Iran Presidential Electionમાં થઈ મસૂદ પેઝેશકિયનની જીત...આટલા મતથી પ્રતિદ્વંદીને આપી માત


  • Published By :
  • Published Date : 2024-07-06 18:52:38

ગઈકાલે બ્રિટેનમાં સત્તા પરિવર્તન થઈ.. ઋષિ સુનકની પાર્ટીની હાર થઈ અને લેબર પાર્ટીનો વિજય થયો. ત્યારે આજે ઈરાનમાં થયેલી ચૂંટણીનું પરિણામ આવ્યું છે.. ઈરાનમાં મસૂદ પેઝેશ્કિયન દેશના 9મા રાષ્ટ્રપતિ બન્યા છે. તેમણે કટ્ટરવાદી નેતા સઈદ જલીલીને 30 લાખથી વધુ મતથી હરાવ્યા હતા. એટલે હવે ઈરાનમાં સૂદ પેઝેશ્કિયન રાજ જોવા મળવાનું છે.. 




શુક્રવારે થયું હતું બીજા તબક્કા માટેનું મતદાન 

અમેરિકાની ચૂંટણીમાં તો હજુ 4 મહિનાની વાર છે પણ ઈરાનના રાષ્ટ્રપતિ ચૂંટાયા છે... અને એવો ચહેરો આવ્યો છે જે અમેરિકાનો વિરોધ કરે છે... ઈરાનમાં મસૂદ પેઝેશ્કિયન દેશના 9મા રાષ્ટ્રપતિ બન્યા છે. તેમણે કટ્ટરવાદી નેતા સઈદ જલીલીને 30 લાખથી વધુ મતથી હરાવ્યા હતા. ઈરાનમાં શુક્રવારે (5 જુલાઈ) બીજા તબક્કાનું મતદાન થયું, જેમાં લગભગ 3 કરોડ લોકોએ મતદાન કર્યું હતું.ઈરાનના રાજ્ય મીડિયા IRNA અનુસાર, પઝેશ્કિયનને 1.64 કરોડ મત મળ્યા, જ્યારે જલીલીને 1.36 કરોડ મત મળ્યા.



19મેના રોજ ઈરાનના રાષ્ટ્રપતિનું થયું હતું દુર્ઘટનામાં નિધન

5 જુલાઈએ 16 કલાક સુધી ચાલેલા મતદાનમાં દેશના લગભગ 50% (3 કરોડથી વધુ) લોકોએ મતદાન કર્યું હતું.ઈરાનના રાષ્ટ્રપતિ ઈબ્રાહિમ રાયસીનું 19 મેના રોજ હેલિકોપ્ટર દુર્ઘટનામાં મૃત્યુ થયું હતું. આ પછી દેશમાં રાષ્ટ્રપતિની ચૂંટણીની જાહેરાત કરવામાં આવી હતી.તબરીઝના સાંસદ પેઝેશ્કિયનને સૌથી ઉદારવાદી નેતા તરીકે ઓળખવામાં આવે છે. ઈરાની મીડિયા ઈરાન વાયર અનુસાર, લોકો પેઝેશ્કિયનને એક સુધારાવાદી તરીકે જોઈ રહ્યા છે. તેઓ પૂર્વ રાષ્ટ્રપતિ હસન રુહાનીના નજીકના માનવામાં આવે છે.



શું છે પેઝેશ્કિયનની રાજકીય સફર?

પેઝેશ્કિયન પૂર્વ સર્જન છે અને હાલમાં દેશના આરોગ્યમંત્રી છે. તેમણે ચર્ચાઓમાં ઘણી વખત હિજાબનો વિરોધ કર્યો છે. તેમનું કહેવું છે કે મોરલ પોલિસિંગનો અધિકાર કોઈને નથી. પેઝેશ્કિયન પહેલીવાર 2006માં તબરીઝથી સાંસદ બન્યા હતા. તેઓ અમેરિકાને પોતાનો દુશ્મન માને છે.પેઝેશ્કિયન ઈરાનમાં ફાઈનાન્શિયલ એક્શન ટાસ્કફોર્સ (FATF)ને લાગુ કરવા અને પશ્ચિમી દેશો તરફથી આર્થિક પ્રતિબંધો દૂર કરવા નીતિઓ અપનાવવા પર ભાર મૂકે છે.ફાઇનાન્શિયલ એક્શન ટાસ્કફોર્સ (FATF) એક એવી સંસ્થા છે, જે મની લોન્ડરિંગ અને ટેરર ​​ફંડિંગ પર નજર રાખે છે. તે તેના સભ્ય દેશોને ટેરર ​​ફંડિંગ અને મની લોન્ડરિંગ જેવી પ્રવૃત્તિઓમાં સામેલ થવાથી અટકાવે છે. ઈરાન 2019થી FATF બ્લેકલિસ્ટમાં છે. 



