વિરોધની આગ લાગી છે કે લગાવી છે?


  • Published By : Payal rathod
  • Published Date : 2022-09-29 09:47:17

POINT OF VIEW


ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં કોંગ્રેસની સ્થિતિ દયનીય છે. અને એનાથી પણ ભભૂકતી સ્થિતિ છે સત્તાધારી ભારતીય જનતા પાર્ટીની. કારણ કે આ ચૂંટણીમાં ટિકિટ કોને આપવી એની મથામણ કરતાં કોને કાપવા એના પર લાંબુ મંથન અને મહેનત લાગશે. પરંતુ ચોંકાવનારી સ્થિતિ એ છે કે કેટલાક છાપેલા કાઠલા જેવા નેતાઓને એ વિસ્તારની આખી પેઢી પોસ્ટરોમાં ચૂંટણી સમયે જોઇ જોઇને મોટી થઇ છે પણ એ હટવાનું નામ નથી લેતા.અને આ સ્થિતિ ભાજપ અને કોંગ્રેસ માટે માથાનો ખુબ જ મોટો દુખાવો છે. એવું નથી કે રાજનીતિમાં ઉંમર લાયક માણસે ન રહેવું જોઇએ. પરંતુ સત્તા એક એવી ખીચડી છે કે એક વાર ખાધા પછી એ નશીલી બની જાય છે. પછી સત્તા વગર નથી રહેવાતું કે નથી તેને મૂકી શકાતું...અને પછી શરૂ થાય છે બવંડર...


નારાજગી કે રાજકીય ષડયંત્ર?

રાજનીતિમાં જે દેખાય છે એવું જ હોય છે એ માનવું ઘણીવાર ભૂલ ભરેલું હોય છે. અને એનું કારણ છે સત્તા. અને એટલે જ સત્તા માટે ક્યાંય વિરોધીઓ તો ક્યાંક પોતાના જ લોકો કોઈ ફાવે નહીં અને બીજો આવે નહીં એ ન્યાય સાથે વિરોધની જાળ પણ બિછાવે રાખે છે.

પણ તેમ છતાં આ બવંડર ગુજરાતમાં 27 વર્ષથી રાજ કરતી ભાજપમાં અને કોંગ્રેસમાં પણ એટલી તીવ્રતાથી ચાલી રહ્યું છે. એક જ દિવસમાં ભાજપના બે દિગ્ગજો સ્થાનિકોનો વિરોધ જ નહીં આકરો રોષ જોવા મળ્યો.

01 ) કેશાજી ચૌહાણ – પૂર્વ મંત્રી રહી ચુક્યા છે રાજ્ય સરકારમાં અને બનાસકાંઠા જિલ્લાના ભાજપના પ્રમુખ પણ. પરંતુ તેમના જ વિધાનસભા વિસ્તાર દિયોદરમાં ખુદ ભાજપના જ નેતાઓ તેમનાથી કંટાળી 27 લોકોની યાદી તૈયાર કરીને સોંપી દીધી છે. ભાજના હાઇકમાન્ડને એવું કહેવામાં આવ્યું છે કે આ 27 લોકોમાંથી કોઈને પણ ટિકિટ આપજો પણ કેશાજી નહીં ચાલે. નહીં તો ભાજપે ભોગવવું પડશે. 

02 ) સૌરભ પટેલ– ભાજપના આ દિગ્ગજ પણ એક સમયે સરકારની મજબૂરી હતી. એ હારે એમ હોય તો ગમે ત્યાંથી ગમે ત્યાં પેરાશૂટ લેંન્ડીગ કરાવીને પણ જીતાડવા પડે. અને મંત્રી પણ બનાવવા પડે. પરંતુ એક ઝાટકે મંત્રીમંડળ આખું ઉડ્યું એમાં સૌરભભાઇ પણ આવી ગયા. પરંતુ હવે તેમની જ પાર્ટીના નેતાઓ બોટાદમાં જાહેર મંચ પરથી સૌરભ પટેલનો વિરોધ કરી રહ્યા છે અને કોઇ બીજાને મોકો આપવાની માગણી ખુલ્લેઆમ થઇ રહી છે.

