NCB-નેવીનું સંયુક્ત ઓપરેશન: ઈરાનની બોટમાંથી 200 કિલો હેરોઈન જપ્ત


  • Published By : Payal rathod
  • Published Date : 2022-10-06 21:49:49

ભારતીય નૌસેના  (Indian Navy) અને નાર્કોટીક્સ કન્ટ્રોલ બ્યુરો(NCB)એ સંયુક્ત ઓપરેશન હાથ ધરી કેરળના કોચીમાંથી 200 કિલો હેરોઈન જપ્ત કરી છે. NCB અને નેવીએ આ મોટું સંયુક્ત ઓપરેશન કોચી નજીક દરિયામાં હાથ ધર્યું હતું. નૌસેનાએ ઈરાનથી જંગી માત્રામાં ડ્રગ્સ લઈને જતી બોટને અટકાવી હતી. તપાસ કરતા બોટમાંથી કરોડની કિંમતનો 200 કિલો હેરોઈનનો જથ્થો જપ્ત કર્યો છે.


ડ્રગ્સથી ભરેલી બોટ ઇરાનથી રવાના થઇ હતી તે સમયે ચાર લોકો સવાર હતા જે બાદ પાકિસ્તાનથી વધુ 2 લોકો સવાર થયા હતા. નૌસેના અને NCBએ આટલી મોટી કિંમતમાં નશીલા પદાર્થો સાથે 6 લોકોની ધરપકડ કરીને આગળની કાર્યવાહી હાથ ધરી છે. ધરપકડ કરવામાં આવેલા બધા જ સંદિગ્ધને કોચી નજીકના સમુદ્રી તટ પર લાવવામાં આવ્યા હતા.


મુંબઈમાંથી પણ 80 કરોડનું હેરોઈન જપ્ત


બીજી તરફ આજે બુધવારે મહારાષ્ટ્રના પાટનગર મુંબઈના છત્રપતિ શિવાજી એરપોર્ટ પરથી DRIએ 80 કરોડથી વધુની કિંમતનું 16 કિલોગ્રામ હેરોઈન જપ્ત કરવામાં આવ્યું છે. એક અધિકારીએ જણાવ્યું કે ગુપ્ત માહિતીના આધારે એક મુસાફરને રોકવામાં આવ્યો હતો અને તેના સામાનની તપાસ કરતા તેની પાસેથી આ પ્રતિબંધિત નશીલો પદાર્થ મળી આવ્યો હતો.


ડીઆરઆઈ અધિકારીઓએ જણાવ્યું કે હેરોઈનને એક ટ્રોલી બેગમાં છુપાવવામાં આવ્યું હતું, તેમણે જણાવ્યું કે કેરળ નિવાસી સામે NDPSની કલમ હેઠળ કેસ નોંધવામાં આવ્યો છે. પોલીસે કેસની વધુ તપાસ હાથ ધરી છે.



રાજકોટ ગેમઝોન અગ્નિ કાંડ કે જેમાં RMCના પૂર્વ TPO મનસુખ સાગઠીયાને હવે સુપ્રીમ કોર્ટ દ્વારા રાહત આપવામાં આવી છે. રાજકોટ ગેમઝોન અગ્નિકાંડના આરોપી અને પૂર્વ TPO મનસુખ સાગઠીયાના જામીન સુપ્રીમ કોર્ટ તરફથી મંજુર કરવામાં આવ્યા છે. RMCના પૂર્વ TPO મનસુખ સાગઠીયા છેલ્લા સવા વર્ષથી જેલમાં બંધ હતા. તેમણે સુપ્રીમ કોર્ટમાં જામીન અરજી દાખલ કરી હતી જેના પર સુનાવણી કર્યા બાદ સુપ્રીમ કોર્ટે મનસુખ સાગઠીયાના જામીન મંજુર કર્યા છે.

રાજકોટના અનિરુદ્ધસિંહ જાડેજા કે જેઓ અવારનવાર સમાચારોમાં રહેતા હોય છે , તેમને હવે પૂર્વ MLA પોપટલાલ સોરઠિયાના કેસમાં સુપ્રીમ કોર્ટ તરફથી ઝટકો મળ્યો છે. અનિરુદ્ધસિંહ જાડેજાએ ગુજરાત હાઇકોર્ટનો જે સજામાંફીને લઇને જે ચુકાદો હતો તેને સુપ્રીમ કોર્ટમાં પડકાર્યો હતો પરંતુ , હવે રીબડાના અનિરુદ્ધસિંહ જાડેજાને સુપ્રીમ કોર્ટમાંથી પણ રાહત નથી મળી . સુપ્રીમ કોર્ટ તરફથી અનિરુદ્ધસિંહ જાડેજાને સરેન્ડર થવા માટે આદેશ આપવામાં આવ્યો છે.

આમ આદમી પાર્ટીમાં ભંગાણના એંધાણ છે , હવે અમદાવાદમાંથી ચેતન રાવલે આપમાંથી રાજીનામુ આપી દીધું છે . ચેતન રાવલ આમ આદમી પાર્ટીમાં નેશનલ જોઈન્ટ સેક્રેટરી હતા . ચેતન રાવલ કોંગ્રેસ છોડી આમ આદમી પાર્ટીમાં જોડાયા હતા . આ રાજીનામાનો પત્ર ચેતન રાવલે આમ આદમી પાર્ટીના પ્રદેશપ્રમુખ ઈસુદાન ગઢવીને સંબોધીને લખ્યો છે. ચેતન રાવલે રાજીનામુ આપવા પાછળ અંગત કારણ આગળ ધર્યું છે.

દેદિયાપાડાના MLA ચૈતર વસાવાની જામીન અરજી પર આજે ગુજરાત હાઇકોર્ટમાં સુનાવણી થવાની હતી. જેમાં હવે સમાચાર આવ્યા છે કે , ચૈતર વસાવાની જામીન અરજી પર આજે સુનાવણી નઈ થાય. ગુજરાત હાઇકોર્ટના વકીલોની હડતાળને કારણે સુનાવણી નહિ થાય. આજે ગુજરાત હાઇકોર્ટમાં ધારાસભ્ય ચૈતર વસાવાની જામીન અરજી પર સુનાવણી હાથ ધરાવવાની હતી . પરંતુ હવે વકીલોની હડતાળના કારણે આ સુનાવણી ટળી ગઈ છે . આમ હવે MLA ચૈતર વસાવાનો જેલવાસ લંબાયો છે .