મુકેશ અંબાણીએ પૂત્ર વધુ સાથે શ્રીનાથજીના દર્શન કર્યા


  • Published By : Payal rathod
  • Published Date : 2022-09-13 12:47:33

ભારતના જાણીતા ઉદ્યોગપતિ મુકેશ અંબાણી તેમજ અંબાણી પરિવાર નાથદ્વારા સ્થિત શ્રીનાથજીમાં ખૂબ માને છે.  શ્રીનાથજીમાં અપાર શ્રદ્ધા ધરાવતા અંબાણી પરિવારના સભ્ય અનેક વખત શ્રીનાથજીના દર્શને આવે છે. ત્યારે મુકેશ અંબાણી પોતાની પુત્રવધુ સાથે દર્શન માટે નાથદ્વારા પહોંચ્યા હતા. કોઈ પણ કાર્ય શરૂ કરતા પહેેલા અંબાણી પરિવાર શ્રીનાથજીના દર્શને આવે છે. 

Mukesh Ambani and Family take blessings from Lord Shrinathji on their visit  to Nathdwara near Udaipur on 12 September

અંબાણી પરિવારની શ્રીનાથજી પર  આસ્થા

પુષ્ટી માર્ગના અનુયાયી મુકેશ અંબાણી નાથદ્વાર સ્થિત શ્રીનાથજીના દર્શને આવ્યા હતા. તે ઉપરાંત ઈશા અંબાણીના લગ્નની શરૂઆત  પહેલા શ્રીનાથજીની મહાઆરતી કરવામાં આવી હતી.  નીતા અંબાણીએ મધુરાષ્ટકમ પર નૃત્ય કર્યું હતું. કોઈ પણ મોટા કાર્યનો પ્રારંભ કરતા પહેલા અંબાણી પરિવાર શ્રીનાથજીના દર્શને અવશ્ય આવતા હોય છે. ધીરૂભાઈ અંબાણી અને કોકિલા અંબાણી પણ શ્રીનાથજી પર અતુટ આસ્થા ધરાવે છે. તે ઉપરાંત અંબાણી પરિવારની નવી પેઠી પણ શ્રીનાથજીમાં આસ્થા ધરાવે છે. તાજેતરમાં મુકેશ અંબાણી અને રાધિકા શ્રીનાથજીના દર્શને આવ્યા હતા. તે ઉપરાંત અનંત અંબાણી પર નિયમિત પણે શ્રીનાથજીના દર્શને આવે છે.



રાજકોટના ખુબ ચર્ચિત કેસ અમિત ખૂંટ કેસમાં અનિરુદ્ધસિંહ જાડેજાના દીકરા રાજદીપસિંહ જાડેજાના આગોતરા જામીન હવે સુપ્રીમ કોર્ટે ફગાવી દીધા છે. સુપ્રીમ કોર્ટે દ્વારા રાજદીપ સિંહ જાડેજાના આગોતરા જામીન ના મંજુર કરવાંમાં આવ્યા છે. જેનાથી હવે રાજદીપ જાડેજાની મુશ્કેલીઓમાં વધારો થઇ શકે છે. આપને જણાવી દયિકે , રાજદીપસિંહ જાડેજાના પિતા અનિરુદ્ધસિંહ જાડેજા હાલમાં EX MLA પોપટલાલ સોરઠીયા કેસમાં સજામાફી રદ થવાના કારણે જેલમાં જ છે.

ભરૂચમાં મનરેગા કૌભાંડમા કોંગ્રેસ નેતા હીરા જોટવા પછી હવે તેમના દીકરા દિગ્વિજય જોટવાના જામીન મંજુર થઇ ગયા છે. આ મનરેગા કૌભાંડમા બંને પિતા પુત્રો હીરા જોટવા અને દિગ્વિજય જોટવા જેલમાં હતા ત્યારે દિગ્વિજય જોટવાના જામીન પણ કોર્ટ દ્વારા મંજુર કરવામાં આવ્યા છે. બેઉ પિતા પુત્રએ ભરૂચના મનરેગા કૌભાંડમા બે મહિનાથી વધારેનો જેલવાસ ભોગવ્યો છે.

As part of the 'Fit India, Fit Media' campaign, the government's Information Department, in collaboration with the Indian Red Cross Society, Gujarat, conducts a health check-up of employees working in the media every year. The health of journalists will be checked during the ongoing Vikas Week, Director of Information K.L. Bachani and Chairman of the Indian Red Cross Society, Gujarat, Ajaybhai Patel announced yesterday.

આજકાલ ઘણીબધી જગ્યાએ એક ટ્રેન્ડ જોવા મળી રહ્યો છે કે , જો તમે સત્તાધારી પક્ષ BJP સાથે જોડાયેલા હોવ તો તમે ગાડીમાં આગળ BJPનો ખેસ મુકતા હોવ છો. પરંતુ રાજ્યના અરવલ્લી જિલ્લાથી એક એવો ઘટસ્ફોટ થયો છે કે , ગુનેગારો ૨૦ લાખની ફોર્ચ્યુનરમાં આગળ BJPનો ખેસ લગાવી ડ્રગસની હેરાફેરી કરતા હતા. આ BJPનો ખેસ પોલીસને ચકમો આપવા માટે લગાવવામાં આવ્યો હતો.