2024માં કેન્દ્રમાં સરકાર બનશે તો પછાત રાજ્યોને મળશે વિશેષ દરજ્જો: નીતિશ કુમાર


  • Published By : Payal rathod
  • Published Date : 2022-09-15 16:06:53

લોકસભાની ચૂંટણી 2024માં યોજાવાની છે અને તેને લઈને તમામ રાજકિય પક્ષો અત્યારથી જ તેમની રણનીતિ તૈયાર કરવામાં લાગ્યા છે. બિહારના મુખ્યમંત્રી નીતિશ કુમારે આજે મહત્વની જાહેરાત કરતા કહ્યું છે કે દેશમાં બિન-ભાજપા સરકાર બનશે તો તમામ પછાત રાજ્યોને વિશેષ દરજ્જો આપવામાં આવશે. બિહારમાં નેશનલ ડેમોક્રેટિક એલાયન્સથી અલગ થયા બાદ નીતિશ કુમારની આ સૌથી મોટી ઘોષણા છે.


 

બિહારમાં ભાજપા સાથે ગઠબંધન તોડ્યા બાદ નીતિશ કુમાર આગામી લોકસભાની ચૂંટણી માટે અન્ય રાજકીય પક્ષોના નેતાઓને મળી રહ્યા છે. એવું મનાય છે કે નીતિશ કુમાર પ્રધાનમંત્રી પદ માટે પોતાની દાવેદારી કરી શકે છે. જો કે આ બાબત તે નકારી ચૂક્યા છે. મંગળવાર  રાત્રે ચૂંટણી રણનીતિકાર પ્રશાંત કિશોર સાથે તેમણે મુલાકાત કરી હતી. 



નીતિશ કુમાર આ નેતાઓને મળ્યા હતા


ગયા અઠવાડિયે દિલ્હીમાં નીતિશ કુમારે સીપીએમ નેતા સીતારામ યેચુરી, સીપીઆઈ નેતા ડી રાજા સાથે મુલાકાત કરી હતી. બાદમાં તેઓ આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય કન્વીનર અને દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલને પણ મળ્યા હતા. આ દરમિયાન દિલ્હીના ડેપ્યુટી સીએમ મનીષ સિસોદિયા પણ હાજર હતા. તેમણે ગુરુગ્રામમાં હરિયાણાના પૂર્વ સીએમ અને INLD નેતા ઓમ પ્રકાશ ચૌટાલા સાથે પણ ચર્ચા કરી હતી.



ગુજરાતના લાખો ગરીબ પરિવારોના આરોગ્યની સુરક્ષાને વધુ સુદૃઢ બનાવવા માટે ગુજરાત સરકારે એક મહત્ત્વપૂર્ણ પગલું ભર્યું છે. ગાંધીનગર ખાતે આરોગ્ય મંત્રી શ્રી પ્રફુલ પાનશેરિયાની ઉપસ્થિતિમાં આયુષ્માન ભારત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના હેઠળ રાજ્ય સરકારે બજાજ ઈન્સ્યોરન્સ કંપની સાથે એક નવા લેટર ઓફ એવોર્ડ(LOA) પર હસ્તાક્ષર કર્યા છે, જે રાજ્યની જનતા માટે આર્થિક રાહત અને વિસ્તૃત આરોગ્ય કવચ સુનિશ્ચિત કરે છે.

મુકેશ અંબાણીએ નાથદ્વારામાં દર્શન કર્યા, ‘યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન’ પ્રોજેક્ટની જાહેરાત કરી છે. મુકેશ અંબાણીએ પવિત્ર નગરી નાથદ્વારામાં શ્રીનાથજી ભગવાનના ભોગ આરતી દર્શનનો દિવ્ય લાભ લીધો તેમજ ગુરુ શ્રી વિશાલબાવા સાહેબના આશીર્વાદ પ્રાપ્ત કર્યા છે. આ અવસરે તેમણે નાથદ્વારામાં આધુનિક અને સુવિધાસંપન્ન “યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન”ના નિર્માણની જાહેરાત કરી છે તેમજ શ્રીનાથદ્વારા મંદિરને ₹15 કરોડનું દાન આપ્યું છે.

ગુજરાત સરકાર દ્વારા ખેડૂતો માટે એક રાહત પેકેજની ઘોષણા કરવામાં આવી છે. ગુજરાતમાં ૨૫મી ઓક્ટોબરથી જે કમોસમી વરસાદનો રાઉન્ડ આવ્યો છે તેમાં , ૪૨ લાખ હેકટર જમીનને નુકશાન થયું છે. અંદાજે ૧૬,૦૦૦ ગામોને અસર પહોંચી છે. તો હવે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ દ્વારા આજે એક કૃષિ રાહત પેકેજની જાહેરાત કરવામાં આવી છે.

અમરેલી જિલ્લામાં કોંગ્રેસ દ્વારા આજે ખેતી બચાવો સત્યાગ્રહ અંતર્ગત લીલીયા ખાતે પ્રતીક ધરણાનો કાર્યક્રમ યોજાયો છે. આ કાર્યક્રમમાં કમોસમી વરસાદના કારણે ખેડૂતોને જે પાક નુકશાની થઇ છે તેને લઇને અમરેલી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપ દુધાત અને પૂર્વ વિપક્ષના નેતા પરેશ ધાનાણીના નેતૃત્વમાં એક સંમેલન યોજાયું છે. આ ઉપરાંત ખેડૂતોના દેવામાફીના મુદ્દે , લીલીયા મામલતદારને આવેદન પત્ર પણ આપવામાં આવ્યું છે. આ પ્રસંગે , ખેડૂતો પણ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા.