વર્ષ 2022માં નોકરી અને રૂપિયા માટે 3.7 લાખ લોકોએ ભારત છોડ્યું, જાણો તેઓ ક્યાં ગયા?


  • Published By :
  • Published Date : 2023-03-15 19:10:26

ભારતમાંથી મોટી સંખ્યામાં લોકો વિદેશમાં સ્થાયી થઈ રહ્યા છે, નોકરી, ધંધા કે પછી અન્ય કારણોથી લોકો વિદેશગમન કરી રહ્યા છે. કેન્દ્ર સરકારે 14 માર્ચે લોકસભામાં આપેલી જાણકારી મુજબ વર્ષ 2022માં ઈમિગ્રેશન એક્ટ, 1983 હેઠળ 3,73,434 ભારતીયોને ઈમિગ્રેશન ક્લિયરન્સ આપવામાં આવ્યું હતું, જેમાંથી 10,654 પંજાબના હતા.


પંજાબમાં વિદેશગમનનો ક્રેઝ?


સંસદના પ્રશ્નોત્તરી કાળ દરમિયાન શિરોમણી અકાલી દળ (SAD)ના સાંસદ હરસિમરત કૌર બાદલના એક પ્રશ્નના જવાબમાં, ગૃહ રાજ્ય મંત્રી નિત્યાનંદ રાયે જણાવ્યું હતું કે વર્ષ 2022માં અખિલ ભારતીય સ્તરે કુલ 3,73,434 ઈમિગ્રેશન ક્લિયરન્સ જારી કરવામાં આવ્યા હતા, જેમાં માત્ર પંજાબમાંથી 10,654 ક્લિયરન્સ આપવામાં આવ્યા છે.


કયા દેશો છે હોટ ફેવરીટ?


ભારતીય નાગરિકો મુખ્યત્વે રોજગારી માટે પરદેશમાં સ્થાયી થતાં હોય છે. દુનિયાના આ 18 દેશો જેવા કે સંયુક્ત આરબ અમીરાત (UAE), સાઉદી અરેબિયા, ઇન્ડોનેશિયા, કતાર, ઓમાન, કુવૈત, બહેરીન, મલેશિયા, લિબિયા, જોર્ડન, યમન, સુદાન, દક્ષિણ સુદાન, અફઘાનિસ્તાન, ઇન્ડોનેશિયા, સીરિયા, લેબનોન અને થાઇલેન્ડ ભારતીયોમાં હોટ ફેવરીટ છે.


5 વર્ષમાં 8 લાખ લોકોએ મેળવી વિદેશી નાગરિકતા 


સત્તાવાર આંકડા અનુસાર, વર્ષ 2015 અને 2020 વચ્ચે એટલે કે 5 વર્ષની વચ્ચે આઠ લાખથી વધુ લોકોએ ભારતની નાગરિકતા છોડી દીધી. જો કે વર્ષ 2020માં આ આંકડામાં ઘટાડો જોવા મળ્યો હતો, પરંતુ તેનું કારણ કોરોના મહામારી હોવાનું માનવામાં આવે છે. ગૃહ મંત્રાલયના જણાવ્યા અનુસાર, વર્ષ 2021માં 163,370 ભારતીયોએ દેશની નાગરિકતા છોડી દીધી હતી. સંસદમાં કહેવામાં આવ્યું હતું કે આ લોકોએ આવો નિર્ણય "વ્યક્તિગત કારણોસર" લીધો હતો. અન્ય દેશોની સરખામણીએ સૌથી વધુ એટલે કે 78,284 લોકોએ અમેરિકન નાગરિકતા માટે ભારતીય નાગરિકતા છોડી દીધી. તે જ વર્ષે ઓસ્ટ્રેલિયામાં 23,533 લોકોએ પોતાનું નવું જીવન શરૂ કર્યું અને 21,597 લોકોએ કેનેડાની નાગરિકતા મેળવી છે.




રાજકોટમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ પહેલા ભારતીય જનતા પાર્ટીમાં ટિકિટ વહેંચણીને લઇને કાર્યકરોમાં અસંતોષ જોવા મળ્યો છે. શિસ્તબદ્ધ કહેવાતી પાર્ટીમાં ટિકિટ માટે જૂથબંધી અને રોષ ભાજપમાં સપાટી પર આવી ગયો છે. હવે , ભાજપના પ્રદેશ પ્રમુખ જગદીશ વિશ્વકર્માએ ડેમેજ કંટ્રોલ કરવા લાગી જવું પડ્યું છે. આ માટે તેમણે રાજકોટની મુલાકાત લીધી છે.

મહેસાણા જિલ્લામાં ભારતીય જનતા પાર્ટીમાં ખુબ મોટું ગાબડું સામે આવ્યું છે. કેમ કે, મરતોલી ગામના ૨૦૦ જેટલા ભાજપના કાર્યકરો પૂર્વ ધારાસભ્ય બળદેવજી ઠાકોરની હાજરીમાં કોંગ્રેસમાં જોડાયા છે. આ તમામ ભાજપના કાર્યકરોએ આક્ષેપ કર્યા છે કે , પાર્ટીમાં અમારી કોઈ જ વેલ્યુ નથી રહી. બીજી તરફ , બનાસકાંઠા જિલ્લામાં પણ ભાજપમાં ખુબ મોટું ગાબડું પડ્યું છે. પૂર્વ નગરસેવક અને સિનિયર આગેવાન શાંતિ માળી અને ગોપાલ સેનાના અધ્યક્ષ નરસિંહ દેસાઈ કોંગ્રેસમાં જોડાયા છે.

સામાન્ય રીતે લોકો પોતાના જન્મદિવસે તેની ભવ્ય ઉજવણી કરતા હોય છે. પરંતુ રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડના એક્ઝિક્યુટિવ ડાયરેક્ટર અનંત અંબાણીના 31મા જન્મદિન પ્રસંગે આયોજિત વિવિધ પરોપકારી કાર્યો તથા પ્રવૃત્તિઓએ આશરે 57 લાખ લોકોના જીવનને સ્પર્શ કરી તેને બહેતર બનાવવાનો પ્રયાસ કર્યો છે. લાખો લોકોના જીવનને સમૃદ્ધ બનાવવાના ઉદ્દેશથી ધાર્મિક ટ્રસ્ટ, શૈક્ષણિક તથા આરોગ્યસંભાળ સંસ્થાઓ તેમજ સામાજકલ્યાણની સંસ્થાઓમાં સખાવતી યોગદાન અપાયું હતું.

સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ માટે સત્તાધારી પક્ષ ભારતીય જનતા પાર્ટીમાં ઉમેદવારોની પસંદગી કરવાને લઇને જબરદસ્ત મંથન ચાલી રહ્યું છે. ત્યારે , ભાજપ દ્વારા કેટલાક માપદંડો બનાવવામાં આવ્યા છે જેમ કે , ૬૦થી વધુ વયના લોકોને ટિકિટ ના આપવી. ત્રણ ટર્મથી ચૂંટણી લડતા હોય તેમને ટિકિટ ના આપવી. આવા અનેક નિયમો ભાજપે બનાવ્યા છે. તો ભાજપના જ આવા નિયમોની સામે ભરૂચના સાંસદ મનસુખ વસાવાએ મોરચો માંડ્યો છે. મનસુખ વસાવાએ સ્પષ્ટપણે કહી દીધું છે કે , આ નિયમો જ પાર્ટીને નુકશાન કરશે.