NCB-નેવીનું સંયુક્ત ઓપરેશન: ઈરાનની બોટમાંથી 200 કિલો હેરોઈન જપ્ત


  • Published By : Payal rathod
  • Published Date : 2022-10-06 21:49:49

ભારતીય નૌસેના  (Indian Navy) અને નાર્કોટીક્સ કન્ટ્રોલ બ્યુરો(NCB)એ સંયુક્ત ઓપરેશન હાથ ધરી કેરળના કોચીમાંથી 200 કિલો હેરોઈન જપ્ત કરી છે. NCB અને નેવીએ આ મોટું સંયુક્ત ઓપરેશન કોચી નજીક દરિયામાં હાથ ધર્યું હતું. નૌસેનાએ ઈરાનથી જંગી માત્રામાં ડ્રગ્સ લઈને જતી બોટને અટકાવી હતી. તપાસ કરતા બોટમાંથી કરોડની કિંમતનો 200 કિલો હેરોઈનનો જથ્થો જપ્ત કર્યો છે.


ડ્રગ્સથી ભરેલી બોટ ઇરાનથી રવાના થઇ હતી તે સમયે ચાર લોકો સવાર હતા જે બાદ પાકિસ્તાનથી વધુ 2 લોકો સવાર થયા હતા. નૌસેના અને NCBએ આટલી મોટી કિંમતમાં નશીલા પદાર્થો સાથે 6 લોકોની ધરપકડ કરીને આગળની કાર્યવાહી હાથ ધરી છે. ધરપકડ કરવામાં આવેલા બધા જ સંદિગ્ધને કોચી નજીકના સમુદ્રી તટ પર લાવવામાં આવ્યા હતા.


મુંબઈમાંથી પણ 80 કરોડનું હેરોઈન જપ્ત


બીજી તરફ આજે બુધવારે મહારાષ્ટ્રના પાટનગર મુંબઈના છત્રપતિ શિવાજી એરપોર્ટ પરથી DRIએ 80 કરોડથી વધુની કિંમતનું 16 કિલોગ્રામ હેરોઈન જપ્ત કરવામાં આવ્યું છે. એક અધિકારીએ જણાવ્યું કે ગુપ્ત માહિતીના આધારે એક મુસાફરને રોકવામાં આવ્યો હતો અને તેના સામાનની તપાસ કરતા તેની પાસેથી આ પ્રતિબંધિત નશીલો પદાર્થ મળી આવ્યો હતો.


ડીઆરઆઈ અધિકારીઓએ જણાવ્યું કે હેરોઈનને એક ટ્રોલી બેગમાં છુપાવવામાં આવ્યું હતું, તેમણે જણાવ્યું કે કેરળ નિવાસી સામે NDPSની કલમ હેઠળ કેસ નોંધવામાં આવ્યો છે. પોલીસે કેસની વધુ તપાસ હાથ ધરી છે.



આપણા પાડોશી દેશ પાકિસ્તાનની રાજધાની ઇસ્લામાબાદમાં ખુબ ભયંકર વિસ્ફોટ થયો છે. ઇસ્લામાબાદના તલઈ વિસ્તારના ઇમામબાડામાં આ ભીષણ બૉમ્બ બ્લાસ્ટ થયા છે. આ હુમલામાં ઓછામાં ઓછા ૨૫ લોકોના જીવ ગુમાવ્યાના અને ૧૦૦થી વધારે લોકોના ઘાયલ થયાના સમાચાર સામે આવ્યા છે. આજે જુમ્માની નમાજ દરમ્યાન આ શિયા મસ્જિદ પર ફિદાયીન હુમલો કરવામાં આવ્યો હતો.

મહીસાગર જિલ્લામાં થોડાક સમય પહેલા , આદિવાસી સમાજના એક યુવકને મહિલા PSI દ્વારા કારમાં સીટ બેલ્ટ નહિ પહેરવા જેવી સામાન્ય બાબતે માર મારવાના ગંભીર આક્ષેપો થયા હતા .આ સમગ્ર મામલે, મહીસાગરના ASP વિકાસ યાદવની પ્રતિક્રિયા સામે આવી છે

ચોટીલાના ડેપ્યુટી કલેકટર એચ ટી મકવાણા દ્વારા થોડાક સમય પહેલા , યાત્રાધામ ચોટીલા ખાતે ખુબ મોટી સંખ્યામાં દબાણો દૂર કરવામાં આવ્યા હતા. આ દબાણ હટાવવાની કામગીરી પાછળથી વિવાદોમાં આવી છે. કેમ કે , ગુજરાત હાઇકોર્ટ દ્વારા આ સમગ્ર કામગીરી દરમ્યાન ઇન્ચાર્જ મામલતદારની ઝાટકણી કાઢવામાં આવી છે. તો બીજી તરફ , મહંત પરિવાર અને સ્થાનિક જનતા દ્વારા તંત્ર પર '' વાલા- દવલાં"ની નીતિ અને પક્ષપાતના આક્ષેપો લગાડવામાં આવ્યા છે.

ગુજરાત પોલીસ ભરતી બોર્ડ દ્વારા , સમગ્ર રાજ્યમાં PSI અને LRDને લઈને શારીરિક કસોટી ચાલી રહી છે. ત્યારે , ગોંડલથી એક દુઃખદ સમાચાર સામે આવ્યા છે જેમાં એક આશાસ્પદ યુવાન , નીતિનસિંહ ચૌહાણએ આ શારીરિક કસોટી દરમ્યાન પોતાનો જીવ ગુમાવ્યો છે. આ અગાઉ , ભરૂચ અને ગોધરામાં આવી દુઃખદ ઘટનાઓ સામે આવી હતી.