પાણી માટે વલખા મારતી પ્રજા, Surendranagarના ગ્રામ્ય વિસ્તારોમાં 40 દિવસથી પાણી નથી, વિરોધ કર્યો તો 2 કલાક આપ્યું, કાયમી ઉકેલ ક્યારે?


  • Published By :
  • Published Date : 2024-05-29 17:00:23

રાજ્યમાં પ્રાથમિક સુવિધાઓ મેળવવી દરેક નાગરિકનો અધિકાર છે એ સુવિધાઓ માટે જો 40 દિવસ સુધી વલખા મારવા પડે તો પ્રશાસન પર ધિક્કાર છે... સુરેન્દ્રનગરના ચુડા તાલુકામાં અનેક ગામના લોકો 40 દિવસથી મામલતદાર કચેરી પર બેઠા છે... અનેક રજૂઆતો બાદ પણ પ્રશાસનના પેટનું પાણી નથી હલતું... ત્યાંના આગેવાનની બાઈટ સામે આવી છે જેમાં તે કહી રહ્યા છે કે છેલ્લા કેટલાય સમયથી રજૂઆત કરી રહ્યાં છીએ... હવે બહેનો અહીંયા બેઠી છે... પાણી તો આવતું નથી.. તો ઘરે જઈને કરશું શું.. એટલે ત્યાં જ બેસી રહેવાનો નિર્ધાર કર્યો છે.. 

મામલતદાર કચેરી પહોંચ્યા હતા લોકો અને કરી ઉગ્ર રજૂઆત 

ઉનાળાના સમયમાં પાણી ના મળે તો? આપણે ત્યાં જો અડઘો કલાક પાણી ના આવે તો પણ આપણને નથી ચાલતું પરંતુ તમે કલ્પના કરો કે તમારા ઘરે અનેક દિવસો સુધી પાણી ના આવે તો? વિચારીને જ થાય કે પાણી ના આવે તો કેવી રીતે ચાલે? ત્યારે સુરેન્દ્રનગર જિલ્લાના ચુડા તાલુકા ગામ ખાતે તાલુકાના જૂની મોરવાડ ,નવી મોરવાડ, જોબાળા વગેરે ચુડા તાલુકાના ગામોમાં પીવાના પાણીની વિકટ પરિસ્થિતિ છે. પાણીની વિકટ પરિસ્થિતિ લઈને સ્થાનિકો ચુડા મામલતદાર કચેરી પહોંચ્યા હતા અને આવેદન આપી ઉગ્ર રજૂઆત કરી હતી.. તાત્કાલિક અસરથી પીવાના પાણીની સમસ્યા હલ કરવામાં આવે તેવી લાગણીને માંગણી સાથે આવેદનપત્ર આપવામાં આવ્યું.... 


જો અત્યારે ઉકેલ નહીં આવે તો... 

રાતના અંધારામાં અને દિવસના ભયંકર તડકાના ત્રાસમાં પણ પ્રશાસનના દરવાજે બેઠા છે એક આશાથી કે તેમની રજૂઆતો કોઈ સાંભળશે....થોડા દિવસ પહેલાના દ્રશ્યો પણ સામે આવ્યા હતા. જ્યારે કલેક્ટર ઓફિસ પર આ મહિલાઓએ સવારથી સાંજ સુધી મોરચો માંડ્યો તો બધાને ઘરે મોકલીને પાણી ચાલુ કરાયું માત્ર 1 કે બે કલાક માટે... કેમ કે એસી ચેમ્બરમાં બેસેલા લોકોને ખબર હતી કે જો અત્યારે આ ઉકેલ નહીં આવે તો લોકો અહીંયાથી નહીં જાય... એટલે ટેમ્પરરી સોલ્યુશન આપીને ખુશી માની લીધી... કાયમી ઉકેલ હજુ સુધી નથી આવ્યો... આ લોકો આજે પણ પાણી માટે રાહ નથી જોઈ રહ્યાં વલખા મારી રહ્યાં છે... 


