ગુજરાતીમાં તો 'નૂતન વર્ષાભિનંદન' કહેવાય તો આપણે 'સાલ મુબારક' કેમ કહીએ છીએ?


  • Published By :
  • Published Date : 2022-10-26 12:33:35



આજથી એટલે કે 26 ઓક્ટોબરથી વિક્રમ સંવત 2079ની શરૂઆત થઈ છે.
ગુજરાતમાં સાલ મુબારક કહેવાની પરંપરા આરબ દેશો સાથેના તેના વેપારને કારણે પડી છે.
કેટલીય પોળોમાં બેસતા વર્ષે સવારે સબરસ માગવાની પરંપરા જળવાઈ રહેલી છે.


દેશના કેટલાય રાજ્યોમાં નવા વર્ષની શરૂઆત વસંત ઋતુમાં ચૈત્ર મહિનાથી એટલે કે માર્ચ-એપ્રિલ દરમિયાન થાય છે. પરંતુ ગુજરાતમાં સક સવંતના આઠમા મહિના કારતકથી નવા વર્ષની શરૂઆત કરવામાં આવે છે. ગુજરાત મુખ્ય બે કારણોસર કારતકથી આસોના ચક્રને અનુસરે છે. વળી, સાલ મુબારક કહેવાની પ્રથા કઈ રીતે પડી તેનું પણ ખાસ કારણ છે.


આજે એટલે કે 26 ઓક્ટોબરથી ગુજરાતીઓનું નવું વર્ષ શરૂ થતાં સવારથી જ ગુજરાતના લોકો એકબીજાને 'સાલ મુબારક' કહીને નવા વર્ષની શુભેચ્છા પાઠવી રહ્યા છે. દેશના ઘણાં રાજ્યોમાં ગ્રેગોરીયન કેલેન્ડર પ્રમાણે નવા વર્ષની શરૂઆત વસંત અથવા માર્ચ-એપ્રિલથી કરવામાં આવે છે. પરંતુ ગુજરાતમાં એવું નથી. ઘણાં રાજ્યોમાં વિક્રમ સંવત કેલેન્ડર પાળવામાં આવે છે અને નવા વર્ષની શરૂઆત વસંત ઋતુમાં ચૈત્ર મહિનાથી એટલે કે માર્ચ-એપ્રિલ દરમિયાન થાય છે.


કેટલાય રાજ્યોમાં નવા વર્ષની શરૂઆત ચૈત્ર મહિનામાં કરવામાં આવે છે ત્યારે ગુજરાતીઓનું નવું વર્ષ સક સંવતના આઠમા મહિના કારતકથી શરૂ થાય છે. બી.જે. ઈન્સ્ટીટ્યૂટના લર્નિંગ એન્ડ રિસર્ચ વિભાગના પૂર્વ ડાયરેક્ટર પ્રોફેસર રામજી સાવલિયાના કહેવા અનુસાર, ગુજરાત બે કારણોસર કારતથી આસોના ચક્રને અનુસરે છે; પ્રથમ છે વીર નિર્વાણ સંવત અને બીજું છે વેપાર.


ધાર્મિક રીતે પણ દિવાળી ગુજરાતીઓનો મોટો તહેવાર છે

Why Do People Celebrate Diwali? | Travelpharm BlogTravelpharm

"કેટલાય શાસકોએ જૈન ધર્મને પ્રોત્સાહન આપ્યું હતું. દિવાળીને ભગવાન મહાવીરનો નિર્વાણ દિવસ માનવામાં આવે છે એટલે જ વીર નિર્વાણ સંવતની એ પછીના દિવસથી શરૂઆત થાય છે. આ જ પ્રકારે હિસાબી ચક્ર પ્રમાણે, દિવાળી પર ચોપડા પૂજન અને લક્ષ્મી પૂજન કરવામાં આવે છે. ચોમાસુ પૂરું થતાં ખેડૂતો માટે શાંતિનો કહી શકાય તેવો સમય હોય છે. એટલે જ આ કારણોની સાથે ધાર્મિક રીતે પણ દિવાળી ગુજરાતનો મોટો તહેવાર બની ગયો છે", તેમ પ્રોફેસર સાવલિયાએ જણાવ્યું.


