NCB-નેવીનું સંયુક્ત ઓપરેશન: ઈરાનની બોટમાંથી 200 કિલો હેરોઈન જપ્ત


  • Published By : Payal rathod
  • Published Date : 2022-10-06 21:49:49

ભારતીય નૌસેના  (Indian Navy) અને નાર્કોટીક્સ કન્ટ્રોલ બ્યુરો(NCB)એ સંયુક્ત ઓપરેશન હાથ ધરી કેરળના કોચીમાંથી 200 કિલો હેરોઈન જપ્ત કરી છે. NCB અને નેવીએ આ મોટું સંયુક્ત ઓપરેશન કોચી નજીક દરિયામાં હાથ ધર્યું હતું. નૌસેનાએ ઈરાનથી જંગી માત્રામાં ડ્રગ્સ લઈને જતી બોટને અટકાવી હતી. તપાસ કરતા બોટમાંથી કરોડની કિંમતનો 200 કિલો હેરોઈનનો જથ્થો જપ્ત કર્યો છે.


ડ્રગ્સથી ભરેલી બોટ ઇરાનથી રવાના થઇ હતી તે સમયે ચાર લોકો સવાર હતા જે બાદ પાકિસ્તાનથી વધુ 2 લોકો સવાર થયા હતા. નૌસેના અને NCBએ આટલી મોટી કિંમતમાં નશીલા પદાર્થો સાથે 6 લોકોની ધરપકડ કરીને આગળની કાર્યવાહી હાથ ધરી છે. ધરપકડ કરવામાં આવેલા બધા જ સંદિગ્ધને કોચી નજીકના સમુદ્રી તટ પર લાવવામાં આવ્યા હતા.


મુંબઈમાંથી પણ 80 કરોડનું હેરોઈન જપ્ત


બીજી તરફ આજે બુધવારે મહારાષ્ટ્રના પાટનગર મુંબઈના છત્રપતિ શિવાજી એરપોર્ટ પરથી DRIએ 80 કરોડથી વધુની કિંમતનું 16 કિલોગ્રામ હેરોઈન જપ્ત કરવામાં આવ્યું છે. એક અધિકારીએ જણાવ્યું કે ગુપ્ત માહિતીના આધારે એક મુસાફરને રોકવામાં આવ્યો હતો અને તેના સામાનની તપાસ કરતા તેની પાસેથી આ પ્રતિબંધિત નશીલો પદાર્થ મળી આવ્યો હતો.


ડીઆરઆઈ અધિકારીઓએ જણાવ્યું કે હેરોઈનને એક ટ્રોલી બેગમાં છુપાવવામાં આવ્યું હતું, તેમણે જણાવ્યું કે કેરળ નિવાસી સામે NDPSની કલમ હેઠળ કેસ નોંધવામાં આવ્યો છે. પોલીસે કેસની વધુ તપાસ હાથ ધરી છે.



ધંધુકામાં માત્ર એક ઓવરટેક જેવી નજીવી બાબતે ધર્મેશ ગમારા નામના યુવાનનો જીવ લઇ લેવામાં આવે છે ત્યારબાદ , બે સમુદાયો ધંધુકામાં આમનેસામને આવી જાય છે. ખુબ મોટાપાયે ઘર્ષણ થાય છે. આ પછી , પોલીસ દ્વારા ધંધુકામાં સઘન કોમ્બિંગ હાથ ધરાય છે અને ૨૦૦ લોકોના ઘરોની પણ તપાસ કરવામાં આવી છે. તો હવે પોલીસ આ સમગ્ર મામલે તપાસ કરવા માટે અમદાવાદના રેન્જ IG રાઘવેન્દ્ર વત્સ દ્વારા સ્પેશ્યલ ઇન્વેસ્ટિગેશન ટીમની રચના કરવામાં આવી છે.

ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ માટે મતદાન ૨૬મી એપ્રિલે યોજાવાનું છે ત્યારે , રાજકોટ મહાનગરપાલિકામાં લેઉવા સમાજના મતો ખુબ મોટી સંખ્યામાં છે ત્યારે , ભારતીય જનતા પાર્ટીના રાજકોટના કોર્પોરેટરોએ ખોડલધામના ચેરમેન નરેશ પટેલ સાથે મુલાકાત કરી છે. જોકે આ મુલાકાત પછી , ભાજપ જીતી શકશે કે કેમ તે તો પરિણામના દિવસે જ ખબર પડશે. પરંતુ , રાજકોટ મહાનગરપાલિકામાં ભારતીય જનતા પાર્ટીના ટિકિટ વહેંચણી પછી જૂથવાદ સપાટી પર આવી ગયો છે. આ કારણે પાર્ટીની સામે પડકાર ઉભો થયો છે.

સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓમાં ૨૬મી તારીખે મતદાન યોજાવાનું છે ત્યારે , પંચમહાલમાં કોંગ્રેસને ખુબ મોટો ઝટકો લાગ્યો છે. પંચમહાલ જિલ્લા કોંગ્રેસ પ્રમુખ ચેતનસિંહ પરમારએ ભારતીય જનતા પાર્ટીમાં જોડાઈ ગયા છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના હસ્તે તેમણે ભાજપનો ખેસ ધારણ કર્યો છે. આમ હવે , પંચમહાલ જિલ્લામાં કોંગ્રેસમાં કાર્યકરો નિરાશ થઇ ગયા છે.

નવરચિત વાવ થરાદ જિલ્લામાં મામલતદાર કચેરીએ જયારે ઉમેદવારોના ફોર્મની સ્ક્રૂટિની ચાલી રહી છે ત્યારે મામલતદાર કચેરીએ કોંગ્રેસના કાર્યકરોએ નારેબાજી કરી છે. આ બાબતે બનાસકાંઠા જિલ્લા કોંગ્રેસ પ્રમુખ ગુલાબસિંહ રાજપૂત દ્વારા પોલીસ પર આરોપ લગાવવામાં આવ્યો છે કે , "પોલીસ અમારા ઉમેદવારોને ડરાવવાનું અને ધમકાવવાનું કામ કરી રહી છે. ગુલાબસિંહ રાજપૂતના આ દાવાથી વાવ થરાદ જિલ્લામાં રાજકારણ ગરમાઈ ગયું છે.