ગુજરાતીમાં તો 'નૂતન વર્ષાભિનંદન' કહેવાય તો આપણે 'સાલ મુબારક' કેમ કહીએ છીએ?


  • Published By :
  • Published Date : 2022-10-26 12:33:35



આજથી એટલે કે 26 ઓક્ટોબરથી વિક્રમ સંવત 2079ની શરૂઆત થઈ છે.
ગુજરાતમાં સાલ મુબારક કહેવાની પરંપરા આરબ દેશો સાથેના તેના વેપારને કારણે પડી છે.
કેટલીય પોળોમાં બેસતા વર્ષે સવારે સબરસ માગવાની પરંપરા જળવાઈ રહેલી છે.


દેશના કેટલાય રાજ્યોમાં નવા વર્ષની શરૂઆત વસંત ઋતુમાં ચૈત્ર મહિનાથી એટલે કે માર્ચ-એપ્રિલ દરમિયાન થાય છે. પરંતુ ગુજરાતમાં સક સવંતના આઠમા મહિના કારતકથી નવા વર્ષની શરૂઆત કરવામાં આવે છે. ગુજરાત મુખ્ય બે કારણોસર કારતકથી આસોના ચક્રને અનુસરે છે. વળી, સાલ મુબારક કહેવાની પ્રથા કઈ રીતે પડી તેનું પણ ખાસ કારણ છે.


આજે એટલે કે 26 ઓક્ટોબરથી ગુજરાતીઓનું નવું વર્ષ શરૂ થતાં સવારથી જ ગુજરાતના લોકો એકબીજાને 'સાલ મુબારક' કહીને નવા વર્ષની શુભેચ્છા પાઠવી રહ્યા છે. દેશના ઘણાં રાજ્યોમાં ગ્રેગોરીયન કેલેન્ડર પ્રમાણે નવા વર્ષની શરૂઆત વસંત અથવા માર્ચ-એપ્રિલથી કરવામાં આવે છે. પરંતુ ગુજરાતમાં એવું નથી. ઘણાં રાજ્યોમાં વિક્રમ સંવત કેલેન્ડર પાળવામાં આવે છે અને નવા વર્ષની શરૂઆત વસંત ઋતુમાં ચૈત્ર મહિનાથી એટલે કે માર્ચ-એપ્રિલ દરમિયાન થાય છે.


કેટલાય રાજ્યોમાં નવા વર્ષની શરૂઆત ચૈત્ર મહિનામાં કરવામાં આવે છે ત્યારે ગુજરાતીઓનું નવું વર્ષ સક સંવતના આઠમા મહિના કારતકથી શરૂ થાય છે. બી.જે. ઈન્સ્ટીટ્યૂટના લર્નિંગ એન્ડ રિસર્ચ વિભાગના પૂર્વ ડાયરેક્ટર પ્રોફેસર રામજી સાવલિયાના કહેવા અનુસાર, ગુજરાત બે કારણોસર કારતથી આસોના ચક્રને અનુસરે છે; પ્રથમ છે વીર નિર્વાણ સંવત અને બીજું છે વેપાર.


ધાર્મિક રીતે પણ દિવાળી ગુજરાતીઓનો મોટો તહેવાર છે

Why Do People Celebrate Diwali? | Travelpharm BlogTravelpharm

"કેટલાય શાસકોએ જૈન ધર્મને પ્રોત્સાહન આપ્યું હતું. દિવાળીને ભગવાન મહાવીરનો નિર્વાણ દિવસ માનવામાં આવે છે એટલે જ વીર નિર્વાણ સંવતની એ પછીના દિવસથી શરૂઆત થાય છે. આ જ પ્રકારે હિસાબી ચક્ર પ્રમાણે, દિવાળી પર ચોપડા પૂજન અને લક્ષ્મી પૂજન કરવામાં આવે છે. ચોમાસુ પૂરું થતાં ખેડૂતો માટે શાંતિનો કહી શકાય તેવો સમય હોય છે. એટલે જ આ કારણોની સાથે ધાર્મિક રીતે પણ દિવાળી ગુજરાતનો મોટો તહેવાર બની ગયો છે", તેમ પ્રોફેસર સાવલિયાએ જણાવ્યું.


પ્રતિકાત્મક રીતે, આ સમય નવી શરૂઆતનો હોય છે અને એટલે જ લોકો આ દિવસે એકબીજાને નવા વર્ષની શુભેચ્છા પાઠવે છે. સાથે જ ખુશીઓ અને સુખ-સમૃદ્ધિની કામના કરે છે. પ્રોફેસર સાવલિયાએ આગળ કહ્યું, "વિવિધ દિવસોથી સુધી તહેવારની ઉજવણી કરવામાં આવે છે કારણકે લોકો પાસે વાપરવા માટે ઘણાં રૂપિયા હતા, ખેતીની દ્રષ્ટિએ શાંતિનો સમય હોય છે અને હવામાન પણ ખુશનુમા હોય છે. પરંપરાગત રીતે જ દિવાળીથી લાભ પાંચમ સુધી વેપાર-ધંધા બંધ હોય છે."


ક્યાંથી પડી સાલ મુબારક કહેવાની પ્રથા?

