પાણી માટે વલખા મારતી પ્રજા, Surendranagarના ગ્રામ્ય વિસ્તારોમાં 40 દિવસથી પાણી નથી, વિરોધ કર્યો તો 2 કલાક આપ્યું, કાયમી ઉકેલ ક્યારે?


  • Published By :
  • Published Date : 2024-05-29 17:00:23

રાજ્યમાં પ્રાથમિક સુવિધાઓ મેળવવી દરેક નાગરિકનો અધિકાર છે એ સુવિધાઓ માટે જો 40 દિવસ સુધી વલખા મારવા પડે તો પ્રશાસન પર ધિક્કાર છે... સુરેન્દ્રનગરના ચુડા તાલુકામાં અનેક ગામના લોકો 40 દિવસથી મામલતદાર કચેરી પર બેઠા છે... અનેક રજૂઆતો બાદ પણ પ્રશાસનના પેટનું પાણી નથી હલતું... ત્યાંના આગેવાનની બાઈટ સામે આવી છે જેમાં તે કહી રહ્યા છે કે છેલ્લા કેટલાય સમયથી રજૂઆત કરી રહ્યાં છીએ... હવે બહેનો અહીંયા બેઠી છે... પાણી તો આવતું નથી.. તો ઘરે જઈને કરશું શું.. એટલે ત્યાં જ બેસી રહેવાનો નિર્ધાર કર્યો છે.. 

મામલતદાર કચેરી પહોંચ્યા હતા લોકો અને કરી ઉગ્ર રજૂઆત 

ઉનાળાના સમયમાં પાણી ના મળે તો? આપણે ત્યાં જો અડઘો કલાક પાણી ના આવે તો પણ આપણને નથી ચાલતું પરંતુ તમે કલ્પના કરો કે તમારા ઘરે અનેક દિવસો સુધી પાણી ના આવે તો? વિચારીને જ થાય કે પાણી ના આવે તો કેવી રીતે ચાલે? ત્યારે સુરેન્દ્રનગર જિલ્લાના ચુડા તાલુકા ગામ ખાતે તાલુકાના જૂની મોરવાડ ,નવી મોરવાડ, જોબાળા વગેરે ચુડા તાલુકાના ગામોમાં પીવાના પાણીની વિકટ પરિસ્થિતિ છે. પાણીની વિકટ પરિસ્થિતિ લઈને સ્થાનિકો ચુડા મામલતદાર કચેરી પહોંચ્યા હતા અને આવેદન આપી ઉગ્ર રજૂઆત કરી હતી.. તાત્કાલિક અસરથી પીવાના પાણીની સમસ્યા હલ કરવામાં આવે તેવી લાગણીને માંગણી સાથે આવેદનપત્ર આપવામાં આવ્યું.... 


જો અત્યારે ઉકેલ નહીં આવે તો... 

રાતના અંધારામાં અને દિવસના ભયંકર તડકાના ત્રાસમાં પણ પ્રશાસનના દરવાજે બેઠા છે એક આશાથી કે તેમની રજૂઆતો કોઈ સાંભળશે....થોડા દિવસ પહેલાના દ્રશ્યો પણ સામે આવ્યા હતા. જ્યારે કલેક્ટર ઓફિસ પર આ મહિલાઓએ સવારથી સાંજ સુધી મોરચો માંડ્યો તો બધાને ઘરે મોકલીને પાણી ચાલુ કરાયું માત્ર 1 કે બે કલાક માટે... કેમ કે એસી ચેમ્બરમાં બેસેલા લોકોને ખબર હતી કે જો અત્યારે આ ઉકેલ નહીં આવે તો લોકો અહીંયાથી નહીં જાય... એટલે ટેમ્પરરી સોલ્યુશન આપીને ખુશી માની લીધી... કાયમી ઉકેલ હજુ સુધી નથી આવ્યો... આ લોકો આજે પણ પાણી માટે રાહ નથી જોઈ રહ્યાં વલખા મારી રહ્યાં છે... 


