કોરોનાના નવા વેરિએન્ટની દેશમાં એન્ટ્રી, નિષ્ણાતોએ આપી આ સલાહ


  • Published By : Payal rathod
  • Published Date : 2022-10-17 19:44:20

દેશમાં કોરોના વાયરસના કેસ સતત ઘટી રહ્યા છે.  જો કે એક નવા વેરિએન્ટએ ફરીથી ચિંતા વધારી છે. રિપોર્ટમાં જણાવ્યા પ્રમાણે કોરોનાના નવા વેરિએન્ટ ઓમિક્રોનનો સબ-વેરિએન્ટ છે. આ વેરિએન્ટનું નામ BA.5.1.7 છે અને આ વાયરસ ઘણો ઝડપથી ફેલાઈ રહ્યો છે. નિષ્ણાતોના જણાવ્યા પ્રમાણે ભારતમાં BF.7 સબ વેરિએન્ટનાં પહેલા કેસ અંગે ગુજરાત બાયોટેકનોલોજી રિસર્ચ સેન્ટરએ માહિતી મેળવી છે.


  નવા વેરિએન્ટના કારણે ચીનમાં કોરોનાના કેસ વધ્યા 


નવા વેરિએન્ટ અંગે હેલ્થ એક્સપર્ટ સાવધાની રાખવાની સલાહ આપી રહ્યા છે. કેમ કે ચીનમાં કોવિડ-19 કેસ વધી રહ્યા છે. ચીનમાં કોરોનાના કેસની વૃધ્ધી માટે પણ BF.7 અને BA.5.1.7 વેરિએન્ટને જ કારણભુત માનવામાં આવી રહ્યો છે. ઓમિક્રોનના નવા સબ વેરિએન્ટ   BA.5.1.7 અને BF.7 અત્યંત સંક્રામક માનવામાં આવે છે. અને તે દુનિયાભરમાં ખુબ જ ઝડપથી ફેલાઈ રહ્યા છે.


તહેવારોમાં સાવધાની રાખવી અનિવાર્ય


આરોગ્ય નિષ્ણાતોના જણાવ્યા પ્રમાણે હાલ તહેવારોની સીઝન છે જો કે તેમ છતાં પણ માસ્ક પહેરી રાખવું જોઈએ. જો કોઈ વ્યક્તિને શરીરમાં દુખાવો, શરદી કે બેચેની જેવા  લક્ષણો જોવા મળે તો ખુદને આઈસોલેટ કરી દેવા જોઈએ. બે રિચર્ય દ્વારા જાણવા મળ્યું છે કે BF.7 વેરિએન્ટ અન્ય ઓમિક્રોન સબ વેરિએન્ટની તુલનામાં પહેલાના રસીકરણ અને એન્ટી બોડીથી બચી જાય છે અને અત્યંત સક્રામક મનાય છે.




ગુજરાત હવે ખેલકૂદમાં પણ "ગ્લોબલ હબ" બનીને ઉભરી રહ્યું છે. આવનારા સમયમાં 2030ના વર્ષમાં કોમનવેલ્થ ગેમ્સ અમદાવાદમાં યોજવા જઈ રહી છે. આગામી સમયમાં 2036માં ભારતમાં ઓલિમ્પિક યોજાય તે માટે પ્રયાસો શરુ થઇ ગયા છે. ઇન્ડિયન ઓલિમ્પિક એસોસિએશનની એક્ઝિક્યુટિવ કાઉન્સિલ દ્વારા નેશનલ ઓલિમ્પિક એજ્યુકેશન એન્ડ ડેવલપમન્ટ પ્રોગ્રામ લોન્ચ કરવામાં આવ્યો છે. સાથે જ નેશનલ ઓલિમ્પિક એકેડેમીને ફરી સક્રિય કરવામાં આવી છે. આ નિર્ણય ૮મી જાન્યુઆરીએ ઇન્ડિયન ઓલિમ્પિક એસોસિએશનની એક્ઝિક્યુટિવ કાઉન્સિલ મળી હતી તેમાં લેવાયો છે અને આ પછી , 9મી જાન્યુઆરીએ ઇન્ડિયન ઓલિમ્પિક એસોસિએશનની જે વાર્ષિક સામાન્ય સભા મળી હતી તેમાં આ નિર્ણયને મંજૂરી આપવામાં આવી હતી. IOAની આ બંને મિટિંગ અમદાવાદ ખાતે મળી હતી.

પશ્ચિમ એશિયાના દેશ ઈરાનમાં હાલમાં સ્થિતિ ખુબ જ તણાવપૂર્ણ છે. ત્યાં છેલ્લા બે અઠવાડિયાથી સરકાર વિરોધી દેખાવો ચાલુ છે. તો બીજી તરફ , USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પને , ઈરાનમાં સંભવિત લશ્કરી કાર્યવાહી કરવા માટેના વિકલ્પોની જાણકારી આપવામાં આવી છે. ઈરાને સ્પષ્ટ કરી દીધું છે કે, અમારા પર કોઈ પણ પ્રકારની કાર્યવાહી કરવામાં આવશે તો અમે જવાબ આપીશું.

સુરતના ખુબ ચર્ચિત બીટકોઈન કેસમાં , અમરેલીના ભારતીય જનતા પાર્ટીના પૂર્વ MLA નલિન કોટડીયાને , ગુજરાત હાઇકોર્ટ દ્વારા , ૫૦ હજારના બોન્ડ પર જામીન આપવામાં આવ્યા છે. અમદાવાદની ACB કોર્ટે , પૂર્વ MLA નલિન કોટડીયા સહીત ૧૪ આરોપીઓને આ જીવન કેદની ફટકારી હતી. નલિન કોટડીયા પર , ૨૦૧૮માં સુરતના બિલ્ડર શૈલેષ ભટ્ટનું અપહરણ કરીને , ખંડણી માંગવાનો આરોપ લાગેલો છે.

જવાહરલાલ નહેરુ યુનિવર્સિટીના કેમ્પસમાં કેટલાક વિદ્યાર્થીઓ પર મોડી રાત્રે વિવાદિત નારેબાજી કરી હોવાનો આરોપ છે. જેમાં નારા લગાવવામાં આવ્યા છે કે , " મોદી-શાહ કી કબર ખુદેગી , JNU કી ધરતી પર." આ અગાઉ , ૨૦૧૬માં JNUમાં રાષ્ટ્રવિરોધી નારાઓ લાગ્યા હતા જેના કારણે , તે ચર્ચામાં આવી હતી. JNUમાં થયેલી આ નારેબાજીના વિડિઓ સોશ્યિલ મીડિયામાં વાઇરલ થયા છે જેના કારણે રાજનીતિમાં ગરમાવો આવી ગયો છે.