'કોમન યુનિવર્સિટી એકટ' પર પુન: વિચારણા કરવા શક્તિસિંહ ગોહિલે લખ્યો Gujaratના CMને પત્ર, જાણો એક્ટ આવ્યા પછી શું આવશે બદલાવ?


  • Published By :
  • Published Date : 2023-09-16 12:10:05

ગુજરાત સરકાર રાજ્યમાં કોમન યુનિવર્સિટી એક્ટ લાવવાની છે જેના કારણે યુનિવર્સિટીમાં અનેક બદલાવો થવાના છે. સૌથી મોટો બદલાવ કુલપતિ મામલે થવાનો છે જેમાં તેમની સમય સીમા 3 વર્ષની જગ્યાએ 5 વર્ષ કરવામાં આવશે. આ સિવાય બીજો મહત્વનો નિર્ણય આમાં એ થશે કે કુલપતિની નિમણૂકમાં નો રીપિટ થીયરી આવશે. હાલ કુલપતિની ત્રણ-ત્રણ વર્ષ એમ બે વાર નિમણૂક થતી હતી પણ આ કાયદા બાદ કુલપતિ એક વ્યક્તિ એક જ વાર બની શકશે. કોમન યુનિવર્સિટી એક્ટનો વિરોધ શિક્ષકો દ્વારા કરવામાં આવ્યો હતો. 


 ગુજરાત કોંગ્રેસના પ્રમુખે લખ્યો સીએમને પત્ર 

ગુજરાત વિધાનસભામાં હાલ ચોમાસુ સત્ર ચાલી રહ્યું છે. આ સત્રમાં અનેક બિલો પસાર થઈ શકે છે. ત્યારે ચાર વાર નામંજૂર થયેલું ગુજરાત પબ્લિક યુનિવર્સિટી બિલ ફરીવાર આજે વિધાનસભાના ટેબલ પર મૂકવામાં આવશે તેની વચ્ચે કોંગ્રેસના નેતાઓ, વિદ્યાર્થી નેતાઓ વિરોધ કરી રહ્યા છે કારણ કે હવેથી અદ્યાપકોની બદલી, અદ્યાપકોની નિમણૂક, યુનિવર્સિટીની કામગીરી સહિત સરકારી ગ્રાન્ટ વગેરેના નિર્ણયો સરકાર પોતે કરશે. સરકારી યુનિવર્સિટીના અધિનિયમો પણ આ બિલ બાદ રદ થઈ જવાના છે. આ મામલે કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ શક્તિસિંહ ગોહિલે મુખ્યમંત્રીને પત્ર લખ્યો હતો. પત્ર ગુજરાત કોંગ્રેસ દ્વારા ટ્વિટ કરવામાં આવ્યો છે જેમાં લખવામાં આવ્યું છે કે યુનિવર્સિટીઓની આઝાદી સામે ખતરો: ગુજરાત સરકારની ગુલામ બનશે! 


આ કારણોસર આ બિલનો કરવામાં આવી રહ્યો છે વિરોધ!

લોકો બદલાવો માટે ટેવાયેલા નથી હોતા માટે જ કંઈક બદલાવ આવે એટલે વિરોધ કરે છે. શા માટે વિરોધ કરે છે તેની વાત કરીએ તો હવેથી મહાવિદ્યાલયોમાં ભરતી સરકારની મંજૂરી વિના નથી થવાની. કામ કરવા મહાવિદ્યાલયો ગ્રાન્ટ પણ નહીં વાપરી શકે, પ્રદ્યાપકો ખાનગી ટ્યુશન પણ નહીં કરાવી શકે, યુનિવર્સિટીનું પણ સરકારની જેમ નાણાકીય વર્ષ રહેશે, અભ્યાસક્રમમાં પણ 20 ટકા ફેરફાર આવશે. એક જ સમયે તમામ મહાવિદ્યાલયોની પરીક્ષા લેવામાં આવશે અને તેનો અભ્યાસક્રમ પણ અલગ અલગ નહીં રહે, એક જ કાયદાથી મહાવિદ્યાલયોનું કામ થવાનું છે.



નવા કાયદામાં શું જોગવાઈ છે?


કોમન યુનિવર્સિટી એક્ટ તમામ રાજકીય ચૂંટાયેલી સંસ્થાઓ જેમ કે સેનેટ અને સિન્ડિકેટને ખતમ કરી દેશે, તેનું સ્થાન બોર્ડ ઓફ ગવર્નર્સ લેશે. રાજ્ય સરકારે ડ્રાફ્ટમાં એક જોગવાઈ તે પણ રાખવામાં આવી છે કે જો યુનિવર્સિટીના અધિકારીઓ તેમની ફરજો બજાવવામાં નિષ્ફળ જાય તો તેમના અધિકારીઓને રજિસ્ટ્રાર, ફાઇનાન્સ અને એકાઉન્ટ્સ ઓફિસર અથવા પ્રતિનિયુક્તિ પર પરીક્ષા નિયંત્રક તરીકે નિમણૂંક કરવાનો અધિકાર આપે છે". વાઈસ-ચાન્સેલરને બે ટર્મ માટે ત્રણ-ત્રણ વર્ષ મુદત બાદ બદલવામાં આવશે. સૂત્રોના જણાવ્યા પ્રમાણે રાજ્ય સરકાર રાજસ્થાન, ઉત્તર પ્રદેશ, ઝારખંડ, મહારાષ્ટ્ર અને કર્ણાટક જેવા અન્ય રાજ્યોના સમાન બિલ અથવા કાયદાઓનો અભ્યાસ કરી રહી છે.