પ્રતિકાત્મક રીતે, આ સમય નવી શરૂઆતનો હોય છે અને એટલે જ લોકો આ દિવસે એકબીજાને નવા વર્ષની શુભેચ્છા પાઠવે છે. સાથે જ ખુશીઓ અને સુખ-સમૃદ્ધિની કામના કરે છે. પ્રોફેસર સાવલિયાએ આગળ કહ્યું, "વિવિધ દિવસોથી સુધી તહેવારની ઉજવણી કરવામાં આવે છે કારણકે લોકો પાસે વાપરવા માટે ઘણાં રૂપિયા હતા, ખેતીની દ્રષ્ટિએ શાંતિનો સમય હોય છે અને હવામાન પણ ખુશનુમા હોય છે. પરંપરાગત રીતે જ દિવાળીથી લાભ પાંચમ સુધી વેપાર-ધંધા બંધ હોય છે."


ક્યાંથી પડી સાલ મુબારક કહેવાની પ્રથા?

Namaskar Meaning: Definition and How to Pronounce It - YOGA PRACTICE

પ્રોફેસર મકરંદ મહેતા જેવા ઈતિહાસકારે પણ ટાંક્યું કે, ગુજરાતમાં સાલ મુબારક કહેવાની પરંપરા આરબ દેશો સાથેના તેના વેપારને કારણે પડી છે. નવા વર્ષના કેટલાક શુકનવંતા કાર્યો પેઢી દર પેઢી જળવાઈ રહ્યા છે. કંસારાની પોળમાં રહેતા કિરણ રાણાએ કહ્યું કે, બાળપણમાં નવા વર્ષની શરૂઆત તેઓ ઘરે-ઘરે જઈને સબરસ માગવાથી કરતા હતા. મુઠ્ઠીભર મીઠું શુકનવંતુ ગણવામાં આવે છે. "કેટલીય પોળમાં આજે પણ આ પરંપરા જળવાઈ રહી છે. આ જ પ્રકારે મંદિરે જઈને નવા વર્ષની શરૂઆત કરવાની પરંપરા આજે પણ જળવાઈ રહી છે"



જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.

આંતરરાષ્ટ્રીય સંબંધોમાં USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર ચર્ચાઓમાં છે તેમણે ફરી એકવાર , ભારતને લઇને નિવેદનબાજીઓ કરી છે. ડોનાલ્ડ ટ્રમ્પને અપેક્ષા છે કે , ભારત આ વર્ષના અંતથી રશિયન ક્રૂડની આયાત કરવાનું બંધ કરી દેશે. આ ઉપરાંત ડોનાલ્ડ ટ્રમ્પએ ચીન વિશે નિવેદન આપતા કહ્યું છે કે , બાઈડેન અને ઓબામાની નીતિઓના કારણે ચીન અને રશિયા એક થયા છે. બાકી બંને મિત્ર રહી શકે તેમ છે જ નહીં. ચીનના રશિયા સાથેના સંબંધો અલગ પ્રકારના છે.

રાજકોટના ગોંડલના ખુબ ચર્ચિત રાજકુમાર જાટ કેસમાં આ આખા કેસની તપાસ હવે સુરેન્દ્રનગરના SP , IPS પ્રેમસુખ ડેલુંને સોંપાઈ છે. જે ડી પુરોહિત કે જેઓ ધ્રાંગધ્રાના DYSP છે એ તેમને આ કેસની તપાસમાં મદદ કરશે. આમ હવે રાજકુમાર જાટ કેસમાં તપાસ માટે એક નવી તપાસ ટીમ બનાવવામાં આવશે. રાજકુમાર જાટના પરિવારજનોનું માનવું છે કે , સ્થાનિક પોલીસ પૂર્વ MLA જયરાજસિંહને બચાવી રહી છે. આ કેસની વધુ તપાસ CBIને સોંપવામાં આવે તેવી અરજી પણ તેમના દ્વારા દાખલ કરવામાં આવી હતી. ગુજરાત હાઇકોર્ટ દ્વારા આ કેસને લઇને મહત્વના નિર્દેશ આપવામાં આવ્યા છે.

રાજકોટના ખુબ ચર્ચિત કેસ અમિત ખૂંટ કેસમાં અનિરુદ્ધસિંહ જાડેજાના દીકરા રાજદીપસિંહ જાડેજાના આગોતરા જામીન હવે સુપ્રીમ કોર્ટે ફગાવી દીધા છે. સુપ્રીમ કોર્ટે દ્વારા રાજદીપ સિંહ જાડેજાના આગોતરા જામીન ના મંજુર કરવાંમાં આવ્યા છે. જેનાથી હવે રાજદીપ જાડેજાની મુશ્કેલીઓમાં વધારો થઇ શકે છે. આપને જણાવી દયિકે , રાજદીપસિંહ જાડેજાના પિતા અનિરુદ્ધસિંહ જાડેજા હાલમાં EX MLA પોપટલાલ સોરઠીયા કેસમાં સજામાફી રદ થવાના કારણે જેલમાં જ છે.