કોંગ્રેસના વરિષ્ઠ નેતા અને પૂર્વ ગૃહમંત્રી શિવરાજ પાટિલે લવ જેહાદને લઈ આપ્યું છે વિવાદિત નિવેદન


  • Published By : Payal rathod
  • Published Date : 2022-10-21 11:57:28

દેશમાં હાલ સૌથી વિવાદીત મુદ્દો હોય તો તે છે લવ જેહાદનો મુદ્દો. લવ જેહાદને લઈ રાજકારણ ગરમાઈ રહ્યું છે. ત્યારે કોંગ્રેસના વરિષ્ઠ નેતા અને પૂર્વ ગૃહમંત્રી શિવરાજ પાટિલે વિવાદીત નિવેદન આપ્યું છે. ભગવદ્ ગીતા પર અપાયેલા નિવેદન પર વિવાદ છેડાઈ ગયો છે. પુસ્તક વિમોચનમાં હાજરી આપતા તેમણે કહ્યું કે જેહાદ માત્ર કુરાનમાં નહીં પરંતુ ગીતામાં પણ છે. ગીતામાં પણ શ્રીકૃષ્ણએ અર્જુનને જેહાદનો પાઠ ભણાવ્યો છે. 

જેહાદ માત્ર કુરાનમાં નહીં પરંતુ ગીતામાં પણ છે - શિવરાજ પાટિલ 

જેહાદને કારણે એક બાદ એક વિવાદો સર્જાઈ રહ્યા છે. એકબાદ એક નેતાઓના નિવેદનો આવવાથી રાજકારણ ગરમાતું રહે છે, ત્યારે કોંગ્રેસના વરિષ્ઠ નેતા અને પૂર્વ ગૃહમંત્રી શિવરાજ પાટિલે પોતાના સંબોધનમાં જણાવ્યું હતું કે જ્યારે તમામ પ્રયાસો પછી પણ સારા વિચારોને કોઈ નથી સમજતું ત્યારે શક્તિનો ઉપયોગ કરવો પડે છે. જેહાદ માત્ર કુરાનમાં નહીં પરંતુ ગીતામાં પણ છે. ગીતામાં પણ શ્રીકૃષ્ણએ અર્જુનને જેહાદનો પાઠ ભણાવ્યો છે. જેહાદ માત્ર કુરાનમાં નહીં પરંતુ ગીતામાં પણ છે.


જીસસમાં પણ જેહાદ છે - પાટિલ    

ખ્રિસ્તી ધર્મ પર પણ તેમણે પ્રહાર કર્યા હતા કે અને કહ્યું હતું કે તેઓ માત્ર શાંતિ સ્થાપવા માટે આવ્યા નથી. તેઓ તલવાર પણ સાથે લાવ્યા છે. તેથી બધુ જ સમજ્યા પછી પણ કોઈ હથિયાર લઈને આવે તો તમે ભાગી શકો નહીં. 




જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.

આંતરરાષ્ટ્રીય સંબંધોમાં USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર ચર્ચાઓમાં છે તેમણે ફરી એકવાર , ભારતને લઇને નિવેદનબાજીઓ કરી છે. ડોનાલ્ડ ટ્રમ્પને અપેક્ષા છે કે , ભારત આ વર્ષના અંતથી રશિયન ક્રૂડની આયાત કરવાનું બંધ કરી દેશે. આ ઉપરાંત ડોનાલ્ડ ટ્રમ્પએ ચીન વિશે નિવેદન આપતા કહ્યું છે કે , બાઈડેન અને ઓબામાની નીતિઓના કારણે ચીન અને રશિયા એક થયા છે. બાકી બંને મિત્ર રહી શકે તેમ છે જ નહીં. ચીનના રશિયા સાથેના સંબંધો અલગ પ્રકારના છે.

રાજકોટના ગોંડલના ખુબ ચર્ચિત રાજકુમાર જાટ કેસમાં આ આખા કેસની તપાસ હવે સુરેન્દ્રનગરના SP , IPS પ્રેમસુખ ડેલુંને સોંપાઈ છે. જે ડી પુરોહિત કે જેઓ ધ્રાંગધ્રાના DYSP છે એ તેમને આ કેસની તપાસમાં મદદ કરશે. આમ હવે રાજકુમાર જાટ કેસમાં તપાસ માટે એક નવી તપાસ ટીમ બનાવવામાં આવશે. રાજકુમાર જાટના પરિવારજનોનું માનવું છે કે , સ્થાનિક પોલીસ પૂર્વ MLA જયરાજસિંહને બચાવી રહી છે. આ કેસની વધુ તપાસ CBIને સોંપવામાં આવે તેવી અરજી પણ તેમના દ્વારા દાખલ કરવામાં આવી હતી. ગુજરાત હાઇકોર્ટ દ્વારા આ કેસને લઇને મહત્વના નિર્દેશ આપવામાં આવ્યા છે.

રાજકોટના ખુબ ચર્ચિત કેસ અમિત ખૂંટ કેસમાં અનિરુદ્ધસિંહ જાડેજાના દીકરા રાજદીપસિંહ જાડેજાના આગોતરા જામીન હવે સુપ્રીમ કોર્ટે ફગાવી દીધા છે. સુપ્રીમ કોર્ટે દ્વારા રાજદીપ સિંહ જાડેજાના આગોતરા જામીન ના મંજુર કરવાંમાં આવ્યા છે. જેનાથી હવે રાજદીપ જાડેજાની મુશ્કેલીઓમાં વધારો થઇ શકે છે. આપને જણાવી દયિકે , રાજદીપસિંહ જાડેજાના પિતા અનિરુદ્ધસિંહ જાડેજા હાલમાં EX MLA પોપટલાલ સોરઠીયા કેસમાં સજામાફી રદ થવાના કારણે જેલમાં જ છે.