03 ) રાઘવજી પટેલ– વર્તમાન સરકારમાં કૃષિમંત્રી છે. કોંગ્રેસ, રાજપા અને ફરી પાછા ભાજપમાં આવી લાંબી રાજકીય દોડ બાદ આજે પણ એક્ટિવ છે. પરંતુ તેમના જ વિસ્તારમાં ખેડૂતો વિરોધ કરી રહ્યા છે. કૃષિમંત્રી છે અને લમ્પીએ કોરોનાની જેમ જ ગાયોના જીવ લેવાનું શરૂ કર્યું. ગાયોના લાશોના ઢગલાની સાથે નાના-નાના ગરીબ પરિવારોની આજીવિકા પણ દફન થતી રહી.

આ તો ત્રણ જ નામ થયા પરંતુ આ લીસ્ટમાં નામ ભાજપમાંથી તો ઘણા છે. 


કોંગ્રેસમાં કાળો કકળાટ 


એવો જ ભડકો કોંગ્રેસમાં પણ થઇ રહ્યો છે. પાર્ટી ટિકિટ આપે કે ન આપે પણ લોબિંગ કરવામાં શૂરા નેતાઓએ તો રાજકોટ જેવા શહેરમાં બેનરો લગાવી દીધા. સમર્થકો અને મોવડીઓની ખૂશામત ચરમસીમા પર છે. પરંતુ કોંગ્રેસની પ્રદેશ નેતાગીરીમાં પણ પોતાનાઓને ટિકિટ કેમ મળી જાય તેની હોડ શરૂ થઇ ગઇ છે.


રાઠવા પરિવાર જંગે ચઢ્યો

સુખરામ રાઠવા– ખુલ્લેઆમ દેકારા પડકારા સાથે કહી દીધું છે કે હું હજી ઘરડો નથી થયો. હું ચૂંટણી નહીં લડું તેવી વાતો પણ અફવા છે. પહેલા તો પોતે વિધાનસભામાં વિપક્ષના નેતા હોવા છતાં કહી દીધું હતું કે અહીંયા તો કોઈ નો રિપિટ નહીં ચાલે. તમામ ધારાસભ્યોને ફરી ટિકિટ આપવી પડશે. એનો મતલબ છે કે મને પણ ફરી ટિકિટ જોઇએ છે.


મોહન રાઠવા VS નારણ રાઠવા 


ધારાસભ્ય મોહનસિંહ રાઠવા અને રાજ્યસભાના સાંસદ નારણ રાઠવાએ પોતાના પુત્રને વિધાનસભાની ટીકીટ મળે તેવી લાગણી દર્શાવી છે. સાંસદ નારણ રાઠવાએ પોતાના દીકરાને છોટાઉદેપુર વિધાનસભાના ઉમેદવાર તરીકે ટિકિટ આપવાની માગ કરી છે. નારાણ રાઠવાએ કહ્યું કે, સુખરામ રાઠવા નિવૃત્તિ લે અથવા લોકસભા લડે અને પોતાના જમાઈ રાજેન્દ્ર રાઠવાને વિધાનસભાની ટિકિટ આપીને લડાવે.


ભીખાભાઇ જોશી  


જૂનાગઢમાં કોંગ્રેસના સિનિયર નેતા અને ધારાસભ્ય ભીખાભાઇ જોશી સામે પણ તેમના જ શહેરમાં સૂત્રોચ્ચાર થયા. ભીખાભાઈ જોશીને પોતાના જ વિસ્તારમાં વિરોધનો સામનો કરવો પડ્યો.

મોટી વાત એ છે કે હવે મોટાભાગની વિધાનસભા વિસ્તારમાં આવી જ સ્થિતિનું નિર્માણ થઇ શકે છે અને આ ભડકો કેટલાકને દઝાડે તો કેટલાકને ટાઢક અપાવે એવો પણ હોઇ શકે છે.



રાજકોટના જંગલેશ્વર ખાતે આજે ડિમોલિશન પૂર્ણ થયું છે. મહાનગરપાલિકા અને પોલીસ તંત્રના સંયુક્ત ઉપક્રમે જે કામગીરી ચાલી રહી હતી , તેમાં કુલ ૧૫૦૯ જેટલા મકાનોને જમીનદોસ્ત કરી દેવામાં આવ્યા છે. જંગલેશ્વરની જે શેરીઓ થોડાક સમય અગાઉ લોકોથી ધમધમતી હતી તે શેરીઓની જગ્યાએ હવે કાટમાળના ઢગલા અને વેરાન મેદાન જોવા મળી રહ્યા છે. આ ડિમોલિશન કામગીરી દરમ્યાન RMCના ૧ કર્મચારીનો જીવ માંડમાંડ બચ્યો હતો.

ગીર સોમનાથ જિલ્લામાં SP જયદીપસિંહ જાડેજા દ્વારા જિલ્લામાં અસામાજિક તત્વોને નિયંત્રણમાં લેવા હવે આઠ આરોપીઓની સામે ગુજસીટોકનું શાસ્ત્ર ઉગામવામાં આવ્યું છે. જેના કારણે , ગીર સોમનાથના અસામાજિક તત્વોમાં ભારે ફફડાટનો માહોલ છે. આ આઠ આરોપીઓની સામે પ્રોહિબિશન સહીત અનેક ગુનાઓ નોંધાયેલા છે , હવે આ ઈસમોની સામે , વેરાવળ સીટી પોલીસ સ્ટેશન ખાતે GUJSITOKની વિવિધ કલમ અંતર્ગત ગુનો નોંધવામાં આવ્યો છે.

દિલ્હીની AI ઈમ્પૅક્ટ સમિટમાં ઉદ્યોગપતિ મુકેશ અંબાણી દ્વારા સંબોધન કરવામાં આવ્યું છે. મુકેશ અંબાણીએ AIના હકારાત્મક ઉપયોગ પર ભાર મુકવામાં આવ્યો છે. તેમણે કહ્યું છે કે , " AI નોકરીઓ નઈ ખાય. એટલુંજ નહિ AI ખુબ મોટાપાયે તક ઉભી કરશે."

સોશ્યિલ મીડિયા ઇન્ફુએન્સર કીર્તિ પટેલ પર આજે બીજી ફરિયાદ દાખલ કરવામાં આવી છે. જૂનાગઢના મહાશિવરાત્રીના મેળામાં મૃગુ કુંડમાં ડૂબકી લગાવવા પર કીર્તિ પટેલ વિવાદોમાં આવ્યા હતા. આ બાબતે સાધુ સંતોમાં ભારે નારાજગી જોવા મળી હતી. ત્યારે હવે કીર્તિ પટેલ વિરૂદ્ધ ભવનાથ પોલીસ સ્ટેશનમાં વધુ એક ફરિયાદ નોંધાઈ છે. આ ફરિયાદ મહંત બજરંગદાસ બાપુ દ્વારા નોંધાવવામાં આવી છે. જૂનાગઢના ભવનાથ ખાતે દર વર્ષે , મહાશિવરાત્રીના પર્વ નિમિતે, લાખો શ્રદ્ધાળુઓ ઉમટી પડે છે. આ વર્ષે , ભવનાથના મેળામાં સોશ્યિલ મીડિયા ઇન્ફુએન્સર કીર્તિ પટેલને લઇને વિવાદ થયો છે. મૃગી કુંડમાં સ્નાન કરવા બદલ સાધુ સંતોમાં ભારે નારાજગી જોવા મળી છે. તે જ સમયે PI સાથે મૃગીકુંડમાં કીર્તિ પટેલને ઘર્ષણ પણ થયું હતું. આ પછી , ભવનાથ પોલીસ સ્ટેશનમાં મહિલા PI કે જે મોડ દ્વારા કીર્તિ પટેલની વિરુદ્ધમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. પોલીસની કામગીરીમાં અવરોધ ઉભો કરવાનો આરોપ , PIને જાનથી મારી નાખવાની ધમકી , શાંતિ ડહોળવાનો પ્રયાસની કલમ એડ કરવામાં આવી છે. હવે આજે , બીજી ફરિયાદ સાધુ-સંત દ્વારા કરવામાં આવી છે. આ ફરિયાદ સાધુ સંતોની લાગણી દુભાવવા પર અને તેમને બદનામ કરવા બદલ ભવનાથ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. પ્રભાસ પાટણ નિરાલી ખોડિયાર આશ્રમના મહંત બજરંગદાસ બાપુએ કીર્તિ પટેલન સામે પોલીસ ફરિયાદ નોંધાવી છે. પોલીસ ફરિયાદ નોંધાતા પોલીસે કીર્તિને પકડવા માટે ચક્રો ગતિમાન કર્યા છે. અલગ અલગ ટીમો બનાવીને તપાસ હાથ ધરાઈ છે.