ગુજરાતમાં સેમી કંડક્ટરનું થશે ઉત્પાદન, રાજ્ય સરકાર અને વેદાંતા ગ્રુપ વચ્ચે થયા MoU


  • Published By : Payal rathod
  • Published Date : 2022-09-13 12:51:21

વિશ્વમાં કોરોના મહામારીના કારણે સતત બે વર્ષ સુધી સેમી કંડક્ટર કે  ચિપની ભારે અછત જોવા મળી હતી. ચિપના કારણે સ્માર્ટ કારથી લઈ સ્માર્ટ ફોન, લેપટોપ, કન્ઝ્યુમર ગુડ્સ સહિતના ઉપકરણોના ઉત્પાદન પર અસર જોવા મળી છે. હવે સરકારે ભારતને સેમીકંડક્ટરનું પાવર હાઉસ બનાવવા માટે મહત્વાકાંક્ષી પર્ફોર્મન્સ લિંકડ ઈન્સેન્ટિવ (PLI) સ્કીમ શરૂ કરી છે. વેંદાતા અને ફોક્સકોન એક જોઈન્ટ વેન્ચર હંઠળ ડેસ્પ્લે ફેબ્રિકેશન અને સેમીકંડક્ટર ફેલિલિટી ગુજરાતમાં ઉભી કરશે. 


ગુજરાત સરકારે વેદાંતા ગ્રુપ સાથે કર્યા એમઓયુ


ગુજરાત સરકાર દ્વારા સેમી કન્ડક્ટરને લઈ વેદાંતા ગ્રુપ સાથે એમઓયુ કરવામાં આવ્યા છે. આ કાર્યક્રમમાં સાયન્સ એન્ડ ટેક્નોલોજી મંત્રી અશ્વિની વૈષ્ણવ, શિક્ષા મંત્રી જીતુ વાઘાણી, વેદાંતા ગ્રુપના ચેરમેન અનિલ અગ્રવાલ સહિત રાજ્ય સરકારના અનેક પદાધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. પોતાના સંબોધનમાં મુખ્યમંત્રીએ કહ્યું કે આ એમઓયુ થવાથી વધુ એક લાખ યુવાનોને રોજગારી મળશે. 


વેદાંતા અને ફોક્સકોન તેમનું આ સંયુક્ત સાહસ ઉભુ કરવા માટે અમદાવાદની આસપાસમાં 1000 એકર જમીનની શોધ કરી રહ્યા છે. કનેક્ટિવિટીની દૃષ્ટિએ આ વિસ્તાર ઉત્તમ છે. આ સાથે વેદાંતા અને ફોક્સકોને પણ સરકાર પાસેથી કેટલાક પ્રોત્સાહનો અને ટેક્સમાં છૂટની માંગ કરી છે.


વેદાંતાએ જણાવ્યું હતું કે તે આગામી પાંચ વર્ષમાં સેમિકન્ડક્ટર અને ડિસ્પ્લે ફેબ્રિકેશન બિઝનેસમાં $15 બિલિયનનું રોકાણ કરવાની યોજના ધરાવે છે. વેદાંતા અને ફોક્સકોન અગાઉ મહારાષ્ટ્ર સરકાર સાથે વાટાઘાટો કરી રહી હતી. જુલાઈમાં, મહારાષ્ટ્રે જાહેરાત કરી હતી કે વેદાંત પુણેના ઈલેક્ટ્રોનિક ક્લસ્ટરમાં તેની ફેક્ટરી સ્થાપવા માટે વાટાઘાટ કરી રહી હતી. જો કે મહારાષ્ટ્ર સરકાર કંપનીને પ્રોત્સાહન અને ટેક્સમાં છૂટ આપવા માટે સંમત ન થઈ. આ કારણે વેદાંત સેમીકન્ડક્ટરની સુવિધા માટે ગુજરાતને પસંદ કર્યું છે.


સ્થાનિકોને રોજગારી મળશે?


