POKમાં BRI પ્રોજેક્ટ નામંજૂર, બિલાવલ ભુટ્ટોની સામે જયશંકરે ચીન પર કર્યા પ્રહાર


  • Published By :
  • Published Date : 2022-11-02 17:49:22

ભારતના વિદેશ મંત્રી એસ જયશંકરે શાંઘાઈ કો-ઓપરેશન ઓર્ગેનાઈઝેશન (SCO)ની એક મીટિંગમાં ચીન પર આકરા પ્રહાર કર્યા હતા. આ મીટિંગ ચીન દ્વારા આયોજીત કરવામાં આવી હતી.  જયશંકરે ચીન-પાકિસ્તાન ઈકોનોમિક કોરિડોર  (CPEC)ને લઈને ચીનની ટીકા કરી હતા. આ કાર્યક્રમમાં ચીનના પ્રધાનમંત્રી લી કેકિયાંગ પણ ઉપસ્થિત રહ્યા હતા. તેમણે કહ્યું કે ચીનના કનેક્ટિવિટી પ્રોજેક્ટને ભારત અને અન્ય દેશોની અખંડિતતાનું સન્માન કરવું જોઈએ.


PoKમાંથી પસાર થાય છે CPEC પ્રોજેક્ટ્સ


ભારત હંમેશા CPEC હેઠળના પ્રોજેક્ટ્સ પ્રત્યે સંવેદનશીલ રહ્યું છે. આ એવા પ્રોજેક્ટ છે જે પાકિસ્તાન અધિકૃત કાશ્મીર (POK)ના વિસ્તારોમાંથી પસાર થાય છે. ભારત આ વિસ્તારો પર પોતાનો અધિકાર દર્શાવે છે. CPECની શરૂઆત વર્ષ 2013માં કરવામાં આવી હતી. તેનો હેતુ પાકિસ્તાનમાં રોડ, રોડ અને એનર્જી ઈન્ફ્રાસ્ટ્રક્ચરને સુધારવાનો હતો. આ તમામ ઈન્ફ્રાસ્ટ્રક્ચર પાકિસ્તાનના ગ્વાદર બંદરને ચીનના શિનજિયાંગ પ્રાંત સાથે જોડે છે. CPEC એક મહત્વાકાંક્ષી પ્રોજેક્ટ છે જેના પર ચીન ખૂબ જ મહેનત કરી રહ્યું છે. ભારતે હંમેશા તેનો વિરોધ કર્યો છે.




અમરેલી જિલ્લામાં કોંગ્રેસ દ્વારા આજે ખેતી બચાવો સત્યાગ્રહ અંતર્ગત લીલીયા ખાતે પ્રતીક ધરણાનો કાર્યક્રમ યોજાયો છે. આ કાર્યક્રમમાં કમોસમી વરસાદના કારણે ખેડૂતોને જે પાક નુકશાની થઇ છે તેને લઇને અમરેલી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપ દુધાત અને પૂર્વ વિપક્ષના નેતા પરેશ ધાનાણીના નેતૃત્વમાં એક સંમેલન યોજાયું છે. આ ઉપરાંત ખેડૂતોના દેવામાફીના મુદ્દે , લીલીયા મામલતદારને આવેદન પત્ર પણ આપવામાં આવ્યું છે. આ પ્રસંગે , ખેડૂતો પણ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા.

ગીર સોમનાથ જિલ્લાના ઉનામાં પાક નિષ્ફળ જતા ખેડૂતે આપઘાત કર્યો છે. ૪૯ વર્ષીય ખેડૂતે પોતાની વાડીના કુવામાં ઝંપલાવી જીવન ટૂંકાવ્યું છે. જેનાથી સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામી છે. ખેડૂત જેમનું નામ છે ગફાર મુસા ઉનડેએ પોતાનો જીવ એટલે ટૂંકાવ્યો છે કેમ કે , કમોસમી વરસાદના કારણે જે માવઠું આવ્યું તેના કારણે તેમનો પાક નિષ્ફળ જતો રહ્યો હતો જેના કારણે તેઓ ડિપ્રેશનમાં હતા.

ગુજરાતમાં મંત્રીમંડળના વિસ્તરણ પછી , નવા મંત્રીઓએ પદભાર સંભાળીને કામ શરુ કરી દીધું છે. ત્યારે હવે બે મંત્રીઓને પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને પ્રવક્તા મંત્રી તરીકેની જવાબદારી આપવામાં આવી છે. સાથે જ જીતુ વાઘાણીને પણ પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. આ અગાઉ ઋષિકેશ પટેલ પ્રવક્તા મંત્રી હતા.

જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.