વકીલને જમીનનો કબજો ન મળ્યો તો કેસ કર્યો, તપાસ થઈ અને સાબરકાંઠા કલેક્ટરનું કૌભાંડ પકડાયું


  • Published By :
  • Published Date : 2023-09-11 21:34:42

હમણા હમણાથી કલેક્ટરના વિવાદો બહુ વધી ગયા છે એવું લાગી રહ્યું છે. પહેલા એસ કે લાંગા, પછી આણંદના કલેક્ટર ડીએસ ગઢવી અને હવે વિવાદમાં આવ્યા છે સાબરકાંઠાના કલેક્ટર નૈમેષ દવે. તેમની સામે ખેડૂતોને હેરાન કરવા અને ભ્રષ્ટાચાર કરવાનો આરોપ લાગ્યો છે. સાબરકાંઠાના કલેક્ટર નૈમેષ દવે સામે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીને ફરિયાદ કરવામાં આવી છે કે તેમણે ભૂમાફિયાઓ સાથે સાંઠગાંઠ કરીને ભ્રષ્ટાચાર કર્યો છે. બંનેની મિલીભગતના કારણે અનેક ખેડૂતોની જમીન જતી રહી છે. 

The District Collector paid a surprise visit to Subjail during the day and  the District Disaster Control Room at Himmatnagar at night | જિલ્લા  કલેક્ટરે દિવસે સબજેલ અને રાત્રે હિંમતનગરમાં જિલ્લા ...

કેવી રીતે કૌભાંડની ખબર પડી?

ગુજરાત હાઈકોર્ટના વકીલ પ્રિતેશ શાહે પૂરાવા સાથે ફરિયાદ કરી છે. થયું એવું હતું કે તેણે સાબરકાંઠાના પુંજીમાં 15 વિઘા જમીન ખરીદી હતી. જમીન લેવાના તેમણે રૂપિયા પણ આપી દીધા હતી પણ તેમણે જમીન ખરીદી હોય એવી કાચી નોંધ પાકી નહોતી થઈ. પરિસ્થિતિ એવી આવી ગઈ હતી કે તે જમીનના ખાતેદાર ન થઈ શકે. વકીલે કાયદેસર કામગીરી કરી હોવા છતાં પાકી કામગીરી ન થતાં તેમને શક ગયો અને પછી ખબર પડી કે અહીં તો કલેક્ટર અને ભૂ માફિયાઓનું સેટિંગ ચાલે છે.    


કલેક્ટર અને ભૂમાફિયાઓનું ચાલતું હતું સેટિંગ

આથી કલેક્ટર અને ભૂમાફિયાઓ સામે ભૂમિ અધિગ્રહણ કાયદા અંદર પોલીસ ફરિયાદ કરવામાં આવી છે. આ મામલો ન્યાયાલયમાં પહોંચ્યો હતો ત્યારે સર્વે નંબરની જગ્યાઓમાં પણ લોચા જોવા મળ્યા હતા. જમીન કૌભાંડ સામે વકીલ પ્રિતેશ શાહ ન્યાયાલયમાં ગયા હતા અને ન્યાયાલય તરફથી હુકુમ કરવામાં આવ્યો હતો કે જમીનની નોંધ થવી જોઈએ. વકીલે કલેક્ટર નૈમેષ દવેને નોંધ કરવા માટે કહ્યું કે હવે તો ન્યાયાલયે આદેશ આપ્યો છે તમારે નોંધ કરવી પડશે ત્યારે પણ કલેક્ટરે અવેજ ચૂકવી આપ્યા બાદ પણ નોંધ કરવાની ના પાડી દીધી હતી. હવે આ મામલાની તપાસ કરવામાં આવી રહી છે ત્યારે સામે આવ્યું છે કે કલેક્ટર સાથે ચીટનીશ હર્ષ પટેલની પણ સાંઠગાંઠ હતી. જેમ જેમ આ મામલે વધુ તપાસ થશે તેમ તેમ સરકારી બાબુઓના કાળા કાંડ ખુલશે તેવી શક્યતા છે. આ મામલે આગળ શું થશે એ તો ખબર નથી પણ કલેક્ટરનું કૌભાંડ ખુલતા બીજા જિલ્લાના કલેક્ટર પણ સાવચેત થઈ ગયા છે. 

જમીનનો 7/12 અને 8-અનો ઉતારો શું છે અને ખેતીલાયક અને બિનખેતી લાયક જમીનની  ખરીદ-વેચાણ પ્રક્રિયામાં કેવી રીતે ફ્રોડ થાય છે? - BBC News ગુજરાતી

જે કંઈ પણ આગળ અધ્યતન માહિતી સામે આવશે એ અમે તમને જણાવતા રહીશું. તમામ અપડેટ માટે તમે જમાવટ સાથે જોડાયેલા રહો. એન્ડ્રોઈડ અને એપલમાં પણ અમારી એપ્લિકેશન છે જેમાં તમે ગુજરાત દેશ અને દુનિયાના સમાચાર મેળવી શકો છો અને વીડિયો પણ જોઈ શકો છે.  




થોડાક સમય પહેલા કોંગ્રેસ દ્વારા પીએમ મોદીની માતા માટેનો એક AI જનરેટેડ વિડિઓ બહાર પાડવામાં આવ્યો હતો. આ AI વિડિઓને લઇને પટના હાઇકોર્ટ દ્વારા હવે કોંગ્રેસને આદેશ આપવામાં આવ્યો છે કે , " પીએમ મોદીના માતાનો AI વિડિઓ હટાવવામાં આવે. " કોંગ્રેસ દ્વારા AI વીડિયોમાં બતાવવામાં આવ્યું છે કે , પીએમ મોદીને સપનામાં તેમના માતા આવ્યા હતા. પટના હાઈકોર્ટે રાહુલ ગાંધી , ભારતીય ચૂંટણીપચ , મેટા , ગુગલ , એક્સ (ટ્વીટર) અને માહિતી ટેક્નોલોજી મંત્રાલયને AI વિડિઓને લઇને નોટિસ ફટકારી છે.

ગુજરાતમાં હવે બનાસ ડેરીમાં ચૂંટણીઓ જાહેર થઇ ચુકી છે . બનાસ ડેરીની ચૂંટણીઓમાં હરીફ પેનલ ઉભી થવાની શક્યતા છે . બનાસ ડેરીના ચેરમેન શંકર ચૌધરી એ હાલમાં વિધાનસભાના અધ્યક્ષ છે. ચૂંટણીની જાહેરાત થતા જ સહકરી ક્ષેત્રે હલચલ શરુ થઇ ગઈ છે. ૧૬મી સપ્ટેમ્બરથી ઉમેદવારી ફોર્મ ભરી શકાશે. આ ચૂંટણીઓના પરિણામ ૧૧મી ઓક્ટોબરના રોજ જાહેર થશે. બનાસ ડેરીના ૧૬ ડિરેક્ટર પદો માટે મતદાન યોજાવા જઈ રહ્યું છે.

અંકલેશ્વરના પાનોલી GIDCમાં આવેલી સંઘવી ઓર્ગેનિક્સ કંપનીમાં વહેલી સવારે આગ ફાટી નીકળી હતી. આ ભીષણ આગ લાગવાને કારણે અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. આગના કારણે ધુમાડાના ગોટેગોટા દૂર દૂર સુધી દેખાયા હતા. આગના કારણે નજીકના સંજાલી ગામમાં ભયનો માહોલ છે. ભીષણ આગના કારણે ૧૨થી ફાયર ફાઇટર્સ ઘટનાસ્થળે પહોંચી ગયા હતા. આ દુર્ઘટનાના કારણે આજુબાજુની કંપનીઓને પણ ખાલી કરાવવામાં આવી હતી.

દેદિયાપાડાના MLA ચૈતર વસાવા કે જેઓ ફરી એકવાર ગુજરાત હાઇકોર્ટના દરવાજા આજે ખખડાવી શકે છે. ડેડીયાપાડા પોલીસે સેશન્સ કોર્ટમાં ચાર્જશીટ રજુ કરી હતી તે પછી કોર્ટે ચૈતર વસાવાના જામીન ફગાવી દીધા છે. આ જામીન ફગાવતા ચૈતર વસાવા ફરી એકવાર ગુજરાત હાઇકોર્ટના દરવાજા ખખડાવી શકે છે. આ માટે સુપ્રીમ કોર્ટના વકીલ વિક્રમ ચૌધરી ચૈતર વસાવા તરફથી લડવાના છે .