એડમિરલ આર હરિકુમાર જાપામાં અનેક દેશના પ્રધાનો સાથે મુલાકાતો કરશે


  • Published By :
  • Published Date : 2022-11-05 15:21:27

નૌસેના પ્રમુખ એડમિરલ આર હરિકુમાર આજથી 9 નવેમ્બર સુધી જાપાનની યાત્રા પર છે, જ્યાં તેઓ યોકોસુકામાં આવતીકાલે જાપાન મેરિટાઈમ સેલ્ફ ડિફેન્સ ફોર્સની આંતરાષ્ટ્રીય ફ્લીટ રિવ્યૂનું નિરીક્ષણ કરશે. આ આયોજન જાપાનની 70મી વર્ષગાંઠ પર આયોજીત કરવામાં આવ્યું છે. 


જાપાનમાં ભારતનું પ્રતિનિધિત્વ કરશે એડમિરલ આર હરિકુમાર

IFR અને WPNS દરમિયાન ભારત અને ભારતીય નૌસેનાનું પ્રતિનિધિત્વ કરવા સિવાય તેઓ ઓસ્ટ્રેલિયા, જાપાન અને અમેરિકાના સંયુક્ત અભ્યાસના ઉદ્ઘાટનમાં પણ ઉપસ્થિત રહેશે. માલાબાર અભ્યાસની આ ત્રીસમી વર્ષગાંઠ છે. એડમિરલ આર હરિકુમાર 30 દેશોના અન્ય પ્રમુખો સાથે પણ વાતચીત કરશે. નૌસેના પ્રમુખની જાપાન યાત્રામાં એડમિરલ આર હરિકુમાર ઉચ્ચ સ્તરીય દ્વિપક્ષીય રક્ષા સંબંધો સાથે-સાથે બહુપક્ષીય બેઠકોમાં ભારતનું પ્રતિનિધિત્વ કરશે. 



અમદાવાદ માટે ખેલકૂદમાં ખુબ ગૌરવવાળી ક્ષણ સામે આવી છે. કેમ કે , અમદાવાદ ગોતાના રહેવાસી હની મેહતા અને મિવાન મેહતાએ ગોવામાં આયોજિત પહેલી ઇન્ટરનેશનલ કરાટે ટુર્નામેન્ટમાં ભાગ લીધો હતો જેમાં હની મેહતાએ બ્રોન્ઝ અને સિલ્વર મેડલ જીત્યો છે જયારે મિવાન મેહતા દ્વારા સિલ્વર મેડલ જીતવામાં આવ્યો છે.

રાજકોટ ગેમઝોન અગ્નિ કાંડ કે જેમાં RMCના પૂર્વ TPO મનસુખ સાગઠીયાને હવે સુપ્રીમ કોર્ટ દ્વારા રાહત આપવામાં આવી છે. રાજકોટ ગેમઝોન અગ્નિકાંડના આરોપી અને પૂર્વ TPO મનસુખ સાગઠીયાના જામીન સુપ્રીમ કોર્ટ તરફથી મંજુર કરવામાં આવ્યા છે. RMCના પૂર્વ TPO મનસુખ સાગઠીયા છેલ્લા સવા વર્ષથી જેલમાં બંધ હતા. તેમણે સુપ્રીમ કોર્ટમાં જામીન અરજી દાખલ કરી હતી જેના પર સુનાવણી કર્યા બાદ સુપ્રીમ કોર્ટે મનસુખ સાગઠીયાના જામીન મંજુર કર્યા છે.

રાજકોટના અનિરુદ્ધસિંહ જાડેજા કે જેઓ અવારનવાર સમાચારોમાં રહેતા હોય છે , તેમને હવે પૂર્વ MLA પોપટલાલ સોરઠિયાના કેસમાં સુપ્રીમ કોર્ટ તરફથી ઝટકો મળ્યો છે. અનિરુદ્ધસિંહ જાડેજાએ ગુજરાત હાઇકોર્ટનો જે સજામાંફીને લઇને જે ચુકાદો હતો તેને સુપ્રીમ કોર્ટમાં પડકાર્યો હતો પરંતુ , હવે રીબડાના અનિરુદ્ધસિંહ જાડેજાને સુપ્રીમ કોર્ટમાંથી પણ રાહત નથી મળી . સુપ્રીમ કોર્ટ તરફથી અનિરુદ્ધસિંહ જાડેજાને સરેન્ડર થવા માટે આદેશ આપવામાં આવ્યો છે.

આમ આદમી પાર્ટીમાં ભંગાણના એંધાણ છે , હવે અમદાવાદમાંથી ચેતન રાવલે આપમાંથી રાજીનામુ આપી દીધું છે . ચેતન રાવલ આમ આદમી પાર્ટીમાં નેશનલ જોઈન્ટ સેક્રેટરી હતા . ચેતન રાવલ કોંગ્રેસ છોડી આમ આદમી પાર્ટીમાં જોડાયા હતા . આ રાજીનામાનો પત્ર ચેતન રાવલે આમ આદમી પાર્ટીના પ્રદેશપ્રમુખ ઈસુદાન ગઢવીને સંબોધીને લખ્યો છે. ચેતન રાવલે રાજીનામુ આપવા પાછળ અંગત કારણ આગળ ધર્યું છે.