2024માં કેન્દ્રમાં સરકાર બનશે તો પછાત રાજ્યોને મળશે વિશેષ દરજ્જો: નીતિશ કુમાર


  • Published By : Payal rathod
  • Published Date : 2022-09-15 16:06:53

લોકસભાની ચૂંટણી 2024માં યોજાવાની છે અને તેને લઈને તમામ રાજકિય પક્ષો અત્યારથી જ તેમની રણનીતિ તૈયાર કરવામાં લાગ્યા છે. બિહારના મુખ્યમંત્રી નીતિશ કુમારે આજે મહત્વની જાહેરાત કરતા કહ્યું છે કે દેશમાં બિન-ભાજપા સરકાર બનશે તો તમામ પછાત રાજ્યોને વિશેષ દરજ્જો આપવામાં આવશે. બિહારમાં નેશનલ ડેમોક્રેટિક એલાયન્સથી અલગ થયા બાદ નીતિશ કુમારની આ સૌથી મોટી ઘોષણા છે.


 

બિહારમાં ભાજપા સાથે ગઠબંધન તોડ્યા બાદ નીતિશ કુમાર આગામી લોકસભાની ચૂંટણી માટે અન્ય રાજકીય પક્ષોના નેતાઓને મળી રહ્યા છે. એવું મનાય છે કે નીતિશ કુમાર પ્રધાનમંત્રી પદ માટે પોતાની દાવેદારી કરી શકે છે. જો કે આ બાબત તે નકારી ચૂક્યા છે. મંગળવાર  રાત્રે ચૂંટણી રણનીતિકાર પ્રશાંત કિશોર સાથે તેમણે મુલાકાત કરી હતી. 



નીતિશ કુમાર આ નેતાઓને મળ્યા હતા


ગયા અઠવાડિયે દિલ્હીમાં નીતિશ કુમારે સીપીએમ નેતા સીતારામ યેચુરી, સીપીઆઈ નેતા ડી રાજા સાથે મુલાકાત કરી હતી. બાદમાં તેઓ આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય કન્વીનર અને દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલને પણ મળ્યા હતા. આ દરમિયાન દિલ્હીના ડેપ્યુટી સીએમ મનીષ સિસોદિયા પણ હાજર હતા. તેમણે ગુરુગ્રામમાં હરિયાણાના પૂર્વ સીએમ અને INLD નેતા ઓમ પ્રકાશ ચૌટાલા સાથે પણ ચર્ચા કરી હતી.



દેદિયાપાડાના MLA ચૈતર વસાવાની જામીન અરજી પર આજે ગુજરાત હાઇકોર્ટમાં સુનાવણી થવાની હતી. જેમાં હવે સમાચાર આવ્યા છે કે , ચૈતર વસાવાની જામીન અરજી પર આજે સુનાવણી નઈ થાય. ગુજરાત હાઇકોર્ટના વકીલોની હડતાળને કારણે સુનાવણી નહિ થાય. આજે ગુજરાત હાઇકોર્ટમાં ધારાસભ્ય ચૈતર વસાવાની જામીન અરજી પર સુનાવણી હાથ ધરાવવાની હતી . પરંતુ હવે વકીલોની હડતાળના કારણે આ સુનાવણી ટળી ગઈ છે . આમ હવે MLA ચૈતર વસાવાનો જેલવાસ લંબાયો છે .

પોન્ઝી સ્કીમ કૌભાંડના આરોપી ભુપેન્દ્ર સિંહ ઝાલા વિશે એક મહત્વના સમાચાર પ્રાપ્ત થઇ રહ્યા છે . ભુપેન્દ્ર સિંહ ઝાલાની જામીન અરજી ગુજરાત હાઇકોર્ટ દ્વારા મંજુર કરવામાં આવી છે. ગુજરાત હાઇકોર્ટે પોન્ઝી સ્કીમ કૌભાંડના આરોપી ભુપેન્દ્ર સિંહ ઝાલાની જામીન અરજી શરતોને આધારે મંજુર કરી છે. ભુપેન્દ્ર સિંહ ઝાલાને ૮ મહિનાથી વધુના જેલવાસ પછી ગુજરાત હાઇકોર્ટ દ્વારા જામીન આપવામાં આવ્યા છે .

અમદાવાદના સેવન્થ ડે સ્કૂલની ઘટનાની સંપૂર્ણ તપાસ હાલમાં ક્રાઇમ બ્રાન્ચ દ્વારા કરવામાં આવી રહી છે. અને હવે ક્રાઇમ બ્રાન્ચ સેવન્થ ડે સ્કૂલની ઘટનામાં તેના સંચાલકો સામે ફરિયાદ દાખલ કરવા માટે કોર્ટની મંજૂરી મેળવશે . હાલમાં ક્રાઇમ બ્રાન્ચની ટિમ આખી ઘટનાની અંદર ઝીણવટભરી તપાસ કરી રહી છે . આપને જણાવી દયિકે , આ આખી ઘટનામાં , સેવન્થ ડે સ્કૂલના સંચાલકોની ખુબ ભારે બેદરકારી સામે આવી છે .

સમાજમાં કેટલીકવાર એવી ઘટનાઓ અને ગુનાઓ બનતા હોય છે કે જેના કારણે સમાજની આત્માને કુઠારાઘાત પહોંચતો હોય છે. આવી જ એક ઘટના અમદાવાદના હાટકેશ્વર ખાતે બની છે . જ્યાં સેવન્થ ડે સ્કૂલમાં ધક્કામુક્કી જેવી સામાન્ય બાબતે ધોરણ ૮ માં ભણતો વિદ્યાર્થી દસમા ધોરણમાં ભણતા છોકરાને ધારદાર વસ્તુના ઘા મારીને મારી નાખે છે . જેના પ્રત્યાઘાત હવે ખુબ ઊંડા પડ્યા છે. આજે ૨૧ ઓગસ્ટના રોજ યુથ કોંગ્રેસ અને NSUI દ્વારા સ્કૂલને તાળાબંધીનું એલાન કરવામાં આવ્યું છે. ઉપરાંત વિશ્વ હિન્દૂ પરિષદ દ્વારા મણિનગર અને આસપાસના વિસ્તારોમાં સ્કૂલો બંધ રાખી વિસ્તારને બંધ રાખવાનું એલાન કરવામાં આવ્યું છે . સાથે જ અમદાવાદના મણિનગર વિસ્તારમાં આવેલી સિંધી માર્કેટ આજે બંધ છે.