કોરોનાના નવા વેરિએન્ટની દેશમાં એન્ટ્રી, નિષ્ણાતોએ આપી આ સલાહ


  • Published By : Payal rathod
  • Published Date : 2022-10-17 19:44:20

દેશમાં કોરોના વાયરસના કેસ સતત ઘટી રહ્યા છે.  જો કે એક નવા વેરિએન્ટએ ફરીથી ચિંતા વધારી છે. રિપોર્ટમાં જણાવ્યા પ્રમાણે કોરોનાના નવા વેરિએન્ટ ઓમિક્રોનનો સબ-વેરિએન્ટ છે. આ વેરિએન્ટનું નામ BA.5.1.7 છે અને આ વાયરસ ઘણો ઝડપથી ફેલાઈ રહ્યો છે. નિષ્ણાતોના જણાવ્યા પ્રમાણે ભારતમાં BF.7 સબ વેરિએન્ટનાં પહેલા કેસ અંગે ગુજરાત બાયોટેકનોલોજી રિસર્ચ સેન્ટરએ માહિતી મેળવી છે.


  નવા વેરિએન્ટના કારણે ચીનમાં કોરોનાના કેસ વધ્યા 


નવા વેરિએન્ટ અંગે હેલ્થ એક્સપર્ટ સાવધાની રાખવાની સલાહ આપી રહ્યા છે. કેમ કે ચીનમાં કોવિડ-19 કેસ વધી રહ્યા છે. ચીનમાં કોરોનાના કેસની વૃધ્ધી માટે પણ BF.7 અને BA.5.1.7 વેરિએન્ટને જ કારણભુત માનવામાં આવી રહ્યો છે. ઓમિક્રોનના નવા સબ વેરિએન્ટ   BA.5.1.7 અને BF.7 અત્યંત સંક્રામક માનવામાં આવે છે. અને તે દુનિયાભરમાં ખુબ જ ઝડપથી ફેલાઈ રહ્યા છે.


તહેવારોમાં સાવધાની રાખવી અનિવાર્ય


આરોગ્ય નિષ્ણાતોના જણાવ્યા પ્રમાણે હાલ તહેવારોની સીઝન છે જો કે તેમ છતાં પણ માસ્ક પહેરી રાખવું જોઈએ. જો કોઈ વ્યક્તિને શરીરમાં દુખાવો, શરદી કે બેચેની જેવા  લક્ષણો જોવા મળે તો ખુદને આઈસોલેટ કરી દેવા જોઈએ. બે રિચર્ય દ્વારા જાણવા મળ્યું છે કે BF.7 વેરિએન્ટ અન્ય ઓમિક્રોન સબ વેરિએન્ટની તુલનામાં પહેલાના રસીકરણ અને એન્ટી બોડીથી બચી જાય છે અને અત્યંત સક્રામક મનાય છે.




ગુજરાતના લાખો ગરીબ પરિવારોના આરોગ્યની સુરક્ષાને વધુ સુદૃઢ બનાવવા માટે ગુજરાત સરકારે એક મહત્ત્વપૂર્ણ પગલું ભર્યું છે. ગાંધીનગર ખાતે આરોગ્ય મંત્રી શ્રી પ્રફુલ પાનશેરિયાની ઉપસ્થિતિમાં આયુષ્માન ભારત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના હેઠળ રાજ્ય સરકારે બજાજ ઈન્સ્યોરન્સ કંપની સાથે એક નવા લેટર ઓફ એવોર્ડ(LOA) પર હસ્તાક્ષર કર્યા છે, જે રાજ્યની જનતા માટે આર્થિક રાહત અને વિસ્તૃત આરોગ્ય કવચ સુનિશ્ચિત કરે છે.

મુકેશ અંબાણીએ નાથદ્વારામાં દર્શન કર્યા, ‘યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન’ પ્રોજેક્ટની જાહેરાત કરી છે. મુકેશ અંબાણીએ પવિત્ર નગરી નાથદ્વારામાં શ્રીનાથજી ભગવાનના ભોગ આરતી દર્શનનો દિવ્ય લાભ લીધો તેમજ ગુરુ શ્રી વિશાલબાવા સાહેબના આશીર્વાદ પ્રાપ્ત કર્યા છે. આ અવસરે તેમણે નાથદ્વારામાં આધુનિક અને સુવિધાસંપન્ન “યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન”ના નિર્માણની જાહેરાત કરી છે તેમજ શ્રીનાથદ્વારા મંદિરને ₹15 કરોડનું દાન આપ્યું છે.

ગુજરાત સરકાર દ્વારા ખેડૂતો માટે એક રાહત પેકેજની ઘોષણા કરવામાં આવી છે. ગુજરાતમાં ૨૫મી ઓક્ટોબરથી જે કમોસમી વરસાદનો રાઉન્ડ આવ્યો છે તેમાં , ૪૨ લાખ હેકટર જમીનને નુકશાન થયું છે. અંદાજે ૧૬,૦૦૦ ગામોને અસર પહોંચી છે. તો હવે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ દ્વારા આજે એક કૃષિ રાહત પેકેજની જાહેરાત કરવામાં આવી છે.

અમરેલી જિલ્લામાં કોંગ્રેસ દ્વારા આજે ખેતી બચાવો સત્યાગ્રહ અંતર્ગત લીલીયા ખાતે પ્રતીક ધરણાનો કાર્યક્રમ યોજાયો છે. આ કાર્યક્રમમાં કમોસમી વરસાદના કારણે ખેડૂતોને જે પાક નુકશાની થઇ છે તેને લઇને અમરેલી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપ દુધાત અને પૂર્વ વિપક્ષના નેતા પરેશ ધાનાણીના નેતૃત્વમાં એક સંમેલન યોજાયું છે. આ ઉપરાંત ખેડૂતોના દેવામાફીના મુદ્દે , લીલીયા મામલતદારને આવેદન પત્ર પણ આપવામાં આવ્યું છે. આ પ્રસંગે , ખેડૂતો પણ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા.