મુકેશ અંબાણીએ દુબઈના પામ જુમેરાહમાં 16.3 કરોડ ડોલરનું આલિશાન વિલા ખરીદ્યું


  • Published By : Payal rathod
  • Published Date : 2022-10-19 20:06:16

રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝના ચેરમેન મુકેશ અંબાણીએ દુબઈમાં વધુ એક નવી આલિશાન વિલા ખરીદી છે. આ વિલા ખરીદવાની સાથે જ તેમણે પોતાનો જુનો રેકોર્ડ તોડી નાખ્યો છે. મીડિયા રિપોર્ટ મુજબ, મુકેશ અંબાણીએ ગયા અઠવાડિયે લગભગ 16.3 કરોડ ડોલર (1,349.60 કરોડ રૂપિયા)માં કુવૈતના ટાયકૂન મોહમ્મદ અલશાયાના પરિવાર પાસેથી પામ જુમેરાહમાં વિલા ખરીદી છે. 


રિલાયન્સે વિલા ખરીદવા અંગે નિવેદન ટાળ્યું


દુબઈના લેન્ડ ડિપાર્ટમેન્ટે ખરીદનારની ઓળખ જાહેર કર્યા વિના સોદાની વિગતો આપી છે. રિલાયન્સ અને અલશાયાના પ્રતિનિધિઓ તરફથી કોઈ સત્તાવાર નિવેદન આવ્યું નથી. અત્રે ઉલ્લેખનિય છે કે કુવૈતના દિગ્ગજ બિઝનેસમેન અલશાયા ગ્રૂપ પાસે સ્ટારબક્સ, એચએન્ડએમ અને વિક્ટોરિયા સિક્રેટ સહિત રિટેલ બ્રાન્ડની સ્થાનિક ફ્રેન્ચાઈઝી છે.


સુત્રો દ્વારા મળતી માહિતી મુજબ મુકેશ અંબાણી ન્યૂયોર્કમાં પણ પ્રોપર્ટી ખરીદવા ઈચ્છુક છે અને તે માટે શોધ ચલાવી રહ્યા છે.



પુણેના કેતન અગ્રવાલનું લોહગઢ કિલ્લા પર થયેલું મોત અકસ્માતથી હત્યાના કેસમાં કેવી રીતે ફેરવાયું? સિયા ગોયલ, ચેતન ચૌધરી, CCTV અને કોલ રેકોર્ડની સંપૂર્ણ માહિતી વાંચો.

અમદાવાદના ચાંગોદરમાં 1,140 નકલી અને ભેળસેળયુક્ત પ્લાઝમા યુનિટ સાથે ચાર આરોપી ઝડપાયા. જાણો રેકેટની રીત, જોખમ અને કાયદામાં થતી સજા.

23 જૂન 2026ના રોજ નવી દિલ્હીના રાષ્ટ્રપતિ ભવનમાં નાગરિક અલંકાર સમારોહ-II યોજાયો હતો. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ કલા, સાહિત્ય, શિક્ષણ, સમાજસેવા, જાહેર જીવન, રમતગમત, વિજ્ઞાન, ચિકિત્સા, કૃષિ, ઉદ્યોગ અને અન્ય ક્ષેત્રોમાં નોંધપાત્ર યોગદાન આપનાર મહાનુભાવોને પદ્મ પુરસ્કારોથી સન્માનિત કર્યા હતા. આ સમારોહની સત્તાવાર યાદીમાં 2 પદ્મ વિભૂષણ, 7 પદ્મ ભૂષણ અને 57 પદ્મ શ્રી પ્રાપ્તકર્તાઓ સહિત કુલ 66 વ્યક્તિઓનો સમાવેશ કરવામાં આવ્યો હતો. રંજની અને ગાયત્રીને સંયુક્ત એટલે કે Duo શ્રેણીમાં એક પુરસ્કાર આપવામાં આવ્યો છે. કેટલાક મહાનુભાવોને મરણોત્તર સન્માનિત કરવામાં આવ્યા છે.

સ્ટોરીમાં કોર્ટનો ચુકાદો, પત્ની સહિત નવ લોકોને સજા, 2023ની ઘટનાની શરૂઆત, વન અધિકારીઓ સાથે જોડાયેલા આરોપો, ₹60 હજારના વ્યવહારનો મુદ્દો, FIRથી ચુકાદા સુધીની સમયરેખા, કેસમાં ટ્રાયલ થયેલી IPC અને Arms Actની કલમો, સાક્ષીઓ, જેલની સ્થિતિ, ધારાસભ્ય તરીકેની અયોગ્યતા, અપીલનો રસ્તો અને AAP પર પડનારી રાજકીય અસર આવરી લેવાઈ છે. નર્મદા જિલ્લાના રાજપીપળાની કોર્ટે ચૈતર વસાવા અને અન્ય આઠ લોકોને સાત વર્ષની સજા સંભળાવીને ન્યાયિક કસ્ટડીમાં મોકલ્યાના અહેવાલ છે.