આ યુનિવર્સિટીઓ પર લાગુ પડશે કાયદો


આ કાયદો રાજ્યની છ સૌથી જૂની અને મોટી જાહેર યુનિવર્સિટીઓ – ગુજરાત યુનિવર્સિટી અમદાવાદ, હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટી પાટણ, મહારાજા કૃષ્ણકુમારસિંહજી ભાવનગર યુનિવર્સિટી, સરદાર પટેલ યુનિવર્સિટી આણંદ, સૌરાષ્ટ્ર યુનિવર્સિટી રાજકોટ અને વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી સુરતને નવો કાયદો લાગુ પડશે. જાહેર યુનિવર્સિટીઓમાં પહેલેથી જ બોર્ડ ઓફ ગવર્નર્સ છે.




૧૮મી જૂન આજના દિવસે પાકિસ્તાનના આર્મી ચીફ અસીમ મુનીર રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પને મળવાના છે. આ માટે વ્હાઇટહાઉસ દ્વારા ડોનાલ્ડ ટ્રમ્પનો એક કાર્યક્રમ બહાર પાડવામાં આવ્યો છે. પાકિસ્તાની આર્મી ચીફ અસીમ મુનીર હાલમાં અમેરિકાની મુલાકાતે છે. વ્હાઇટ હાઉસે આ માટે ૧૮મી જૂનના દિવસે આખો કાર્ય્રક્રમ જાહેર કર્યો છે .

ઈરાન અને ઇઝરાયેલ વચ્ચે તણાવમાં જોરદાર વધારો જોવા મળી રહ્યો છે. આ તણાવની મધ્યમાં અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પએ કેનેડામાં G 7 ની બેઠકને વચ્ચે છોડીને , અમેરિકા પરત ફર્યા છે. આ માટે ટ્રુથ સોશ્યિલ નામની સાઈટ પર એક પોસ્ટ સામે આવી છે જેમાં લખવામાં આવ્યું છે કે , તેહરાનને ખાલી કરો . સાથે જ ભારતે પોતાના વિદ્યાર્થીઓને સુરક્ષાના કારણોસર તેહરાનમાંથી ખાલી કરાવડાવ્યા છે.

મધ્ય એશિયામાં પરિસ્થિતિઓ સતત વણસી રહી છે. કેમ કે , ઈરાન અને ઇઝરાયેલના એક બીજા પર જોરદાર હુમલાઓ ચાલુ છે. બેઉ તરફ મૃત્યુનો આંક વધી રહ્યો છે. રવિવારે મોડી રાતથી આજે સવારે , ઈરાન દ્વારા ઇઝરાયેલ પર મિસાઈલ હુમલા સતત ચાલુ છે જે અંતર્ગત હવે ઇસરાએલની રાજધાની તેલઅવીવમાં આવેલી યુએસ એમ્બેસીને નુકશાન થયું છે. યુએસ એમ્બેસેડર માઈક હકાબીએ આ સમાચાર કન્ફર્મ કર્યા છે. તો બીજી તરફ ઇઝરાયેલી ડિફેન્સ ફોર્સીસએ ઇરાનમાં છેક અંદર સુધી સ્ટ્રાઇક કરી છે. યુએસના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પએ ટ્રુથ સોશ્યિલ પર એક પોસ્ટ કરીને ભારત પાકિસ્તાનનો સંદર્ભ આપીને ઈરાન અને ઇઝરાયેલ વચ્ચે સમાધાન કરાવવાની વાત કરી છે.

ઇઝરાયેલએ હવે ફરી એકવાર ઈરાન પર હુમલો કર્યો છે . જેમાં ઈઝરાઈલે ઈરાનની ઓઇલ અને પરમાણુ સાઇટ્સને નિશાન બનાવી છે. બેઉ દેશો વચ્ચે પરિસ્થિતિ જબરદસ્ત રીતે એસ્કેલેટ થઇ રહી છે . અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પએ અમેરિકાની કોઈ પણ પ્રકારની ભૂમિકા નકારી દીધી છે. સાથે જ ઈરાનને ધમકી આપી છે કે , અમેરિકાની વિરુદ્ધમાં કોઈ પણ પ્રકારની કાર્યવાહી કરવામાં આવશે તો , અમેરિકા નઈ છોડે. સાથે જ એ પણ ચર્ચા કરીશું કે , કેવી રીતે ઈરાન , ઇઝરાયેલ યુદ્ધ ભારત અને વિશ્વના અર્થતંત્રને અસર કરી શકે છે.