વર્ષ 2022માં નોકરી અને રૂપિયા માટે 3.7 લાખ લોકોએ ભારત છોડ્યું, જાણો તેઓ ક્યાં ગયા?


  • Published By :
  • Published Date : 2023-03-15 19:10:26

ભારતમાંથી મોટી સંખ્યામાં લોકો વિદેશમાં સ્થાયી થઈ રહ્યા છે, નોકરી, ધંધા કે પછી અન્ય કારણોથી લોકો વિદેશગમન કરી રહ્યા છે. કેન્દ્ર સરકારે 14 માર્ચે લોકસભામાં આપેલી જાણકારી મુજબ વર્ષ 2022માં ઈમિગ્રેશન એક્ટ, 1983 હેઠળ 3,73,434 ભારતીયોને ઈમિગ્રેશન ક્લિયરન્સ આપવામાં આવ્યું હતું, જેમાંથી 10,654 પંજાબના હતા.


પંજાબમાં વિદેશગમનનો ક્રેઝ?


સંસદના પ્રશ્નોત્તરી કાળ દરમિયાન શિરોમણી અકાલી દળ (SAD)ના સાંસદ હરસિમરત કૌર બાદલના એક પ્રશ્નના જવાબમાં, ગૃહ રાજ્ય મંત્રી નિત્યાનંદ રાયે જણાવ્યું હતું કે વર્ષ 2022માં અખિલ ભારતીય સ્તરે કુલ 3,73,434 ઈમિગ્રેશન ક્લિયરન્સ જારી કરવામાં આવ્યા હતા, જેમાં માત્ર પંજાબમાંથી 10,654 ક્લિયરન્સ આપવામાં આવ્યા છે.


કયા દેશો છે હોટ ફેવરીટ?


ભારતીય નાગરિકો મુખ્યત્વે રોજગારી માટે પરદેશમાં સ્થાયી થતાં હોય છે. દુનિયાના આ 18 દેશો જેવા કે સંયુક્ત આરબ અમીરાત (UAE), સાઉદી અરેબિયા, ઇન્ડોનેશિયા, કતાર, ઓમાન, કુવૈત, બહેરીન, મલેશિયા, લિબિયા, જોર્ડન, યમન, સુદાન, દક્ષિણ સુદાન, અફઘાનિસ્તાન, ઇન્ડોનેશિયા, સીરિયા, લેબનોન અને થાઇલેન્ડ ભારતીયોમાં હોટ ફેવરીટ છે.


5 વર્ષમાં 8 લાખ લોકોએ મેળવી વિદેશી નાગરિકતા 


સત્તાવાર આંકડા અનુસાર, વર્ષ 2015 અને 2020 વચ્ચે એટલે કે 5 વર્ષની વચ્ચે આઠ લાખથી વધુ લોકોએ ભારતની નાગરિકતા છોડી દીધી. જો કે વર્ષ 2020માં આ આંકડામાં ઘટાડો જોવા મળ્યો હતો, પરંતુ તેનું કારણ કોરોના મહામારી હોવાનું માનવામાં આવે છે. ગૃહ મંત્રાલયના જણાવ્યા અનુસાર, વર્ષ 2021માં 163,370 ભારતીયોએ દેશની નાગરિકતા છોડી દીધી હતી. સંસદમાં કહેવામાં આવ્યું હતું કે આ લોકોએ આવો નિર્ણય "વ્યક્તિગત કારણોસર" લીધો હતો. અન્ય દેશોની સરખામણીએ સૌથી વધુ એટલે કે 78,284 લોકોએ અમેરિકન નાગરિકતા માટે ભારતીય નાગરિકતા છોડી દીધી. તે જ વર્ષે ઓસ્ટ્રેલિયામાં 23,533 લોકોએ પોતાનું નવું જીવન શરૂ કર્યું અને 21,597 લોકોએ કેનેડાની નાગરિકતા મેળવી છે.




ગુજરાતના લાખો ગરીબ પરિવારોના આરોગ્યની સુરક્ષાને વધુ સુદૃઢ બનાવવા માટે ગુજરાત સરકારે એક મહત્ત્વપૂર્ણ પગલું ભર્યું છે. ગાંધીનગર ખાતે આરોગ્ય મંત્રી શ્રી પ્રફુલ પાનશેરિયાની ઉપસ્થિતિમાં આયુષ્માન ભારત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના હેઠળ રાજ્ય સરકારે બજાજ ઈન્સ્યોરન્સ કંપની સાથે એક નવા લેટર ઓફ એવોર્ડ(LOA) પર હસ્તાક્ષર કર્યા છે, જે રાજ્યની જનતા માટે આર્થિક રાહત અને વિસ્તૃત આરોગ્ય કવચ સુનિશ્ચિત કરે છે.

મુકેશ અંબાણીએ નાથદ્વારામાં દર્શન કર્યા, ‘યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન’ પ્રોજેક્ટની જાહેરાત કરી છે. મુકેશ અંબાણીએ પવિત્ર નગરી નાથદ્વારામાં શ્રીનાથજી ભગવાનના ભોગ આરતી દર્શનનો દિવ્ય લાભ લીધો તેમજ ગુરુ શ્રી વિશાલબાવા સાહેબના આશીર્વાદ પ્રાપ્ત કર્યા છે. આ અવસરે તેમણે નાથદ્વારામાં આધુનિક અને સુવિધાસંપન્ન “યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન”ના નિર્માણની જાહેરાત કરી છે તેમજ શ્રીનાથદ્વારા મંદિરને ₹15 કરોડનું દાન આપ્યું છે.

ગુજરાત સરકાર દ્વારા ખેડૂતો માટે એક રાહત પેકેજની ઘોષણા કરવામાં આવી છે. ગુજરાતમાં ૨૫મી ઓક્ટોબરથી જે કમોસમી વરસાદનો રાઉન્ડ આવ્યો છે તેમાં , ૪૨ લાખ હેકટર જમીનને નુકશાન થયું છે. અંદાજે ૧૬,૦૦૦ ગામોને અસર પહોંચી છે. તો હવે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ દ્વારા આજે એક કૃષિ રાહત પેકેજની જાહેરાત કરવામાં આવી છે.

અમરેલી જિલ્લામાં કોંગ્રેસ દ્વારા આજે ખેતી બચાવો સત્યાગ્રહ અંતર્ગત લીલીયા ખાતે પ્રતીક ધરણાનો કાર્યક્રમ યોજાયો છે. આ કાર્યક્રમમાં કમોસમી વરસાદના કારણે ખેડૂતોને જે પાક નુકશાની થઇ છે તેને લઇને અમરેલી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપ દુધાત અને પૂર્વ વિપક્ષના નેતા પરેશ ધાનાણીના નેતૃત્વમાં એક સંમેલન યોજાયું છે. આ ઉપરાંત ખેડૂતોના દેવામાફીના મુદ્દે , લીલીયા મામલતદારને આવેદન પત્ર પણ આપવામાં આવ્યું છે. આ પ્રસંગે , ખેડૂતો પણ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા.