POKમાં BRI પ્રોજેક્ટ નામંજૂર, બિલાવલ ભુટ્ટોની સામે જયશંકરે ચીન પર કર્યા પ્રહાર


  • Published By :
  • Published Date : 2022-11-02 17:49:22

ભારતના વિદેશ મંત્રી એસ જયશંકરે શાંઘાઈ કો-ઓપરેશન ઓર્ગેનાઈઝેશન (SCO)ની એક મીટિંગમાં ચીન પર આકરા પ્રહાર કર્યા હતા. આ મીટિંગ ચીન દ્વારા આયોજીત કરવામાં આવી હતી.  જયશંકરે ચીન-પાકિસ્તાન ઈકોનોમિક કોરિડોર  (CPEC)ને લઈને ચીનની ટીકા કરી હતા. આ કાર્યક્રમમાં ચીનના પ્રધાનમંત્રી લી કેકિયાંગ પણ ઉપસ્થિત રહ્યા હતા. તેમણે કહ્યું કે ચીનના કનેક્ટિવિટી પ્રોજેક્ટને ભારત અને અન્ય દેશોની અખંડિતતાનું સન્માન કરવું જોઈએ.


PoKમાંથી પસાર થાય છે CPEC પ્રોજેક્ટ્સ


ભારત હંમેશા CPEC હેઠળના પ્રોજેક્ટ્સ પ્રત્યે સંવેદનશીલ રહ્યું છે. આ એવા પ્રોજેક્ટ છે જે પાકિસ્તાન અધિકૃત કાશ્મીર (POK)ના વિસ્તારોમાંથી પસાર થાય છે. ભારત આ વિસ્તારો પર પોતાનો અધિકાર દર્શાવે છે. CPECની શરૂઆત વર્ષ 2013માં કરવામાં આવી હતી. તેનો હેતુ પાકિસ્તાનમાં રોડ, રોડ અને એનર્જી ઈન્ફ્રાસ્ટ્રક્ચરને સુધારવાનો હતો. આ તમામ ઈન્ફ્રાસ્ટ્રક્ચર પાકિસ્તાનના ગ્વાદર બંદરને ચીનના શિનજિયાંગ પ્રાંત સાથે જોડે છે. CPEC એક મહત્વાકાંક્ષી પ્રોજેક્ટ છે જેના પર ચીન ખૂબ જ મહેનત કરી રહ્યું છે. ભારતે હંમેશા તેનો વિરોધ કર્યો છે.




અમદાવાદ માટે ખેલકૂદમાં ખુબ ગૌરવવાળી ક્ષણ સામે આવી છે. કેમ કે , અમદાવાદ ગોતાના રહેવાસી હની મેહતા અને મિવાન મેહતાએ ગોવામાં આયોજિત પહેલી ઇન્ટરનેશનલ કરાટે ટુર્નામેન્ટમાં ભાગ લીધો હતો જેમાં હની મેહતાએ બ્રોન્ઝ અને સિલ્વર મેડલ જીત્યો છે જયારે મિવાન મેહતા દ્વારા સિલ્વર મેડલ જીતવામાં આવ્યો છે.

રાજકોટ ગેમઝોન અગ્નિ કાંડ કે જેમાં RMCના પૂર્વ TPO મનસુખ સાગઠીયાને હવે સુપ્રીમ કોર્ટ દ્વારા રાહત આપવામાં આવી છે. રાજકોટ ગેમઝોન અગ્નિકાંડના આરોપી અને પૂર્વ TPO મનસુખ સાગઠીયાના જામીન સુપ્રીમ કોર્ટ તરફથી મંજુર કરવામાં આવ્યા છે. RMCના પૂર્વ TPO મનસુખ સાગઠીયા છેલ્લા સવા વર્ષથી જેલમાં બંધ હતા. તેમણે સુપ્રીમ કોર્ટમાં જામીન અરજી દાખલ કરી હતી જેના પર સુનાવણી કર્યા બાદ સુપ્રીમ કોર્ટે મનસુખ સાગઠીયાના જામીન મંજુર કર્યા છે.

રાજકોટના અનિરુદ્ધસિંહ જાડેજા કે જેઓ અવારનવાર સમાચારોમાં રહેતા હોય છે , તેમને હવે પૂર્વ MLA પોપટલાલ સોરઠિયાના કેસમાં સુપ્રીમ કોર્ટ તરફથી ઝટકો મળ્યો છે. અનિરુદ્ધસિંહ જાડેજાએ ગુજરાત હાઇકોર્ટનો જે સજામાંફીને લઇને જે ચુકાદો હતો તેને સુપ્રીમ કોર્ટમાં પડકાર્યો હતો પરંતુ , હવે રીબડાના અનિરુદ્ધસિંહ જાડેજાને સુપ્રીમ કોર્ટમાંથી પણ રાહત નથી મળી . સુપ્રીમ કોર્ટ તરફથી અનિરુદ્ધસિંહ જાડેજાને સરેન્ડર થવા માટે આદેશ આપવામાં આવ્યો છે.

આમ આદમી પાર્ટીમાં ભંગાણના એંધાણ છે , હવે અમદાવાદમાંથી ચેતન રાવલે આપમાંથી રાજીનામુ આપી દીધું છે . ચેતન રાવલ આમ આદમી પાર્ટીમાં નેશનલ જોઈન્ટ સેક્રેટરી હતા . ચેતન રાવલ કોંગ્રેસ છોડી આમ આદમી પાર્ટીમાં જોડાયા હતા . આ રાજીનામાનો પત્ર ચેતન રાવલે આમ આદમી પાર્ટીના પ્રદેશપ્રમુખ ઈસુદાન ગઢવીને સંબોધીને લખ્યો છે. ચેતન રાવલે રાજીનામુ આપવા પાછળ અંગત કારણ આગળ ધર્યું છે.