દિલ્લીમાં આજથી ઓડ-ઈવન લાગુ, પ્રાથમિક શાળાઓ થશે બંધ


  • Published By :
  • Published Date : 2022-11-05 07:19:01

પંજાબ સહિત દિલ્લીના પશ્ચિમના જિલ્લાઓમાં પરાળી સળગાવતા દિલ્હીમાં પ્રદૂષણનું પ્રમાણ વધી ગયું છે. તે મામલે મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે પત્રકાર પરિષદ યોજી હતી. અરવિંદ કેજરીવાલના જણાવ્યા મુજબ આજથી પ્રાથમિક શાળા બંધ કરી દેવામાં આવશે અને દિલ્લી શહેરમાં ઓડ-ઈવન સિસ્ટમ લાગુ કરી દેવામાં આવશે. 

How Delhi became the most polluted city on Earth - Vox

દિલ્લી શહેરમાં ઓડ-ઈવન સિસ્ટમ લાગુ

ગઈકાલે જ્યારે પત્રકાર પરિષદ કરવામાં આવી ત્યારે પંજાબના મુખ્યમંત્રી ભગવંત માન પણ ઉપસ્થિત રહ્યા હતા. પ્રેસ કોન્ફરન્સમાં કેજરીવાલે જાહેરાત કરી હતી કે આજથી દિલ્લીમાં પ્રાથમિક શાળાઓ બંધ રહેશે. આ સાથે પાંચમા ધોરણથી ઉપરના તમામ વર્ગો માટે આઉટડોર પ્રવૃત્તિઓ પણ બંધ કરી દેવાનો આદેશ અપાયો છે.કેજરીવાલે કહ્યું હતું કે, “દિલ્હીમાં પ્રદૂષણ વધ્યું છે. વાયુ પ્રદૂષણની સમસ્યા માત્ર દિલ્હીમાં જ નથી, પરંતુ ઉત્તર ભારતના ઘણા શહેરોની હવા બગડી ગઈ છે. પ્રદુષણ માટે માત્ર આમ આદમી પાર્ટી જ જવાબદાર નથી. આ સમસ્યાના ઉકેલ માટે કેન્દ્રની મોદી સરકારે આગળ આવવું પડશે.”

 Why Air Quality in Delhi NCR deteriorate during October & November?

દિલ્લીના મુખ્યમંત્રી કેજરીવાલે કહ્યું કે, “કેજરીવાલને ગાળો આપવાથી હવા સાફ નહીં થાય. આપણે સાથે મળીને આયોજન કરવાની જરૂર છે. કેજરીવાલે કહ્યું કે અમે ઓડ-ઈવન પર વિચાર કરી રહ્યા છીએ. જરૂર પડ્યે તેનો અમલ કરવામાં આવશે. આદેશ ગુપ્તા કહી રહ્યા છે કે તેમનો પૌત્ર સમસ્યાનો સામનો કરી રહ્યો છે. તેમનો પૌત્ર પણ મારો પૌત્ર છે. અમે સાથે મળીને પ્રયાસ કરીશું કે કોઈપણ બાળકને કોઈ સમસ્યા ન આવે.

 



ગુજરાતના લાખો ગરીબ પરિવારોના આરોગ્યની સુરક્ષાને વધુ સુદૃઢ બનાવવા માટે ગુજરાત સરકારે એક મહત્ત્વપૂર્ણ પગલું ભર્યું છે. ગાંધીનગર ખાતે આરોગ્ય મંત્રી શ્રી પ્રફુલ પાનશેરિયાની ઉપસ્થિતિમાં આયુષ્માન ભારત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના હેઠળ રાજ્ય સરકારે બજાજ ઈન્સ્યોરન્સ કંપની સાથે એક નવા લેટર ઓફ એવોર્ડ(LOA) પર હસ્તાક્ષર કર્યા છે, જે રાજ્યની જનતા માટે આર્થિક રાહત અને વિસ્તૃત આરોગ્ય કવચ સુનિશ્ચિત કરે છે.

મુકેશ અંબાણીએ નાથદ્વારામાં દર્શન કર્યા, ‘યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન’ પ્રોજેક્ટની જાહેરાત કરી છે. મુકેશ અંબાણીએ પવિત્ર નગરી નાથદ્વારામાં શ્રીનાથજી ભગવાનના ભોગ આરતી દર્શનનો દિવ્ય લાભ લીધો તેમજ ગુરુ શ્રી વિશાલબાવા સાહેબના આશીર્વાદ પ્રાપ્ત કર્યા છે. આ અવસરે તેમણે નાથદ્વારામાં આધુનિક અને સુવિધાસંપન્ન “યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન”ના નિર્માણની જાહેરાત કરી છે તેમજ શ્રીનાથદ્વારા મંદિરને ₹15 કરોડનું દાન આપ્યું છે.

ગુજરાત સરકાર દ્વારા ખેડૂતો માટે એક રાહત પેકેજની ઘોષણા કરવામાં આવી છે. ગુજરાતમાં ૨૫મી ઓક્ટોબરથી જે કમોસમી વરસાદનો રાઉન્ડ આવ્યો છે તેમાં , ૪૨ લાખ હેકટર જમીનને નુકશાન થયું છે. અંદાજે ૧૬,૦૦૦ ગામોને અસર પહોંચી છે. તો હવે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ દ્વારા આજે એક કૃષિ રાહત પેકેજની જાહેરાત કરવામાં આવી છે.

અમરેલી જિલ્લામાં કોંગ્રેસ દ્વારા આજે ખેતી બચાવો સત્યાગ્રહ અંતર્ગત લીલીયા ખાતે પ્રતીક ધરણાનો કાર્યક્રમ યોજાયો છે. આ કાર્યક્રમમાં કમોસમી વરસાદના કારણે ખેડૂતોને જે પાક નુકશાની થઇ છે તેને લઇને અમરેલી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપ દુધાત અને પૂર્વ વિપક્ષના નેતા પરેશ ધાનાણીના નેતૃત્વમાં એક સંમેલન યોજાયું છે. આ ઉપરાંત ખેડૂતોના દેવામાફીના મુદ્દે , લીલીયા મામલતદારને આવેદન પત્ર પણ આપવામાં આવ્યું છે. આ પ્રસંગે , ખેડૂતો પણ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા.