કોંગ્રેસના વરિષ્ઠ નેતા અને પૂર્વ ગૃહમંત્રી શિવરાજ પાટિલે લવ જેહાદને લઈ આપ્યું છે વિવાદિત નિવેદન


  • Published By : Payal rathod
  • Published Date : 2022-10-21 11:57:28

દેશમાં હાલ સૌથી વિવાદીત મુદ્દો હોય તો તે છે લવ જેહાદનો મુદ્દો. લવ જેહાદને લઈ રાજકારણ ગરમાઈ રહ્યું છે. ત્યારે કોંગ્રેસના વરિષ્ઠ નેતા અને પૂર્વ ગૃહમંત્રી શિવરાજ પાટિલે વિવાદીત નિવેદન આપ્યું છે. ભગવદ્ ગીતા પર અપાયેલા નિવેદન પર વિવાદ છેડાઈ ગયો છે. પુસ્તક વિમોચનમાં હાજરી આપતા તેમણે કહ્યું કે જેહાદ માત્ર કુરાનમાં નહીં પરંતુ ગીતામાં પણ છે. ગીતામાં પણ શ્રીકૃષ્ણએ અર્જુનને જેહાદનો પાઠ ભણાવ્યો છે. 

જેહાદ માત્ર કુરાનમાં નહીં પરંતુ ગીતામાં પણ છે - શિવરાજ પાટિલ 

જેહાદને કારણે એક બાદ એક વિવાદો સર્જાઈ રહ્યા છે. એકબાદ એક નેતાઓના નિવેદનો આવવાથી રાજકારણ ગરમાતું રહે છે, ત્યારે કોંગ્રેસના વરિષ્ઠ નેતા અને પૂર્વ ગૃહમંત્રી શિવરાજ પાટિલે પોતાના સંબોધનમાં જણાવ્યું હતું કે જ્યારે તમામ પ્રયાસો પછી પણ સારા વિચારોને કોઈ નથી સમજતું ત્યારે શક્તિનો ઉપયોગ કરવો પડે છે. જેહાદ માત્ર કુરાનમાં નહીં પરંતુ ગીતામાં પણ છે. ગીતામાં પણ શ્રીકૃષ્ણએ અર્જુનને જેહાદનો પાઠ ભણાવ્યો છે. જેહાદ માત્ર કુરાનમાં નહીં પરંતુ ગીતામાં પણ છે.


જીસસમાં પણ જેહાદ છે - પાટિલ    

ખ્રિસ્તી ધર્મ પર પણ તેમણે પ્રહાર કર્યા હતા કે અને કહ્યું હતું કે તેઓ માત્ર શાંતિ સ્થાપવા માટે આવ્યા નથી. તેઓ તલવાર પણ સાથે લાવ્યા છે. તેથી બધુ જ સમજ્યા પછી પણ કોઈ હથિયાર લઈને આવે તો તમે ભાગી શકો નહીં. 




ભારત સરકારે પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફનું ઓફિસિયલ પ્લેટફોર્મ એક્સનું એકાઉન્ટ સસ્પેન્ડ કરી નાખ્યું છે. પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફએ જે પેહલા નિવેદન આપ્યું હતું તે પણ ખુબ જ ચર્ચામાં રહ્યું હતું. આ પેહલા તેમણે એક ખાનગી ન્યુઝ ચેનલને આપેલા ઇન્ટરવ્યુમાં એ વાતનો સ્વીકાર કરી લીધો છે કે , પાકિસ્તાન છેલ્લા ૩૦ વર્ષથી આતંકીઓને ટ્રેનિંગ આપતું આવ્યું છે. હવે તેમણે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા રીયુટર્સને આપેલા ઇન્ટરવ્યુમાં એક વાતનો સાફ સ્વીકાર કરી લીધો છે કે , ભારત ગમે ત્યારે પાકિસ્તાન પર હુમલો કરી શકે છે.

ભારતના રક્ષામંત્રી રાજનાથ સિંહ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ૭ લોકકલ્યાણ માર્ગ પર મળીને નીકળ્યા છે. આ પેહલા રક્ષામંત્રી રાજનાથ સિંહ ગયિકાલે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ અનિલ ચૌહાણને મળ્યા હતા. સાથે જ તેમણે ભારતની ભવિષ્યની રણનીતિ વિશે ચર્ચા કરી હતી. તો હવે આજે જમ્મુ કાશ્મીર વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું છે. જેમાં બધા જ પક્ષોએ એક જ સૂરમાં આ આતંકવાદી હુમલાનો વિરોધ કર્યો છે.

ગુજરાત સરકાર, ગુજરાત ઈન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ કોર્પોરેશન અને મુંબઈ સ્થિત અમેરિકન કોન્સ્યુલેટના સંયુક્ત ઉપક્રમે અમદાવાદમાં ૨૫ એપ્રિલે યોજાઈ સેમિકન્ડક્ટર કોન્ફરન્સ, જેમાં ઉદ્યોગના નિષ્ણાંતો હિસ્સો બન્યા અને સેમિકન્ડક્ટર રાઉન્ડ ટેબલમાં વિવિધ વિષયોની ચર્ચા કરાઈ, આ કાર્યક્રમમાં ઈન્ડો અમેરિકન ચેમ્બર ઓફ કોમર્સ પણ હિસ્સો બન્યું હતુ.

૧લી મે એટલે , આપણા ગુજરાતનો સ્થાપના દિવસ . આપણા ગુજરાતીઓ માટે મતલબ થાય છે ખાલી ક્રિકેટ . પરંતુ હવે અમદાવાદના કાંકરિયા સ્થિત ટ્રાન્સસ્ટેડિયામાં ગુજરાત સ્ટેટ ફૂટબોલ એસોસિયએશન દ્વારા ૧લી મેં થી ૧૩મી મેં સુધી ગુજરાત સુપર લીગનું આયોજન કરેલું છે