ગુજરાતમાં મોટી કંપનીઓ તેમનું પ્રોડક્સન યુનિટ ઉભુ કરે છે. અત્યાર સુધી ગુજરાતમાં ટાટા નેનો, મારૂતિ અને હોન્ડાએ તેની ઉત્પાદન ફેસિલીટી ગુજરાતમાં સ્થાપીત કરી છે. જો કે ચોંકાવનારી બાબત એ છે કે આ મોટી ફેક્ટરીઓમાં સ્થાનિક ગુજરાતી યુવાનોને ખુબ જ ઓછી સંખ્યામાં નોકરીઓ મળી છે. ગુજરાતની ભાજપ સરકારે પણ વિધાનસભામાં આ બાબત સ્વિકારી છે. ગુજરાત સરકાર આ મોટી કંપનીઓને તેમની ઉત્પાદન યુનિટ ઉભુ કરવા માટે કરોડો રૂપિયાના ટેક્સ બેનિફિટ આપે છે પરંતું તેમ છતાં જો ગુજરાતી યુવાનોને રોજગારી મળતી ન હોય તો આવા કરોડો રૂપિયાના મૂડીરોકાણનો શું મતલબ? 




જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.

આંતરરાષ્ટ્રીય સંબંધોમાં USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર ચર્ચાઓમાં છે તેમણે ફરી એકવાર , ભારતને લઇને નિવેદનબાજીઓ કરી છે. ડોનાલ્ડ ટ્રમ્પને અપેક્ષા છે કે , ભારત આ વર્ષના અંતથી રશિયન ક્રૂડની આયાત કરવાનું બંધ કરી દેશે. આ ઉપરાંત ડોનાલ્ડ ટ્રમ્પએ ચીન વિશે નિવેદન આપતા કહ્યું છે કે , બાઈડેન અને ઓબામાની નીતિઓના કારણે ચીન અને રશિયા એક થયા છે. બાકી બંને મિત્ર રહી શકે તેમ છે જ નહીં. ચીનના રશિયા સાથેના સંબંધો અલગ પ્રકારના છે.

રાજકોટના ગોંડલના ખુબ ચર્ચિત રાજકુમાર જાટ કેસમાં આ આખા કેસની તપાસ હવે સુરેન્દ્રનગરના SP , IPS પ્રેમસુખ ડેલુંને સોંપાઈ છે. જે ડી પુરોહિત કે જેઓ ધ્રાંગધ્રાના DYSP છે એ તેમને આ કેસની તપાસમાં મદદ કરશે. આમ હવે રાજકુમાર જાટ કેસમાં તપાસ માટે એક નવી તપાસ ટીમ બનાવવામાં આવશે. રાજકુમાર જાટના પરિવારજનોનું માનવું છે કે , સ્થાનિક પોલીસ પૂર્વ MLA જયરાજસિંહને બચાવી રહી છે. આ કેસની વધુ તપાસ CBIને સોંપવામાં આવે તેવી અરજી પણ તેમના દ્વારા દાખલ કરવામાં આવી હતી. ગુજરાત હાઇકોર્ટ દ્વારા આ કેસને લઇને મહત્વના નિર્દેશ આપવામાં આવ્યા છે.

રાજકોટના ખુબ ચર્ચિત કેસ અમિત ખૂંટ કેસમાં અનિરુદ્ધસિંહ જાડેજાના દીકરા રાજદીપસિંહ જાડેજાના આગોતરા જામીન હવે સુપ્રીમ કોર્ટે ફગાવી દીધા છે. સુપ્રીમ કોર્ટે દ્વારા રાજદીપ સિંહ જાડેજાના આગોતરા જામીન ના મંજુર કરવાંમાં આવ્યા છે. જેનાથી હવે રાજદીપ જાડેજાની મુશ્કેલીઓમાં વધારો થઇ શકે છે. આપને જણાવી દયિકે , રાજદીપસિંહ જાડેજાના પિતા અનિરુદ્ધસિંહ જાડેજા હાલમાં EX MLA પોપટલાલ સોરઠીયા કેસમાં સજામાફી રદ થવાના કારણે જેલમાં જ છે.