એડમિરલ આર હરિકુમાર જાપામાં અનેક દેશના પ્રધાનો સાથે મુલાકાતો કરશે


  • Published By :
  • Published Date : 2022-11-05 15:21:27

નૌસેના પ્રમુખ એડમિરલ આર હરિકુમાર આજથી 9 નવેમ્બર સુધી જાપાનની યાત્રા પર છે, જ્યાં તેઓ યોકોસુકામાં આવતીકાલે જાપાન મેરિટાઈમ સેલ્ફ ડિફેન્સ ફોર્સની આંતરાષ્ટ્રીય ફ્લીટ રિવ્યૂનું નિરીક્ષણ કરશે. આ આયોજન જાપાનની 70મી વર્ષગાંઠ પર આયોજીત કરવામાં આવ્યું છે. 


જાપાનમાં ભારતનું પ્રતિનિધિત્વ કરશે એડમિરલ આર હરિકુમાર

IFR અને WPNS દરમિયાન ભારત અને ભારતીય નૌસેનાનું પ્રતિનિધિત્વ કરવા સિવાય તેઓ ઓસ્ટ્રેલિયા, જાપાન અને અમેરિકાના સંયુક્ત અભ્યાસના ઉદ્ઘાટનમાં પણ ઉપસ્થિત રહેશે. માલાબાર અભ્યાસની આ ત્રીસમી વર્ષગાંઠ છે. એડમિરલ આર હરિકુમાર 30 દેશોના અન્ય પ્રમુખો સાથે પણ વાતચીત કરશે. નૌસેના પ્રમુખની જાપાન યાત્રામાં એડમિરલ આર હરિકુમાર ઉચ્ચ સ્તરીય દ્વિપક્ષીય રક્ષા સંબંધો સાથે-સાથે બહુપક્ષીય બેઠકોમાં ભારતનું પ્રતિનિધિત્વ કરશે. 



ગુજરાત સરકારની પાંચ વર્ષની ફિક્સ પેની નીતિનો કેસ છેલ્લા ૧૪ વર્ષથી સુપ્રીમ કોર્ટમાં પેન્ડિંગ છે ત્યારે , કર્મચારીઓ સુપ્રીમ કોર્ટના ચુકાદાની રાહ જોઈ રહ્યા છે. હવે , આ કેસને લઇને તાત્કાલિક ધોરણે સુનાવણી હાથ ધરાય તે માટે સુપ્રીમ કોર્ટના CJI સૂર્યકાન્તને ઈમેલ કરવામાં આવ્યો છે.

"રાજસ્થાનની જેમ ગુજરાતમાં પણ દર પાંચ વર્ષે સરકાર બદલાવી જોઈએ." આ શબ્દો છે , બનાસકાંઠાના MP ગેનીબેન ઠાકોરના. ગેનીબેન ઠાકોર દ્વારા આ નિવેદન થરાદમાં યોજાયેલી ધાર્મિક પદયાત્રા દરમ્યાન આપવામાં આવ્યું છે. ગેનીબેન ઠાકોરના આ નિવેદનથી ઉત્તર ગુજરાતનું રાજકારણ ગરમાઈ ગયું છે.

ભરૂચના સાંસદ મનસુખ વસાવા પોતાના આકરા સ્વભાવના લીધે અવારનવાર ચર્ચામાં રહે છે. કોઈક વાર તેઓ અધિકારીઓને ખખડાવતા હોય છે તો કોઈકવાર તેઓ જાહેર મંચ પરથી ધારાસભ્યોને ટકોર કરતા હોય છે. હવે તેમનો એક એવો વિડીયો સામે આવ્યો છે જેમાં મનસુખ વસાવાને SRP જવાન સાથે માથકૂટ થઇ છે. આ ઘટનાનો વિડીયો સોશ્યિલ મીડિયામાં ખુબ જ વાઇરલ થઇ રહ્યો છે.

વીજલાઇનની કામગીરીને લઇને ગુજરાતના ખેડૂતોમાં ભારે આક્રોશ છે. આજ મહિનાની શરૂઆતમાં ખેડૂતોના આક્રોશને શાંત કરવા માટે ગુજરાત સરકારે વીજલાઇનની કામગીરીમાં બજારભાવના બે ગણા વળતર આપવાની જાહેરાત કરતો પરિપત્ર બહાર પડ્યો તેમ છતાં ખેડૂતોમાં નારાજગી છે. મોરબી , પડધરી પછી આજે જામનગરના ખેડૂતો દ્વારા હજારોની સંખ્યામાં ભેગા થઇને કલેકટર કચેરીએ વીજલાઇનની કામગીરીની સામે આવેદનપત્ર આપવામાં આવ્યું છે