40 દિવસથી પાણી માટે વલખા મારતા લોકોને પાણી મળે તેવી આશા

લોકોને શું આમ જ પોતાની જરુરિયાતો માટે વિરોધ કરતા રહેવાનો છે... આંદોલનો કરતા રહેવાના છે...એ પણ નેશનલ હાઈવેને અડીને આવેલા ગ્રામ્ય વિસ્તારોમાં... એક ગામમાં પાણી આવે અને બીજા ગામડાઓમાં ન આવે.....જનતાના એ જનપ્રતિનીધીઓ ક્યાં છે...મત લેવા માટે તો એક એક ઘરે જાવ છો... તો શું કલેક્ટર ઓફિસમાં વિરોધ કરતા આ લોકો નથી દેખાતા.... કે દરેક વખતે હાલશે એ લોકો તો વિરોધ કરે આમ જ હોય આ જ નીતિ અપનાવવાની છે તમારે.... અમારી આશા એટલી જ છે કે 40 દિવસ પાણી વગર ટળવળતી જનતાને પાણી મળે... અને તેમને ન્યાય મળે.... 



ભારત સરકારે પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફનું ઓફિસિયલ પ્લેટફોર્મ એક્સનું એકાઉન્ટ સસ્પેન્ડ કરી નાખ્યું છે. પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફએ જે પેહલા નિવેદન આપ્યું હતું તે પણ ખુબ જ ચર્ચામાં રહ્યું હતું. આ પેહલા તેમણે એક ખાનગી ન્યુઝ ચેનલને આપેલા ઇન્ટરવ્યુમાં એ વાતનો સ્વીકાર કરી લીધો છે કે , પાકિસ્તાન છેલ્લા ૩૦ વર્ષથી આતંકીઓને ટ્રેનિંગ આપતું આવ્યું છે. હવે તેમણે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા રીયુટર્સને આપેલા ઇન્ટરવ્યુમાં એક વાતનો સાફ સ્વીકાર કરી લીધો છે કે , ભારત ગમે ત્યારે પાકિસ્તાન પર હુમલો કરી શકે છે.

ભારતના રક્ષામંત્રી રાજનાથ સિંહ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ૭ લોકકલ્યાણ માર્ગ પર મળીને નીકળ્યા છે. આ પેહલા રક્ષામંત્રી રાજનાથ સિંહ ગયિકાલે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ અનિલ ચૌહાણને મળ્યા હતા. સાથે જ તેમણે ભારતની ભવિષ્યની રણનીતિ વિશે ચર્ચા કરી હતી. તો હવે આજે જમ્મુ કાશ્મીર વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું છે. જેમાં બધા જ પક્ષોએ એક જ સૂરમાં આ આતંકવાદી હુમલાનો વિરોધ કર્યો છે.

ગુજરાત સરકાર, ગુજરાત ઈન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ કોર્પોરેશન અને મુંબઈ સ્થિત અમેરિકન કોન્સ્યુલેટના સંયુક્ત ઉપક્રમે અમદાવાદમાં ૨૫ એપ્રિલે યોજાઈ સેમિકન્ડક્ટર કોન્ફરન્સ, જેમાં ઉદ્યોગના નિષ્ણાંતો હિસ્સો બન્યા અને સેમિકન્ડક્ટર રાઉન્ડ ટેબલમાં વિવિધ વિષયોની ચર્ચા કરાઈ, આ કાર્યક્રમમાં ઈન્ડો અમેરિકન ચેમ્બર ઓફ કોમર્સ પણ હિસ્સો બન્યું હતુ.

૧લી મે એટલે , આપણા ગુજરાતનો સ્થાપના દિવસ . આપણા ગુજરાતીઓ માટે મતલબ થાય છે ખાલી ક્રિકેટ . પરંતુ હવે અમદાવાદના કાંકરિયા સ્થિત ટ્રાન્સસ્ટેડિયામાં ગુજરાત સ્ટેટ ફૂટબોલ એસોસિયએશન દ્વારા ૧લી મેં થી ૧૩મી મેં સુધી ગુજરાત સુપર લીગનું આયોજન કરેલું છે