ત્યાં છેલ્લા બે અઠવાડિયાથી સરકાર વિરોધી દેખાવો ચાલુ છે. તો બીજી તરફ , USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પને , ઈરાનમાં સંભવિત લશ્કરી કાર્યવાહી કરવા માટેના વિકલ્પોની જાણકારી આપવામાં આવી છે. ઈરાને સ્પષ્ટ કરી દીધું છે કે, અમારા પર કોઈ પણ પ્રકારની કાર્યવાહી કરવામાં આવશે તો અમે જવાબ આપીશું.

સુરતના ખુબ ચર્ચિત બીટકોઈન કેસમાં , અમરેલીના ભારતીય જનતા પાર્ટીના પૂર્વ MLA નલિન કોટડીયાને , ગુજરાત હાઇકોર્ટ દ્વારા , ૫૦ હજારના બોન્ડ પર જામીન આપવામાં આવ્યા છે. અમદાવાદની ACB કોર્ટે , પૂર્વ MLA નલિન કોટડીયા સહીત ૧૪ આરોપીઓને આ જીવન કેદની ફટકારી હતી. નલિન કોટડીયા પર , ૨૦૧૮માં સુરતના બિલ્ડર શૈલેષ ભટ્ટનું અપહરણ કરીને , ખંડણી માંગવાનો આરોપ લાગેલો છે.

જવાહરલાલ નહેરુ યુનિવર્સિટીના કેમ્પસમાં કેટલાક વિદ્યાર્થીઓ પર મોડી રાત્રે વિવાદિત નારેબાજી કરી હોવાનો આરોપ છે. જેમાં નારા લગાવવામાં આવ્યા છે કે , " મોદી-શાહ કી કબર ખુદેગી , JNU કી ધરતી પર." આ અગાઉ , ૨૦૧૬માં JNUમાં રાષ્ટ્રવિરોધી નારાઓ લાગ્યા હતા જેના કારણે , તે ચર્ચામાં આવી હતી. JNUમાં થયેલી આ નારેબાજીના વિડિઓ સોશ્યિલ મીડિયામાં વાઇરલ થયા છે જેના કારણે રાજનીતિમાં ગરમાવો આવી ગયો છે.