અનેક મુદ્દાઓ ચર્ચામાં રહ્યા હતા.. 

આ કારણે,IMF, ADB, વિશ્વ બેંક અથવા કોઈપણ નાણાકીય સંસ્થા ઈરાનને આર્થિક મદદ કરતી નથી.આ ચૂંટણીમાં આવું પહેલીવાર થઈ રહ્યું છે જ્યારે ભ્રષ્ટાચાર, પશ્ચિમી દેશોના પ્રતિબંધો, પ્રેસની સ્વતંત્રતા, સ્થળાંતર અટકાવવા જેવા નવા મુદ્દાઓ ચર્ચામાં છે. સૌથી ચોંકાવનારો ચૂંટણી મુદ્દો હિજાબ કાયદાનો છે. ઈરાનમાં હિજાબવિરોધી ચળવળ અને સરકાર દ્વારા તેના પછીના દમનને કારણે 2022માં ઘણા મતદારોના મનમાં આ સૌથી મોટો મુદ્દો રહ્યો છે.



આંતરરાષ્ટ્રીય સંબંધોમાં USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર ચર્ચાઓમાં છે તેમણે ફરી એકવાર , ભારતને લઇને નિવેદનબાજીઓ કરી છે. ડોનાલ્ડ ટ્રમ્પને અપેક્ષા છે કે , ભારત આ વર્ષના અંતથી રશિયન ક્રૂડની આયાત કરવાનું બંધ કરી દેશે. આ ઉપરાંત ડોનાલ્ડ ટ્રમ્પએ ચીન વિશે નિવેદન આપતા કહ્યું છે કે , બાઈડેન અને ઓબામાની નીતિઓના કારણે ચીન અને રશિયા એક થયા છે. બાકી બંને મિત્ર રહી શકે તેમ છે જ નહીં. ચીનના રશિયા સાથેના સંબંધો અલગ પ્રકારના છે.

રાજકોટના ગોંડલના ખુબ ચર્ચિત રાજકુમાર જાટ કેસમાં આ આખા કેસની તપાસ હવે સુરેન્દ્રનગરના SP , IPS પ્રેમસુખ ડેલુંને સોંપાઈ છે. જે ડી પુરોહિત કે જેઓ ધ્રાંગધ્રાના DYSP છે એ તેમને આ કેસની તપાસમાં મદદ કરશે. આમ હવે રાજકુમાર જાટ કેસમાં તપાસ માટે એક નવી તપાસ ટીમ બનાવવામાં આવશે. રાજકુમાર જાટના પરિવારજનોનું માનવું છે કે , સ્થાનિક પોલીસ પૂર્વ MLA જયરાજસિંહને બચાવી રહી છે. આ કેસની વધુ તપાસ CBIને સોંપવામાં આવે તેવી અરજી પણ તેમના દ્વારા દાખલ કરવામાં આવી હતી. ગુજરાત હાઇકોર્ટ દ્વારા આ કેસને લઇને મહત્વના નિર્દેશ આપવામાં આવ્યા છે.

રાજકોટના ખુબ ચર્ચિત કેસ અમિત ખૂંટ કેસમાં અનિરુદ્ધસિંહ જાડેજાના દીકરા રાજદીપસિંહ જાડેજાના આગોતરા જામીન હવે સુપ્રીમ કોર્ટે ફગાવી દીધા છે. સુપ્રીમ કોર્ટે દ્વારા રાજદીપ સિંહ જાડેજાના આગોતરા જામીન ના મંજુર કરવાંમાં આવ્યા છે. જેનાથી હવે રાજદીપ જાડેજાની મુશ્કેલીઓમાં વધારો થઇ શકે છે. આપને જણાવી દયિકે , રાજદીપસિંહ જાડેજાના પિતા અનિરુદ્ધસિંહ જાડેજા હાલમાં EX MLA પોપટલાલ સોરઠીયા કેસમાં સજામાફી રદ થવાના કારણે જેલમાં જ છે.

ભરૂચમાં મનરેગા કૌભાંડમા કોંગ્રેસ નેતા હીરા જોટવા પછી હવે તેમના દીકરા દિગ્વિજય જોટવાના જામીન મંજુર થઇ ગયા છે. આ મનરેગા કૌભાંડમા બંને પિતા પુત્રો હીરા જોટવા અને દિગ્વિજય જોટવા જેલમાં હતા ત્યારે દિગ્વિજય જોટવાના જામીન પણ કોર્ટ દ્વારા મંજુર કરવામાં આવ્યા છે. બેઉ પિતા પુત્રએ ભરૂચના મનરેગા કૌભાંડમા બે મહિનાથી વધારેનો જેલવાસ ભોગવ્યો છે.