વકીલને જમીનનો કબજો ન મળ્યો તો કેસ કર્યો, તપાસ થઈ અને સાબરકાંઠા કલેક્ટરનું કૌભાંડ પકડાયું


  • Published By :
  • Published Date : 2023-09-11 21:34:42

હમણા હમણાથી કલેક્ટરના વિવાદો બહુ વધી ગયા છે એવું લાગી રહ્યું છે. પહેલા એસ કે લાંગા, પછી આણંદના કલેક્ટર ડીએસ ગઢવી અને હવે વિવાદમાં આવ્યા છે સાબરકાંઠાના કલેક્ટર નૈમેષ દવે. તેમની સામે ખેડૂતોને હેરાન કરવા અને ભ્રષ્ટાચાર કરવાનો આરોપ લાગ્યો છે. સાબરકાંઠાના કલેક્ટર નૈમેષ દવે સામે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીને ફરિયાદ કરવામાં આવી છે કે તેમણે ભૂમાફિયાઓ સાથે સાંઠગાંઠ કરીને ભ્રષ્ટાચાર કર્યો છે. બંનેની મિલીભગતના કારણે અનેક ખેડૂતોની જમીન જતી રહી છે. 

The District Collector paid a surprise visit to Subjail during the day and  the District Disaster Control Room at Himmatnagar at night | જિલ્લા  કલેક્ટરે દિવસે સબજેલ અને રાત્રે હિંમતનગરમાં જિલ્લા ...

કેવી રીતે કૌભાંડની ખબર પડી?

ગુજરાત હાઈકોર્ટના વકીલ પ્રિતેશ શાહે પૂરાવા સાથે ફરિયાદ કરી છે. થયું એવું હતું કે તેણે સાબરકાંઠાના પુંજીમાં 15 વિઘા જમીન ખરીદી હતી. જમીન લેવાના તેમણે રૂપિયા પણ આપી દીધા હતી પણ તેમણે જમીન ખરીદી હોય એવી કાચી નોંધ પાકી નહોતી થઈ. પરિસ્થિતિ એવી આવી ગઈ હતી કે તે જમીનના ખાતેદાર ન થઈ શકે. વકીલે કાયદેસર કામગીરી કરી હોવા છતાં પાકી કામગીરી ન થતાં તેમને શક ગયો અને પછી ખબર પડી કે અહીં તો કલેક્ટર અને ભૂ માફિયાઓનું સેટિંગ ચાલે છે.    


કલેક્ટર અને ભૂમાફિયાઓનું ચાલતું હતું સેટિંગ

આથી કલેક્ટર અને ભૂમાફિયાઓ સામે ભૂમિ અધિગ્રહણ કાયદા અંદર પોલીસ ફરિયાદ કરવામાં આવી છે. આ મામલો ન્યાયાલયમાં પહોંચ્યો હતો ત્યારે સર્વે નંબરની જગ્યાઓમાં પણ લોચા જોવા મળ્યા હતા. જમીન કૌભાંડ સામે વકીલ પ્રિતેશ શાહ ન્યાયાલયમાં ગયા હતા અને ન્યાયાલય તરફથી હુકુમ કરવામાં આવ્યો હતો કે જમીનની નોંધ થવી જોઈએ. વકીલે કલેક્ટર નૈમેષ દવેને નોંધ કરવા માટે કહ્યું કે હવે તો ન્યાયાલયે આદેશ આપ્યો છે તમારે નોંધ કરવી પડશે ત્યારે પણ કલેક્ટરે અવેજ ચૂકવી આપ્યા બાદ પણ નોંધ કરવાની ના પાડી દીધી હતી. હવે આ મામલાની તપાસ કરવામાં આવી રહી છે ત્યારે સામે આવ્યું છે કે કલેક્ટર સાથે ચીટનીશ હર્ષ પટેલની પણ સાંઠગાંઠ હતી. જેમ જેમ આ મામલે વધુ તપાસ થશે તેમ તેમ સરકારી બાબુઓના કાળા કાંડ ખુલશે તેવી શક્યતા છે. આ મામલે આગળ શું થશે એ તો ખબર નથી પણ કલેક્ટરનું કૌભાંડ ખુલતા બીજા જિલ્લાના કલેક્ટર પણ સાવચેત થઈ ગયા છે. 

