POKમાં BRI પ્રોજેક્ટ નામંજૂર, બિલાવલ ભુટ્ટોની સામે જયશંકરે ચીન પર કર્યા પ્રહાર


  • Published By :
  • Published Date : 2022-11-02 17:49:22

ભારતના વિદેશ મંત્રી એસ જયશંકરે શાંઘાઈ કો-ઓપરેશન ઓર્ગેનાઈઝેશન (SCO)ની એક મીટિંગમાં ચીન પર આકરા પ્રહાર કર્યા હતા. આ મીટિંગ ચીન દ્વારા આયોજીત કરવામાં આવી હતી.  જયશંકરે ચીન-પાકિસ્તાન ઈકોનોમિક કોરિડોર  (CPEC)ને લઈને ચીનની ટીકા કરી હતા. આ કાર્યક્રમમાં ચીનના પ્રધાનમંત્રી લી કેકિયાંગ પણ ઉપસ્થિત રહ્યા હતા. તેમણે કહ્યું કે ચીનના કનેક્ટિવિટી પ્રોજેક્ટને ભારત અને અન્ય દેશોની અખંડિતતાનું સન્માન કરવું જોઈએ.


PoKમાંથી પસાર થાય છે CPEC પ્રોજેક્ટ્સ


ભારત હંમેશા CPEC હેઠળના પ્રોજેક્ટ્સ પ્રત્યે સંવેદનશીલ રહ્યું છે. આ એવા પ્રોજેક્ટ છે જે પાકિસ્તાન અધિકૃત કાશ્મીર (POK)ના વિસ્તારોમાંથી પસાર થાય છે. ભારત આ વિસ્તારો પર પોતાનો અધિકાર દર્શાવે છે. CPECની શરૂઆત વર્ષ 2013માં કરવામાં આવી હતી. તેનો હેતુ પાકિસ્તાનમાં રોડ, રોડ અને એનર્જી ઈન્ફ્રાસ્ટ્રક્ચરને સુધારવાનો હતો. આ તમામ ઈન્ફ્રાસ્ટ્રક્ચર પાકિસ્તાનના ગ્વાદર બંદરને ચીનના શિનજિયાંગ પ્રાંત સાથે જોડે છે. CPEC એક મહત્વાકાંક્ષી પ્રોજેક્ટ છે જેના પર ચીન ખૂબ જ મહેનત કરી રહ્યું છે. ભારતે હંમેશા તેનો વિરોધ કર્યો છે.




ગુજરાત સરકારની પાંચ વર્ષની ફિક્સ પેની નીતિનો કેસ છેલ્લા ૧૪ વર્ષથી સુપ્રીમ કોર્ટમાં પેન્ડિંગ છે ત્યારે , કર્મચારીઓ સુપ્રીમ કોર્ટના ચુકાદાની રાહ જોઈ રહ્યા છે. હવે , આ કેસને લઇને તાત્કાલિક ધોરણે સુનાવણી હાથ ધરાય તે માટે સુપ્રીમ કોર્ટના CJI સૂર્યકાન્તને ઈમેલ કરવામાં આવ્યો છે.

"રાજસ્થાનની જેમ ગુજરાતમાં પણ દર પાંચ વર્ષે સરકાર બદલાવી જોઈએ." આ શબ્દો છે , બનાસકાંઠાના MP ગેનીબેન ઠાકોરના. ગેનીબેન ઠાકોર દ્વારા આ નિવેદન થરાદમાં યોજાયેલી ધાર્મિક પદયાત્રા દરમ્યાન આપવામાં આવ્યું છે. ગેનીબેન ઠાકોરના આ નિવેદનથી ઉત્તર ગુજરાતનું રાજકારણ ગરમાઈ ગયું છે.

ભરૂચના સાંસદ મનસુખ વસાવા પોતાના આકરા સ્વભાવના લીધે અવારનવાર ચર્ચામાં રહે છે. કોઈક વાર તેઓ અધિકારીઓને ખખડાવતા હોય છે તો કોઈકવાર તેઓ જાહેર મંચ પરથી ધારાસભ્યોને ટકોર કરતા હોય છે. હવે તેમનો એક એવો વિડીયો સામે આવ્યો છે જેમાં મનસુખ વસાવાને SRP જવાન સાથે માથકૂટ થઇ છે. આ ઘટનાનો વિડીયો સોશ્યિલ મીડિયામાં ખુબ જ વાઇરલ થઇ રહ્યો છે.

વીજલાઇનની કામગીરીને લઇને ગુજરાતના ખેડૂતોમાં ભારે આક્રોશ છે. આજ મહિનાની શરૂઆતમાં ખેડૂતોના આક્રોશને શાંત કરવા માટે ગુજરાત સરકારે વીજલાઇનની કામગીરીમાં બજારભાવના બે ગણા વળતર આપવાની જાહેરાત કરતો પરિપત્ર બહાર પડ્યો તેમ છતાં ખેડૂતોમાં નારાજગી છે. મોરબી , પડધરી પછી આજે જામનગરના ખેડૂતો દ્વારા હજારોની સંખ્યામાં ભેગા થઇને કલેકટર કચેરીએ વીજલાઇનની કામગીરીની સામે આવેદનપત્ર આપવામાં આવ્યું છે