મુકેશ અંબાણીએ પૂત્ર વધુ સાથે શ્રીનાથજીના દર્શન કર્યા


  • Published By : Payal rathod
  • Published Date : 2022-09-13 12:47:33

ભારતના જાણીતા ઉદ્યોગપતિ મુકેશ અંબાણી તેમજ અંબાણી પરિવાર નાથદ્વારા સ્થિત શ્રીનાથજીમાં ખૂબ માને છે.  શ્રીનાથજીમાં અપાર શ્રદ્ધા ધરાવતા અંબાણી પરિવારના સભ્ય અનેક વખત શ્રીનાથજીના દર્શને આવે છે. ત્યારે મુકેશ અંબાણી પોતાની પુત્રવધુ સાથે દર્શન માટે નાથદ્વારા પહોંચ્યા હતા. કોઈ પણ કાર્ય શરૂ કરતા પહેેલા અંબાણી પરિવાર શ્રીનાથજીના દર્શને આવે છે. 

Mukesh Ambani and Family take blessings from Lord Shrinathji on their visit  to Nathdwara near Udaipur on 12 September

અંબાણી પરિવારની શ્રીનાથજી પર  આસ્થા

પુષ્ટી માર્ગના અનુયાયી મુકેશ અંબાણી નાથદ્વાર સ્થિત શ્રીનાથજીના દર્શને આવ્યા હતા. તે ઉપરાંત ઈશા અંબાણીના લગ્નની શરૂઆત  પહેલા શ્રીનાથજીની મહાઆરતી કરવામાં આવી હતી.  નીતા અંબાણીએ મધુરાષ્ટકમ પર નૃત્ય કર્યું હતું. કોઈ પણ મોટા કાર્યનો પ્રારંભ કરતા પહેલા અંબાણી પરિવાર શ્રીનાથજીના દર્શને અવશ્ય આવતા હોય છે. ધીરૂભાઈ અંબાણી અને કોકિલા અંબાણી પણ શ્રીનાથજી પર અતુટ આસ્થા ધરાવે છે. તે ઉપરાંત અંબાણી પરિવારની નવી પેઠી પણ શ્રીનાથજીમાં આસ્થા ધરાવે છે. તાજેતરમાં મુકેશ અંબાણી અને રાધિકા શ્રીનાથજીના દર્શને આવ્યા હતા. તે ઉપરાંત અનંત અંબાણી પર નિયમિત પણે શ્રીનાથજીના દર્શને આવે છે.



ગુજરાતના લાખો ગરીબ પરિવારોના આરોગ્યની સુરક્ષાને વધુ સુદૃઢ બનાવવા માટે ગુજરાત સરકારે એક મહત્ત્વપૂર્ણ પગલું ભર્યું છે. ગાંધીનગર ખાતે આરોગ્ય મંત્રી શ્રી પ્રફુલ પાનશેરિયાની ઉપસ્થિતિમાં આયુષ્માન ભારત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના હેઠળ રાજ્ય સરકારે બજાજ ઈન્સ્યોરન્સ કંપની સાથે એક નવા લેટર ઓફ એવોર્ડ(LOA) પર હસ્તાક્ષર કર્યા છે, જે રાજ્યની જનતા માટે આર્થિક રાહત અને વિસ્તૃત આરોગ્ય કવચ સુનિશ્ચિત કરે છે.

મુકેશ અંબાણીએ નાથદ્વારામાં દર્શન કર્યા, ‘યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન’ પ્રોજેક્ટની જાહેરાત કરી છે. મુકેશ અંબાણીએ પવિત્ર નગરી નાથદ્વારામાં શ્રીનાથજી ભગવાનના ભોગ આરતી દર્શનનો દિવ્ય લાભ લીધો તેમજ ગુરુ શ્રી વિશાલબાવા સાહેબના આશીર્વાદ પ્રાપ્ત કર્યા છે. આ અવસરે તેમણે નાથદ્વારામાં આધુનિક અને સુવિધાસંપન્ન “યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન”ના નિર્માણની જાહેરાત કરી છે તેમજ શ્રીનાથદ્વારા મંદિરને ₹15 કરોડનું દાન આપ્યું છે.

ગુજરાત સરકાર દ્વારા ખેડૂતો માટે એક રાહત પેકેજની ઘોષણા કરવામાં આવી છે. ગુજરાતમાં ૨૫મી ઓક્ટોબરથી જે કમોસમી વરસાદનો રાઉન્ડ આવ્યો છે તેમાં , ૪૨ લાખ હેકટર જમીનને નુકશાન થયું છે. અંદાજે ૧૬,૦૦૦ ગામોને અસર પહોંચી છે. તો હવે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ દ્વારા આજે એક કૃષિ રાહત પેકેજની જાહેરાત કરવામાં આવી છે.

અમરેલી જિલ્લામાં કોંગ્રેસ દ્વારા આજે ખેતી બચાવો સત્યાગ્રહ અંતર્ગત લીલીયા ખાતે પ્રતીક ધરણાનો કાર્યક્રમ યોજાયો છે. આ કાર્યક્રમમાં કમોસમી વરસાદના કારણે ખેડૂતોને જે પાક નુકશાની થઇ છે તેને લઇને અમરેલી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપ દુધાત અને પૂર્વ વિપક્ષના નેતા પરેશ ધાનાણીના નેતૃત્વમાં એક સંમેલન યોજાયું છે. આ ઉપરાંત ખેડૂતોના દેવામાફીના મુદ્દે , લીલીયા મામલતદારને આવેદન પત્ર પણ આપવામાં આવ્યું છે. આ પ્રસંગે , ખેડૂતો પણ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા.