'કોમન યુનિવર્સિટી એકટ' પર પુન: વિચારણા કરવા શક્તિસિંહ ગોહિલે લખ્યો Gujaratના CMને પત્ર, જાણો એક્ટ આવ્યા પછી શું આવશે બદલાવ?


  • Published By :
  • Published Date : 2023-09-16 12:10:05

ગુજરાત સરકાર રાજ્યમાં કોમન યુનિવર્સિટી એક્ટ લાવવાની છે જેના કારણે યુનિવર્સિટીમાં અનેક બદલાવો થવાના છે. સૌથી મોટો બદલાવ કુલપતિ મામલે થવાનો છે જેમાં તેમની સમય સીમા 3 વર્ષની જગ્યાએ 5 વર્ષ કરવામાં આવશે. આ સિવાય બીજો મહત્વનો નિર્ણય આમાં એ થશે કે કુલપતિની નિમણૂકમાં નો રીપિટ થીયરી આવશે. હાલ કુલપતિની ત્રણ-ત્રણ વર્ષ એમ બે વાર નિમણૂક થતી હતી પણ આ કાયદા બાદ કુલપતિ એક વ્યક્તિ એક જ વાર બની શકશે. કોમન યુનિવર્સિટી એક્ટનો વિરોધ શિક્ષકો દ્વારા કરવામાં આવ્યો હતો. 


 ગુજરાત કોંગ્રેસના પ્રમુખે લખ્યો સીએમને પત્ર 

ગુજરાત વિધાનસભામાં હાલ ચોમાસુ સત્ર ચાલી રહ્યું છે. આ સત્રમાં અનેક બિલો પસાર થઈ શકે છે. ત્યારે ચાર વાર નામંજૂર થયેલું ગુજરાત પબ્લિક યુનિવર્સિટી બિલ ફરીવાર આજે વિધાનસભાના ટેબલ પર મૂકવામાં આવશે તેની વચ્ચે કોંગ્રેસના નેતાઓ, વિદ્યાર્થી નેતાઓ વિરોધ કરી રહ્યા છે કારણ કે હવેથી અદ્યાપકોની બદલી, અદ્યાપકોની નિમણૂક, યુનિવર્સિટીની કામગીરી સહિત સરકારી ગ્રાન્ટ વગેરેના નિર્ણયો સરકાર પોતે કરશે. સરકારી યુનિવર્સિટીના અધિનિયમો પણ આ બિલ બાદ રદ થઈ જવાના છે. આ મામલે કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ શક્તિસિંહ ગોહિલે મુખ્યમંત્રીને પત્ર લખ્યો હતો. પત્ર ગુજરાત કોંગ્રેસ દ્વારા ટ્વિટ કરવામાં આવ્યો છે જેમાં લખવામાં આવ્યું છે કે યુનિવર્સિટીઓની આઝાદી સામે ખતરો: ગુજરાત સરકારની ગુલામ બનશે! 


આ કારણોસર આ બિલનો કરવામાં આવી રહ્યો છે વિરોધ!

લોકો બદલાવો માટે ટેવાયેલા નથી હોતા માટે જ કંઈક બદલાવ આવે એટલે વિરોધ કરે છે. શા માટે વિરોધ કરે છે તેની વાત કરીએ તો હવેથી મહાવિદ્યાલયોમાં ભરતી સરકારની મંજૂરી વિના નથી થવાની. કામ કરવા મહાવિદ્યાલયો ગ્રાન્ટ પણ નહીં વાપરી શકે, પ્રદ્યાપકો ખાનગી ટ્યુશન પણ નહીં કરાવી શકે, યુનિવર્સિટીનું પણ સરકારની જેમ નાણાકીય વર્ષ રહેશે, અભ્યાસક્રમમાં પણ 20 ટકા ફેરફાર આવશે. એક જ સમયે તમામ મહાવિદ્યાલયોની પરીક્ષા લેવામાં આવશે અને તેનો અભ્યાસક્રમ પણ અલગ અલગ નહીં રહે, એક જ કાયદાથી મહાવિદ્યાલયોનું કામ થવાનું છે.



નવા કાયદામાં શું જોગવાઈ છે?