40 દિવસથી પાણી માટે વલખા મારતા લોકોને પાણી મળે તેવી આશા

લોકોને શું આમ જ પોતાની જરુરિયાતો માટે વિરોધ કરતા રહેવાનો છે... આંદોલનો કરતા રહેવાના છે...એ પણ નેશનલ હાઈવેને અડીને આવેલા ગ્રામ્ય વિસ્તારોમાં... એક ગામમાં પાણી આવે અને બીજા ગામડાઓમાં ન આવે.....જનતાના એ જનપ્રતિનીધીઓ ક્યાં છે...મત લેવા માટે તો એક એક ઘરે જાવ છો... તો શું કલેક્ટર ઓફિસમાં વિરોધ કરતા આ લોકો નથી દેખાતા.... કે દરેક વખતે હાલશે એ લોકો તો વિરોધ કરે આમ જ હોય આ જ નીતિ અપનાવવાની છે તમારે.... અમારી આશા એટલી જ છે કે 40 દિવસ પાણી વગર ટળવળતી જનતાને પાણી મળે... અને તેમને ન્યાય મળે.... 



જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.

આંતરરાષ્ટ્રીય સંબંધોમાં USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર ચર્ચાઓમાં છે તેમણે ફરી એકવાર , ભારતને લઇને નિવેદનબાજીઓ કરી છે. ડોનાલ્ડ ટ્રમ્પને અપેક્ષા છે કે , ભારત આ વર્ષના અંતથી રશિયન ક્રૂડની આયાત કરવાનું બંધ કરી દેશે. આ ઉપરાંત ડોનાલ્ડ ટ્રમ્પએ ચીન વિશે નિવેદન આપતા કહ્યું છે કે , બાઈડેન અને ઓબામાની નીતિઓના કારણે ચીન અને રશિયા એક થયા છે. બાકી બંને મિત્ર રહી શકે તેમ છે જ નહીં. ચીનના રશિયા સાથેના સંબંધો અલગ પ્રકારના છે.

રાજકોટના ગોંડલના ખુબ ચર્ચિત રાજકુમાર જાટ કેસમાં આ આખા કેસની તપાસ હવે સુરેન્દ્રનગરના SP , IPS પ્રેમસુખ ડેલુંને સોંપાઈ છે. જે ડી પુરોહિત કે જેઓ ધ્રાંગધ્રાના DYSP છે એ તેમને આ કેસની તપાસમાં મદદ કરશે. આમ હવે રાજકુમાર જાટ કેસમાં તપાસ માટે એક નવી તપાસ ટીમ બનાવવામાં આવશે. રાજકુમાર જાટના પરિવારજનોનું માનવું છે કે , સ્થાનિક પોલીસ પૂર્વ MLA જયરાજસિંહને બચાવી રહી છે. આ કેસની વધુ તપાસ CBIને સોંપવામાં આવે તેવી અરજી પણ તેમના દ્વારા દાખલ કરવામાં આવી હતી. ગુજરાત હાઇકોર્ટ દ્વારા આ કેસને લઇને મહત્વના નિર્દેશ આપવામાં આવ્યા છે.

રાજકોટના ખુબ ચર્ચિત કેસ અમિત ખૂંટ કેસમાં અનિરુદ્ધસિંહ જાડેજાના દીકરા રાજદીપસિંહ જાડેજાના આગોતરા જામીન હવે સુપ્રીમ કોર્ટે ફગાવી દીધા છે. સુપ્રીમ કોર્ટે દ્વારા રાજદીપ સિંહ જાડેજાના આગોતરા જામીન ના મંજુર કરવાંમાં આવ્યા છે. જેનાથી હવે રાજદીપ જાડેજાની મુશ્કેલીઓમાં વધારો થઇ શકે છે. આપને જણાવી દયિકે , રાજદીપસિંહ જાડેજાના પિતા અનિરુદ્ધસિંહ જાડેજા હાલમાં EX MLA પોપટલાલ સોરઠીયા કેસમાં સજામાફી રદ થવાના કારણે જેલમાં જ છે.