Namaskar Meaning: Definition and How to Pronounce It - YOGA PRACTICE

પ્રોફેસર મકરંદ મહેતા જેવા ઈતિહાસકારે પણ ટાંક્યું કે, ગુજરાતમાં સાલ મુબારક કહેવાની પરંપરા આરબ દેશો સાથેના તેના વેપારને કારણે પડી છે. નવા વર્ષના કેટલાક શુકનવંતા કાર્યો પેઢી દર પેઢી જળવાઈ રહ્યા છે. કંસારાની પોળમાં રહેતા કિરણ રાણાએ કહ્યું કે, બાળપણમાં નવા વર્ષની શરૂઆત તેઓ ઘરે-ઘરે જઈને સબરસ માગવાથી કરતા હતા. મુઠ્ઠીભર મીઠું શુકનવંતુ ગણવામાં આવે છે. "કેટલીય પોળમાં આજે પણ આ પરંપરા જળવાઈ રહી છે. આ જ પ્રકારે મંદિરે જઈને નવા વર્ષની શરૂઆત કરવાની પરંપરા આજે પણ જળવાઈ રહી છે"



રાજકોટના જંગલેશ્વર ખાતે આજે ડિમોલિશન પૂર્ણ થયું છે. મહાનગરપાલિકા અને પોલીસ તંત્રના સંયુક્ત ઉપક્રમે જે કામગીરી ચાલી રહી હતી , તેમાં કુલ ૧૫૦૯ જેટલા મકાનોને જમીનદોસ્ત કરી દેવામાં આવ્યા છે. જંગલેશ્વરની જે શેરીઓ થોડાક સમય અગાઉ લોકોથી ધમધમતી હતી તે શેરીઓની જગ્યાએ હવે કાટમાળના ઢગલા અને વેરાન મેદાન જોવા મળી રહ્યા છે. આ ડિમોલિશન કામગીરી દરમ્યાન RMCના ૧ કર્મચારીનો જીવ માંડમાંડ બચ્યો હતો.

ગીર સોમનાથ જિલ્લામાં SP જયદીપસિંહ જાડેજા દ્વારા જિલ્લામાં અસામાજિક તત્વોને નિયંત્રણમાં લેવા હવે આઠ આરોપીઓની સામે ગુજસીટોકનું શાસ્ત્ર ઉગામવામાં આવ્યું છે. જેના કારણે , ગીર સોમનાથના અસામાજિક તત્વોમાં ભારે ફફડાટનો માહોલ છે. આ આઠ આરોપીઓની સામે પ્રોહિબિશન સહીત અનેક ગુનાઓ નોંધાયેલા છે , હવે આ ઈસમોની સામે , વેરાવળ સીટી પોલીસ સ્ટેશન ખાતે GUJSITOKની વિવિધ કલમ અંતર્ગત ગુનો નોંધવામાં આવ્યો છે.

દિલ્હીની AI ઈમ્પૅક્ટ સમિટમાં ઉદ્યોગપતિ મુકેશ અંબાણી દ્વારા સંબોધન કરવામાં આવ્યું છે. મુકેશ અંબાણીએ AIના હકારાત્મક ઉપયોગ પર ભાર મુકવામાં આવ્યો છે. તેમણે કહ્યું છે કે , " AI નોકરીઓ નઈ ખાય. એટલુંજ નહિ AI ખુબ મોટાપાયે તક ઉભી કરશે."

સોશ્યિલ મીડિયા ઇન્ફુએન્સર કીર્તિ પટેલ પર આજે બીજી ફરિયાદ દાખલ કરવામાં આવી છે. જૂનાગઢના મહાશિવરાત્રીના મેળામાં મૃગુ કુંડમાં ડૂબકી લગાવવા પર કીર્તિ પટેલ વિવાદોમાં આવ્યા હતા. આ બાબતે સાધુ સંતોમાં ભારે નારાજગી જોવા મળી હતી. ત્યારે હવે કીર્તિ પટેલ વિરૂદ્ધ ભવનાથ પોલીસ સ્ટેશનમાં વધુ એક ફરિયાદ નોંધાઈ છે. આ ફરિયાદ મહંત બજરંગદાસ બાપુ દ્વારા નોંધાવવામાં આવી છે. જૂનાગઢના ભવનાથ ખાતે દર વર્ષે , મહાશિવરાત્રીના પર્વ નિમિતે, લાખો શ્રદ્ધાળુઓ ઉમટી પડે છે. આ વર્ષે , ભવનાથના મેળામાં સોશ્યિલ મીડિયા ઇન્ફુએન્સર કીર્તિ પટેલને લઇને વિવાદ થયો છે. મૃગી કુંડમાં સ્નાન કરવા બદલ સાધુ સંતોમાં ભારે નારાજગી જોવા મળી છે. તે જ સમયે PI સાથે મૃગીકુંડમાં કીર્તિ પટેલને ઘર્ષણ પણ થયું હતું. આ પછી , ભવનાથ પોલીસ સ્ટેશનમાં મહિલા PI કે જે મોડ દ્વારા કીર્તિ પટેલની વિરુદ્ધમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. પોલીસની કામગીરીમાં અવરોધ ઉભો કરવાનો આરોપ , PIને જાનથી મારી નાખવાની ધમકી , શાંતિ ડહોળવાનો પ્રયાસની કલમ એડ કરવામાં આવી છે. હવે આજે , બીજી ફરિયાદ સાધુ-સંત દ્વારા કરવામાં આવી છે. આ ફરિયાદ સાધુ સંતોની લાગણી દુભાવવા પર અને તેમને બદનામ કરવા બદલ ભવનાથ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. પ્રભાસ પાટણ નિરાલી ખોડિયાર આશ્રમના મહંત બજરંગદાસ બાપુએ કીર્તિ પટેલન સામે પોલીસ ફરિયાદ નોંધાવી છે. પોલીસ ફરિયાદ નોંધાતા પોલીસે કીર્તિને પકડવા માટે ચક્રો ગતિમાન કર્યા છે. અલગ અલગ ટીમો બનાવીને તપાસ હાથ ધરાઈ છે.