મુકેશ અંબાણીએ દુબઈના પામ જુમેરાહમાં 16.3 કરોડ ડોલરનું આલિશાન વિલા ખરીદ્યું


  • Published By : Payal rathod
  • Published Date : 2022-10-19 20:06:16

રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝના ચેરમેન મુકેશ અંબાણીએ દુબઈમાં વધુ એક નવી આલિશાન વિલા ખરીદી છે. આ વિલા ખરીદવાની સાથે જ તેમણે પોતાનો જુનો રેકોર્ડ તોડી નાખ્યો છે. મીડિયા રિપોર્ટ મુજબ, મુકેશ અંબાણીએ ગયા અઠવાડિયે લગભગ 16.3 કરોડ ડોલર (1,349.60 કરોડ રૂપિયા)માં કુવૈતના ટાયકૂન મોહમ્મદ અલશાયાના પરિવાર પાસેથી પામ જુમેરાહમાં વિલા ખરીદી છે. 


રિલાયન્સે વિલા ખરીદવા અંગે નિવેદન ટાળ્યું


દુબઈના લેન્ડ ડિપાર્ટમેન્ટે ખરીદનારની ઓળખ જાહેર કર્યા વિના સોદાની વિગતો આપી છે. રિલાયન્સ અને અલશાયાના પ્રતિનિધિઓ તરફથી કોઈ સત્તાવાર નિવેદન આવ્યું નથી. અત્રે ઉલ્લેખનિય છે કે કુવૈતના દિગ્ગજ બિઝનેસમેન અલશાયા ગ્રૂપ પાસે સ્ટારબક્સ, એચએન્ડએમ અને વિક્ટોરિયા સિક્રેટ સહિત રિટેલ બ્રાન્ડની સ્થાનિક ફ્રેન્ચાઈઝી છે.


સુત્રો દ્વારા મળતી માહિતી મુજબ મુકેશ અંબાણી ન્યૂયોર્કમાં પણ પ્રોપર્ટી ખરીદવા ઈચ્છુક છે અને તે માટે શોધ ચલાવી રહ્યા છે.



ગુજરાતના લાખો ગરીબ પરિવારોના આરોગ્યની સુરક્ષાને વધુ સુદૃઢ બનાવવા માટે ગુજરાત સરકારે એક મહત્ત્વપૂર્ણ પગલું ભર્યું છે. ગાંધીનગર ખાતે આરોગ્ય મંત્રી શ્રી પ્રફુલ પાનશેરિયાની ઉપસ્થિતિમાં આયુષ્માન ભારત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના હેઠળ રાજ્ય સરકારે બજાજ ઈન્સ્યોરન્સ કંપની સાથે એક નવા લેટર ઓફ એવોર્ડ(LOA) પર હસ્તાક્ષર કર્યા છે, જે રાજ્યની જનતા માટે આર્થિક રાહત અને વિસ્તૃત આરોગ્ય કવચ સુનિશ્ચિત કરે છે.

મુકેશ અંબાણીએ નાથદ્વારામાં દર્શન કર્યા, ‘યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન’ પ્રોજેક્ટની જાહેરાત કરી છે. મુકેશ અંબાણીએ પવિત્ર નગરી નાથદ્વારામાં શ્રીનાથજી ભગવાનના ભોગ આરતી દર્શનનો દિવ્ય લાભ લીધો તેમજ ગુરુ શ્રી વિશાલબાવા સાહેબના આશીર્વાદ પ્રાપ્ત કર્યા છે. આ અવસરે તેમણે નાથદ્વારામાં આધુનિક અને સુવિધાસંપન્ન “યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન”ના નિર્માણની જાહેરાત કરી છે તેમજ શ્રીનાથદ્વારા મંદિરને ₹15 કરોડનું દાન આપ્યું છે.

ગુજરાત સરકાર દ્વારા ખેડૂતો માટે એક રાહત પેકેજની ઘોષણા કરવામાં આવી છે. ગુજરાતમાં ૨૫મી ઓક્ટોબરથી જે કમોસમી વરસાદનો રાઉન્ડ આવ્યો છે તેમાં , ૪૨ લાખ હેકટર જમીનને નુકશાન થયું છે. અંદાજે ૧૬,૦૦૦ ગામોને અસર પહોંચી છે. તો હવે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ દ્વારા આજે એક કૃષિ રાહત પેકેજની જાહેરાત કરવામાં આવી છે.

અમરેલી જિલ્લામાં કોંગ્રેસ દ્વારા આજે ખેતી બચાવો સત્યાગ્રહ અંતર્ગત લીલીયા ખાતે પ્રતીક ધરણાનો કાર્યક્રમ યોજાયો છે. આ કાર્યક્રમમાં કમોસમી વરસાદના કારણે ખેડૂતોને જે પાક નુકશાની થઇ છે તેને લઇને અમરેલી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપ દુધાત અને પૂર્વ વિપક્ષના નેતા પરેશ ધાનાણીના નેતૃત્વમાં એક સંમેલન યોજાયું છે. આ ઉપરાંત ખેડૂતોના દેવામાફીના મુદ્દે , લીલીયા મામલતદારને આવેદન પત્ર પણ આપવામાં આવ્યું છે. આ પ્રસંગે , ખેડૂતો પણ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા.