Iran Presidential Electionમાં થઈ મસૂદ પેઝેશકિયનની જીત...આટલા મતથી પ્રતિદ્વંદીને આપી માત


  • Published By :
  • Published Date : 2024-07-06 18:52:38

ગઈકાલે બ્રિટેનમાં સત્તા પરિવર્તન થઈ.. ઋષિ સુનકની પાર્ટીની હાર થઈ અને લેબર પાર્ટીનો વિજય થયો. ત્યારે આજે ઈરાનમાં થયેલી ચૂંટણીનું પરિણામ આવ્યું છે.. ઈરાનમાં મસૂદ પેઝેશ્કિયન દેશના 9મા રાષ્ટ્રપતિ બન્યા છે. તેમણે કટ્ટરવાદી નેતા સઈદ જલીલીને 30 લાખથી વધુ મતથી હરાવ્યા હતા. એટલે હવે ઈરાનમાં સૂદ પેઝેશ્કિયન રાજ જોવા મળવાનું છે.. 




શુક્રવારે થયું હતું બીજા તબક્કા માટેનું મતદાન 

અમેરિકાની ચૂંટણીમાં તો હજુ 4 મહિનાની વાર છે પણ ઈરાનના રાષ્ટ્રપતિ ચૂંટાયા છે... અને એવો ચહેરો આવ્યો છે જે અમેરિકાનો વિરોધ કરે છે... ઈરાનમાં મસૂદ પેઝેશ્કિયન દેશના 9મા રાષ્ટ્રપતિ બન્યા છે. તેમણે કટ્ટરવાદી નેતા સઈદ જલીલીને 30 લાખથી વધુ મતથી હરાવ્યા હતા. ઈરાનમાં શુક્રવારે (5 જુલાઈ) બીજા તબક્કાનું મતદાન થયું, જેમાં લગભગ 3 કરોડ લોકોએ મતદાન કર્યું હતું.ઈરાનના રાજ્ય મીડિયા IRNA અનુસાર, પઝેશ્કિયનને 1.64 કરોડ મત મળ્યા, જ્યારે જલીલીને 1.36 કરોડ મત મળ્યા.



19મેના રોજ ઈરાનના રાષ્ટ્રપતિનું થયું હતું દુર્ઘટનામાં નિધન

5 જુલાઈએ 16 કલાક સુધી ચાલેલા મતદાનમાં દેશના લગભગ 50% (3 કરોડથી વધુ) લોકોએ મતદાન કર્યું હતું.ઈરાનના રાષ્ટ્રપતિ ઈબ્રાહિમ રાયસીનું 19 મેના રોજ હેલિકોપ્ટર દુર્ઘટનામાં મૃત્યુ થયું હતું. આ પછી દેશમાં રાષ્ટ્રપતિની ચૂંટણીની જાહેરાત કરવામાં આવી હતી.તબરીઝના સાંસદ પેઝેશ્કિયનને સૌથી ઉદારવાદી નેતા તરીકે ઓળખવામાં આવે છે. ઈરાની મીડિયા ઈરાન વાયર અનુસાર, લોકો પેઝેશ્કિયનને એક સુધારાવાદી તરીકે જોઈ રહ્યા છે. તેઓ પૂર્વ રાષ્ટ્રપતિ હસન રુહાનીના નજીકના માનવામાં આવે છે.



શું છે પેઝેશ્કિયનની રાજકીય સફર?

પેઝેશ્કિયન પૂર્વ સર્જન છે અને હાલમાં દેશના આરોગ્યમંત્રી છે. તેમણે ચર્ચાઓમાં ઘણી વખત હિજાબનો વિરોધ કર્યો છે. તેમનું કહેવું છે કે મોરલ પોલિસિંગનો અધિકાર કોઈને નથી. પેઝેશ્કિયન પહેલીવાર 2006માં તબરીઝથી સાંસદ બન્યા હતા. તેઓ અમેરિકાને પોતાનો દુશ્મન માને છે.પેઝેશ્કિયન ઈરાનમાં ફાઈનાન્શિયલ એક્શન ટાસ્કફોર્સ (FATF)ને લાગુ કરવા અને પશ્ચિમી દેશો તરફથી આર્થિક પ્રતિબંધો દૂર કરવા નીતિઓ અપનાવવા પર ભાર મૂકે છે.ફાઇનાન્શિયલ એક્શન ટાસ્કફોર્સ (FATF) એક એવી સંસ્થા છે, જે મની લોન્ડરિંગ અને ટેરર ​​ફંડિંગ પર નજર રાખે છે. તે તેના સભ્ય દેશોને ટેરર ​​ફંડિંગ અને મની લોન્ડરિંગ જેવી પ્રવૃત્તિઓમાં સામેલ થવાથી અટકાવે છે. ઈરાન 2019થી FATF બ્લેકલિસ્ટમાં છે. 



