POKમાં BRI પ્રોજેક્ટ નામંજૂર, બિલાવલ ભુટ્ટોની સામે જયશંકરે ચીન પર કર્યા પ્રહાર


  • Published By :
  • Published Date : 2022-11-02 17:49:22

ભારતના વિદેશ મંત્રી એસ જયશંકરે શાંઘાઈ કો-ઓપરેશન ઓર્ગેનાઈઝેશન (SCO)ની એક મીટિંગમાં ચીન પર આકરા પ્રહાર કર્યા હતા. આ મીટિંગ ચીન દ્વારા આયોજીત કરવામાં આવી હતી.  જયશંકરે ચીન-પાકિસ્તાન ઈકોનોમિક કોરિડોર  (CPEC)ને લઈને ચીનની ટીકા કરી હતા. આ કાર્યક્રમમાં ચીનના પ્રધાનમંત્રી લી કેકિયાંગ પણ ઉપસ્થિત રહ્યા હતા. તેમણે કહ્યું કે ચીનના કનેક્ટિવિટી પ્રોજેક્ટને ભારત અને અન્ય દેશોની અખંડિતતાનું સન્માન કરવું જોઈએ.


PoKમાંથી પસાર થાય છે CPEC પ્રોજેક્ટ્સ


ભારત હંમેશા CPEC હેઠળના પ્રોજેક્ટ્સ પ્રત્યે સંવેદનશીલ રહ્યું છે. આ એવા પ્રોજેક્ટ છે જે પાકિસ્તાન અધિકૃત કાશ્મીર (POK)ના વિસ્તારોમાંથી પસાર થાય છે. ભારત આ વિસ્તારો પર પોતાનો અધિકાર દર્શાવે છે. CPECની શરૂઆત વર્ષ 2013માં કરવામાં આવી હતી. તેનો હેતુ પાકિસ્તાનમાં રોડ, રોડ અને એનર્જી ઈન્ફ્રાસ્ટ્રક્ચરને સુધારવાનો હતો. આ તમામ ઈન્ફ્રાસ્ટ્રક્ચર પાકિસ્તાનના ગ્વાદર બંદરને ચીનના શિનજિયાંગ પ્રાંત સાથે જોડે છે. CPEC એક મહત્વાકાંક્ષી પ્રોજેક્ટ છે જેના પર ચીન ખૂબ જ મહેનત કરી રહ્યું છે. ભારતે હંમેશા તેનો વિરોધ કર્યો છે.




અમદાવાદ સમગ્ર ભારતના ઇતિહાસમાં એક નવું નામ અંકિત કરવા જઈ રહ્યું છે. કેમ કે , ભારતને આજે કોમનવેલ્થ ગેમ્સની વર્ષ ૨૦૩૦ની યજમાની મળી ચુકી છે. જે હવે આપણા અમદાવાદમાં યોજાશે. આ જાહેરાત સ્કોટલેન્ડના ગ્લાસગોમાં કોમનવેલ્થ સ્પોર્ટ્સ એક્ઝિક્યુટિવ બોર્ડની મિટિંગ બાદ કરવામાં આવી છે. આ મિટિંગમાં ભારત તરફથી ગુજરાતના નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના નેતૃત્વવાળું એક પ્રતિનિધિમંડળ પણ હાજર હતું.

ગુજરાતના લાખો ગરીબ પરિવારોના આરોગ્યની સુરક્ષાને વધુ સુદૃઢ બનાવવા માટે ગુજરાત સરકારે એક મહત્ત્વપૂર્ણ પગલું ભર્યું છે. ગાંધીનગર ખાતે આરોગ્ય મંત્રી શ્રી પ્રફુલ પાનશેરિયાની ઉપસ્થિતિમાં આયુષ્માન ભારત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના હેઠળ રાજ્ય સરકારે બજાજ ઈન્સ્યોરન્સ કંપની સાથે એક નવા લેટર ઓફ એવોર્ડ(LOA) પર હસ્તાક્ષર કર્યા છે, જે રાજ્યની જનતા માટે આર્થિક રાહત અને વિસ્તૃત આરોગ્ય કવચ સુનિશ્ચિત કરે છે.

મુકેશ અંબાણીએ નાથદ્વારામાં દર્શન કર્યા, ‘યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન’ પ્રોજેક્ટની જાહેરાત કરી છે. મુકેશ અંબાણીએ પવિત્ર નગરી નાથદ્વારામાં શ્રીનાથજી ભગવાનના ભોગ આરતી દર્શનનો દિવ્ય લાભ લીધો તેમજ ગુરુ શ્રી વિશાલબાવા સાહેબના આશીર્વાદ પ્રાપ્ત કર્યા છે. આ અવસરે તેમણે નાથદ્વારામાં આધુનિક અને સુવિધાસંપન્ન “યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન”ના નિર્માણની જાહેરાત કરી છે તેમજ શ્રીનાથદ્વારા મંદિરને ₹15 કરોડનું દાન આપ્યું છે.

ગુજરાત સરકાર દ્વારા ખેડૂતો માટે એક રાહત પેકેજની ઘોષણા કરવામાં આવી છે. ગુજરાતમાં ૨૫મી ઓક્ટોબરથી જે કમોસમી વરસાદનો રાઉન્ડ આવ્યો છે તેમાં , ૪૨ લાખ હેકટર જમીનને નુકશાન થયું છે. અંદાજે ૧૬,૦૦૦ ગામોને અસર પહોંચી છે. તો હવે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ દ્વારા આજે એક કૃષિ રાહત પેકેજની જાહેરાત કરવામાં આવી છે.