કોરોનાના નવા વેરિએન્ટની દેશમાં એન્ટ્રી, નિષ્ણાતોએ આપી આ સલાહ


  • Published By : Payal rathod
  • Published Date : 2022-10-17 19:44:20

દેશમાં કોરોના વાયરસના કેસ સતત ઘટી રહ્યા છે.  જો કે એક નવા વેરિએન્ટએ ફરીથી ચિંતા વધારી છે. રિપોર્ટમાં જણાવ્યા પ્રમાણે કોરોનાના નવા વેરિએન્ટ ઓમિક્રોનનો સબ-વેરિએન્ટ છે. આ વેરિએન્ટનું નામ BA.5.1.7 છે અને આ વાયરસ ઘણો ઝડપથી ફેલાઈ રહ્યો છે. નિષ્ણાતોના જણાવ્યા પ્રમાણે ભારતમાં BF.7 સબ વેરિએન્ટનાં પહેલા કેસ અંગે ગુજરાત બાયોટેકનોલોજી રિસર્ચ સેન્ટરએ માહિતી મેળવી છે.


  નવા વેરિએન્ટના કારણે ચીનમાં કોરોનાના કેસ વધ્યા 


નવા વેરિએન્ટ અંગે હેલ્થ એક્સપર્ટ સાવધાની રાખવાની સલાહ આપી રહ્યા છે. કેમ કે ચીનમાં કોવિડ-19 કેસ વધી રહ્યા છે. ચીનમાં કોરોનાના કેસની વૃધ્ધી માટે પણ BF.7 અને BA.5.1.7 વેરિએન્ટને જ કારણભુત માનવામાં આવી રહ્યો છે. ઓમિક્રોનના નવા સબ વેરિએન્ટ   BA.5.1.7 અને BF.7 અત્યંત સંક્રામક માનવામાં આવે છે. અને તે દુનિયાભરમાં ખુબ જ ઝડપથી ફેલાઈ રહ્યા છે.


તહેવારોમાં સાવધાની રાખવી અનિવાર્ય


આરોગ્ય નિષ્ણાતોના જણાવ્યા પ્રમાણે હાલ તહેવારોની સીઝન છે જો કે તેમ છતાં પણ માસ્ક પહેરી રાખવું જોઈએ. જો કોઈ વ્યક્તિને શરીરમાં દુખાવો, શરદી કે બેચેની જેવા  લક્ષણો જોવા મળે તો ખુદને આઈસોલેટ કરી દેવા જોઈએ. બે રિચર્ય દ્વારા જાણવા મળ્યું છે કે BF.7 વેરિએન્ટ અન્ય ઓમિક્રોન સબ વેરિએન્ટની તુલનામાં પહેલાના રસીકરણ અને એન્ટી બોડીથી બચી જાય છે અને અત્યંત સક્રામક મનાય છે.




ધંધુકામાં માત્ર એક ઓવરટેક જેવી નજીવી બાબતે ધર્મેશ ગમારા નામના યુવાનનો જીવ લઇ લેવામાં આવે છે ત્યારબાદ , બે સમુદાયો ધંધુકામાં આમનેસામને આવી જાય છે. ખુબ મોટાપાયે ઘર્ષણ થાય છે. આ પછી , પોલીસ દ્વારા ધંધુકામાં સઘન કોમ્બિંગ હાથ ધરાય છે અને ૨૦૦ લોકોના ઘરોની પણ તપાસ કરવામાં આવી છે. તો હવે પોલીસ આ સમગ્ર મામલે તપાસ કરવા માટે અમદાવાદના રેન્જ IG રાઘવેન્દ્ર વત્સ દ્વારા સ્પેશ્યલ ઇન્વેસ્ટિગેશન ટીમની રચના કરવામાં આવી છે.

ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ માટે મતદાન ૨૬મી એપ્રિલે યોજાવાનું છે ત્યારે , રાજકોટ મહાનગરપાલિકામાં લેઉવા સમાજના મતો ખુબ મોટી સંખ્યામાં છે ત્યારે , ભારતીય જનતા પાર્ટીના રાજકોટના કોર્પોરેટરોએ ખોડલધામના ચેરમેન નરેશ પટેલ સાથે મુલાકાત કરી છે. જોકે આ મુલાકાત પછી , ભાજપ જીતી શકશે કે કેમ તે તો પરિણામના દિવસે જ ખબર પડશે. પરંતુ , રાજકોટ મહાનગરપાલિકામાં ભારતીય જનતા પાર્ટીના ટિકિટ વહેંચણી પછી જૂથવાદ સપાટી પર આવી ગયો છે. આ કારણે પાર્ટીની સામે પડકાર ઉભો થયો છે.

સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓમાં ૨૬મી તારીખે મતદાન યોજાવાનું છે ત્યારે , પંચમહાલમાં કોંગ્રેસને ખુબ મોટો ઝટકો લાગ્યો છે. પંચમહાલ જિલ્લા કોંગ્રેસ પ્રમુખ ચેતનસિંહ પરમારએ ભારતીય જનતા પાર્ટીમાં જોડાઈ ગયા છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના હસ્તે તેમણે ભાજપનો ખેસ ધારણ કર્યો છે. આમ હવે , પંચમહાલ જિલ્લામાં કોંગ્રેસમાં કાર્યકરો નિરાશ થઇ ગયા છે.

નવરચિત વાવ થરાદ જિલ્લામાં મામલતદાર કચેરીએ જયારે ઉમેદવારોના ફોર્મની સ્ક્રૂટિની ચાલી રહી છે ત્યારે મામલતદાર કચેરીએ કોંગ્રેસના કાર્યકરોએ નારેબાજી કરી છે. આ બાબતે બનાસકાંઠા જિલ્લા કોંગ્રેસ પ્રમુખ ગુલાબસિંહ રાજપૂત દ્વારા પોલીસ પર આરોપ લગાવવામાં આવ્યો છે કે , "પોલીસ અમારા ઉમેદવારોને ડરાવવાનું અને ધમકાવવાનું કામ કરી રહી છે. ગુલાબસિંહ રાજપૂતના આ દાવાથી વાવ થરાદ જિલ્લામાં રાજકારણ ગરમાઈ ગયું છે.