એડમિરલ આર હરિકુમાર જાપામાં અનેક દેશના પ્રધાનો સાથે મુલાકાતો કરશે


  • Published By :
  • Published Date : 2022-11-05 15:21:27

નૌસેના પ્રમુખ એડમિરલ આર હરિકુમાર આજથી 9 નવેમ્બર સુધી જાપાનની યાત્રા પર છે, જ્યાં તેઓ યોકોસુકામાં આવતીકાલે જાપાન મેરિટાઈમ સેલ્ફ ડિફેન્સ ફોર્સની આંતરાષ્ટ્રીય ફ્લીટ રિવ્યૂનું નિરીક્ષણ કરશે. આ આયોજન જાપાનની 70મી વર્ષગાંઠ પર આયોજીત કરવામાં આવ્યું છે. 


જાપાનમાં ભારતનું પ્રતિનિધિત્વ કરશે એડમિરલ આર હરિકુમાર

IFR અને WPNS દરમિયાન ભારત અને ભારતીય નૌસેનાનું પ્રતિનિધિત્વ કરવા સિવાય તેઓ ઓસ્ટ્રેલિયા, જાપાન અને અમેરિકાના સંયુક્ત અભ્યાસના ઉદ્ઘાટનમાં પણ ઉપસ્થિત રહેશે. માલાબાર અભ્યાસની આ ત્રીસમી વર્ષગાંઠ છે. એડમિરલ આર હરિકુમાર 30 દેશોના અન્ય પ્રમુખો સાથે પણ વાતચીત કરશે. નૌસેના પ્રમુખની જાપાન યાત્રામાં એડમિરલ આર હરિકુમાર ઉચ્ચ સ્તરીય દ્વિપક્ષીય રક્ષા સંબંધો સાથે-સાથે બહુપક્ષીય બેઠકોમાં ભારતનું પ્રતિનિધિત્વ કરશે. 



રાજકોટમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ પહેલા ભારતીય જનતા પાર્ટીમાં ટિકિટ વહેંચણીને લઇને કાર્યકરોમાં અસંતોષ જોવા મળ્યો છે. શિસ્તબદ્ધ કહેવાતી પાર્ટીમાં ટિકિટ માટે જૂથબંધી અને રોષ ભાજપમાં સપાટી પર આવી ગયો છે. હવે , ભાજપના પ્રદેશ પ્રમુખ જગદીશ વિશ્વકર્માએ ડેમેજ કંટ્રોલ કરવા લાગી જવું પડ્યું છે. આ માટે તેમણે રાજકોટની મુલાકાત લીધી છે.

મહેસાણા જિલ્લામાં ભારતીય જનતા પાર્ટીમાં ખુબ મોટું ગાબડું સામે આવ્યું છે. કેમ કે, મરતોલી ગામના ૨૦૦ જેટલા ભાજપના કાર્યકરો પૂર્વ ધારાસભ્ય બળદેવજી ઠાકોરની હાજરીમાં કોંગ્રેસમાં જોડાયા છે. આ તમામ ભાજપના કાર્યકરોએ આક્ષેપ કર્યા છે કે , પાર્ટીમાં અમારી કોઈ જ વેલ્યુ નથી રહી. બીજી તરફ , બનાસકાંઠા જિલ્લામાં પણ ભાજપમાં ખુબ મોટું ગાબડું પડ્યું છે. પૂર્વ નગરસેવક અને સિનિયર આગેવાન શાંતિ માળી અને ગોપાલ સેનાના અધ્યક્ષ નરસિંહ દેસાઈ કોંગ્રેસમાં જોડાયા છે.

સામાન્ય રીતે લોકો પોતાના જન્મદિવસે તેની ભવ્ય ઉજવણી કરતા હોય છે. પરંતુ રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડના એક્ઝિક્યુટિવ ડાયરેક્ટર અનંત અંબાણીના 31મા જન્મદિન પ્રસંગે આયોજિત વિવિધ પરોપકારી કાર્યો તથા પ્રવૃત્તિઓએ આશરે 57 લાખ લોકોના જીવનને સ્પર્શ કરી તેને બહેતર બનાવવાનો પ્રયાસ કર્યો છે. લાખો લોકોના જીવનને સમૃદ્ધ બનાવવાના ઉદ્દેશથી ધાર્મિક ટ્રસ્ટ, શૈક્ષણિક તથા આરોગ્યસંભાળ સંસ્થાઓ તેમજ સામાજકલ્યાણની સંસ્થાઓમાં સખાવતી યોગદાન અપાયું હતું.

સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ માટે સત્તાધારી પક્ષ ભારતીય જનતા પાર્ટીમાં ઉમેદવારોની પસંદગી કરવાને લઇને જબરદસ્ત મંથન ચાલી રહ્યું છે. ત્યારે , ભાજપ દ્વારા કેટલાક માપદંડો બનાવવામાં આવ્યા છે જેમ કે , ૬૦થી વધુ વયના લોકોને ટિકિટ ના આપવી. ત્રણ ટર્મથી ચૂંટણી લડતા હોય તેમને ટિકિટ ના આપવી. આવા અનેક નિયમો ભાજપે બનાવ્યા છે. તો ભાજપના જ આવા નિયમોની સામે ભરૂચના સાંસદ મનસુખ વસાવાએ મોરચો માંડ્યો છે. મનસુખ વસાવાએ સ્પષ્ટપણે કહી દીધું છે કે , આ નિયમો જ પાર્ટીને નુકશાન કરશે.