અનેક મુદ્દાઓ ચર્ચામાં રહ્યા હતા.. 

આ કારણે,IMF, ADB, વિશ્વ બેંક અથવા કોઈપણ નાણાકીય સંસ્થા ઈરાનને આર્થિક મદદ કરતી નથી.આ ચૂંટણીમાં આવું પહેલીવાર થઈ રહ્યું છે જ્યારે ભ્રષ્ટાચાર, પશ્ચિમી દેશોના પ્રતિબંધો, પ્રેસની સ્વતંત્રતા, સ્થળાંતર અટકાવવા જેવા નવા મુદ્દાઓ ચર્ચામાં છે. સૌથી ચોંકાવનારો ચૂંટણી મુદ્દો હિજાબ કાયદાનો છે. ઈરાનમાં હિજાબવિરોધી ચળવળ અને સરકાર દ્વારા તેના પછીના દમનને કારણે 2022માં ઘણા મતદારોના મનમાં આ સૌથી મોટો મુદ્દો રહ્યો છે.



ભારત દ્વારા કરવામાં આવેલા ઓપરેશન સિંદૂર પછી , હવે ફરી એકવાર બેઉ દેશ ભારત અને પાકિસ્તાન આરબ સાગરમાં યુદ્ધ અભ્યાસ કરવા જઈ રહ્યા છે . ભારત અને પાકિસ્તાનની નૌકા સેનાઓ બે દિવસો ૧૧ અને ૧૨ ઓગસ્ટ માટે , આરબ સાગરમાં યુદ્ધ અબ્યાસ હાથ ધરશે. બને દેશના ફાયરિંગ ઝોન વચ્ચે ૬૦ નોટિકલ માઈલનું અંતર રહેશે. તો હવે બીજી તરફ પાકિસ્તાનના ફિલ્ડ માર્શલ અસીમ મુનીર અમેરિકાની મુલાકાતે છે . જ્યાંથી તેમણે ભારત માટે પરમાણુ બોમ્બની ધમકી ઉચ્ચારી છે.

ભારતના નેશનલ સિક્યોરિટી એડવાઈઝર અજિત ડોભાલ રશિયાની મુલાકાતે છે. જ્યાં તેમણે રશિયાના રાષ્ટ્રપ્રમુખ વ્લાદિમીર પુતિન સહીત રશિયન સિક્યોરિટી સાથે જોડાયેલા અધિકારીઓ સાથે વાતચીત કરી છે. અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પના "ટેરિફ" રૂપી ટેરરિઝમની સામે ભારત અને રશિયા પોતાનો સહયોગ વધારવા જઈ રહ્યા છે . સાથે જ અજિત ડોભાલની આ મુલાકાતમાં રશિયાના પ્રમુખ વ્લાદિમીર પુતિન ભારત આવવાના છે તેને લઇને તારીખો પર પણ ચર્ચા થઇ છે .

ગોંડલના અનિરુદ્ધસિંહ રીબડા જેમની સજા માફી મુદ્દે ગુજરાત હાઇકોર્ટે સરકારનો ઉઘાડો લીધો છે. ગુજરાત સરકારે , ૨૦૧૮માં અનિરુદ્ધસિંહ રીબડાને કોંગ્રેસના પૂર્વ MLA પોપટભાઈ સોરઠિયાની ૧૯૮૮માં જે હત્યા કરવામાં આવી તે કેસમાં માફી આપી હતી . તો હવે આ સજા માફીને પડકારતી પિટિશન સ્વ. પોપટભાઈ સોરઠિયાના પૌત્ર ધ્વરા હાઇકોર્ટમાં કરવામાં આવી હતી . આ મામલે ગુજરાત હાઇકોર્ટે સરકારના સત્તાધીશોની સાથે જેલના સત્તાધીશોને સવાલો પૂછ્યા છે. તો હવે પ્રશ્ન થાય છે કે , અનિરુદ્ધસિંહ રીબડા આ કેસમાં ફરીથી જેલમાં જશે?

જયારે પત્રકારે ડોનાલ્ડ ટ્રમ્પને પૂછ્યું કે , ભારત કહે છે કે અમેરિકા રશિયા પાસેથી યુરેનિયમ , ખાતર અને કેમિકલની આયાત કરે છે જયારે તમે ભારતની રશિયન ક્રૂડ ઓઈલની આયાતની નિંદા કરો છો તો તમે શું કહેશો? ત્યારે ડોનાલ્ડ ટ્રમ્પએ જવાબ આપ્યો કે , હું આ વિશે કશું જ જાણતો નથી. તો હવે ડોનાલ્ડ ટ્રમ્પની રિપબ્લિકન પાર્ટીના નેતા નીક્કી હેલી હેલીએ પ્લેટફોર્મ એક્સ પર ટ્વીટ કરીને લખ્યું છે કે અમેરિકાએ ભારત સાથે સબંધો બગાડવા ના જોઈએ .