NCB-નેવીનું સંયુક્ત ઓપરેશન: ઈરાનની બોટમાંથી 200 કિલો હેરોઈન જપ્ત


  • Published By : Payal rathod
  • Published Date : 2022-10-06 21:49:49

ભારતીય નૌસેના  (Indian Navy) અને નાર્કોટીક્સ કન્ટ્રોલ બ્યુરો(NCB)એ સંયુક્ત ઓપરેશન હાથ ધરી કેરળના કોચીમાંથી 200 કિલો હેરોઈન જપ્ત કરી છે. NCB અને નેવીએ આ મોટું સંયુક્ત ઓપરેશન કોચી નજીક દરિયામાં હાથ ધર્યું હતું. નૌસેનાએ ઈરાનથી જંગી માત્રામાં ડ્રગ્સ લઈને જતી બોટને અટકાવી હતી. તપાસ કરતા બોટમાંથી કરોડની કિંમતનો 200 કિલો હેરોઈનનો જથ્થો જપ્ત કર્યો છે.


ડ્રગ્સથી ભરેલી બોટ ઇરાનથી રવાના થઇ હતી તે સમયે ચાર લોકો સવાર હતા જે બાદ પાકિસ્તાનથી વધુ 2 લોકો સવાર થયા હતા. નૌસેના અને NCBએ આટલી મોટી કિંમતમાં નશીલા પદાર્થો સાથે 6 લોકોની ધરપકડ કરીને આગળની કાર્યવાહી હાથ ધરી છે. ધરપકડ કરવામાં આવેલા બધા જ સંદિગ્ધને કોચી નજીકના સમુદ્રી તટ પર લાવવામાં આવ્યા હતા.


મુંબઈમાંથી પણ 80 કરોડનું હેરોઈન જપ્ત


બીજી તરફ આજે બુધવારે મહારાષ્ટ્રના પાટનગર મુંબઈના છત્રપતિ શિવાજી એરપોર્ટ પરથી DRIએ 80 કરોડથી વધુની કિંમતનું 16 કિલોગ્રામ હેરોઈન જપ્ત કરવામાં આવ્યું છે. એક અધિકારીએ જણાવ્યું કે ગુપ્ત માહિતીના આધારે એક મુસાફરને રોકવામાં આવ્યો હતો અને તેના સામાનની તપાસ કરતા તેની પાસેથી આ પ્રતિબંધિત નશીલો પદાર્થ મળી આવ્યો હતો.


ડીઆરઆઈ અધિકારીઓએ જણાવ્યું કે હેરોઈનને એક ટ્રોલી બેગમાં છુપાવવામાં આવ્યું હતું, તેમણે જણાવ્યું કે કેરળ નિવાસી સામે NDPSની કલમ હેઠળ કેસ નોંધવામાં આવ્યો છે. પોલીસે કેસની વધુ તપાસ હાથ ધરી છે.



ગુજરાતના લાખો ગરીબ પરિવારોના આરોગ્યની સુરક્ષાને વધુ સુદૃઢ બનાવવા માટે ગુજરાત સરકારે એક મહત્ત્વપૂર્ણ પગલું ભર્યું છે. ગાંધીનગર ખાતે આરોગ્ય મંત્રી શ્રી પ્રફુલ પાનશેરિયાની ઉપસ્થિતિમાં આયુષ્માન ભારત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના હેઠળ રાજ્ય સરકારે બજાજ ઈન્સ્યોરન્સ કંપની સાથે એક નવા લેટર ઓફ એવોર્ડ(LOA) પર હસ્તાક્ષર કર્યા છે, જે રાજ્યની જનતા માટે આર્થિક રાહત અને વિસ્તૃત આરોગ્ય કવચ સુનિશ્ચિત કરે છે.

મુકેશ અંબાણીએ નાથદ્વારામાં દર્શન કર્યા, ‘યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન’ પ્રોજેક્ટની જાહેરાત કરી છે. મુકેશ અંબાણીએ પવિત્ર નગરી નાથદ્વારામાં શ્રીનાથજી ભગવાનના ભોગ આરતી દર્શનનો દિવ્ય લાભ લીધો તેમજ ગુરુ શ્રી વિશાલબાવા સાહેબના આશીર્વાદ પ્રાપ્ત કર્યા છે. આ અવસરે તેમણે નાથદ્વારામાં આધુનિક અને સુવિધાસંપન્ન “યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન”ના નિર્માણની જાહેરાત કરી છે તેમજ શ્રીનાથદ્વારા મંદિરને ₹15 કરોડનું દાન આપ્યું છે.

ગુજરાત સરકાર દ્વારા ખેડૂતો માટે એક રાહત પેકેજની ઘોષણા કરવામાં આવી છે. ગુજરાતમાં ૨૫મી ઓક્ટોબરથી જે કમોસમી વરસાદનો રાઉન્ડ આવ્યો છે તેમાં , ૪૨ લાખ હેકટર જમીનને નુકશાન થયું છે. અંદાજે ૧૬,૦૦૦ ગામોને અસર પહોંચી છે. તો હવે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ દ્વારા આજે એક કૃષિ રાહત પેકેજની જાહેરાત કરવામાં આવી છે.

અમરેલી જિલ્લામાં કોંગ્રેસ દ્વારા આજે ખેતી બચાવો સત્યાગ્રહ અંતર્ગત લીલીયા ખાતે પ્રતીક ધરણાનો કાર્યક્રમ યોજાયો છે. આ કાર્યક્રમમાં કમોસમી વરસાદના કારણે ખેડૂતોને જે પાક નુકશાની થઇ છે તેને લઇને અમરેલી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપ દુધાત અને પૂર્વ વિપક્ષના નેતા પરેશ ધાનાણીના નેતૃત્વમાં એક સંમેલન યોજાયું છે. આ ઉપરાંત ખેડૂતોના દેવામાફીના મુદ્દે , લીલીયા મામલતદારને આવેદન પત્ર પણ આપવામાં આવ્યું છે. આ પ્રસંગે , ખેડૂતો પણ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા.