વર્ષ 2022માં નોકરી અને રૂપિયા માટે 3.7 લાખ લોકોએ ભારત છોડ્યું, જાણો તેઓ ક્યાં ગયા?


  • Published By :
  • Published Date : 2023-03-15 19:10:26

ભારતમાંથી મોટી સંખ્યામાં લોકો વિદેશમાં સ્થાયી થઈ રહ્યા છે, નોકરી, ધંધા કે પછી અન્ય કારણોથી લોકો વિદેશગમન કરી રહ્યા છે. કેન્દ્ર સરકારે 14 માર્ચે લોકસભામાં આપેલી જાણકારી મુજબ વર્ષ 2022માં ઈમિગ્રેશન એક્ટ, 1983 હેઠળ 3,73,434 ભારતીયોને ઈમિગ્રેશન ક્લિયરન્સ આપવામાં આવ્યું હતું, જેમાંથી 10,654 પંજાબના હતા.


પંજાબમાં વિદેશગમનનો ક્રેઝ?


સંસદના પ્રશ્નોત્તરી કાળ દરમિયાન શિરોમણી અકાલી દળ (SAD)ના સાંસદ હરસિમરત કૌર બાદલના એક પ્રશ્નના જવાબમાં, ગૃહ રાજ્ય મંત્રી નિત્યાનંદ રાયે જણાવ્યું હતું કે વર્ષ 2022માં અખિલ ભારતીય સ્તરે કુલ 3,73,434 ઈમિગ્રેશન ક્લિયરન્સ જારી કરવામાં આવ્યા હતા, જેમાં માત્ર પંજાબમાંથી 10,654 ક્લિયરન્સ આપવામાં આવ્યા છે.


કયા દેશો છે હોટ ફેવરીટ?


ભારતીય નાગરિકો મુખ્યત્વે રોજગારી માટે પરદેશમાં સ્થાયી થતાં હોય છે. દુનિયાના આ 18 દેશો જેવા કે સંયુક્ત આરબ અમીરાત (UAE), સાઉદી અરેબિયા, ઇન્ડોનેશિયા, કતાર, ઓમાન, કુવૈત, બહેરીન, મલેશિયા, લિબિયા, જોર્ડન, યમન, સુદાન, દક્ષિણ સુદાન, અફઘાનિસ્તાન, ઇન્ડોનેશિયા, સીરિયા, લેબનોન અને થાઇલેન્ડ ભારતીયોમાં હોટ ફેવરીટ છે.


5 વર્ષમાં 8 લાખ લોકોએ મેળવી વિદેશી નાગરિકતા 


સત્તાવાર આંકડા અનુસાર, વર્ષ 2015 અને 2020 વચ્ચે એટલે કે 5 વર્ષની વચ્ચે આઠ લાખથી વધુ લોકોએ ભારતની નાગરિકતા છોડી દીધી. જો કે વર્ષ 2020માં આ આંકડામાં ઘટાડો જોવા મળ્યો હતો, પરંતુ તેનું કારણ કોરોના મહામારી હોવાનું માનવામાં આવે છે. ગૃહ મંત્રાલયના જણાવ્યા અનુસાર, વર્ષ 2021માં 163,370 ભારતીયોએ દેશની નાગરિકતા છોડી દીધી હતી. સંસદમાં કહેવામાં આવ્યું હતું કે આ લોકોએ આવો નિર્ણય "વ્યક્તિગત કારણોસર" લીધો હતો. અન્ય દેશોની સરખામણીએ સૌથી વધુ એટલે કે 78,284 લોકોએ અમેરિકન નાગરિકતા માટે ભારતીય નાગરિકતા છોડી દીધી. તે જ વર્ષે ઓસ્ટ્રેલિયામાં 23,533 લોકોએ પોતાનું નવું જીવન શરૂ કર્યું અને 21,597 લોકોએ કેનેડાની નાગરિકતા મેળવી છે.




પહલગામના આતંકી હુમલા પછી રાજધાની દિલ્હીમાં એક પછી એક મહત્વની બેઠકો મળવાનું ચાલુ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ૭ , લોક કલ્યાણ માર્ગ સ્થિત નિવાસ સ્થાને કેબિનેટ કમિટી ઓન સિક્યોરિટીની મિટિંગ મળી છે. આ પછી કેબિનેટ કમિટી ઓન પોલિટિકલ અફેર્સની મિટિંગ પણ મળી છે.

ભારત સરકારે પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફનું ઓફિસિયલ પ્લેટફોર્મ એક્સનું એકાઉન્ટ સસ્પેન્ડ કરી નાખ્યું છે. પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફએ જે પેહલા નિવેદન આપ્યું હતું તે પણ ખુબ જ ચર્ચામાં રહ્યું હતું. આ પેહલા તેમણે એક ખાનગી ન્યુઝ ચેનલને આપેલા ઇન્ટરવ્યુમાં એ વાતનો સ્વીકાર કરી લીધો છે કે , પાકિસ્તાન છેલ્લા ૩૦ વર્ષથી આતંકીઓને ટ્રેનિંગ આપતું આવ્યું છે. હવે તેમણે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા રીયુટર્સને આપેલા ઇન્ટરવ્યુમાં એક વાતનો સાફ સ્વીકાર કરી લીધો છે કે , ભારત ગમે ત્યારે પાકિસ્તાન પર હુમલો કરી શકે છે.

ભારતના રક્ષામંત્રી રાજનાથ સિંહ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ૭ લોકકલ્યાણ માર્ગ પર મળીને નીકળ્યા છે. આ પેહલા રક્ષામંત્રી રાજનાથ સિંહ ગયિકાલે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ અનિલ ચૌહાણને મળ્યા હતા. સાથે જ તેમણે ભારતની ભવિષ્યની રણનીતિ વિશે ચર્ચા કરી હતી. તો હવે આજે જમ્મુ કાશ્મીર વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું છે. જેમાં બધા જ પક્ષોએ એક જ સૂરમાં આ આતંકવાદી હુમલાનો વિરોધ કર્યો છે.

ગુજરાત સરકાર, ગુજરાત ઈન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ કોર્પોરેશન અને મુંબઈ સ્થિત અમેરિકન કોન્સ્યુલેટના સંયુક્ત ઉપક્રમે અમદાવાદમાં ૨૫ એપ્રિલે યોજાઈ સેમિકન્ડક્ટર કોન્ફરન્સ, જેમાં ઉદ્યોગના નિષ્ણાંતો હિસ્સો બન્યા અને સેમિકન્ડક્ટર રાઉન્ડ ટેબલમાં વિવિધ વિષયોની ચર્ચા કરાઈ, આ કાર્યક્રમમાં ઈન્ડો અમેરિકન ચેમ્બર ઓફ કોમર્સ પણ હિસ્સો બન્યું હતુ.