જમીનનો 7/12 અને 8-અનો ઉતારો શું છે અને ખેતીલાયક અને બિનખેતી લાયક જમીનની  ખરીદ-વેચાણ પ્રક્રિયામાં કેવી રીતે ફ્રોડ થાય છે? - BBC News ગુજરાતી

જે કંઈ પણ આગળ અધ્યતન માહિતી સામે આવશે એ અમે તમને જણાવતા રહીશું. તમામ અપડેટ માટે તમે જમાવટ સાથે જોડાયેલા રહો. એન્ડ્રોઈડ અને એપલમાં પણ અમારી એપ્લિકેશન છે જેમાં તમે ગુજરાત દેશ અને દુનિયાના સમાચાર મેળવી શકો છો અને વીડિયો પણ જોઈ શકો છે.  




હાલમાં દુનિયામાં સૌથી વધારે ચર્ચિત જગ્યા હોય તો તે ઈરાનનું ફોરદો પરમાણુ મથક. થોડાક સમય પેહલા અમેરિકા અને ઈઝરાયલે તેને બરબાદ કરવાનો પ્રયાસ કર્યો હતો . અમેરિકાએ તેના સૌથી શક્તિશાળી બી ૨ સ્ટીલ્થ બોમ્બર વાપર્યા હતા . પરંતુ હવે સવાલ એ છે કે , આ ઈરાનનું ફોરદો પરમાણુ મથક બરબાદ થયું છે કે નહિ? તો આનો જવાબ આપણને યુએસના એક ખાનગી રિપોર્ટ પરથી મળે છે જે BBC દ્વારા છાપવામાં આવ્યો છે.

ભારત તરફથી , અમેરિકા સાથે વ્યાપારી કરારોની ચર્ચા કરવા માટે , એક પ્રતિનિધિમંડળ અમેરિકા પહોંચી ચૂક્યું છે. ભારત અને અમેરિકા વચ્ચે વ્યાપારી કરારો માટેની ડેડલાઈન ૯ મી જુલાઈ રાખવામાં આવી છે. તો હવે આ બાબતે અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પએ વ્હાઇટ હાઉસમાં નિવેદન આપ્યું છે કે , ભારત અને અમેરિકા વચ્ચે ટૂંક સમયમાં એક "મોટો" વેપાર સોદો થવા જઈ રહ્યો છે. ડોનાલ્ડ ટ્રમ્પએ આ નિવેદન વ્હાઇટ હાઉસ ખાતે આયોજિત "બિગ બ્યુટીફૂલ બિલ" કાર્યક્રમમાં આપ્યું છે .

આમ આદમી પાર્ટીમાં એક નવો વિવાદનો વંટોળ ઉભો થયો છે. અને આ વિવાદનો વંટોળ કેમ ઉભો થયો છે તો , બોટાદના MLA ઉમેશ મકવાણા પ્રેસ કોન્ફરન્સ કરીને વિધાનસભાના દંડકપદેથી અને રાષ્ટ્રીય જોઈન્ટ સેક્રેટરીના પદેથી રાજીનામુ આપે છે . તો હવે આ મામલે ગુજરાતમાં આમ આદમી પાર્ટીના પ્રદેશ પ્રમુખ ઈસુદાન ગઢવીની ટ્વીટ સામે આવી છે જેમાં તેમણે લખ્યું છે કે બોટાદના MLA ઉમેશ મકવાણાને પાર્ટી વિરોધી ગતિવિધિઓ હાથ ધરવા માટે પાંચ વર્ષ માટે સસ્પેન્ડ કરવામાં આવે છે.

હમણાં થોડાક સમય પેહલા જ વિસાવદર બેઠક માટે પેટાચૂંટણી સંપન્ન થઈ છે. આ પેટાચૂંટણીમાં આમ આદમી પાર્ટીના ગોપાલ ઇટાલિયાનો 17,554 મતોથી વિજય થયો છે . તો સામે ભાજપના કિરીટ પટેલ અને કોંગ્રેસના નીતિન રાણપરીયાની હાર થઈ છે. આમ તો દેશના કોઈ પણ ખૂણામાં યોજાતી , પેટાચૂંટણી એ જનતાના આંશિક અંદાજ અને મિજાજનો પરિચય આપે છે. તે સંપૂર્ણપણે જનતાના મિજાજનો બેરોમીટર નથી. પરંતુ , વિસાવદર વિધાનસભાની પેટાચૂંટણીએ એક નરેટિવ ખુબ જ મજબૂત કર્યો છે કે , ગુજરાતમાં ભારતીય જનતા પાર્ટીને માત્ર ને માત્ર આમ આદમી પાર્ટી જ ટક્કર આપી શકે છે. કોંગ્રેસની જે હાલત થઈ છે તેના લીધે ગુજરાત કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ શક્તિસિંહ ગોહિલે કોંગ્રેસ હાઇકમાન્ડને રાજીનામુ ધરી દીધુ છે.