કોમન યુનિવર્સિટી એક્ટ તમામ રાજકીય ચૂંટાયેલી સંસ્થાઓ જેમ કે સેનેટ અને સિન્ડિકેટને ખતમ કરી દેશે, તેનું સ્થાન બોર્ડ ઓફ ગવર્નર્સ લેશે. રાજ્ય સરકારે ડ્રાફ્ટમાં એક જોગવાઈ તે પણ રાખવામાં આવી છે કે જો યુનિવર્સિટીના અધિકારીઓ તેમની ફરજો બજાવવામાં નિષ્ફળ જાય તો તેમના અધિકારીઓને રજિસ્ટ્રાર, ફાઇનાન્સ અને એકાઉન્ટ્સ ઓફિસર અથવા પ્રતિનિયુક્તિ પર પરીક્ષા નિયંત્રક તરીકે નિમણૂંક કરવાનો અધિકાર આપે છે". વાઈસ-ચાન્સેલરને બે ટર્મ માટે ત્રણ-ત્રણ વર્ષ મુદત બાદ બદલવામાં આવશે. સૂત્રોના જણાવ્યા પ્રમાણે રાજ્ય સરકાર રાજસ્થાન, ઉત્તર પ્રદેશ, ઝારખંડ, મહારાષ્ટ્ર અને કર્ણાટક જેવા અન્ય રાજ્યોના સમાન બિલ અથવા કાયદાઓનો અભ્યાસ કરી રહી છે.


આ યુનિવર્સિટીઓ પર લાગુ પડશે કાયદો


આ કાયદો રાજ્યની છ સૌથી જૂની અને મોટી જાહેર યુનિવર્સિટીઓ – ગુજરાત યુનિવર્સિટી અમદાવાદ, હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટી પાટણ, મહારાજા કૃષ્ણકુમારસિંહજી ભાવનગર યુનિવર્સિટી, સરદાર પટેલ યુનિવર્સિટી આણંદ, સૌરાષ્ટ્ર યુનિવર્સિટી રાજકોટ અને વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી સુરતને નવો કાયદો લાગુ પડશે. જાહેર યુનિવર્સિટીઓમાં પહેલેથી જ બોર્ડ ઓફ ગવર્નર્સ છે.




ભારતે હવે હવાઈ ક્ષેત્રે પાકિસ્તાનને ઘેરવાનું શરુ કરી દીધું છે. ભારત સરકારે જાહેરાત કરી છે કે ૨૩ મેં સુધી પાકિસ્તાન માટે ભારતનો એર સ્પેસ બંધ રહેશે . પાકિસ્તાનની તમામ ફ્લાઇટો ભારતના એરસ્પેસનો ઉપયોગ કરીને ચીન , મ્યાનમાર , થાઈલેન્ડ શ્રીલંકા જતી હતી. પરંતુ હવે પાકિસ્તાને ગોળ ચક્કર લગાવીને જવું પડશે. ભારતના એરસ્પેસમાં ચોખ્ખી નો-એન્ટ્રી . આમ ભારતે પાકિસ્તાનના અર્થતંત્ર પર ખુબ મોટી સ્ટ્રાઇક કરી છે.

પહલગામના આતંકી હુમલા પછી રાજધાની દિલ્હીમાં એક પછી એક મહત્વની બેઠકો મળવાનું ચાલુ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ૭ , લોક કલ્યાણ માર્ગ સ્થિત નિવાસ સ્થાને કેબિનેટ કમિટી ઓન સિક્યોરિટીની મિટિંગ મળી છે. આ પછી કેબિનેટ કમિટી ઓન પોલિટિકલ અફેર્સની મિટિંગ પણ મળી છે.

ભારત સરકારે પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફનું ઓફિસિયલ પ્લેટફોર્મ એક્સનું એકાઉન્ટ સસ્પેન્ડ કરી નાખ્યું છે. પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફએ જે પેહલા નિવેદન આપ્યું હતું તે પણ ખુબ જ ચર્ચામાં રહ્યું હતું. આ પેહલા તેમણે એક ખાનગી ન્યુઝ ચેનલને આપેલા ઇન્ટરવ્યુમાં એ વાતનો સ્વીકાર કરી લીધો છે કે , પાકિસ્તાન છેલ્લા ૩૦ વર્ષથી આતંકીઓને ટ્રેનિંગ આપતું આવ્યું છે. હવે તેમણે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા રીયુટર્સને આપેલા ઇન્ટરવ્યુમાં એક વાતનો સાફ સ્વીકાર કરી લીધો છે કે , ભારત ગમે ત્યારે પાકિસ્તાન પર હુમલો કરી શકે છે.

ભારતના રક્ષામંત્રી રાજનાથ સિંહ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ૭ લોકકલ્યાણ માર્ગ પર મળીને નીકળ્યા છે. આ પેહલા રક્ષામંત્રી રાજનાથ સિંહ ગયિકાલે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ અનિલ ચૌહાણને મળ્યા હતા. સાથે જ તેમણે ભારતની ભવિષ્યની રણનીતિ વિશે ચર્ચા કરી હતી. તો હવે આજે જમ્મુ કાશ્મીર વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું છે. જેમાં બધા જ પક્ષોએ એક જ સૂરમાં આ આતંકવાદી હુમલાનો વિરોધ કર્યો છે.