મુકેશ અંબાણીએ પૂત્ર વધુ સાથે શ્રીનાથજીના દર્શન કર્યા


  • Published By : Payal rathod
  • Published Date : 2022-09-13 12:47:33

ભારતના જાણીતા ઉદ્યોગપતિ મુકેશ અંબાણી તેમજ અંબાણી પરિવાર નાથદ્વારા સ્થિત શ્રીનાથજીમાં ખૂબ માને છે.  શ્રીનાથજીમાં અપાર શ્રદ્ધા ધરાવતા અંબાણી પરિવારના સભ્ય અનેક વખત શ્રીનાથજીના દર્શને આવે છે. ત્યારે મુકેશ અંબાણી પોતાની પુત્રવધુ સાથે દર્શન માટે નાથદ્વારા પહોંચ્યા હતા. કોઈ પણ કાર્ય શરૂ કરતા પહેેલા અંબાણી પરિવાર શ્રીનાથજીના દર્શને આવે છે. 

Mukesh Ambani and Family take blessings from Lord Shrinathji on their visit  to Nathdwara near Udaipur on 12 September

અંબાણી પરિવારની શ્રીનાથજી પર  આસ્થા

પુષ્ટી માર્ગના અનુયાયી મુકેશ અંબાણી નાથદ્વાર સ્થિત શ્રીનાથજીના દર્શને આવ્યા હતા. તે ઉપરાંત ઈશા અંબાણીના લગ્નની શરૂઆત  પહેલા શ્રીનાથજીની મહાઆરતી કરવામાં આવી હતી.  નીતા અંબાણીએ મધુરાષ્ટકમ પર નૃત્ય કર્યું હતું. કોઈ પણ મોટા કાર્યનો પ્રારંભ કરતા પહેલા અંબાણી પરિવાર શ્રીનાથજીના દર્શને અવશ્ય આવતા હોય છે. ધીરૂભાઈ અંબાણી અને કોકિલા અંબાણી પણ શ્રીનાથજી પર અતુટ આસ્થા ધરાવે છે. તે ઉપરાંત અંબાણી પરિવારની નવી પેઠી પણ શ્રીનાથજીમાં આસ્થા ધરાવે છે. તાજેતરમાં મુકેશ અંબાણી અને રાધિકા શ્રીનાથજીના દર્શને આવ્યા હતા. તે ઉપરાંત અનંત અંબાણી પર નિયમિત પણે શ્રીનાથજીના દર્શને આવે છે.



ભ્રષ્ટાચાર એ કોઈ પણ દેશને અંદરથી એટલો ખોખલો કરી નાખે છે કે , જે તે દેશ પોતાની આગળ વધવાની ક્ષમતા ગુમાવી ચુકે છે. આ ભ્રષ્ટાચારનું પરિણામ આવે છે રાજકોટ TRP ગેમઝોન કાંડ , ગંભીરા બ્રિજ અકસ્માત , હરણી બોટકાંડ અને મોરબી બ્રીજકાંડ. વાત કરીએ , આપણા ACBની તો , ACBના ઇતિહાસમાં ગુજરાત રાજ્યમાં પહેલીવાર DNA પરીક્ષણથી આરોપીને સજા થઇ છે. છે ને રસપ્રદ વાત .

દિવસેને દિવસે વૃક્ષોનું મહત્વ વધતું જાય છે. કેમ કે જો આપણે આપણી આવનારી પેઢીઓને દુનિયા સહીસલામત આપવી હશે તો , માનવજાતે વધારેમાં વધારે વૃક્ષો વાવવા જ પડશે. તો હવે બનાસકાંઠા જિલ્લાએ એક પેડ માં કે નામ અભિયાન અંતર્ગત ખુબ મોટાપાયે વૃક્ષો વાવીને એક પ્રકારની હરિયાળી ક્રાંતિ કરી છે. વિધાનસભાના અધ્યક્ષશ્રી શંકરભાઈ ચૌધરીના હસ્તે લુણાવા ખાતે એકસાથે ૫૧૦૦ રોપાઓનું વૃક્ષારોપણ કરાયું છે. વિધાનસભા સ્પીકર શંકર ચૌધરીએ આ પ્રસંગે કહ્યું છે કે , વૃક્ષ નારાયણની પૂજા અર્ચના સાથે થરાદ તાલુકામાં વધુ પાંચ વન બનાવવામાં આવશે

ગુજરાત રાજ્યના માનનીય મુખ્યમંત્રીના હસ્તે ગુજરાતના 4 આદિજાતી અને અંતરીયાળ વિસ્તારમાંના જિલ્લાઓ માટેની મોબાઈલ મેડિકલ યુનિટનું લોકાર્પણ કરવામાં આવ્યું. ઈન્ડિયન રેડક્રોસ સોસાયટી આરોગ્ય ક્ષેત્રે, કુદરતી તેમજ માનવસર્જિત આપત્તિઓનો ભોગ બનેલા લોકોને સહાય કરનારી તથા લોકોના દુઃખો મહદઅંશે દુર કરતી મોટામાં મોટી માનવતાવાદી સંસ્થાઓમાંથી એક છે. ઈન્ડિયન રેડક્રોસ સોસાયટીની ગુજરાત રાજ્ય શાખા દેશની સૌથી સક્રિય રાજ્ય શાખાઓમાંની એક છે.

જૂનાગઢના ભેંસાણમાં પરબ વાવડીમાં તલાટી મંત્રીએ ફરીયાદી પાસેથી ૧૫૦૦ રૂપિયા માંગ્યાા કેશની માથાકુટમાં કોણ પડે એટલે કરી નાખ્યો ડિજીટલ વ્યહવાર હવે એન્ટી કરપ્શન બ્યુરોના સકંજામાં તલાટી